ઇંગ્લેન્ડમાં ભારતીય વસાહતીઓ
ઇંગ્લેન્ડે ભારતપર 200 સુધી રાજ કર્યું અને ભારતની સમૃદ્ધિનું શોષણ કર્યું. ભારતીય જુના અને સમૃદ્ધ ઉદ્યોગોનો નાશ કરીં પોતાના માલોને ભારતમાં ઘુસાડી કરોડો રૂપિયા ભારતમાંથી ઉપાડી ગયા અને ભારતની હાલત બુરી કરી નાખી.
એક ભારતીયે આજે ઇસ્ટ ઇન્ડિયા કંપની જેણે ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નાખ્યો હતો એને ખરીદી લીધી છે એ પણ સમયની બલિહારી છે. ભારત સ્વાતંત્ર થયા પછી ફરીથી સમૃદ્ધિને પથ પર આગળ વધી રહ્યું છે. એનું બુદ્ધિ ધન પાછું વિશ્વમાં એમની શક્તિ પાથરી રહ્યું છે.
એમાં બ્રિટન પણ બાકાત નથી . આજૅ પશ્ચિમના દેશોમાં પરદેશી બુદ્ધિ ધન સામે ઝુંબેશ ચાલે છે. એમાં ઇંગ્લેન્ડ પણ બાકાત નથી .
પરંતુ ભારતીય વિના ઇંગ્લેન્ડ કેટલું લાચાર છે એ ઘણાને ઓછો ખ્યાલ છે. ભારતીય ડોક્ટરો અને નર્સો વગર ઇંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ તદ્દન સ્થગિત થઇ જાય એવી પરિસ્થિતિ છે. 40% જેટલા ડોક્ટરો ઇન્ડિયન છે. ઇંગ્લેન્ડની ફાર્મસીઓ પણ ભારતીય ફાર્માસીસ્ટો ચલાવે છે.
ભારતીયો વગર આઇટી ઓફિસો ખાલી થઇ જાય એવી પરિસ્થિતિ છે. ઈન્ટરનેટ સર્વિસો પણ સ્થગિત થઇ શકે છે. ઈ મૈલો બંધ થઇ જાયતો વેપાર ધંધાને પણ અસર થઇ શકે છે.
તે ઉપરાંત હોટેલો અને રેસ્ટોરન્ટો પણ ભારતીય વસાહતીઓ જ ચલાવે તો એના વિના ઇંગ્લેન્ડના લોકોને ચિકન મસાલા , સમોસા અને સ્પાઈસી કરી મળતી બંધ થઇ શકે છે. 24 કલાક દૂધ પણ ભારતીય વસાહતીઓ જ પુરી પાડે છે.
ઇંગ્લેન્ડની યુનિવરસિટીઓમાં 50% જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે. જેના વગર યુનિવર્સિટીઓ ઉજ્જળ થઇ શકે છે. આમ ઇંગ્લેન્ડની અર્થવ્યવસ્થામાં ભારતીય વસાહતીઓનું સ્થાન કેટલું મહત્વનું છે એનો ખ્યાલ આવી શકે છે.
ભારતીય વસાહતીઓ ઈંગ્લેન્ડમાં ત્યાંના ક્રિકેટ સ્ટેડિયોમોને ભરી દે છે. અજબની વાતતો એ છેકે ભારતીય વસાહતી એવા રિશી સુનક ઇંગ્લેન્ડના વડા પ્રધાન પણ રહી ચુક્યા છે. જે ઇંગ્લેન્ડે ભારત પાર સદીઓ રાજ કર્યું એજ ઇંગ્લેન્ડ પર એક ભારતીય મૂળના વસાહતી રાજ કરી ચુક્યા છે. એના માટે વર્તમાન ભારત ગર્વ અનુભવે છે.
**************************
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment