Friday, January 23, 2026

  


 જમીનમાંથી કાર્બન કાઢવાની શોધ                                             

                                                      એક ભારતીય વિજ્ઞાનીકે એના માટે પ્રયત્નો શરુ કર્યા. એનું નામ છે શાંતનુ અગરવાલ જેમણે એમની  જમીનમાંથી કાર્બન કાઢવાની કલા વિકસાવી છે.

                                                   ભારતના ચોખાના ખેતરો જોઈને કોઈને પણ આવો ખ્યાલ ન આવે. પરંતુ એક  ભારતીય વિજ્ઞાનિકને ચોખાના ખેતરો જોઈને એક અદભુત વિચાર અનુભવ્યો. ભારત આમ પણ વિશ્વ માટે અન્નનો ભંડાર છે કારણકે એની જમીન બહુજ ફળદ્રુપ છે.  તે છતાં એક ભારતીય વિજ્ઞાનિકને વિચાર આવ્યો કે  જમીનને કેવી રીતે વધુને વધુ ઉત્પાદિક બનાવવી ?



                                            એમણે માટીમાં કેવી રીતે પરિવર્તન લાવી એને કાર્બન રહિત બનાવવી એની રીત શોધી કાઢી જેથી પાકનું ઉત્પાદન વધારી શકાય. જમીન પર બેસાલ્ટ રોકનો પાવડર પાથરી જમીનમાંથી કાર્બન ચૂસવાની પદ્ધતિ અપનાવવાથી જમીન વધુ ફળદ્રુપ બને છે અને પાક માં અનેક ગણો વધારો થઇ શકે છે.

                                           આ અદભુત સંધોધન ને કારણે  સંતનું અગરવાલના માટી કાર્બન ને જમીનમાંથી કાર્બન કાઢવાની શોધને માટે 50 મિલિયન ડોલરનું  એક્ક્ષ ઇનામ મળ્યું.  માટી કાર્બનનું કામ તાન્ઝાનિયા , ઝામ્બિયા  જેવા દેશોમાં પણ  ચાલી રહ્યું છે. 





                                         શાંતનુનું  લક્ષ્ય ૧૦૦ મિલિયન ખેડૂતો સુધી પહોંચવાનો છે. અને ૨૦૫૦ સુધીમાં  ૧૦૦  બિલ્લીઓન ટન કાર્બન  જમીનમાંથી કાઢવાનો છે.

                                            આ શોધ ભારતમાં ખેતીનું ઉત્પાદન વધારવામાં પણ મદદરૂપ બની રહેશે  એના માટે દરેક દેશવાસીઓ ગર્વ લઇ શકે છે.

                         **********************************************

                                      

Thursday, January 15, 2026

 


ક્રિકેટ હીરોની અજબ સફળતા 

                                               મુંબઈ એક મહામયિ  નગરી છે જ્યાં લોકો પોતાની મહત્વકાંક્ષાને સફળ બનાવવા સપના લઈને આવે છે. ઘણા સફળ થાય છે તો ઘણા એ મહા નગરીમાં ડૂબી પણ જાય છે.  એવાજ એક સફળ ક્રિકેટરની આ એક સફળ કહાની છે. 

                                               એ યશસ્વી જેસ્વાલની  સફળ  જીવન કથા છે. એક સામાન્ય કુટુંબમાં જન્મી ક્રિકેટ જગતમાં નામના મેળવનાર એક યુવાનની અદભુત કથા છે. એ એના પિતા સાથે ઘણીજ નાની ઉંમરમાં એના પિતા સાથે ઉત્તરપ્રદેશથી  મુંબઈમાં આવ્યો હતો . નાનપણથી જ એને ક્રિકેટમાં રસ હતો અને એને ખબર હતી કે મુંબઈ એના માટે યોગ્ય જગા હતી જ્યા તે એનું સ્વપ્ન સિદ્ધ કરી શકે એમ છે.



                                                 મુંબઈ જેવા તદ્દન અજાણ્યા શહેરમાં એના માટે કોઈ જાતની મદ્દદ પણ ન હતી . આથી જ્યાં કામ મળે અને ક્રિકેટમાં તક મળે તે કરવા તૈયાર હતો. થોડા પૈસા મેળવવા એણે ડેરી પણ કામ કર્યું. એણે પૈસા મેળવવા માટે અનાજના વેપારીઓ સાથે કામ કર્યું . પરંતુ પોતાના સ્વપ્ન ક્રિકેટ પર ધ્યાન આપવું ચાલુ રાખ્યું.

