Wednesday, June 3, 2026

 


વીઆઈપી  ક્લચર -  અગત્યની વ્યક્તિઓ   

                                                                       વીઆઈપી સંસ્કૃતિ એ ભારતને ગુલામીની એક ભેટ છે.  ઇંગ્લેન્ડે ભારત પર રાજ કર્યું ને અને પ્રજાને દબાવવાકે પછી એમનામાં  ભય ઉત્તપન કરવામાટે  એમના અમલદારો જયારે પ્રજામાં જતા ત્યારે સાથે  પોલીસોના મોટા રસાલા સાથે ફરતા. એનાથી ભલે પ્રજાને અડચણ પડે એની એમને પડી  ન હતી. 

                                               અમેરિકામાં  લોકશાહી  છે ત્યાં ગવર્નર , હોય કે કોંગ્રેસના સભ્ય હોય કે કોઈ મોટા સરકારી ઓફિસર હોય તે તમારી પાસેથી પસાર થઇ જાય તો ખબર પણ  ન પડે . કારણકે તેઓ  પ્રજાના સેવક છે અને લોકોએ તેમને નીમેલા છે એનાથી તેઓ જાગૃત છે. અને પ્રજા પર ખોટો પ્રભાવ પાડવા પ્રયત્ન કરતા નથી.



                                          ભારતમાં ચૂંટાયેલા મંત્રીઓ, ઉંચ્ચ  અમલદારો ગાડીઓ અને અંગરક્ષક દળનાકાફલાઓ સાથે ફરે છે. એનાથી જનતાને ઘણી વાર અગવડ પડે છે. ઘણીવાર રસ્તાઓ જામ થઇ જાય છે.  વાહન વ્યહવાર ખોરવાઈ જાય છે. લોકો માટે રસ્તાઓને  બંધ કરી દેવામાં આવે છે.  એમાં સામાન્ય માનવીનેજ વધારે હેરાનગતિ થાય  છે . ટ્રાફિક લાઈટ પર પણ વીઆઈપી કાફલો નીકળી જાય છે. જે  સામાન્ય લોકો માટે અંધાધૂંધી સર્જે છે .




                                            ભારત આઝાદ થયા બાદ  ઘણા  ચૂંટાયેલા સભ્યો એ પણ ભૂલી જાય છે કે તેઓ  જનતાના સેવક છે.  તેઓ તેના માલિક નથી. તાજેતરમાં  ઉત્તર ભારતમાં  એક ધાર્મિક સમારંભમાં  37 માણસોના ધક્કાધક્કીમાં  સામાન્ય માણસોના મૃત્યુ થયા હતા કારણકે સમારંભના મોટો ભાગ વીઆઈપી  માટે રાખ્યો હતો .  એક એવાજ સમારંભમાં  ધક્કાધક્કીમાં   કેટલોક રસ્તાનો ભાગ વીઆઈપી  માટે અલગ રાખવામાં આવ્યો હતો.  

               મૂળમાં હવે વીઆઈપી સંસ્કૃતિ  રક્ષાને  બદલે હવે  દરજ્જાનો વિષય બની રહયો  છે.   

                                      **********************

                                                        


Friday, May 15, 2026

 


રુપિયાની પડતી 

                                          ભારતની રૂપિયાની કથળથી સ્થિતિ  ચિંતાજનક   બની રહી  છે. ભારત સરકાર માટે પણ એ મોટો કોયડો બની ગયો છે. અત્યારના આધુનિક ગલ્ફ યુદ્ધના વખતે રૂપિયો ગબડીને ડોલર સામે ૯૪.૬૫ પર  પહોંચી ગયો છે. અને થોડા જ સમયમાં એ 100 પર  પહોંચી જાય તો નવાઈ નહિ. 

                                   2010 ની આજુબાજુમાં ભારત સરકાર રૂપિયાની કથળથી  સ્થિતિ માટે બહુજ ટીકામાં આવી ગઈ હતીં . તે વખતે મોંઘવારી બહુ વધી ગઈ હતી. ખર્ચાઓ આવક કરતા વધી ગયા હતા . અને ભ્રષ્ટાચાર ચરમ સીમા પર  હતો . સરકાર બદનામ થઇ ગઈ હતી. ફોરેન એક્સચેન્જનું બેલેન્સ બહુ વિકટ હતું .

