Saturday, March 28, 2026

 


વૃદ્ધાવસ્થા  

                                                                    વયસ્થ નાગરિકો માટે એમના સમયનો સારી રીતે ઉપયોગ કરવાથી એમનું સ્વાસ્થ્ય સારું રહે છે. એમાં  સામાજિક સંપર્કો, સારી ટેવ  અને સારા કામોમાં વ્યસ્થ રહેવું આવશ્યક છે.  નિષ્ણાતો  પ માને છેકે સારી માનસિક સ્થિતિ પણ તંદુરસ્તી સારી રાકે છે.  સકારાત્મક  વલણ  વૃદ્ધોને એમનું આયુષ્ય પાંચથી સાત વર્ષ સુધી વધારવામાં  મદદરૂપ બને છે. 

                                      જેમ આયુષ્ય વધે તેમ તેમ શરીરના સ્નાયુઓ ઢીલા અને નબળા પડતા જાય એટલા માટે અઠવાડિયામાં બે ત્રણ વાર એવી કસરતો કરવી જોઈએકે જેથી એ સ્નાયુઓ મજબૂત રહે અને શરીરને સ્ફૂર્તિ  આપતું રહે.  ટૂંકમાં  આયુષ્ય વધારવામાં સ્નાયુઓ અગત્યનો ભાગ ભજવે છે. તે ઉપરાંત શરીરને સ્ફૂર્તિ આપી સ્નાયુઓ શરીરને કામકાજ કરવામાં પણ મદદ કરે છે.  સ્નાયુઓની કસરતો શરીરની શક્તિને અનુકૂળ હોવી જોઈએ જેથી એની આડી અસર ન થાય. ઘણા વૃદ્ધો સ્નાયુઓની નબળાઈને વશ થઇ પડી રહેતા હોય છે   અને જે મોતને જલ્દી નોતરે છે. 

                                           મજબૂત સામાજિક સંપર્કો જાળવવામાં  મિત્રો વધારે મદદરૂપ થતા હોય છે. એથી મિત્રો સાથે આગળ પડીને સંપર્કો ચાલુ રાખવા જોઈએ. મિત્રોની સાથે મિત્રતા જાળવવામાં સાથે ચાલવા જવુંકે પછી થોડા થોડા વખતે સાથે જમવા જવાથી મૈત્રી ઘાઢ બની શકે છે. ચા કે પછી કોફીને ચુસ્કી પણ મિત્રો સાથે લઇ શકાય છે. મિત્રોને  મળવા માટે  એમના  ફોન કે આમંત્રણ રાહ જોવા કરતા હંમેશા પહેલ કરવી પણ આવશ્યક છે. 


                                          માણસોના મૃત્યુ ઘણીવાર ગમે તેવા ખોરાક ખાવાથી થાય છે. એટલા માટે તંદુરસ્તીને અનુરૂપ ખોરાક ખાવાથી આયુષ્ય વાશે છે. એમ કહેવાય છે કે 'માણસો ખાવાથી વધુ મરે છે ભૂખથી નહિ '.  મૂળમાં તળેલા ખોરાક અને પ્રોસેસ ખોરાક વૃદ્ધોએ  ઓછો ખાવો જોઈએ .

                                             તે ઉપરાંત વૃધ્દ્ધાવસ્થામાં  નવીન વસ્તુઓ જાણવાની વૃત્તિઓ  મગજને તાજગી આપે છે.  કોઈ નવી વસ્તુનો અનુભવ તંદુરસ્તી માટે આવશ્યક છે.  વૃદ્ધોએ જેમાં એમને આતુરતા હોય એવી વસ્તુઓ કરવી, જેથી તેના વિષે વિચારી અને વાત કરી શકે . એનાથી  એમનો વિકાસ પણ થઇ  શકે.  તે ઉપરાંત પિયાનો,  હાર્મોનિયમ કે પછી સંગીતના સાધનો વઘાડતાં શીખવું પછી ચિત્રકામ કરવા જેવી પ્રવૃતિઓ કરવાથી  આનંદ અને વ્યક્તિત્વ  વિકાસ થાય છે.  એટલેકે વૃદ્ધાવસ્થામાં કોઈ નવીન વસ્તુ કરવાથી આયુષ્ય વધે છે અને શરીર તંદુરસ્ત પણ રહે છે. 

