Sunday, July 5, 2026



 રંગેબેરંગી  ભારત 

                                              માર્ક  ટ્વેઇન  એ ભારતમાં પ્રવર્તતા  વિવિધ રંગોની પ્રશંસા  કરી છે. અને ભારતીય રંગોથી  એ બહુજ પ્રભાવિત થયા હતા . ભારતના વિવિધ રંગો એના ફળો , ફૂલો ,  શાકબાજીઓમાં ,મસાલાઓમાં અને કાપડના રંગોમાં છલકે છે. 

                             વસંતના હોળીના તહેવારોમાં ભારત રંગોથી રંગાઈ જાય છે. જાતના રંગો એક બીજા પર નાખી પ્રેમપૂર્વક હોળી કુટુંબો , સ્નેહીઓ અને મિત્રોમાં ઉજવાય છે. બાળકો અને  વયસ્થો  સર્વ હોળીના પર્વમા જોડાય છે . અને દરેકના ચહેરા પર તથા રસ્તાઓ અને મકાનો પણ રંગોથી રંગાઈ જાય છે.  આમ સારું ભારત રંગોમય બની જાય છે. 



                             ભારતની આર્થિક પ્રગતિ આજે દુનિયામાં બહુજ ગતિથી વધી ગઈ છે. રસ્તાઓ , પુલો , બંદરો , ઐરપોર્ટો , રીફીનરીઓ , ઉધોગીક વસાહતોનું  બાંધકામ  ગતિથી વધી રહ્યું છે. એમાંથી ઉડતા  પ્રદુષણોને   રોકવા  જ્યાં ત્યાં લીલા રંગની નેટો  નજરે પડે છે. 

                                  પ્રદુષણ મુક્ત કરવા માટે રીક્ષાઓ પણ ગૅસથી ચલાવવા માટે  હુકમ  ભારતીય સુપ્રીમ  કોર્ટે કર્યો એટલે ગૅસથી ચાલતી  રીક્ષાઓનો રંગ પણ  પીળો બનાવી દેવામાં આવ્યો છે.  આથી પીળા રંગે રસ્તાઓ પર રીક્ષાઓને આકર્ષિત કરી નાખી છે.  સુઝુકીએ  પણ એના 'હેટચબેક'  મોડેલને  નેપલ્સ પીળો રંગે રંગીને રસ્તાઓ પર મૂકી છે .



                             ભારતની સૌથી વિશાલ  રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ  સેફરોન રંગને અપનાવી ભારતીય રાજકારણને સેફરોન  બનાવી દીધું છે.  તે ઉપરાંત  સેફ્રોન રંગ હિન્દૂ, બૌદ્ધ  ધર્મ અને ભારતના રાષ્ટ્રીય ઝંડા પર પણ સંકળાયેલ  છે. 

                         ભારતીય ક્રિકેટ ટીમ   પણ હવે  મેદાનમાં  વાદળી રંગોની જર્સી પહેરીને મેદાનમાં  ઉતરે છે.  અને સફેદ રંગના ઈલેકટ્રીક બલ્બોની જગ્યાએ ભારતમાં નિઓન  લાઇટ એ જગ્યા લીધી છે.  આમ આજે ભારતીય વાતવરણ રંગમય  બની ગયું છે. 

                                 ***********************


Thursday, June 18, 2026



 દુનિયાનો સૌથી વિશાળ કેસિનો 

                                                            દુનિયાનો વિશાળ  કેસિનો ' યુનાઇટેડ આરબ એમિરાટ્સમાં 'દુબઈની નજીક તૈયાર થઇ રહ્યો છે.  આમ તો ઇસ્લામમાં જુગારને નામંજૂર કરવામાં આવ્યો છે  પરંતુ હવે ' યુએઈ ' ઇન્વેસ્ટમેન્ટ અને પ્રવાસન ઉપરાંત હવે દેશની આવક વધારવા માટે જુગારને પણ દેશમાં લાવવામાં આવશે જેથી દેશની સમૃદ્ધિ વધે અને જયારે તેલની  આવક બંધ થાય ત્યારે એના પૂરક બની રહે. 

