Saturday, April 18, 2026

 



શ્વાસોશ્વાસની પક્રિયા  - નાક   અને મુખ 

                                                                              શ્વાસોશ્વાસની  પક્રિયા એ શરીર  માટે બહુજ  અગત્યની પક્રિયા છે. તમે  નાકથી શ્વાસ લો તો એ વધારે આરોગ્યદાયક હોય છે. તે ઉપરાંત જયારે નાક ભરાઈ જાય અને બંધ થઇ જાય ત્યારે ઘણા લોકો મોઢાથી પણ  શ્વાસ  લે છે. 

                                        નાકની શ્વાસો  લે એના ઘણા ફાયદાઓ  છે. એની  અંદર  ફિલ્ટર સિસ્ટમ છે જેથી જે હવા ફેફસામાં જાય તે શુદ્ધ હોય છે.બીજું  નાક  થોડું  હુંફાળું  અને ભીનું  હોય છે જે માનવીય તંદુરસ્તી માટે સારું  છે. એમાંથી શ્વાસ લેવાથી એ નાઇટ્રિક ઓક્સસાઈડ  વધારે છે જે શરીરની નસોને પહોળી બનાવે છે જે  બ્લડ પ્રેસર ઓછું કરે છે . 



                                 મોંઢાથી  શ્વાસ લેવાથી  ઘોરવાનું વધી જાય છે.  તે ઉપરાંત નિદ્રાને પણ બગાડે છે અને શ્વાસોશ્વાસ બંધ થવાથી ગળાના સ્નાયુઓ હવાને પણ અવરોધે છે. એ માનવી તંદુરસ્તી માટે બરાબર નથી.  બાળકો માટે મોઢાનો શ્વાસોશ્વાસ એમના મોંઢાનાં દેખાવને પણ બેડોળ બનાવે છે. 

                                  મોઢાના શ્વાસોશ્વાસ  રોકવા માટે રાત્રીએ  હળવા ટેપ લગાડવાના પ્રયોગો  પણ કર્યા  હતા . એના પ્રયોગોમાં  અમુક કેસોમાં ઘોરવાનું ઓછું થઇ ગયું હતું.  શ્વાસોશ્વાસના  કલાકમાં અવરોધો પણ ઓછા અને અડધા થઇ ગયા હતા.  

                                 પરંતુ જેને નાકમાં  નેસલ અવરોધો  હોય  છે  એના માટે મોંઢા પાર ટેપ લગાડવાના પ્રયોગો  શરીર તંદુરસ્તી માટે હાનિકારક   હોયછે.  એવા લોકો માટે નિષ્ણાત  ડોક્ટરો પાસે માવજત લેવી આવશ્યક છે. 

                            ****************************************     

Friday, April 10, 2026

 


ઇંગ્લેન્ડમાં ભારતીય  વસાહતીઓ  

                                                                               ઇંગ્લેન્ડે ભારતપર 200 સુધી રાજ કર્યું અને ભારતની સમૃદ્ધિનું શોષણ કર્યું. ભારતીય જુના અને સમૃદ્ધ ઉદ્યોગોનો નાશ કરીં પોતાના માલોને ભારતમાં  ઘુસાડી કરોડો રૂપિયા ભારતમાંથી ઉપાડી ગયા અને ભારતની હાલત બુરી કરી નાખી. 

                                                એક  ભારતીયે  આજે ઇસ્ટ ઇન્ડિયા કંપની જેણે ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નાખ્યો હતો એને ખરીદી લીધી છે એ પણ સમયની બલિહારી  છે. ભારત સ્વાતંત્ર થયા પછી ફરીથી સમૃદ્ધિને પથ પર આગળ વધી રહ્યું છે.  એનું બુદ્ધિ ધન પાછું વિશ્વમાં એમની શક્તિ પાથરી  રહ્યું છે. 