                                           વૃદ્ધાવસ્થા એ ઘણો મુશ્કેલ સમય છે. એમાં તંદુરસ્તી જાળવી માનવીએ પોતાની ઓળખાણ જાળવી રાખવી પડે છે.  એમાં થોડા  સકારાત્મક સૂચનો નિષ્ણાતોએ સૂચવ્યા છે એ બતાવવા પ્રયત્ન કર્યો છે. 

                                ****************************   

                          

Sunday, March 15, 2026

 



સાગર અને ખનીજનો  ખજાનો 

                                                             દરિયામાં એવો ભાગ છે જેના પર કોઈ પણ દેશનો કબજો નથી . એને આંતરરાષ્ટ્રીય ભાગ કહેવામા આવે છે જેના પર હવે ઘણા દેશોની નઝર છે કારણકે ત્યાં  તળિયે ખનિજોનો ખજાનો છે. 



                                                            આ વસ્તુ વધારે ધ્યાનમાં ક્યારે આવી જયારે  એ ખજાનાને કાઢવાની વાત પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ  વાત કરી . એને કારણે  ઘણા શક્તિશાળી દેશો પણ દાવો આગળ ધરવા મંડ્યા . પરંતુ એ સાગર પર કોઈ પણ  દેશનું રાજ નથી એ અંતરરાષ્ટ્રીય માલિકીનું છે. 

                                                           એમ કહેવાય છે કે પેસિફિક મહાસાગરમાં તળિયે 270 મિલિયન ટન નિકેલ , ૪૪મિલ્લીઓન  ટન કોબાલ્ટ છે.  એ જથ્થો આશરે પેસેફિક મહાસાગરમાં હવાઈ ટાપુઓથી 880 કીલમિટર દૂર છે જેના પારઅમેરિકાની નજર છે. પરંતુ ઘણા દેશો એમાં પણ રસ ધરાવી રહ્યા છે. 

                                                           એમ પણ માનવામાં આવે છે કે દરિયામાંથી ખનીજ કાઢવાની પ્રક્રિયા જમીનની ખનીજ કાઢવાની પક્રિયા કરતા વાતાવરણને ઓછું નુકસાનકારક છે. 



                                                         તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય  પાણી પરની કોઈ પણ પવૃત્તિને કાબુમાં રાખવા માટે '' આંતરરાષ્ટ્રીય સીબેડ  ઓથોરિટી" પણ અસ્તિવમાં છે.  એના મેમ્બર તરીકે ફ્રાન્સ, નોર્વે , કેનેડા અને ઇંગ્લેન્ડ જેવા દેશો પણ છે. એમને પણ દરિયાયી ખનીજ માં રસ છે.  જો સીબેડ ઓથોરિટી વ્યવસ્થિત  કાયદા કાનૂન ઘડી કાઢે તો દેશો વચ્ચે ઘર્ષણ અટકાવી શકાશે . નહિ તો અરાજકતા વધવાનો સંભવ છે. પછીતો જેની લાકડી એનું રાજ ઉભું થશે . 


                                                       સાગરમાં રહેલા અદભુત ખજાનાનો  વ્યવસ્થિત ઉપયોગ જ  વિશ્વના હિતમાં  હશે.  તે ઉપરાંત સાગરના જીવોના રક્ષણ માટેના  સંસ્થાઓ પણ એમાં વિરોધ પણ નોંધાવશે. એથી વધારે ગુંચવાડો ઉભો થઇ શકે છે. એથી બધાની સાથે વાતચીત દ્વારા એ પ્રશ્નનો ઉકેલ આવે એ ઉચિત છે.