                                            ક્રિકેટને માટે એણે મુંબઈમાં આઝાદ મેદાનમાં ગ્રાઉન્ડ મેનના તંબુમાં પણ રહેવા માંડ્યો. મુંબઈનું આઝાદ મેદાન ક્રિકેટ પ્રેમીઓ માટે રમતોનું ક્ષેત્ર રહ્યું છે. ત્યાં ઘણી ક્રિકેટ પીચોઆવેલી છે જ્યાં યુવા ક્રિકેટ ખેલાડીઓ રમ્યા કરતા  હોય છે. હું પણ ત્યાં મારા સ્કૂલ દિવસોમાં મિત્રો સાથે સાંજના ક્રિકેટ રમી ચુક્યો છે. અહીએ યશસ્વીને ક્રિકેટ રમવાની સારી એવી તકો મળતી રહી .



                                            અહીએજ ને ગમે તે સંજોગોમાં સફળતા પૂર્વક બહાર આવવાની પ્રેરણા મળતી રહી. આગળ જતા એ પ્રેરણાએ એણે ક્રિકેટ જગતમાં હીરો બનાવી દીધો. ૨૩ વર્ષની ઉંમરમાં એક વર્ષમાં  એણે  આંતરાષ્ટ્રીય ટેસ્ટ  જગતમાં ૧૦૦૦ રનનો રેકોર્ડ સર્જી દીધો. એક ઉત્તર પ્રદેશના છોકરાએ  ક્રિકેટ જગતમાં એનું નામ નોંધાવી દીધું. હજુ તો એ ૨૩ વર્ષનો યુવાન ખેલાડી છે અને એને માટે હજુ સારી ક્રિક્ર્ટની દુનિયા પડી છે. એટલેકે આખું આકાશ એ એને માટે  મર્યાદા છે.

                                        એમાંથી એ વસ્તુ તો સાબિત થાય છેકે કોઈ પણ વ્યક્તિ  અથાગ મહેનતથી કોઈ પણ સ્વપ્ન સિદ્ધ  કરી શકે છે. 

                                        ******************************** 

Thursday, January 1, 2026

 


હાઈટેક દ્વારા  સ્નાયુઓની  નિસ્ફળતા  પર કાબુ 

                                                                                                 સ્નાયુઓની નિસ્ફળતાને ઇંગ્લીશમાં 'ડિજનરેશન ઓફ મસલ્સ ' કહેવામાં આવે છે.   ૨ મિલિયન લોકોએ એ રોગને લીધે પોતાની આંખો ગુમાવી દીધી છે. એમાં લોકો બીજાને ઓળખી શકતા નથી , વાંચી શકતા નથી  અને અજાણી જગ્યાએ ફરી શકતા પણ નથી . આ ઘણીવાર બુઢાપાની પણ  બીમારી પણ હોય છે.

                                                                       એવા લોકો માટે હવે દ્રષ્ટિ મેળવવી હવે હાઈટેક દ્વારા શક્ય બની રહ્યું છે.  સર્જનો હવે '૨-એમએમ બાઈ ૨-એમએમ ચિપ સાથે ૪૦૦ હેંક્સએગોનલ ઇલેક્ટ્રોડ રેટિનામાં મુકવામાં આવે છે. એનાથી ચિપ  સંદેશાઓ મગજની નસોને પહોંચાડે છેજે માનવી જોવાની શક્તિ આપે છે. એનાથી પીડાતા લોકો વાંચી  અને લખી શકે છે.



                                                                        હવે વિજ્ઞાનીકો  લખવા , જેવા પીડિતને મદદ કરવા સીધા મગજમાં જ ચિપ્સ નાખી રહ્યા છે જેથી પીડિત  કોમ્પ્યુટર , સ્માર્ટ ફોન, વિહિલ ચેરને પણ ચલાવી શકશે. એ લોકો લાઈટ અને બીજી વસ્તુઓને પણ ચલાવી શકશે. હવે વિજ્ઞાનીકો એવા ચિપ ની શોધમાં છે જે મૂંગાં માણસોને પણ વાચા અપાવી શકે. 

