Sunday, March 8, 2026

 


બ્રિગિટ્ટ  બારડોટ 

                                   બ્રિગિટ્ટ બારડોટ ફ્રેન્ચ અભિનેત્રી હતી. એણે એના સૌંદર્ય અને અભિનય દ્વારા ફિલ્મ જગતમાં તરખાટ મચાવ્યો હતો .એની ફિલ્મ  'એન્ડ ગોડ ક્રિએટે  વુમન ' એને દુનિયામાં પ્રખ્યાતિ આપી હતી . એ પવિત્ર વિચાર ધરાવનાર પરિવાર અને જેનો ઉછેર બહુ સારી રીતે  ઉછરેલી એવી પુત્રી હતી પરંતુ ફિલ્મી દુનિયાએ એના જીવન શૈલીને બદલી નાખી હતી. 

                                 એના વાળ  ભૂખરા રંગના હતા પણ એને પસંદ ન હતા તેથી એને સોનેરી બનાવ્યા હતા .  આમ સીધી સાદી ખાનગી શાળામાં ભણેલી યુવતી દુનિયાની સ્વપ્ન સુંદરી બની ગઈ હતી . એના માતાપિતાની રજા વગર પંદરમે varsh દુનિયાં પ્રખ્યાત મેગેઝીન પાર આવી ચુકી હતી અને ૧૭માં વર્ષે  એની બિકીની પહેરેલી તસવીરો પ્રગટ થવા લાગી હતી . 18 માં વર્ષમાં  આકર્ષક સૌંદર્યને લીધે લગ્ન પણ કરી લીધા હતા . ત્યાર પછી એણે ચાર લગ્નો કાર્ય હતા . પરંતુ એની એક વધુ ફિલ્મ 'બાબિટ્ટે ગોઝ તો વૉર ' પણ હિટ ગઈ હતી. 

                                                  આખરે  એણે સેન્ટ ટોપેઝ  નામના ફિશિંગ  પોર્ટ પર  એનું ઘર વસાવ્યું હતું.  ફોટોગ્રાફરો અને પ્રસિદ્ધિથી ત્રાસીને તે બેચેન  બની હતી અને એનું ધ્યાન ત્રાસિત જાનવરોના માવજત તરફ કેન્દ્રિત કર્યું હતું . પોતાનું જાર જવેરાત વેચીને એમાંથી ' બ્રિગિટ બારડોટ ફોઉન્ડેશન ' બનાવ્યું  અને એના દ્વારા ઘોડા , ગધેડા અને   રીછ જેવા અબ્યુઝ જાનવરોની દુનિયા ભરમાં માવજત કરવાની શરૂઆત કરી . એણે જાનવરોને ત્રાસરૂપ  વુલફ શિકાર, બુલ લડાઈ ,  ચિકન ફાર્મિંગ જેવી ઘાતકી પ્રવૃતિઓ સામે પણ દુનિયાભરમાં ઝુંબેશ ચલાવી.

                                            આવી ઉમદા પ્રવૃત્તિઓ કર્યા પછી આધ્યાત્મિક સંતોષ  માટે દરિયા કિનારે  ઝૂંપડી બાંધીને રહેવા માંડી હતી.  ૨૦૨૫માં  ૨૮મી ડિસેમ્બરે  91 વર્ષની વયે એક સેક્સી પણ ઉમદા અભિનેત્રીનુ અવસાન થયું . જીવનમાં  ઉત્તમ અભિનય સાથે ઉમદા  કામ કરીને જગતમાંથી વિદાય લીધી.