                                           એમાં બ્રિટન પણ બાકાત નથી . આજૅ પશ્ચિમના દેશોમાં પરદેશી બુદ્ધિ ધન સામે ઝુંબેશ ચાલે છે.  એમાં ઇંગ્લેન્ડ પણ બાકાત નથી .



પરંતુ ભારતીય વિના ઇંગ્લેન્ડ કેટલું લાચાર છે એ ઘણાને ઓછો ખ્યાલ છે.  ભારતીય  ડોક્ટરો અને નર્સો વગર  ઇંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ તદ્દન સ્થગિત થઇ જાય એવી પરિસ્થિતિ છે. 40% જેટલા ડોક્ટરો ઇન્ડિયન છે. ઇંગ્લેન્ડની  ફાર્મસીઓ પણ ભારતીય ફાર્માસીસ્ટો  ચલાવે છે. 

                                         ભારતીયો વગર આઇટી ઓફિસો  ખાલી થઇ જાય એવી પરિસ્થિતિ છે. ઈન્ટરનેટ સર્વિસો પણ સ્થગિત થઇ શકે છે.  ઈ મૈલો  બંધ થઇ જાયતો વેપાર ધંધાને પણ અસર થઇ શકે છે. 

                                          તે ઉપરાંત હોટેલો અને રેસ્ટોરન્ટો પણ ભારતીય વસાહતીઓ જ ચલાવે તો  એના વિના ઇંગ્લેન્ડના લોકોને ચિકન મસાલા , સમોસા અને સ્પાઈસી કરી મળતી બંધ થઇ શકે છે. 24 કલાક દૂધ પણ  ભારતીય વસાહતીઓ જ પુરી પાડે છે. 



                                        ઇંગ્લેન્ડની યુનિવરસિટીઓમાં 50% જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે. જેના વગર યુનિવર્સિટીઓ  ઉજ્જળ થઇ શકે છે.  આમ ઇંગ્લેન્ડની  અર્થવ્યવસ્થામાં ભારતીય વસાહતીઓનું સ્થાન કેટલું મહત્વનું છે એનો ખ્યાલ આવી શકે છે. 

                                       ભારતીય વસાહતીઓ ઈંગ્લેન્ડમાં ત્યાંના ક્રિકેટ  સ્ટેડિયોમોને ભરી દે છે.  અજબની વાતતો એ છેકે ભારતીય વસાહતી એવા રિશી સુનક ઇંગ્લેન્ડના વડા  પ્રધાન પણ રહી ચુક્યા છે.  જે ઇંગ્લેન્ડે ભારત પાર સદીઓ રાજ કર્યું એજ ઇંગ્લેન્ડ પર એક  ભારતીય મૂળના  વસાહતી રાજ કરી ચુક્યા છે. એના માટે વર્તમાન ભારત ગર્વ અનુભવે છે. 

                                  **************************

                                         

Sunday, April 5, 2026

 


પ્રાચીન ભારતીય ગ્રામ વ્યવસ્થા 

                                                             આજે ભારત વિશ્વમાં પ્રગતિ કરી રહ્યું છે પરંતુ એના ગામડાઓને  જ્યાં સુધી ઉપ્પર લાવવામાં નહિ આવે ત્યાં સુધી એના માટે વિકસિત થવું મુશ્કેલ છે.  મહાત્મા ગાંધીએ એટલા માટે ગ્રામ વિકાસ તરફ વધારે મહત્વ આપ્યું હતું . ભારત આમતો  ખેતી પ્રધાન દેશ છે એની 60% થી વધુ આબાદી ગામડાઓમાં વસે છે. એથી એમને ઉપ્પર લાવવામાં આવે તોજ દેશ વધુ ગતિથી ઉપ્પર આવશે  એમાં શંકા નથી. 