                                                        એ વિશાળ કેસિનો દરિયા કિનારે ' રાસ અલ ખૈમાહ 'ખાતે બની રહ્યો છે. કેસિનીની ઊંચાઈ 350 મીટર જેટલી હશે . આવતા વર્ષે એને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.  એ કેસિનો માટે દેશના કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.  'યુએઈ' માં ધનવાનોને એમના પૈસાના ઉપયોગ કરવામાં અને લોકોને મનોરંજન પૂરું પાડવા માટે એ ભવ્ય કેસિનો બાંધવામાં આવી રહ્યો છે. એ કેસિનો પાછળ એને લાસ વેગાસ અને મકાઉની જેમ વિકસિત કરવાની 'યુએઈના' સત્તાવાળાઓની  મુરાદ છે. 



                                                   એ કેસિનોમાં યુરોપ ,અને પૂર્વ  એશિયાના લોકોને પણ આકર્ષિત કરવાની યોજના છે.  1.4 મિલિયન પ્રવાસીઓને 'યુએઈ'એ ગયે વર્ષે આકર્ષિત  કર્યા  હતા પરંતુ હવે આ નવા વિશાળ કેસિનો દ્વારા પ્રવાસીઓનો આંકડો હવે ૫.૩ મિલિયન એક દસકામાં  વધારવાનો' યુએઈ' નો ઈરાદો છે. 



                                                       આમ પણ 'યુએઈમાં' 10000 જેટલા મિલ્લીઓનર્સ છે જેની કિંમત 63 બિલ્લીઓન ડોલર જેટલી છે.   અમેરિકન  કેસિનો કંપની ' વિંન રિસોર્ટ'  જ   આ નવો રિસોર્ટ ચલાવશેઅને એ લોકો  માને છે કે ' યુએઈનો' નવો કેસિનો વાર્ષિક ૧.૭ બિલ્લીઓન ડોલર જેટલી આવક કરશે .

                                                            યુએઈ સત્તાવાળાઓ  જુગાર અને બેટ્ટીન્ગ  વ્યહવાર પર  કેટલો કાબુ રાખે છેકે પછી એના પર  અંકુશ રાખી શકે છે એના પર કેસિનોની સફળતાનો આધાર રહેશે .

                                                   **************************** 

Wednesday, June 10, 2026




પિન્ક શહેર જયપુર 

                                    જયપુરને યુનીસકો દ્વારા   દુનિયાની  પુરાતન હેરિટેજ  શહેર જાહેર કરેલ છે.  એ એના ઇતિહાસિક કિલ્લા , હવેલીઓ , મહેલો  અને બગીચાઓ માટે જાણીતું છે.  તે ઉપરાંત સારું શહેર પિન્ક રંગથી રંગીત છે એનાથી એનું સૌંદર્ય  વધી જાય છે આમ એ  રાજસ્થાનના  મોટા એવા જયપુર રજવાડાનું એક વાર રાજધાનીનું ઐતહાસિક શહેર પણ છે. 



                                          એ શહેરમાં 800 જેટલી ઐતહાસિક હવેલીઓ પણ આવેલી છે. એના જુદા જુદા મહોલ્લાઓ છાપખાના , માર્બલ મૂર્તિઓ બનાવવામાં   કે પછી  જાતિઓ પ્રમાણે ધંધાઓમાં વહેંચાયેલા  છે.  પરંતુ જેમ શહેર વિકસતું જાય છે તેમ તેમ જૂનીઇતિહાસિક  હવેલીઓ ભોંય ભેગી થતી જાય છે.  એ શહેરની કમનસીબી  છે.  કેટલીક હવેલીને તો તોડીફોડીને ન ઓળખાય એવી આધુનિક બનાવી દેવાય છે. 



                                     પિન્ક રંગથી રાજા રામસિંઘે ૧૮૭૬માં  જયપુરને  રંગી એને અનોખું અને સુંદર સ્વરૂપ આપ્યું હતું. એને બ્રિટિશ રાજાના આગમનના પહેલા શણગારવામાં  આવ્યું હતું.   પરંતુ અત્યારે એ શહેર  પર્યાવણ અને જુદા આછા રંગોથી રંગાયેલા શહેરનો દેખાવ પહેલા જેવો રહ્યો નથી. ખુલ્લી ગટરો અને લટકતા ઇલેક્ટ્રિક વાયરોએ શહેરના સૌંદર્યને બગાડવામાં મોટો ભાગ ભજવ્યો છે. એમાં  સુધારો કરવામાં હેરિટેજ શહેર પાસે પૂરતું ફંડ પણ લાગતું નથી. 



                               હવે તો યુનિસ્કો  દ્વારા હેરિટેજ હટાવવાના  કોઈ પગલાંજ શહેર ના સત્તાવાળાઓની  ઊંઘ ઉડાડી શકે એમ છે.  એનું ઇતિહાસિક મહત્વ જાળવી રાખવામાં પિન્ક રંગને જાળવી રાખવામાં શહેરનું હિત સમાયેલું છે. સત્તાવાળાઓને  પણ એમાં રસ હશે.