                        *************************** 

                                   

Sunday, February 22, 2026

  


જેફરી એપ્સ્ટીન

                                                                    જેફરી એપ્સ્ટીન એ અમેરિકમાં પ્રસિદ્ધ યૌન શોષણનો અપરાધી હતો. એના પર યુવાન અને અને નાની ઉંમરની  પીડિતાઓની   યૌન શોષણની ફરિયાદોને કારણે  કેદની સજા થઇ હતી.  જેફરી એપ્સ્ટેઇનના  સંમ્પર્કમા આવનાર અને એની સાથે રંગરેલી  માણનારના નામો અને  એના કરતુકોમાં ભાગલેનાર વ્યક્તિઓની કારકિર્દીઓ હવે ખતમ થઇ ગઈ છે ક્યાંતો ભાંગી પડી છે. એવું કહેવાય છે  અમુક વ્યક્તિઓની દોસ્તી અને દુશ્મની પણ સારી નથી હોતી એ જેફરીની બાબતમાં સાચી પડી રહી છે.

                                            અમેરિકામાં જેફરીની ફાઈલમાં કેટલાએ રાષ્ટ્ર પ્રમુખોના નામ છે તો  કેટલાક   કલાકારો, જાણીતા ઉદ્યોગપતિઓ, ટેકનોક્રેટોના નામો આવતા એમની કારકિર્દીઓ પર નુકસાન થઇ રહ્યું છે. ઇંગ્લેન્ડમાં રાજાના ભાઈ પર પોલીસ પણ ત્રાટકી છે.  એક બ્રિટિશ  રાજકારણીને તો રાજીનામુ આપવું પડ્યું છે. એમના જેફરી સાથેના સંબંધોને કારણે એમના નામને કલંક લાગી ગયું છે. 

                                                 તે ઉપરાંત મોટી મોટી કંપનીઓના વડાને પણ  જેફરી સાથેના સંબંધોને કારણે અને  એની  ફાઈલમાં નામ બહાર આવતા રાજીનામાં ધરી દેવા પડ્યા છે.                                          

                                            ઘણી રાષ્ટ્રોની સરકારો પણ જેફરી એપ્સ્ટીનના પડછાયા પડવાથી તકલીફમાં આવી ગઈ છે. ભારતની પાર્લામેન્ટમાં પણ ધમાલ થઇ રહી છે કારણકે જેફરી  એપ્સ્ટીનની  ફાઈલમાં એક ઉદ્યોગપતિ, એક ભારતીય મંત્રી અને વડા પ્રધાનનું નામ આવ્યું છે.

                                            આમ તો ફાઈલમાં નામ આવવાથી માણસ ગુનેગાર સાબિત થતો નથી પરંતુ માણસની પહેચાન એના મિત્રો અને સંપર્કોથી જ થાય છે એ એક સામાન્ય વાત છે. એથી ગુનેગારોના સંપર્કમાં રહેતા માણસો હંમેશા શંકામાં રહે છે. એનો  જેફરી એપ્સ્ટીન એક દાખલો છે.

                                              મૂળમાં કેટલાક અતિ શક્તિશાળી માણસો કે પછી ધનવાનો એની શક્તિ અને ધનને કારણે મર્યાદાઓ ભૂલી પોતાને કાયદાઓથી પણ પર ગણવા લાગે છે અને અનર્થ કરી બેસે છે.  એની જેફરી એપ્સ્ટીન ફાઈલ એક અજબ દાખલો છે. 

                                   ************************************

     

                                                        

Wednesday, February 18, 2026

 


 

વસ્તુને  લાંબો વખત સાચવવાનો ઘરગથ્થુ   ઉપાયો

                                                                                                       આજે વિશ્વમાં બેક્ટરીઆઓને  લીધે ઘણી વસ્તુઓ ટૂંકા સમયમાં બગડી જાય છેકે પછી  સડી જાય છે .  તમે એને રેફ્રીજેટરમાં રાખો તો એના પર બેક્ટરીઓ હુમલો કરી એને બગાડી મૂકે છે. એને માટે થોડા એવા ઉપાયો છે જે ફળો, શાકભાજીઓને તાજા રાખે છે.