                                                  ભારત પર ઘણા વિદેશી આક્રમણો થયા પરંતુ એની ગ્રામ વ્યવસ્થા મજબૂત હતી એથી એની અર્થ વ્યવસ્થા લાંબો  વખત  સુધી ટકી રહી હતી  એનું કારણ એની પુરાણી આત્મનિર્ભર   ગ્રામીય વ્યવસ્થા હતી . પરંતુ સમયની  સાથે એ જમીનદોસ્ત  થઇ ગઈ અને ભારત  ગરીબીમાં  સડવા લાગ્યું . બ્રિટિશ રાજે એના પર મરણતોડ માર માર્યો અને ભારતની સમૃદ્ધિ તણાઈ ગઈ. 



                                                વેદના પૂરાં કાળથી ભારતીય ગામડાઓ આત્મનિર્ભર હતા. ગામમાં એક ધનવાન વ્યક્તિ મળી જતી તો વિદ્વાન રહેતા . ગામની બાજુમાંથી ક્યાંતો નદી વહેતી કે પછી તળાવો અને કુવાઓ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી.  ગામને પાદરે એકાદ મંદિર જરૂર રહેતું જેથી લોકો ત્યાં  મળી શકે અને   ધાર્મિક વિધિ કે પછી પુંજા પણ કરી શકે.  શિક્ષિત વિદ્વાન દ્વારા યુવાનોને જ્ઞાન પણ મળી રહેતું.  ગામમાં એક લુહાર , કુંભાર અને હજામ જેવા વ્યવસાયિક લોકો પણ રહેતા જે જરૂરિયાત પ્રમાણે ગામ લોકોને સેવા આપતા.

                                                 વ્યવહારમાં પૈસાને બદલે જરૂરિયાતની વસ્તુઓની આપલે થતી.  ખેતરોમાં કામ કરવા પણ ગામના લોકો જતા. અને એના બદલે ખેડૂતો અનાજ આપતા . ગામના સારા અને ખરાબ પ્રસંગોએ લોકો એક બીજાને મદદ કરતા.  ગામના બનેલા પંચો જ ગામના ઝગડાઓનો ઉકેલ લાવતા . કુંભારો , લુહારો , સુથારો ગામના લોકોને એમની જરૂરિયાત પુરી પાડતા. અને બદલામાં એમને અનાજ , શાકભાજી , કરિયાના  અને ફળફળાદી  વગેરે એમને પૂરું  પાડવામા આવતું.   એમાં હજામોને પણ એમની કામગીરી માટે મદદ મળી  રહેતી.



લગ્ન પ્રસંગે પણ બધી જ વ્યવસ્થા ગામ લોકો સગવડ પ્રમાણે એક બીજાને મદદરૂપ થઈ જતા . આમ ગ્રામીય જીવન હંમેશા  સારી રીતે ચાલી રહેતું . ગામના વૈદ્યની  પણ બીમારીમાં મદદ મળી રહેતી. 

                                   મૂળમાં ગામની બાર્ટર સિસ્ટમ , સદ્ભાવ તથા પ્રેમ પર ગ્રામ વ્યવસ્થા નિર્ભર હતી એટલે બહારની કોઈ મદદની જરૂરિયાત રહેતી નહિ  અને ગામો  આત્મનિર્ભર  અને સમૃદ્ધ હતા.  એને  લીધે ભારતમાં સુખ અને  સમૃદ્ધિ હતી. 

                               સમયની સાથે ધીમે ધીમે ગામ વ્યવસ્થા તૂટવા માંડી અને લોકોએ શહેરો તરફ દોડ મૂકી જેથી ગામડાઓ તૂટવા માંડ્યા અને ભારતની સમૃદ્ધિનો નાશ થયો . હવે જો ભારતનો સર્વાંન્ગ વિકાસ કરવો હશે તો ગામવ્યવસ્થા  સુધારીને એમને ફરીથી આત્મનિર્ભર  બનાવ્યા સિવાય છૂટકો નથી. 

                                   ****************************