                                                 ********************


 

Sunday, March 8, 2026

 


બ્રિગિટ્ટ  બારડોટ 

                                   બ્રિગિટ્ટ બારડોટ ફ્રેન્ચ અભિનેત્રી હતી. એણે એના સૌંદર્ય અને અભિનય દ્વારા ફિલ્મ જગતમાં તરખાટ મચાવ્યો હતો .એની ફિલ્મ  'એન્ડ ગોડ ક્રિએટે  વુમન ' એને દુનિયામાં પ્રખ્યાતિ આપી હતી . એ પવિત્ર વિચાર ધરાવનાર પરિવાર અને જેનો ઉછેર બહુ સારી રીતે  ઉછરેલી એવી પુત્રી હતી પરંતુ ફિલ્મી દુનિયાએ એના જીવન શૈલીને બદલી નાખી હતી. 

                                 એના વાળ  ભૂખરા રંગના હતા પણ એને પસંદ ન હતા તેથી એને સોનેરી બનાવ્યા હતા .  આમ સીધી સાદી ખાનગી શાળામાં ભણેલી યુવતી દુનિયાની સ્વપ્ન સુંદરી બની ગઈ હતી . એના માતાપિતાની રજા વગર પંદરમે varsh દુનિયાં પ્રખ્યાત મેગેઝીન પાર આવી ચુકી હતી અને ૧૭માં વર્ષે  એની બિકીની પહેરેલી તસવીરો પ્રગટ થવા લાગી હતી . 18 માં વર્ષમાં  આકર્ષક સૌંદર્યને લીધે લગ્ન પણ કરી લીધા હતા . ત્યાર પછી એણે ચાર લગ્નો કાર્ય હતા . પરંતુ એની એક વધુ ફિલ્મ 'બાબિટ્ટે ગોઝ તો વૉર ' પણ હિટ ગઈ હતી. 

                                                  આખરે  એણે સેન્ટ ટોપેઝ  નામના ફિશિંગ  પોર્ટ પર  એનું ઘર વસાવ્યું હતું.  ફોટોગ્રાફરો અને પ્રસિદ્ધિથી ત્રાસીને તે બેચેન  બની હતી અને એનું ધ્યાન ત્રાસિત જાનવરોના માવજત તરફ કેન્દ્રિત કર્યું હતું . પોતાનું જાર જવેરાત વેચીને એમાંથી ' બ્રિગિટ બારડોટ ફોઉન્ડેશન ' બનાવ્યું  અને એના દ્વારા ઘોડા , ગધેડા અને   રીછ જેવા અબ્યુઝ જાનવરોની દુનિયા ભરમાં માવજત કરવાની શરૂઆત કરી . એણે જાનવરોને ત્રાસરૂપ  વુલફ શિકાર, બુલ લડાઈ ,  ચિકન ફાર્મિંગ જેવી ઘાતકી પ્રવૃતિઓ સામે પણ દુનિયાભરમાં ઝુંબેશ ચલાવી.

                                            આવી ઉમદા પ્રવૃત્તિઓ કર્યા પછી આધ્યાત્મિક સંતોષ  માટે દરિયા કિનારે  ઝૂંપડી બાંધીને રહેવા માંડી હતી.  ૨૦૨૫માં  ૨૮મી ડિસેમ્બરે  91 વર્ષની વયે એક સેક્સી પણ ઉમદા અભિનેત્રીનુ અવસાન થયું . જીવનમાં  ઉત્તમ અભિનય સાથે ઉમદા  કામ કરીને જગતમાંથી વિદાય લીધી.

                        *************************** 

                                   

Sunday, February 22, 2026

  


જેફરી એપ્સ્ટીન

                                                                    જેફરી એપ્સ્ટીન એ અમેરિકમાં પ્રસિદ્ધ યૌન શોષણનો અપરાધી હતો. એના પર યુવાન અને અને નાની ઉંમરની  પીડિતાઓની   યૌન શોષણની ફરિયાદોને કારણે  કેદની સજા થઇ હતી.  જેફરી એપ્સ્ટેઇનના  સંમ્પર્કમા આવનાર અને એની સાથે રંગરેલી  માણનારના નામો અને  એના કરતુકોમાં ભાગલેનાર વ્યક્તિઓની કારકિર્દીઓ હવે ખતમ થઇ ગઈ છે ક્યાંતો ભાંગી પડી છે. એવું કહેવાય છે  અમુક વ્યક્તિઓની દોસ્તી અને દુશ્મની પણ સારી નથી હોતી એ જેફરીની બાબતમાં સાચી પડી રહી છે.