                                             ***********************  


                                               

Wednesday, June 3, 2026

 


વીઆઈપી  ક્લચર -  અગત્યની વ્યક્તિઓ   

                                                                       વીઆઈપી સંસ્કૃતિ એ ભારતને ગુલામીની એક ભેટ છે.  ઇંગ્લેન્ડે ભારત પર રાજ કર્યું ને અને પ્રજાને દબાવવાકે પછી એમનામાં  ભય ઉત્તપન કરવામાટે  એમના અમલદારો જયારે પ્રજામાં જતા ત્યારે સાથે  પોલીસોના મોટા રસાલા સાથે ફરતા. એનાથી ભલે પ્રજાને અડચણ પડે એની એમને પડી  ન હતી. 

                                               અમેરિકામાં  લોકશાહી  છે ત્યાં ગવર્નર , હોય કે કોંગ્રેસના સભ્ય હોય કે કોઈ મોટા સરકારી ઓફિસર હોય તે તમારી પાસેથી પસાર થઇ જાય તો ખબર પણ  ન પડે . કારણકે તેઓ  પ્રજાના સેવક છે અને લોકોએ તેમને નીમેલા છે એનાથી તેઓ જાગૃત છે. અને પ્રજા પર ખોટો પ્રભાવ પાડવા પ્રયત્ન કરતા નથી.



                                          ભારતમાં ચૂંટાયેલા મંત્રીઓ, ઉંચ્ચ  અમલદારો ગાડીઓ અને અંગરક્ષક દળનાકાફલાઓ સાથે ફરે છે. એનાથી જનતાને ઘણી વાર અગવડ પડે છે. ઘણીવાર રસ્તાઓ જામ થઇ જાય છે.  વાહન વ્યહવાર ખોરવાઈ જાય છે. લોકો માટે રસ્તાઓને  બંધ કરી દેવામાં આવે છે.  એમાં સામાન્ય માનવીનેજ વધારે હેરાનગતિ થાય  છે . ટ્રાફિક લાઈટ પર પણ વીઆઈપી કાફલો નીકળી જાય છે. જે  સામાન્ય લોકો માટે અંધાધૂંધી સર્જે છે .




                                            ભારત આઝાદ થયા બાદ  ઘણા  ચૂંટાયેલા સભ્યો એ પણ ભૂલી જાય છે કે તેઓ  જનતાના સેવક છે.  તેઓ તેના માલિક નથી. તાજેતરમાં  ઉત્તર ભારતમાં  એક ધાર્મિક સમારંભમાં  37 માણસોના ધક્કાધક્કીમાં  સામાન્ય માણસોના મૃત્યુ થયા હતા કારણકે સમારંભના મોટો ભાગ વીઆઈપી  માટે રાખ્યો હતો .  એક એવાજ સમારંભમાં  ધક્કાધક્કીમાં   કેટલોક રસ્તાનો ભાગ વીઆઈપી  માટે અલગ રાખવામાં આવ્યો હતો.  

               મૂળમાં હવે વીઆઈપી સંસ્કૃતિ  રક્ષાને  બદલે હવે  દરજ્જાનો વિષય બની રહયો  છે.   

                                      **********************

                                                        


Friday, May 15, 2026

 


રુપિયાની પડતી 

                                          ભારતની રૂપિયાની કથળથી સ્થિતિ  ચિંતાજનક   બની રહી  છે. ભારત સરકાર માટે પણ એ મોટો કોયડો બની ગયો છે. અત્યારના આધુનિક ગલ્ફ યુદ્ધના વખતે રૂપિયો ગબડીને ડોલર સામે ૯૪.૬૫ પર  પહોંચી ગયો છે. અને થોડા જ સમયમાં એ 100 પર  પહોંચી જાય તો નવાઈ નહિ. 

                                   2010 ની આજુબાજુમાં ભારત સરકાર રૂપિયાની કથળથી  સ્થિતિ માટે બહુજ ટીકામાં આવી ગઈ હતીં . તે વખતે મોંઘવારી બહુ વધી ગઈ હતી. ખર્ચાઓ આવક કરતા વધી ગયા હતા . અને ભ્રષ્ટાચાર ચરમ સીમા પર  હતો . સરકાર બદનામ થઇ ગઈ હતી. ફોરેન એક્સચેન્જનું બેલેન્સ બહુ વિકટ હતું .