   .                                પરંતુ અત્યારે જયારે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર છે.  મોંઘવારી કાબુમાં છે . ફોરેન એક્સચેન્જનું સારું એવું બેલેન્સ છે. અને દેશનો આર્થિક વિકાસ સારો છે ત્યારે રૂપિયાનું કથળવું આશ્ચર્યજનક છે. આથી એના કારણો તપાસવા જરૂરી છે. 



                                   એનર્જીના અને વપરાશની  વસ્તુઓના  ભાવ ગલ્ફ યુદ્ધને કારણે ઉપ્પર જઈ રહ્યા છે. ટ્રમ્પના ટેર્રીફે અને આંતરિક નબળા બઝારોને લીધે રૂપિયા પાર સારો એવું દબાણ છે.  તે ઉપરાંત સરકારની આંતરિક નીતિઓ પણ નબળા રૂપિયા  માટે જવાબદાર ગણવામાં આવે છે.  એક એવું પણ કારણ છે જે  આર્થિક નહિ  પણ રાજકીય હોઈ શકે.

                                   તે છતાં મજબૂત રૂપિયો  એ દેશને  ગૌરવ અપાવે છે માટે એને મજબૂત બનાવવા માટે પૂરતા પ્રયાસો કરવાની જરૂર છે. 

                                                  ****************************

 

                                  

Monday, May 11, 2026


 


ગ્રીનલેન્ડ 

                                                                                            ગ્રીનલેન્ડ અત્યારે બહુજ સમાચારમાં છે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પએ એનો કબજો લેવાની વાત શરુ કરી છે.  ગ્રીનલેન્ડ  પર અત્યારે ડેન્માર્કનો કબજો છે અને ડેન્માર્ક  અત્યારે નાટોનું સદસ્ય છે. એથી ગ્રીનલેન્ડ પરનો હુમલો એ નાટો દેશ પાર હુમલો ગણાય . યુરોપ ના  બધા દેશો એના સદસ્ય છે  એથી ટ્રમ્પની જાહેરાતે મામલો ગૂંચવાયેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે રશિયા અને ચીનની ગ્રીનલેન્ડ ના દરિયામાં દરમિયાન ગીરીને  લીધે  ગ્રીનલૅન્ડના રક્ષણની જવાબદારી અમેરિકા એ લઇ લેવી જોઈએ.  પરંતુ બીજું એક એવું રહસ્ય ગ્રીનલેન્ડ માં છુપાયેલું  અને એ ત્યાંના કિંમતી ખનીજ ભંડારો છે. જેના પર પણ અમેરિકાની નઝર છે. 



                                       પરંતુ યુરોપના દેશોએ અમેરિકાના ઈરાદાનો વિરોધ કર્યો છે. એથી એ આંતરાષ્ટ્રીય કટોકટીનો ભાગ બની ગયો છે. આમ તો ગ્રીનલેન્ડ નિર્જન  અને બરફીલો પ્રદેશ છે અને જુના વખતથી ડેન્માર્કનો ભાગ છે જેને ડેન્માર્કે આંતરિક સ્વાત્રંત્રતા પણ આપેલી છે. તે ઉપરાંત ગ્રીનલૅન્ડનો આર્કેટિક સમુદ્ર ઉત્તરના સમુદ્ર માંર્ગોમાંનો એક બહુ જ અગત્યનો માર્ગ અમેરિકા રશિયા , ચીન અને યુરોપ માટે છે. એથી એની મહત્વતા વધુ છે. 