                                            અમેરિકામાં જેફરીની ફાઈલમાં કેટલાએ રાષ્ટ્ર પ્રમુખોના નામ છે તો  કેટલાક   કલાકારો, જાણીતા ઉદ્યોગપતિઓ, ટેકનોક્રેટોના નામો આવતા એમની કારકિર્દીઓ પર નુકસાન થઇ રહ્યું છે. ઇંગ્લેન્ડમાં રાજાના ભાઈ પર પોલીસ પણ ત્રાટકી છે.  એક બ્રિટિશ  રાજકારણીને તો રાજીનામુ આપવું પડ્યું છે. એમના જેફરી સાથેના સંબંધોને કારણે એમના નામને કલંક લાગી ગયું છે. 

                                                 તે ઉપરાંત મોટી મોટી કંપનીઓના વડાને પણ  જેફરી સાથેના સંબંધોને કારણે અને  એની  ફાઈલમાં નામ બહાર આવતા રાજીનામાં ધરી દેવા પડ્યા છે.                                          

                                            ઘણી રાષ્ટ્રોની સરકારો પણ જેફરી એપ્સ્ટીનના પડછાયા પડવાથી તકલીફમાં આવી ગઈ છે. ભારતની પાર્લામેન્ટમાં પણ ધમાલ થઇ રહી છે કારણકે જેફરી  એપ્સ્ટીનની  ફાઈલમાં એક ઉદ્યોગપતિ, એક ભારતીય મંત્રી અને વડા પ્રધાનનું નામ આવ્યું છે.

                                            આમ તો ફાઈલમાં નામ આવવાથી માણસ ગુનેગાર સાબિત થતો નથી પરંતુ માણસની પહેચાન એના મિત્રો અને સંપર્કોથી જ થાય છે એ એક સામાન્ય વાત છે. એથી ગુનેગારોના સંપર્કમાં રહેતા માણસો હંમેશા શંકામાં રહે છે. એનો  જેફરી એપ્સ્ટીન એક દાખલો છે.

                                              મૂળમાં કેટલાક અતિ શક્તિશાળી માણસો કે પછી ધનવાનો એની શક્તિ અને ધનને કારણે મર્યાદાઓ ભૂલી પોતાને કાયદાઓથી પણ પર ગણવા લાગે છે અને અનર્થ કરી બેસે છે.  એની જેફરી એપ્સ્ટીન ફાઈલ એક અજબ દાખલો છે. 

                                   ************************************

     

                                                        

Wednesday, February 18, 2026

 


 

વસ્તુને  લાંબો વખત સાચવવાનો ઘરગથ્થુ   ઉપાયો

                                                                                                       આજે વિશ્વમાં બેક્ટરીઆઓને  લીધે ઘણી વસ્તુઓ ટૂંકા સમયમાં બગડી જાય છેકે પછી  સડી જાય છે .  તમે એને રેફ્રીજેટરમાં રાખો તો એના પર બેક્ટરીઓ હુમલો કરી એને બગાડી મૂકે છે. એને માટે થોડા એવા ઉપાયો છે જે ફળો, શાકભાજીઓને તાજા રાખે છે.

                                           તરબૂચ એવું ફળ છેકે જે એક સાથે ખાવું  મુશ્કેલ છે એથી ખાધા પછી એને રેફ્રીજેટરમાં મુકવામાં આવે છે ત્યાં બેક્ટરિયાઓ એના પર હુમલો કરી એને બગાડી મૂકે છે. એટલા માટે વધેલા તરબૂચના ભાગ પર બે બાજુએ લસણની કડીઓ મૂકી એને પ્લાસ્ટિક પેપરથી ઢાંકી  રેફ્રીજેટરમાં રાખવાથી તરબૂચ ગાન દિવસો સુધી ખાવા લાયક તાજું રહે છે.