                                                                    આગળ જતા ચિપ્સને મગજમાં એવા ન્યુરૉન્સ સાથે  ભેળવી દેવામાં આવશે કે  જે માનવીના અવાજ , અને  ક્રિએટિવિટી સાથે જોડાયેલા છે. એ એક  અદભુત શોધ હશે. આને કારણે મગજ અને કોમ્પ્યુટર  પર  કામ કરનાર કંપનીઓ એટલેકે બ્રેન કોમ્પ્યુટર કંપનીઓની કિંમત ૧૯૨૨ સુધીમાં ૧.૭૪ બિલ્લીઓન જેટલી થઇ ગઈ છે અને ૧૯૩૦ માં એની કિંમતો ૬.૨ બિલ્લીઓન ડોલર જેટલી થઇ જશે. એજ એની મહત્વતા બતાવે છે. 



                                                                  એવો પણ વખત આવશે કે મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ વ્યક્તિ આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ સાથે વધારે સારી રીતે ઉપયોગ કરી શકશે. જ્યાં સામાન્ય માનવી આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ ના ઉપયોગમાં  પાછળ પડી જશે.

                                         ***************************************

                                                                       

                                                                                      

 

                                      

Saturday, December 13, 2025



 દેશથી વિદેશ અને વિદેશથી દેશ 

                                                             સમૃદ્ધ દેશમાં  વિક્સિત દેશમાં કારકિર્દી માટે પ્રસ્થાન કરવું  એ સામાન્ય વાત છે. પરંતુ એ બાબતમાં ભારત અગ્રગણ્ય બની રહ્યું છે. એમાં બે વર્ગ છે એકતો વિદ્યાર્થી અને બીજો  ભણેલો વર્ગ જે પોતાની કારકિર્દી માટે જાય છે. 

                                                    એમાં અમેરિકા જનારા  ૭૦%ભારતીય  સોફ્ટવેર  એંજિનયોર  એચ -બી૧ વિઝા પણ જાય છે. અને ૩૦% ભારતીય વિદ્યાર્થી અમેરિકા, અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જાય છે.  એક વખત એને ભારતની બહાર  જનાર બુદ્ધિ ધન માનવામાં આવતું હતું  પરંતુ હવે બદલાતા સમય સાથે એને  સિરક્યુલેશન વસ્તી માનવામાં આવે છે. 



                                                એનું કારણ સમૃદ્ધ માનતા દેશો હવે એમના વહેતા ધોધને અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ માને છે કે બહારથી આવતા લોકો એ દેશની નોકરી લઇ લે છે. અને એમના દેશમાં બેકારી વધારી રહયા છે.  અને ઘણા ખરા  વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરી પાછા ફરતા નથી .



                                               આ સાચા કે ખોટા કારણ હોય પરંતુ  અમેરિકાએ  એચ બી ૧ વિઝાની ફી હવે $૧૦૦૦૦૦/- કરી નાખી છે. દાખલા તરીકે બ્રિટનમાં પરદેશી વિદ્યાર્થીઓમાં  ૨૫% જેટલા ભારતીય વિદ્યાર્થીઓ  હોય છે.  પરંતુ એ લોકોને અભ્યાસ પૂરો થયા બાદ પાછા ફરવા માટે ૧૮ મહિનાનીજ મુદત આપવામાં આવી છે. એટલે કે એમણે જલ્દીથી દેશ છોડો જવું જોઈએ. બ્રિટનને લાગે છે કે પરદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કાર્ય પછી પાછા ફરવાને બદલે ગમેતે રીતે ત્યાંજ ઠસી પડે છે. કૅનેડાએ પણ પરદેશી વિદ્યાર્થી માટે  સંખ્યા ઓછી કરી નાખી છે. તે ઉપરાંત હવે વિદ્યાર્થીઓની ફીસ પર વધારેની ૬% લેવી નાખવાની તૈયારી કરી લીધી છે. આથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ ગયો છે. આમ છતાં ૧.૫ મિલિયન ભારતીય વિદ્યાર્થીઓ આખા વિશ્વમાં પથરાયેલા છે. પરંતુ હવે સમૃદ્ધ પરદેશોમાં  બહારના વિદ્યાર્થોઓને આવકારતા ખચકાય છે. જેને માટે એમના પોતાના  સામાજિક કે આર્થિક કારણ પણ હોઈ શકે.