                                           તરબૂચ એવું ફળ છેકે જે એક સાથે ખાવું  મુશ્કેલ છે એથી ખાધા પછી એને રેફ્રીજેટરમાં મુકવામાં આવે છે ત્યાં બેક્ટરિયાઓ એના પર હુમલો કરી એને બગાડી મૂકે છે. એટલા માટે વધેલા તરબૂચના ભાગ પર બે બાજુએ લસણની કડીઓ મૂકી એને પ્લાસ્ટિક પેપરથી ઢાંકી  રેફ્રીજેટરમાં રાખવાથી તરબૂચ ગાન દિવસો સુધી ખાવા લાયક તાજું રહે છે.

                                        કેળા પણ  થોડા વખતમાં એની છાલ સાથે કાળા પડવા માંડે છે.  એને તાજા રાખવા માટે એની છાલને શુદ્ધ પાણીથી સાફ કરી  અને એની સ્ટેમ ને  પેપર ટુવાલ થી સીલ કરી એના પર શુદ્ધ પાણી નાખવાથી એ લાંબો વખત તાજા રહેશે અને જયારે જરૂરિયાત પ્રમાણે ખાઈ શકાશે.



                                         એજ પ્રમાણે સિલેન્ટ્રો ભાજીની  દાંડીઓને પેપર ટોવેલથી બાંધી શુદ્ધ પાણીના ગ્લાસમાં  રાખવાથી એ આશરે મહિના સુધી તાજી રહેશે. અને એનો ઉપયોગ લાંબો વખત સુધી કરી શકાશે.

                                       એ રીતે કેબેજને એના રુટ  પર ભીનો  પેપર  ટુવાલ લગાવવાથીં  લાંબો સમય સુધી જાળવી  શકાય છે. 



                                         ટોમેટોને  એના મૂળમાં પ્લાસ્ટિક  પારદર્શક ટેપ લગાવવાથી  લાંબા સમય માટે એને તાજા રાખી શકાય છે .



                                       લીલા કાંદાના   મૂળિયાને  ભીના પેપર ટોવેલમાં બાંધી ને રાખવાથી  એ ૧૫ દિવસ સુધી તાજા રહે છે . 



                                        સ્ટ્રૉબૅરીસ લાંબો વખત ખાવા લાયક રાખવી મુશ્કેલ છે. એથી એને પાણી અને વિનેગાર ભરેલા વાસણમાં  રાખવાથી  એ તાજી રહે છે અને ખાવાને લાયક પણ રહે છે.

                                      ચોખા જેવા અનાજમાં લાંબા વખતે  જીવડાં પડે છે અને એનો નાશ કરે છે . એટલે જીવડાંઓથી બચાવવા માટે એમાં  આદુથી ભરેલી  સીલ બેગ નાખવાથી ચોખાનું રક્ષણ થાય છે. અને જીવાતોથી એને રક્ષણ મળે છે.

                                      આમ જીવાતોથી ખોરાકને, ફળોને , અને શાકભાજીઓનું ઘણા વખત સુધી સેવન કરી શકાય છે. 

                                    ******************************

           

Wednesday, February 11, 2026

   


વિશ્વ વેકસિનના માન્ધાતા 

                                                વિશ્વમાં વેક્સિનના ઉત્પાદનમાં ભારતે નામના કાઢી છે. કોવિદ-૧૯ દરમીયાન ભારતે વિશ્વના ઘણા દેશોને કોવિદની સસ્તી  વેકસીન પુરી પાડી હતી આથી ઘણા દેશો ભારતના ઋણી છે. 

                                               એ વેકસિનનું ઉત્પાદન પૂનાની એક કંપની એ કરેલ જેનું નામ છે' સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ' એના માલિક છે આદર પૂનાવાળા . એ કંપની આદરના પિતા સાયરસ પૂનાવાળા એ ૧૯૬૬ શરુ કરેલી હતી. વેકસિનના ડોઝીસ ૧૭૦ જેટલા દેશોમાં મોકલવામાં આવે છે એમાં ઘણા દક્ષિણ વિશ્વના ગરીબ દેશોનો પણ સમાવેશ છે.