                                        કેળા પણ  થોડા વખતમાં એની છાલ સાથે કાળા પડવા માંડે છે.  એને તાજા રાખવા માટે એની છાલને શુદ્ધ પાણીથી સાફ કરી  અને એની સ્ટેમ ને  પેપર ટુવાલ થી સીલ કરી એના પર શુદ્ધ પાણી નાખવાથી એ લાંબો વખત તાજા રહેશે અને જયારે જરૂરિયાત પ્રમાણે ખાઈ શકાશે.



                                         એજ પ્રમાણે સિલેન્ટ્રો ભાજીની  દાંડીઓને પેપર ટોવેલથી બાંધી શુદ્ધ પાણીના ગ્લાસમાં  રાખવાથી એ આશરે મહિના સુધી તાજી રહેશે. અને એનો ઉપયોગ લાંબો વખત સુધી કરી શકાશે.

                                       એ રીતે કેબેજને એના રુટ  પર ભીનો  પેપર  ટુવાલ લગાવવાથીં  લાંબો સમય સુધી જાળવી  શકાય છે. 



                                         ટોમેટોને  એના મૂળમાં પ્લાસ્ટિક  પારદર્શક ટેપ લગાવવાથી  લાંબા સમય માટે એને તાજા રાખી શકાય છે .



                                       લીલા કાંદાના   મૂળિયાને  ભીના પેપર ટોવેલમાં બાંધી ને રાખવાથી  એ ૧૫ દિવસ સુધી તાજા રહે છે . 



                                        સ્ટ્રૉબૅરીસ લાંબો વખત ખાવા લાયક રાખવી મુશ્કેલ છે. એથી એને પાણી અને વિનેગાર ભરેલા વાસણમાં  રાખવાથી  એ તાજી રહે છે અને ખાવાને લાયક પણ રહે છે.

                                      ચોખા જેવા અનાજમાં લાંબા વખતે  જીવડાં પડે છે અને એનો નાશ કરે છે . એટલે જીવડાંઓથી બચાવવા માટે એમાં  આદુથી ભરેલી  સીલ બેગ નાખવાથી ચોખાનું રક્ષણ થાય છે. અને જીવાતોથી એને રક્ષણ મળે છે.

                                      આમ જીવાતોથી ખોરાકને, ફળોને , અને શાકભાજીઓનું ઘણા વખત સુધી સેવન કરી શકાય છે. 

                                    ******************************

           

Wednesday, February 11, 2026

   


વિશ્વ વેકસિનના માન્ધાતા 

                                                વિશ્વમાં વેક્સિનના ઉત્પાદનમાં ભારતે નામના કાઢી છે. કોવિદ-૧૯ દરમીયાન ભારતે વિશ્વના ઘણા દેશોને કોવિદની સસ્તી  વેકસીન પુરી પાડી હતી આથી ઘણા દેશો ભારતના ઋણી છે. 

                                               એ વેકસિનનું ઉત્પાદન પૂનાની એક કંપની એ કરેલ જેનું નામ છે' સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ' એના માલિક છે આદર પૂનાવાળા . એ કંપની આદરના પિતા સાયરસ પૂનાવાળા એ ૧૯૬૬ શરુ કરેલી હતી. વેકસિનના ડોઝીસ ૧૭૦ જેટલા દેશોમાં મોકલવામાં આવે છે એમાં ઘણા દક્ષિણ વિશ્વના ગરીબ દેશોનો પણ સમાવેશ છે.