                                        આવી વિદ્યાર્થી માટેની વિશ્વિક વિષમ  પરિસ્થિતિમાં ભારતને  પરદેશી ચલણનો  ખર્ચો ઓછો થઇ જશે.  બીજું ભારતીય  વિદ્યાર્થીઓ  જર્મની, ફ્રાન્સ , રશિયા અને ચીન તરફ વળવા માંડ્યા છે. વ્યવસાયીઓ માટે હવે અમેરિકન પ્રતિબંધોને કારણે ભારતમાં તકો વધી રહી છે. અમેરિકન કંપનીઓ હવે એનું કામ ભારતીય કંપનીઓને સોંપવા જવા માંડી છે. બૅંગ્લૉરુમાં દરેક અમેરિકન કંપનીઓએ ગ્લોબલ કેપેબીલીટી સેંટર ખોલી નાખ્યા છે. જેઓ હવે સંધોધનો , ફરમાસિકેલ લેબો , અને આઉટ સોર્સીંગ કરવા માંડ્યું છે. એ ભારતને માટે લાભકારક છે.  ઘણા ભારતીય  એન્જીનયરો હવે  ભારતમાં પાછા ફરી પોતાની કંપનીઓ ખોલી રહયા છે નહીતો બીજી કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે. તે ઉપરાંત ભારત સરકારે પણ નવી કંપનીઓને મદદ કરવા માંડી છે. આથી ભારત તરફનો  ભારતીય અમેરિકન નો પ્રસ્થાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.  પરદેશથી દેશનો પ્રવાહ શરુ થયો છે. આમ બ્રેન ડ્રેઇનનો  હવે બ્રેઈન ગેઇનના  રૂપાંતરની  શરૂઆત થઇ ચુકી છે. 



                                                      આમ સ્થળાન્તર ઉપરના સમૃદ્ધ દેશોના પ્રતિબંધો ઘણી વાર વિક્સિત દેશોને લાભ થઈ શકે છે. કારણકે આજે જ્યાં તકો મળે ત્યાં લોકો જાય છે. એથી આ સમય હવે બ્રેન સિરક્યુલેશનનો  સમય છે એમાં શંકા નથી. 

                                       ***********************************  

                                            

Sunday, December 7, 2025



ભારતની  આર્થિક  તાકાત 

                                                      અત્યારે ભારત ૫મી આર્થિક વિશ્વિક તાકાત છે અને ૧૯૨૬ માં એ વિશ્વની ૪થી આર્થિક  તાકાત બનવાની તૈયારીમાં છે. એ જાપાનની આર્થિક તાકાતને પણ પાછી પડી દેશે . એ ભારત માટે ગર્વની વાત છે. તે ઉપરાંત થોડા વખતમાં એ  જર્મનીની આર્થિક તાકાતને પણ પાર કરી જશે. એભારતની આર્થિક પ્રગતિને બતાવે છે. ઇન્ટરનેશનલ મોનટોરી  ફંડ  નું માનવું છે કે ૨૦૩૦ સુધીમાં  ભારતની આર્થિક તાકાત વિશ્વમાં અમેરિકા અને ચીન પછી ત્રીજી આર્થિક તાકાત બની શકે છે.



                                         તે છતાં ભારતને  હજુ પણ બીજા આર્થિક આંકડોને જોતા ઘણું કરવાનું બાકી છે એ બતાવે છે.  ભારતની સમૃદ્ધિ શહેરોમાં ઉંચા ઊંચા ભવ્ય  મકાનો , અને મોટા લાંબા , અને સુંદર રસ્તાઓમાં દેખાય છે. એનું શેર માર્કેટ દિવસે દિવસે વિક્સિત થઇ રહ્યું  છે. આશરે ૪૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ભારતમાં માધ્યમ વર્ગમાં પ્રવેશ કર્યો છે. એ પણ એક ધ્યાન લેનારી ભારતની સિદ્ધિ છે. તે છતાં ભારત હજુ ગરીબ દેશોની ગણતરીમાં  આવે છે . એના કારણો ને ધ્યાનમાં લઇ એ બાબતમાં કામ કરવાની જરૂરત છે.