                                    તે ઉપરાંત ગ્રીનલૅન્ડના પુરાતન નોર્સ વસાહતીઓનો એક ઇતિહાસ છે જેના પુરાતન અવષેશો કોપેન હેગન ના મ્યુઝિયમમાં પડેલા છે . જેમાં 

કોફિન્સ , હાડપિન્જરો  અને તે જમાનાના  લોકોના કપડાં પણ  રાખવામાં આવ્યા છે.  કેટલાક તે વખતના વપરાતા સાધનો  અને પહેરવાના ઘરેણાઓ પણ રાખવામાં આવ્યા છે .એજ બતાવે છેકે ગ્રીનલૅન્ડનો પોતાનો પુરાણીક ઇતિહાસ પણ છે. તે વખતના વસાહતીઓને યુરોપ સાથે સબંધ  હતો પરંતુ નૈસર્ગીક બદલાવને કારણે  ગ્રીનલેન્ડ યુરોપથી વિખુટી પડી ગયું હતું . પહેલા જે ઉનાળામાં બરફ ચાલી જતો તે ત્યાં હંમેશને માટે બરફીલો પ્રદેશ બની ગયો.  



                                                  આને કારણે નોર્સલોકો  વિકટ  મૌસમને સહન  ન કરી શક્યા પરંતુ એસ્કિમો એ પ્રદેશની  બરફીલી આબુહવાને અનુકૂળ બનાવી  ત્યાં રહેવા માંડ્યા. 

                                                   મૂળમાં ગ્રીનલેન્ડજેવા બરફીલા પ્રદેશને  જે સમાચારમાં પ્રસિદ્ધિ મળી છે  એનું કારણ  એના અમૂલયો ખનીજો અને  એની  આંતરાષ્ટ્રીય  દરિયાઈ માર્ગની મહત્વતા છે. 

                               ************************

                                    t

Wednesday, May 6, 2026

 


મગજ અને વૃદ્ધાવસ્થા 

                                            વૃદ્ધાવસ્થામાં  ઘણા વયસ્થો  મગજની બીમારીથી પીડાઈ છે.  તેમાં વિસ્મૃતિ  જેવી બીમારી સામાન્ય છે.  જ્યારે તદ્દન વિસ્મૃતિ એટલેકે  જાતનું ભાન ભૂલી જેવી બીમારી જેને આલ્ઝામેરની  બીમારી કહેવામાં આવે છે જે  દયાજનક  હોય છે. 

                                          એવું કહેવાય છેકે ' તમારી મગજની ' જિનેટિક' બીમારી ફક્ત 25% જેટલી જ હોય છે પણ બેદરકારીને લીધે આવતી મગજની બીમારી 80% જેટલી હોય છે . આથી કાળજી લેવાથી ઘણી ખરી મગજની બીમારીને અટકાવી શકાય છે અથવા હળવી બનાવી શકાય છે. 



                                            આથી વૃધ્ધ્વસ્થામાં નવી નવી વસ્તુઓ કરવામાં વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. નવી વસ્તુઓ તે અવાસ્થામાં મગજને માટે ખાતર સમાન બની રહે છે અને મગજને ફળદ્રુપ બનાવે  છે. નવી નવી વસ્તુઓ કરવાથી મગજ વધુ તાજી લાગણીઓ અનુભવે છે. દરેક દિવસે જેટલું નવું કઈ કરો તો તમારું મગજ યુવાની લાવે છે. 

                                                 તે ઉપરાંત વૃદ્ધોએ એક કામ હાથમાં લેવું અને એના પરજ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ . એક સાથે ઘણા કામોની પાછળ રહેવાથી ધ્યાન કેન્દ્રિત કરવાથીં મગજમાં ગુંચવાડો ઉભો થાય અને મગજને આડ અસર થાય છે અને માનસિક બીમારી વધે છે. એકજ કામમાં મગજને કેન્દ્રિત કરવાથી મગજની શક્તિ વધે છે અને એની ત્રિવતા પણ વધારો થાય છે.  એનાથી મગજ પરનો કાબુ પણ વધે છે. 



                                                મિત્રો અને સ્વજનો સાથે સતત સંપર્કમાં રહેવાથી પણ મગજ ને સારો એવો ફાયદો થાય છે.  એ મગજને તાજું અને  એકટીવ  કરે છે.  લોકોના સંપર્કમાં રહેવાથી અને લાગણીઓ તરબોળ  થવાથી મગજને નવજીવન મળી રહે છે. 

                                                    રાત્રે પુરતી  નિદ્રા લેવાથી મગજને આરામ  મળી રહે છે. એ મગજ કાર્યને વધુ  કાર્યવત અને સ્મૃતિ શક્તિને વધારે  છે. 