                                                 સીરમ ઇન્સ્ટિટ્યૂટ વેકસિનને સસ્તી બનાવવા માટે સંશોધન પણ કરે છે. એમાં બર્ડ ફલૂ શોટ, મેલેરિયાની વેક્સીન, ડેન્ગ્યુને લગતી વેક્સીનનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં ગરીબ દેશોને પણ પોષાય એવો $૩/- જેટલો નીચો ભાવ રાખી વેચવામાં આવે છે. એમાં માનવતાનું તત્વ પણ સમાયેલ છે. જુના વખતમાં પૂનાવાળા ઘોડાઓ ઉછેરવાના ધંધામાં હતા એમાંથી તેઓ વેકસિનના ધંધામાં આવ્યા. ડીટીપી વેક્સીન અને મિસલ્સને લગતી  વેકસિને એમને ભારતમાં મોટામાં મોટા વેક્સીન ઉત્પાદક તરીકે ઉભા કરી દીધા


 .

                                               હવે  સીરમ એ  એની ઉત્પાદન શક્તિ આતરરાષ્ટ્રીય સ્થર લાવી દીધી છે.  હવે  એ યુનિસેફ , અમેરિકાની હેલ્થ સંસ્થાઓને  વગેરેને એનું ૮૦% ઉત્પાદન નિકાસ કરે છે. ભારત માટે એ ગર્વની વાત છે. હવે  સિરેમેં  એની બ્રાન્ચ આફ્રિકામાં પણ સ્થાપિત  કરી છે જેથી ગરીબ દેશોને એની વેક્સીન જલ્દીથી પુરી પાડી શકે.



                                               તેઉપરાંત હવે પૂનાવાલાએ પોતાનું પ્રદાન ફિલ્મ, આર્ટ, અને ભારતીય સંસ્કૃતિમાં પણ કરવા માંડ્યું છે. 

                                ****************************************** 

Friday, January 23, 2026

  


 જમીનમાંથી કાર્બન કાઢવાની શોધ                                             

                                                      એક ભારતીય વિજ્ઞાનીકે એના માટે પ્રયત્નો શરુ કર્યા. એનું નામ છે શાંતનુ અગરવાલ જેમણે એમની  જમીનમાંથી કાર્બન કાઢવાની કલા વિકસાવી છે.

                                                   ભારતના ચોખાના ખેતરો જોઈને કોઈને પણ આવો ખ્યાલ ન આવે. પરંતુ એક  ભારતીય વિજ્ઞાનિકને ચોખાના ખેતરો જોઈને એક અદભુત વિચાર અનુભવ્યો. ભારત આમ પણ વિશ્વ માટે અન્નનો ભંડાર છે કારણકે એની જમીન બહુજ ફળદ્રુપ છે.  તે છતાં એક ભારતીય વિજ્ઞાનિકને વિચાર આવ્યો કે  જમીનને કેવી રીતે વધુને વધુ ઉત્પાદિક બનાવવી ?



                                            એમણે માટીમાં કેવી રીતે પરિવર્તન લાવી એને કાર્બન રહિત બનાવવી એની રીત શોધી કાઢી જેથી પાકનું ઉત્પાદન વધારી શકાય. જમીન પર બેસાલ્ટ રોકનો પાવડર પાથરી જમીનમાંથી કાર્બન ચૂસવાની પદ્ધતિ અપનાવવાથી જમીન વધુ ફળદ્રુપ બને છે અને પાક માં અનેક ગણો વધારો થઇ શકે છે.

                                           આ અદભુત સંધોધન ને કારણે  સંતનું અગરવાલના માટી કાર્બન ને જમીનમાંથી કાર્બન કાઢવાની શોધને માટે 50 મિલિયન ડોલરનું  એક્ક્ષ ઇનામ મળ્યું.  માટી કાર્બનનું કામ તાન્ઝાનિયા , ઝામ્બિયા  જેવા દેશોમાં પણ  ચાલી રહ્યું છે. 





                                         શાંતનુનું  લક્ષ્ય ૧૦૦ મિલિયન ખેડૂતો સુધી પહોંચવાનો છે. અને ૨૦૫૦ સુધીમાં  ૧૦૦  બિલ્લીઓન ટન કાર્બન  જમીનમાંથી કાઢવાનો છે.

                                            આ શોધ ભારતમાં ખેતીનું ઉત્પાદન વધારવામાં પણ મદદરૂપ બની રહેશે  એના માટે દરેક દેશવાસીઓ ગર્વ લઇ શકે છે.

                         **********************************************