                                                 સીરમ ઇન્સ્ટિટ્યૂટ વેકસિનને સસ્તી બનાવવા માટે સંશોધન પણ કરે છે. એમાં બર્ડ ફલૂ શોટ, મેલેરિયાની વેક્સીન, ડેન્ગ્યુને લગતી વેક્સીનનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં ગરીબ દેશોને પણ પોષાય એવો $૩/- જેટલો નીચો ભાવ રાખી વેચવામાં આવે છે. એમાં માનવતાનું તત્વ પણ સમાયેલ છે. જુના વખતમાં પૂનાવાળા ઘોડાઓ ઉછેરવાના ધંધામાં હતા એમાંથી તેઓ વેકસિનના ધંધામાં આવ્યા. ડીટીપી વેક્સીન અને મિસલ્સને લગતી  વેકસિને એમને ભારતમાં મોટામાં મોટા વેક્સીન ઉત્પાદક તરીકે ઉભા કરી દીધા


 .

                                               હવે  સીરમ એ  એની ઉત્પાદન શક્તિ આતરરાષ્ટ્રીય સ્થર લાવી દીધી છે.  હવે  એ યુનિસેફ , અમેરિકાની હેલ્થ સંસ્થાઓને  વગેરેને એનું ૮૦% ઉત્પાદન નિકાસ કરે છે. ભારત માટે એ ગર્વની વાત છે. હવે  સિરેમેં  એની બ્રાન્ચ આફ્રિકામાં પણ સ્થાપિત  કરી છે જેથી ગરીબ દેશોને એની વેક્સીન જલ્દીથી પુરી પાડી શકે.



                                               તેઉપરાંત હવે પૂનાવાલાએ પોતાનું પ્રદાન ફિલ્મ, આર્ટ, અને ભારતીય સંસ્કૃતિમાં પણ કરવા માંડ્યું છે. 

                                ****************************************** 

Friday, January 23, 2026

  


 જમીનમાંથી કાર્બન કાઢવાની શોધ                                             

                                                      એક ભારતીય વિજ્ઞાનીકે એના માટે પ્રયત્નો શરુ કર્યા. એનું નામ છે શાંતનુ અગરવાલ જેમણે એમની  જમીનમાંથી કાર્બન કાઢવાની કલા વિકસાવી છે.

                                                   ભારતના ચોખાના ખેતરો જોઈને કોઈને પણ આવો ખ્યાલ ન આવે. પરંતુ એક  ભારતીય વિજ્ઞાનિકને ચોખાના ખેતરો જોઈને એક અદભુત વિચાર અનુભવ્યો. ભારત આમ પણ વિશ્વ માટે અન્નનો ભંડાર છે કારણકે એની જમીન બહુજ ફળદ્રુપ છે.  તે છતાં એક ભારતીય વિજ્ઞાનિકને વિચાર આવ્યો કે  જમીનને કેવી રીતે વધુને વધુ ઉત્પાદિક બનાવવી ?



                                            એમણે માટીમાં કેવી રીતે પરિવર્તન લાવી એને કાર્બન રહિત બનાવવી એની રીત શોધી કાઢી જેથી પાકનું ઉત્પાદન વધારી શકાય. જમીન પર બેસાલ્ટ રોકનો પાવડર પાથરી જમીનમાંથી કાર્બન ચૂસવાની પદ્ધતિ અપનાવવાથી જમીન વધુ ફળદ્રુપ બને છે અને પાક માં અનેક ગણો વધારો થઇ શકે છે.

                                           આ અદભુત સંધોધન ને કારણે  સંતનું અગરવાલના માટી કાર્બન ને જમીનમાંથી કાર્બન કાઢવાની શોધને માટે 50 મિલિયન ડોલરનું  એક્ક્ષ ઇનામ મળ્યું.  માટી કાર્બનનું કામ તાન્ઝાનિયા , ઝામ્બિયા  જેવા દેશોમાં પણ  ચાલી રહ્યું છે. 