                                                      બીજું જીવનમાં વધુ ક્તુહલતા વધારવાની પણ જરૂરત છે જેથી નવી મગજને પ્રવૃતિમય બનાવી શકાય અને એને વધુ ત્રીવ બનાવી શકાય. તે ઉપરાંત ઉંમર એ ફક્ત આંકડા છે એને ભૂલી વધુને વધુ જીવન પર લક્ષ્ય આપવાથી, વધુ આનંદ અનુભવવાથી , કે ચર્ચાઓ કરવાથી મગજ યુવાની અનુભવવા માંડે છે. જે એની તંદુરસ્તી માટે લાભકારક  છે. 

                                    **************************** 

                                                   

                                     


Saturday, April 18, 2026

 



શ્વાસોશ્વાસની પક્રિયા  - નાક   અને મુખ 

                                                                              શ્વાસોશ્વાસની  પક્રિયા એ શરીર  માટે બહુજ  અગત્યની પક્રિયા છે. તમે  નાકથી શ્વાસ લો તો એ વધારે આરોગ્યદાયક હોય છે. તે ઉપરાંત જયારે નાક ભરાઈ જાય અને બંધ થઇ જાય ત્યારે ઘણા લોકો મોઢાથી પણ  શ્વાસ  લે છે. 

                                        નાકની શ્વાસો  લે એના ઘણા ફાયદાઓ  છે. એની  અંદર  ફિલ્ટર સિસ્ટમ છે જેથી જે હવા ફેફસામાં જાય તે શુદ્ધ હોય છે.બીજું  નાક  થોડું  હુંફાળું  અને ભીનું  હોય છે જે માનવીય તંદુરસ્તી માટે સારું  છે. એમાંથી શ્વાસ લેવાથી એ નાઇટ્રિક ઓક્સસાઈડ  વધારે છે જે શરીરની નસોને પહોળી બનાવે છે જે  બ્લડ પ્રેસર ઓછું કરે છે . 



                                 મોંઢાથી  શ્વાસ લેવાથી  ઘોરવાનું વધી જાય છે.  તે ઉપરાંત નિદ્રાને પણ બગાડે છે અને શ્વાસોશ્વાસ બંધ થવાથી ગળાના સ્નાયુઓ હવાને પણ અવરોધે છે. એ માનવી તંદુરસ્તી માટે બરાબર નથી.  બાળકો માટે મોઢાનો શ્વાસોશ્વાસ એમના મોંઢાનાં દેખાવને પણ બેડોળ બનાવે છે. 

                                  મોઢાના શ્વાસોશ્વાસ  રોકવા માટે રાત્રીએ  હળવા ટેપ લગાડવાના પ્રયોગો  પણ કર્યા  હતા . એના પ્રયોગોમાં  અમુક કેસોમાં ઘોરવાનું ઓછું થઇ ગયું હતું.  શ્વાસોશ્વાસના  કલાકમાં અવરોધો પણ ઓછા અને અડધા થઇ ગયા હતા.  

                                 પરંતુ જેને નાકમાં  નેસલ અવરોધો  હોય  છે  એના માટે મોંઢા પાર ટેપ લગાડવાના પ્રયોગો  શરીર તંદુરસ્તી માટે હાનિકારક   હોયછે.  એવા લોકો માટે નિષ્ણાત  ડોક્ટરો પાસે માવજત લેવી આવશ્યક છે. 

                            ****************************************     

Friday, April 10, 2026

 


ઇંગ્લેન્ડમાં ભારતીય  વસાહતીઓ  

                                                                               ઇંગ્લેન્ડે ભારતપર 200 સુધી રાજ કર્યું અને ભારતની સમૃદ્ધિનું શોષણ કર્યું. ભારતીય જુના અને સમૃદ્ધ ઉદ્યોગોનો નાશ કરીં પોતાના માલોને ભારતમાં  ઘુસાડી કરોડો રૂપિયા ભારતમાંથી ઉપાડી ગયા અને ભારતની હાલત બુરી કરી નાખી. 