   .                                પરંતુ અત્યારે જયારે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર છે.  મોંઘવારી કાબુમાં છે . ફોરેન એક્સચેન્જનું સારું એવું બેલેન્સ છે. અને દેશનો આર્થિક વિકાસ સારો છે ત્યારે રૂપિયાનું કથળવું આશ્ચર્યજનક છે. આથી એના કારણો તપાસવા જરૂરી છે. 



                                   એનર્જીના અને વપરાશની  વસ્તુઓના  ભાવ ગલ્ફ યુદ્ધને કારણે ઉપ્પર જઈ રહ્યા છે. ટ્રમ્પના ટેર્રીફે અને આંતરિક નબળા બઝારોને લીધે રૂપિયા પાર સારો એવું દબાણ છે.  તે ઉપરાંત સરકારની આંતરિક નીતિઓ પણ નબળા રૂપિયા  માટે જવાબદાર ગણવામાં આવે છે.  એક એવું પણ કારણ છે જે  આર્થિક નહિ  પણ રાજકીય હોઈ શકે.

                                   તે છતાં મજબૂત રૂપિયો  એ દેશને  ગૌરવ અપાવે છે માટે એને મજબૂત બનાવવા માટે પૂરતા પ્રયાસો કરવાની જરૂર છે. 

                                                  ****************************

 

                                  

Monday, May 11, 2026


 


ગ્રીનલેન્ડ 

                                                                                            ગ્રીનલેન્ડ અત્યારે બહુજ સમાચારમાં છે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પએ એનો કબજો લેવાની વાત શરુ કરી છે.  ગ્રીનલેન્ડ  પર અત્યારે ડેન્માર્કનો કબજો છે અને ડેન્માર્ક  અત્યારે નાટોનું સદસ્ય છે. એથી ગ્રીનલેન્ડ પરનો હુમલો એ નાટો દેશ પાર હુમલો ગણાય . યુરોપ ના  બધા દેશો એના સદસ્ય છે  એથી ટ્રમ્પની જાહેરાતે મામલો ગૂંચવાયેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે રશિયા અને ચીનની ગ્રીનલેન્ડ ના દરિયામાં દરમિયાન ગીરીને  લીધે  ગ્રીનલૅન્ડના રક્ષણની જવાબદારી અમેરિકા એ લઇ લેવી જોઈએ.  પરંતુ બીજું એક એવું રહસ્ય ગ્રીનલેન્ડ માં છુપાયેલું  અને એ ત્યાંના કિંમતી ખનીજ ભંડારો છે. જેના પર પણ અમેરિકાની નઝર છે. 



                                       પરંતુ યુરોપના દેશોએ અમેરિકાના ઈરાદાનો વિરોધ કર્યો છે. એથી એ આંતરાષ્ટ્રીય કટોકટીનો ભાગ બની ગયો છે. આમ તો ગ્રીનલેન્ડ નિર્જન  અને બરફીલો પ્રદેશ છે અને જુના વખતથી ડેન્માર્કનો ભાગ છે જેને ડેન્માર્કે આંતરિક સ્વાત્રંત્રતા પણ આપેલી છે. તે ઉપરાંત ગ્રીનલૅન્ડનો આર્કેટિક સમુદ્ર ઉત્તરના સમુદ્ર માંર્ગોમાંનો એક બહુ જ અગત્યનો માર્ગ અમેરિકા રશિયા , ચીન અને યુરોપ માટે છે. એથી એની મહત્વતા વધુ છે. 

                                    તે ઉપરાંત ગ્રીનલૅન્ડના પુરાતન નોર્સ વસાહતીઓનો એક ઇતિહાસ છે જેના પુરાતન અવષેશો કોપેન હેગન ના મ્યુઝિયમમાં પડેલા છે . જેમાં 

કોફિન્સ , હાડપિન્જરો  અને તે જમાનાના  લોકોના કપડાં પણ  રાખવામાં આવ્યા છે.  કેટલાક તે વખતના વપરાતા સાધનો  અને પહેરવાના ઘરેણાઓ પણ રાખવામાં આવ્યા છે .એજ બતાવે છેકે ગ્રીનલૅન્ડનો પોતાનો પુરાણીક ઇતિહાસ પણ છે. તે વખતના વસાહતીઓને યુરોપ સાથે સબંધ  હતો પરંતુ નૈસર્ગીક બદલાવને કારણે  ગ્રીનલેન્ડ યુરોપથી વિખુટી પડી ગયું હતું . પહેલા જે ઉનાળામાં બરફ ચાલી જતો તે ત્યાં હંમેશને માટે બરફીલો પ્રદેશ બની ગયો.  