                                         શાંતનુનું  લક્ષ્ય ૧૦૦ મિલિયન ખેડૂતો સુધી પહોંચવાનો છે. અને ૨૦૫૦ સુધીમાં  ૧૦૦  બિલ્લીઓન ટન કાર્બન  જમીનમાંથી કાઢવાનો છે.

                                            આ શોધ ભારતમાં ખેતીનું ઉત્પાદન વધારવામાં પણ મદદરૂપ બની રહેશે  એના માટે દરેક દેશવાસીઓ ગર્વ લઇ શકે છે.

                         **********************************************

                                      

Thursday, January 15, 2026

 


ક્રિકેટ હીરોની અજબ સફળતા 

                                               મુંબઈ એક મહામયિ  નગરી છે જ્યાં લોકો પોતાની મહત્વકાંક્ષાને સફળ બનાવવા સપના લઈને આવે છે. ઘણા સફળ થાય છે તો ઘણા એ મહા નગરીમાં ડૂબી પણ જાય છે.  એવાજ એક સફળ ક્રિકેટરની આ એક સફળ કહાની છે. 

                                               એ યશસ્વી જેસ્વાલની  સફળ  જીવન કથા છે. એક સામાન્ય કુટુંબમાં જન્મી ક્રિકેટ જગતમાં નામના મેળવનાર એક યુવાનની અદભુત કથા છે. એ એના પિતા સાથે ઘણીજ નાની ઉંમરમાં એના પિતા સાથે ઉત્તરપ્રદેશથી  મુંબઈમાં આવ્યો હતો . નાનપણથી જ એને ક્રિકેટમાં રસ હતો અને એને ખબર હતી કે મુંબઈ એના માટે યોગ્ય જગા હતી જ્યા તે એનું સ્વપ્ન સિદ્ધ કરી શકે એમ છે.



                                                 મુંબઈ જેવા તદ્દન અજાણ્યા શહેરમાં એના માટે કોઈ જાતની મદ્દદ પણ ન હતી . આથી જ્યાં કામ મળે અને ક્રિકેટમાં તક મળે તે કરવા તૈયાર હતો. થોડા પૈસા મેળવવા એણે ડેરી પણ કામ કર્યું. એણે પૈસા મેળવવા માટે અનાજના વેપારીઓ સાથે કામ કર્યું . પરંતુ પોતાના સ્વપ્ન ક્રિકેટ પર ધ્યાન આપવું ચાલુ રાખ્યું.

                                            ક્રિકેટને માટે એણે મુંબઈમાં આઝાદ મેદાનમાં ગ્રાઉન્ડ મેનના તંબુમાં પણ રહેવા માંડ્યો. મુંબઈનું આઝાદ મેદાન ક્રિકેટ પ્રેમીઓ માટે રમતોનું ક્ષેત્ર રહ્યું છે. ત્યાં ઘણી ક્રિકેટ પીચોઆવેલી છે જ્યાં યુવા ક્રિકેટ ખેલાડીઓ રમ્યા કરતા  હોય છે. હું પણ ત્યાં મારા સ્કૂલ દિવસોમાં મિત્રો સાથે સાંજના ક્રિકેટ રમી ચુક્યો છે. અહીએ યશસ્વીને ક્રિકેટ રમવાની સારી એવી તકો મળતી રહી .



                                            અહીએજ ને ગમે તે સંજોગોમાં સફળતા પૂર્વક બહાર આવવાની પ્રેરણા મળતી રહી. આગળ જતા એ પ્રેરણાએ એણે ક્રિકેટ જગતમાં હીરો બનાવી દીધો. ૨૩ વર્ષની ઉંમરમાં એક વર્ષમાં  એણે  આંતરાષ્ટ્રીય ટેસ્ટ  જગતમાં ૧૦૦૦ રનનો રેકોર્ડ સર્જી દીધો. એક ઉત્તર પ્રદેશના છોકરાએ  ક્રિકેટ જગતમાં એનું નામ નોંધાવી દીધું. હજુ તો એ ૨૩ વર્ષનો યુવાન ખેલાડી છે અને એને માટે હજુ સારી ક્રિક્ર્ટની દુનિયા પડી છે. એટલેકે આખું આકાશ એ એને માટે  મર્યાદા છે.