                                                એક  ભારતીયે  આજે ઇસ્ટ ઇન્ડિયા કંપની જેણે ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નાખ્યો હતો એને ખરીદી લીધી છે એ પણ સમયની બલિહારી  છે. ભારત સ્વાતંત્ર થયા પછી ફરીથી સમૃદ્ધિને પથ પર આગળ વધી રહ્યું છે.  એનું બુદ્ધિ ધન પાછું વિશ્વમાં એમની શક્તિ પાથરી  રહ્યું છે. 

                                           એમાં બ્રિટન પણ બાકાત નથી . આજૅ પશ્ચિમના દેશોમાં પરદેશી બુદ્ધિ ધન સામે ઝુંબેશ ચાલે છે.  એમાં ઇંગ્લેન્ડ પણ બાકાત નથી .



પરંતુ ભારતીય વિના ઇંગ્લેન્ડ કેટલું લાચાર છે એ ઘણાને ઓછો ખ્યાલ છે.  ભારતીય  ડોક્ટરો અને નર્સો વગર  ઇંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ તદ્દન સ્થગિત થઇ જાય એવી પરિસ્થિતિ છે. 40% જેટલા ડોક્ટરો ઇન્ડિયન છે. ઇંગ્લેન્ડની  ફાર્મસીઓ પણ ભારતીય ફાર્માસીસ્ટો  ચલાવે છે. 

                                         ભારતીયો વગર આઇટી ઓફિસો  ખાલી થઇ જાય એવી પરિસ્થિતિ છે. ઈન્ટરનેટ સર્વિસો પણ સ્થગિત થઇ શકે છે.  ઈ મૈલો  બંધ થઇ જાયતો વેપાર ધંધાને પણ અસર થઇ શકે છે. 

                                          તે ઉપરાંત હોટેલો અને રેસ્ટોરન્ટો પણ ભારતીય વસાહતીઓ જ ચલાવે તો  એના વિના ઇંગ્લેન્ડના લોકોને ચિકન મસાલા , સમોસા અને સ્પાઈસી કરી મળતી બંધ થઇ શકે છે. 24 કલાક દૂધ પણ  ભારતીય વસાહતીઓ જ પુરી પાડે છે. 



                                        ઇંગ્લેન્ડની યુનિવરસિટીઓમાં 50% જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે. જેના વગર યુનિવર્સિટીઓ  ઉજ્જળ થઇ શકે છે.  આમ ઇંગ્લેન્ડની  અર્થવ્યવસ્થામાં ભારતીય વસાહતીઓનું સ્થાન કેટલું મહત્વનું છે એનો ખ્યાલ આવી શકે છે. 

                                       ભારતીય વસાહતીઓ ઈંગ્લેન્ડમાં ત્યાંના ક્રિકેટ  સ્ટેડિયોમોને ભરી દે છે.  અજબની વાતતો એ છેકે ભારતીય વસાહતી એવા રિશી સુનક ઇંગ્લેન્ડના વડા  પ્રધાન પણ રહી ચુક્યા છે.  જે ઇંગ્લેન્ડે ભારત પાર સદીઓ રાજ કર્યું એજ ઇંગ્લેન્ડ પર એક  ભારતીય મૂળના  વસાહતી રાજ કરી ચુક્યા છે. એના માટે વર્તમાન ભારત ગર્વ અનુભવે છે. 

                                  **************************

                                         

Sunday, April 5, 2026

 


પ્રાચીન ભારતીય ગ્રામ વ્યવસ્થા 

                                                             આજે ભારત વિશ્વમાં પ્રગતિ કરી રહ્યું છે પરંતુ એના ગામડાઓને  જ્યાં સુધી ઉપ્પર લાવવામાં નહિ આવે ત્યાં સુધી એના માટે વિકસિત થવું મુશ્કેલ છે.  મહાત્મા ગાંધીએ એટલા માટે ગ્રામ વિકાસ તરફ વધારે મહત્વ આપ્યું હતું . ભારત આમતો  ખેતી પ્રધાન દેશ છે એની 60% થી વધુ આબાદી ગામડાઓમાં વસે છે. એથી એમને ઉપ્પર લાવવામાં આવે તોજ દેશ વધુ ગતિથી ઉપ્પર આવશે  એમાં શંકા નથી. 