                                                અત્યારે ભારતની માથા દીઠ આવકમાં ભારતનો  ૧૨૬ મોં ક્રમ છે જેને નીચે  લાવવાની જરૂર છે. પહેલા એ નંબર ૧૫૨ હતો  તેમાં પ્રગતિ થઇ છે, પરંતુ હજુ  વધુ કામ કરવાની જરૂર છે . એટલેકે ભારતની વધતી સમૃદ્ધિ ને યોગ્ય રીતે વહેંચણી કરવાની જરૂર છે. એટલેકે  ગરીબોની આવકને વધારવાની જરૂર છે. તે છતાં ભારતનો ગરીબી રેશિયો  છેલ્લા દસકામાં જેટલો ઘટવો જોઈએ એટલો ઘટ્યો નથી એમ વિશ્વ બેંક પણ માને છે. ભારતનો ભૂખમરાના રેશિયોમાં   ટોટલ ૧૨૩ માં  ૧૦૨ નંબર છે. એ ભારતની ગરીબાઈ વિષે ખ્યાલ આપી જાય છે.




                                     તે ઉપરાંત ભારત  પ્રદુષણની   બાબતમાં ઘણું પાછળ છે.   પ્રેસ સ્વત્રંત્રતાની બાબતમાં પણ વધુ કરવાની જરૂરત છે. આર્થિક તાકાત જ એકલી મહત્વની નથી પરંતુ કરોડો ભારતવાસીઓનું  જીવનધોરણ  ઉપ્પર લાવવું  એ પણ મહત્વનું છે.

                  *************************************************              

Wednesday, December 3, 2025

 


ભારતીયોનું અમેરિકામાં પ્રદાન 

                                                       અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીયોનું બહુજ પ્રદાન છે. ભારતીયો અમેરિકાની અર્થવ્યવસ્થામાં મહત્વનું સ્થાન  ધરાવી રહ્યા છે.  ૪૦ % ભારતીય મૂળના લોકો અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં  માલિકી ધરાવે છે.

                                                               અમેરિકાની સિલીકોન વેલીમાં ૪૦% કામકારનારા લોકો ભારતીય મૂળના છે. એમના  પ્રસ્થાનથી વેલી વેરાન થઇ જાય એમ છે.

                                                                   તે ઉપરાંત નાસામાં કામ કરનારા ૧/૩ લોકો ભારતીય મૂળના છે. એનાથી અમેરિકાનું અવકાશ વિજ્ઞાન વિકસિત થઇ રહ્યું છે.



                                     વિજ્ઞાનિક રિસર્ચમાં  પણ ભારતીયો વગર અમેરિકામાં અવકાશ સર્જાઈ શકે છે.  અમેરિકાની વિશ્વ બેન્કિંગ સિસ્ટમમાં  પણ ૨૦% ભારતીય મૂળના લોકો કામ કરે છે. ભારત અમેરિકામાં ૪૦% જર્ણીક દવાઓ ભારતથી આવે છે. એના વિના અમેરિકાની આરોગ્ય વ્યવસ્થાને પણ નુકશાન થઇ શકે છે. અમેરિકાની હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સો પણ ભારતીય મૂળના સારા એવા લોકો કામ કરી રહ્યા છે. એના વગર હોસ્પિટલની ઈમરજંસી સેવાઓ પર પણ અસર થઇ શકે છે.

                                     ભારતીય મૂળના ટેકનીકલ માણસો વગર અમેરિકાની ઘણી એપ્સ ક્રેશ થઇ જાય, પેમેન્ટ સિસ્ટમ પણ નિસ્ફળ થઇ શકે અને ડેટા સેંટરમાં પણ ગભરાટ ફેલાઈ શકે છે.વેપારમાં પણ એની અસર થઇ શકે છે.



                                       ' અમેરિકામાં ભારતીયો અમેરિકન નાગરિકોના  કામ  લઇ રહ્યા છે એમ કહેવાય છે. ' એમાં આશ્ચર્ય જનક  નથી  કારણકે ભારતીય મૂળના લોકોએ અમેરિકામાં સિસ્ટમ બનાવી છે જે અમેરિકન આર્થિક વ્યવસ્થાને ધીમી કરી શકે છે. એને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. એટલા માટે જ ભારતીય મૂળના લોકોના પ્રદાનનું મહત્વ છે . 