                                        એમાંથી એ વસ્તુ તો સાબિત થાય છેકે કોઈ પણ વ્યક્તિ  અથાગ મહેનતથી કોઈ પણ સ્વપ્ન સિદ્ધ  કરી શકે છે. 

                                        ******************************** 

Thursday, January 1, 2026

 


હાઈટેક દ્વારા  સ્નાયુઓની  નિસ્ફળતા  પર કાબુ 

                                                                                                 સ્નાયુઓની નિસ્ફળતાને ઇંગ્લીશમાં 'ડિજનરેશન ઓફ મસલ્સ ' કહેવામાં આવે છે.   ૨ મિલિયન લોકોએ એ રોગને લીધે પોતાની આંખો ગુમાવી દીધી છે. એમાં લોકો બીજાને ઓળખી શકતા નથી , વાંચી શકતા નથી  અને અજાણી જગ્યાએ ફરી શકતા પણ નથી . આ ઘણીવાર બુઢાપાની પણ  બીમારી પણ હોય છે.

                                                                       એવા લોકો માટે હવે દ્રષ્ટિ મેળવવી હવે હાઈટેક દ્વારા શક્ય બની રહ્યું છે.  સર્જનો હવે '૨-એમએમ બાઈ ૨-એમએમ ચિપ સાથે ૪૦૦ હેંક્સએગોનલ ઇલેક્ટ્રોડ રેટિનામાં મુકવામાં આવે છે. એનાથી ચિપ  સંદેશાઓ મગજની નસોને પહોંચાડે છેજે માનવી જોવાની શક્તિ આપે છે. એનાથી પીડાતા લોકો વાંચી  અને લખી શકે છે.



                                                                        હવે વિજ્ઞાનીકો  લખવા , જેવા પીડિતને મદદ કરવા સીધા મગજમાં જ ચિપ્સ નાખી રહ્યા છે જેથી પીડિત  કોમ્પ્યુટર , સ્માર્ટ ફોન, વિહિલ ચેરને પણ ચલાવી શકશે. એ લોકો લાઈટ અને બીજી વસ્તુઓને પણ ચલાવી શકશે. હવે વિજ્ઞાનીકો એવા ચિપ ની શોધમાં છે જે મૂંગાં માણસોને પણ વાચા અપાવી શકે. 

                                                                    આગળ જતા ચિપ્સને મગજમાં એવા ન્યુરૉન્સ સાથે  ભેળવી દેવામાં આવશે કે  જે માનવીના અવાજ , અને  ક્રિએટિવિટી સાથે જોડાયેલા છે. એ એક  અદભુત શોધ હશે. આને કારણે મગજ અને કોમ્પ્યુટર  પર  કામ કરનાર કંપનીઓ એટલેકે બ્રેન કોમ્પ્યુટર કંપનીઓની કિંમત ૧૯૨૨ સુધીમાં ૧.૭૪ બિલ્લીઓન જેટલી થઇ ગઈ છે અને ૧૯૩૦ માં એની કિંમતો ૬.૨ બિલ્લીઓન ડોલર જેટલી થઇ જશે. એજ એની મહત્વતા બતાવે છે. 



                                                                  એવો પણ વખત આવશે કે મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ વ્યક્તિ આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ સાથે વધારે સારી રીતે ઉપયોગ કરી શકશે. જ્યાં સામાન્ય માનવી આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ ના ઉપયોગમાં  પાછળ પડી જશે.

                                         ***************************************