                                                  ભારત પર ઘણા વિદેશી આક્રમણો થયા પરંતુ એની ગ્રામ વ્યવસ્થા મજબૂત હતી એથી એની અર્થ વ્યવસ્થા લાંબો  વખત  સુધી ટકી રહી હતી  એનું કારણ એની પુરાણી આત્મનિર્ભર   ગ્રામીય વ્યવસ્થા હતી . પરંતુ સમયની  સાથે એ જમીનદોસ્ત  થઇ ગઈ અને ભારત  ગરીબીમાં  સડવા લાગ્યું . બ્રિટિશ રાજે એના પર મરણતોડ માર માર્યો અને ભારતની સમૃદ્ધિ તણાઈ ગઈ. 



                                                વેદના પૂરાં કાળથી ભારતીય ગામડાઓ આત્મનિર્ભર હતા. ગામમાં એક ધનવાન વ્યક્તિ મળી જતી તો વિદ્વાન રહેતા . ગામની બાજુમાંથી ક્યાંતો નદી વહેતી કે પછી તળાવો અને કુવાઓ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી.  ગામને પાદરે એકાદ મંદિર જરૂર રહેતું જેથી લોકો ત્યાં  મળી શકે અને   ધાર્મિક વિધિ કે પછી પુંજા પણ કરી શકે.  શિક્ષિત વિદ્વાન દ્વારા યુવાનોને જ્ઞાન પણ મળી રહેતું.  ગામમાં એક લુહાર , કુંભાર અને હજામ જેવા વ્યવસાયિક લોકો પણ રહેતા જે જરૂરિયાત પ્રમાણે ગામ લોકોને સેવા આપતા.

                                                 વ્યવહારમાં પૈસાને બદલે જરૂરિયાતની વસ્તુઓની આપલે થતી.  ખેતરોમાં કામ કરવા પણ ગામના લોકો જતા. અને એના બદલે ખેડૂતો અનાજ આપતા . ગામના સારા અને ખરાબ પ્રસંગોએ લોકો એક બીજાને મદદ કરતા.  ગામના બનેલા પંચો જ ગામના ઝગડાઓનો ઉકેલ લાવતા . કુંભારો , લુહારો , સુથારો ગામના લોકોને એમની જરૂરિયાત પુરી પાડતા. અને બદલામાં એમને અનાજ , શાકભાજી , કરિયાના  અને ફળફળાદી  વગેરે એમને પૂરું  પાડવામા આવતું.   એમાં હજામોને પણ એમની કામગીરી માટે મદદ મળી  રહેતી.



લગ્ન પ્રસંગે પણ બધી જ વ્યવસ્થા ગામ લોકો સગવડ પ્રમાણે એક બીજાને મદદરૂપ થઈ જતા . આમ ગ્રામીય જીવન હંમેશા  સારી રીતે ચાલી રહેતું . ગામના વૈદ્યની  પણ બીમારીમાં મદદ મળી રહેતી. 

                                   મૂળમાં ગામની બાર્ટર સિસ્ટમ , સદ્ભાવ તથા પ્રેમ પર ગ્રામ વ્યવસ્થા નિર્ભર હતી એટલે બહારની કોઈ મદદની જરૂરિયાત રહેતી નહિ  અને ગામો  આત્મનિર્ભર  અને સમૃદ્ધ હતા.  એને  લીધે ભારતમાં સુખ અને  સમૃદ્ધિ હતી. 

                               સમયની સાથે ધીમે ધીમે ગામ વ્યવસ્થા તૂટવા માંડી અને લોકોએ શહેરો તરફ દોડ મૂકી જેથી ગામડાઓ તૂટવા માંડ્યા અને ભારતની સમૃદ્ધિનો નાશ થયો . હવે જો ભારતનો સર્વાંન્ગ વિકાસ કરવો હશે તો ગામવ્યવસ્થા  સુધારીને એમને ફરીથી આત્મનિર્ભર  બનાવ્યા સિવાય છૂટકો નથી. 

                                   ****************************