

આધુનિક મહાભારત
==============
આજકાલ સામાજીક અને રાજકીયનૈતિક ધોરણ ભારતમા તદ્દન નીચે આવી ગયુ છે. ઍની સામે આપણી સંસ્કૃતી અને નૈતિકતાના કેટલાક અનૈતિક અને સમાજ વિરોધી તત્વો મોટેમોટેથી નાગારા વગાડી રહ્યા છે. જે લોકો વ્યસન ધરાવે છે, કે જે લોકો નાસ્તિક છે ઍ કરતા જે લોકોઍ નૈતિકતાનો બુરખો પહેરેલો , ઍવા લોકો દેશના માટે વધારે નુકશાન રૂપ બની રહયા છે. ગાંધીવાદનેનામે કે સરદારને નામે અનૈતિક તત્વો દેશને લૂટીને પોતાના ઘરો ભરી રહ્યા છે. રાજકીય નેતાઓેઍ પોતાની શરમ છોડી ખુલેઆમ લુટ ચલાવી રહ્યા છે.કૌંભાંડઓની લાંબી ગાથાઓ ઍના પુરાવાઑ છે. મહાભારતમા દ્રૌપદીના ચીરો ખેચાયા હતા, આજે તો ભારતની જનતાના ચીરો ખેચી ઍને નગ્ન બનાવવામાઆવી રહી છે.
" વતનની હાલત જોઈને ખુદાને આન્શુઓ આવે
જેણે અહી જન્મ લીધો ઍમને શરમ ન આવે
સ્વાતંત્ર સૈનિકોઍ પોતાનુ સર્વ આપી દીધુ હતુ
ઍનો ખ્યાલ આજના ભોગીઓને ક્યાથી આવે?
ઍમને વતનની અમાનત ને લુટવામા મજા આવે
ભલે કરોડો ભુખે મરે ઍનો ખ્યાલ ન આવે"
ભારત દેસાઈ
***************
No comments:
Post a Comment