                                                  આને કારણે નોર્સલોકો  વિકટ  મૌસમને સહન  ન કરી શક્યા પરંતુ એસ્કિમો એ પ્રદેશની  બરફીલી આબુહવાને અનુકૂળ બનાવી  ત્યાં રહેવા માંડ્યા. 

                                                   મૂળમાં ગ્રીનલેન્ડજેવા બરફીલા પ્રદેશને  જે સમાચારમાં પ્રસિદ્ધિ મળી છે  એનું કારણ  એના અમૂલયો ખનીજો અને  એની  આંતરાષ્ટ્રીય  દરિયાઈ માર્ગની મહત્વતા છે. 

                               ************************

                                    t

Wednesday, May 6, 2026

 


મગજ અને વૃદ્ધાવસ્થા 

                                            વૃદ્ધાવસ્થામાં  ઘણા વયસ્થો  મગજની બીમારીથી પીડાઈ છે.  તેમાં વિસ્મૃતિ  જેવી બીમારી સામાન્ય છે.  જ્યારે તદ્દન વિસ્મૃતિ એટલેકે  જાતનું ભાન ભૂલી જેવી બીમારી જેને આલ્ઝામેરની  બીમારી કહેવામાં આવે છે જે  દયાજનક  હોય છે. 

                                          એવું કહેવાય છેકે ' તમારી મગજની ' જિનેટિક' બીમારી ફક્ત 25% જેટલી જ હોય છે પણ બેદરકારીને લીધે આવતી મગજની બીમારી 80% જેટલી હોય છે . આથી કાળજી લેવાથી ઘણી ખરી મગજની બીમારીને અટકાવી શકાય છે અથવા હળવી બનાવી શકાય છે. 



                                            આથી વૃધ્ધ્વસ્થામાં નવી નવી વસ્તુઓ કરવામાં વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. નવી વસ્તુઓ તે અવાસ્થામાં મગજને માટે ખાતર સમાન બની રહે છે અને મગજને ફળદ્રુપ બનાવે  છે. નવી નવી વસ્તુઓ કરવાથી મગજ વધુ તાજી લાગણીઓ અનુભવે છે. દરેક દિવસે જેટલું નવું કઈ કરો તો તમારું મગજ યુવાની લાવે છે. 

                                                 તે ઉપરાંત વૃદ્ધોએ એક કામ હાથમાં લેવું અને એના પરજ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ . એક સાથે ઘણા કામોની પાછળ રહેવાથી ધ્યાન કેન્દ્રિત કરવાથીં મગજમાં ગુંચવાડો ઉભો થાય અને મગજને આડ અસર થાય છે અને માનસિક બીમારી વધે છે. એકજ કામમાં મગજને કેન્દ્રિત કરવાથી મગજની શક્તિ વધે છે અને એની ત્રિવતા પણ વધારો થાય છે.  એનાથી મગજ પરનો કાબુ પણ વધે છે. 



                                                મિત્રો અને સ્વજનો સાથે સતત સંપર્કમાં રહેવાથી પણ મગજ ને સારો એવો ફાયદો થાય છે.  એ મગજને તાજું અને  એકટીવ  કરે છે.  લોકોના સંપર્કમાં રહેવાથી અને લાગણીઓ તરબોળ  થવાથી મગજને નવજીવન મળી રહે છે. 

                                                    રાત્રે પુરતી  નિદ્રા લેવાથી મગજને આરામ  મળી રહે છે. એ મગજ કાર્યને વધુ  કાર્યવત અને સ્મૃતિ શક્તિને વધારે  છે. 

                                                      બીજું જીવનમાં વધુ ક્તુહલતા વધારવાની પણ જરૂરત છે જેથી નવી મગજને પ્રવૃતિમય બનાવી શકાય અને એને વધુ ત્રીવ બનાવી શકાય. તે ઉપરાંત ઉંમર એ ફક્ત આંકડા છે એને ભૂલી વધુને વધુ જીવન પર લક્ષ્ય આપવાથી, વધુ આનંદ અનુભવવાથી , કે ચર્ચાઓ કરવાથી મગજ યુવાની અનુભવવા માંડે છે. જે એની તંદુરસ્તી માટે લાભકારક  છે. 

                                    ****************************