                                          ************************************

                             

                                                                

                                                            

                                         

Saturday, November 15, 2025



 એલ્ઝહેઈમર

                                                                                એલ્ઝહેઈમર એ એવો રોગ છે જેમ માનવી પોતાની ઓળખ જ ભૂલી જાય છે. પોતાના સ્વજનોને ભૂલી જાય છે તો દુનિયામાં પોતાની ઓળખ ભુલાવી દે છે. ઘણે ભાગે એ રોગ વૃદ્ધાવસ્થામાં વધારે દેખાય છે. કેટલાએ દુનિયાની મહાન વ્યક્તિઓ એનો ભોગ બનીછે. એ રોગના ભોગ બનેલા લોકોની સ્થિતિ બહુજ દયાજનક થઇ જાય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ રેનોલ્ડ રેગન એ રોગના ભોગ બન્યા હતા. ઘણીવાર સેન મોનિકાના દરીયા કિનારે એમનો  પૌત્ર એમને લાકડી સાથે દોરી જતા નઝરે પડતા . એ દ્રશ્ય એક વખતના દુનિયાના તાકાતવાન માનવ માટે દયાજનક હતી. પરંતુ તો રોગ જેનાથી એ પીડાતા હતા તે ભયંકર રોગ હતો.

                                             એ રોગના ઉકેલ માટે દુનિયાના કેટલાએ વિજ્ઞાનીકો લાગેલા છે પણ સંતોષજનક ઉકેલ હજુ મળી શક્યો નથી. એ એટલો ભયંકર રોગ છેકે સમયની સાથે પરિસ્થિતિ વિપરીત  થતી જાય છે. 

                                              અત્યાર સુધીના વિજ્ઞાનિક  તારણો જણાવે છે કે  એલ્ઝહેઈમરને ખોરાકની આદતો બદલવાથી કે કસરતો દ્વારા અટકાવી શકાય છે. તે ઉપરાંત સામાજિક રીતે લોકસંપર્કમાં રહેવાથી એની અસરને ઓછી કરી શકાય છે.


                                               એલ્ઝહેઈમર  માટે  'સિલ્વર  બુલેટ'  જેવી દવાઓ પણ  આપવામાં  આવે છે પણ એની અસર વષે  હજુ પણ શંકાઓ ઉભી છે. 

                                                 એલ્ઝહેઈમરને શરૂઆતથી શોધવા માટે લોહીનો ટેસ્ટ પ લેવામાં આવે છે પણ એના તારણ હજુ પણ એટલો આધાર રાખી શકતો નથી .એવું નિષ્ણાતોનું માનવું છે.

                                                દુન્યવી કારણો જેવાકે રંગભેદ , તંદુરસ્તી , આજુ બાજુનું વાતાવરણ પણ  એ રોગને વધારવામાં કારણભૂત બનતા હોય છે એવું પણ માનવામાં આવે છે. કેટલાક સંધોધન  કરનારાઓ એ બાબતમાં ઉકેલ શોધવા પ્રયત્નો કરી રહ્યા છે. 



                                                મૂળમાં વિજ્ઞાનીકોનું  માનવું  છેકે  એલ્ઝહેઈમર નું ઉદ્ધભવ 'તાઓ' અને  એમિલોઈડ બીટા જેવા પ્રોટીન મગજમાં  ભેગા થવાથી થાય છે. એ સમયની સાથે નેયુરોન સેલને નુકસાન કરે છે . એમાંથી જ અલઝહેઈમર જેવો રોગ ઉત્પન્ન થાય છે. એના પરસંધોધન દ્વારા દવાઓ બનાવવા પ્રયત્ન કરી રહયા છે.

એ દવાઓમાં 'સાઈડ ફફેક્ટ' નો પણ ભય હોય છે. એમાં મગજમાં લોહી સ્ત્રાવ અથવા લખવા જેવી ફફેક્ટ લાગે એવી ઘટના બનવાનો સંભવ પણ હોય છે.

                                                  આથી અલઝહેઈમરના ઉકેલમાં અનેક અવરોધો છે તે છતાં પહેલા કરતા અત્યારે  વિજ્ઞાનીકોની શોધોને લીધે એ રોગના ઉકેલમાં સારી એવી પ્રગતિ કરી છે.

                                  *******************************************