Thursday, June 18, 2026



 દુનિયાનો સૌથી વિશાળ કેસિનો 

                                                            દુનિયાનો વિશાળ  કેસિનો ' યુનાઇટેડ આરબ એમિરાટ્સમાં 'દુબઈની નજીક તૈયાર થઇ રહ્યો છે.  આમ તો ઇસ્લામમાં જુગારને નામંજૂર કરવામાં આવ્યો છે  પરંતુ હવે ' યુએઈ ' ઇન્વેસ્ટમેન્ટ અને પ્રવાસન ઉપરાંત હવે દેશની આવક વધારવા માટે જુગારને પણ દેશમાં લાવવામાં આવશે જેથી દેશની સમૃદ્ધિ વધે અને જયારે તેલની  આવક બંધ થાય ત્યારે એના પૂરક બની રહે. 

                                                        એ વિશાળ કેસિનો દરિયા કિનારે ' રાસ અલ ખૈમાહ 'ખાતે બની રહ્યો છે. કેસિનીની ઊંચાઈ 350 મીટર જેટલી હશે . આવતા વર્ષે એને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.  એ કેસિનો માટે દેશના કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.  'યુએઈ' માં ધનવાનોને એમના પૈસાના ઉપયોગ કરવામાં અને લોકોને મનોરંજન પૂરું પાડવા માટે એ ભવ્ય કેસિનો બાંધવામાં આવી રહ્યો છે. એ કેસિનો પાછળ એને લાસ વેગાસ અને મકાઉની જેમ વિકસિત કરવાની 'યુએઈના' સત્તાવાળાઓની  મુરાદ છે. 



                                                   એ કેસિનોમાં યુરોપ ,અને પૂર્વ  એશિયાના લોકોને પણ આકર્ષિત કરવાની યોજના છે.  1.4 મિલિયન પ્રવાસીઓને 'યુએઈ'એ ગયે વર્ષે આકર્ષિત  કર્યા  હતા પરંતુ હવે આ નવા વિશાળ કેસિનો દ્વારા પ્રવાસીઓનો આંકડો હવે ૫.૩ મિલિયન એક દસકામાં  વધારવાનો' યુએઈ' નો ઈરાદો છે. 



                                                       આમ પણ 'યુએઈમાં' 10000 જેટલા મિલ્લીઓનર્સ છે જેની કિંમત 63 બિલ્લીઓન ડોલર જેટલી છે.   અમેરિકન  કેસિનો કંપની ' વિંન રિસોર્ટ'  જ   આ નવો રિસોર્ટ ચલાવશેઅને એ લોકો  માને છે કે ' યુએઈનો' નવો કેસિનો વાર્ષિક ૧.૭ બિલ્લીઓન ડોલર જેટલી આવક કરશે .

                                                            યુએઈ સત્તાવાળાઓ  જુગાર અને બેટ્ટીન્ગ  વ્યહવાર પર  કેટલો કાબુ રાખે છેકે પછી એના પર  અંકુશ રાખી શકે છે એના પર કેસિનોની સફળતાનો આધાર રહેશે .

                                                   **************************** 

Wednesday, June 10, 2026




પિન્ક શહેર જયપુર 

                                    જયપુરને યુનીસકો દ્વારા   દુનિયાની  પુરાતન હેરિટેજ  શહેર જાહેર કરેલ છે.  એ એના ઇતિહાસિક કિલ્લા , હવેલીઓ , મહેલો  અને બગીચાઓ માટે જાણીતું છે.  તે ઉપરાંત સારું શહેર પિન્ક રંગથી રંગીત છે એનાથી એનું સૌંદર્ય  વધી જાય છે આમ એ  રાજસ્થાનના  મોટા એવા જયપુર રજવાડાનું એક વાર રાજધાનીનું ઐતહાસિક શહેર પણ છે. 



                                          એ શહેરમાં 800 જેટલી ઐતહાસિક હવેલીઓ પણ આવેલી છે. એના જુદા જુદા મહોલ્લાઓ છાપખાના , માર્બલ મૂર્તિઓ બનાવવામાં   કે પછી  જાતિઓ પ્રમાણે ધંધાઓમાં વહેંચાયેલા  છે.  પરંતુ જેમ શહેર વિકસતું જાય છે તેમ તેમ જૂનીઇતિહાસિક  હવેલીઓ ભોંય ભેગી થતી જાય છે.  એ શહેરની કમનસીબી  છે.  કેટલીક હવેલીને તો તોડીફોડીને ન ઓળખાય એવી આધુનિક બનાવી દેવાય છે. 



                                     પિન્ક રંગથી રાજા રામસિંઘે ૧૮૭૬માં  જયપુરને  રંગી એને અનોખું અને સુંદર સ્વરૂપ આપ્યું હતું. એને બ્રિટિશ રાજાના આગમનના પહેલા શણગારવામાં  આવ્યું હતું.   પરંતુ અત્યારે એ શહેર  પર્યાવણ અને જુદા આછા રંગોથી રંગાયેલા શહેરનો દેખાવ પહેલા જેવો રહ્યો નથી. ખુલ્લી ગટરો અને લટકતા ઇલેક્ટ્રિક વાયરોએ શહેરના સૌંદર્યને બગાડવામાં મોટો ભાગ ભજવ્યો છે. એમાં  સુધારો કરવામાં હેરિટેજ શહેર પાસે પૂરતું ફંડ પણ લાગતું નથી. 



                               હવે તો યુનિસ્કો  દ્વારા હેરિટેજ હટાવવાના  કોઈ પગલાંજ શહેર ના સત્તાવાળાઓની  ઊંઘ ઉડાડી શકે એમ છે.  એનું ઇતિહાસિક મહત્વ જાળવી રાખવામાં પિન્ક રંગને જાળવી રાખવામાં શહેરનું હિત સમાયેલું છે. સત્તાવાળાઓને  પણ એમાં રસ હશે.

                                             ***********************  


                                               

Wednesday, June 3, 2026

 


વીઆઈપી  ક્લચર -  અગત્યની વ્યક્તિઓ   

                                                                       વીઆઈપી સંસ્કૃતિ એ ભારતને ગુલામીની એક ભેટ છે.  ઇંગ્લેન્ડે ભારત પર રાજ કર્યું ને અને પ્રજાને દબાવવાકે પછી એમનામાં  ભય ઉત્તપન કરવામાટે  એમના અમલદારો જયારે પ્રજામાં જતા ત્યારે સાથે  પોલીસોના મોટા રસાલા સાથે ફરતા. એનાથી ભલે પ્રજાને અડચણ પડે એની એમને પડી  ન હતી. 

                                               અમેરિકામાં  લોકશાહી  છે ત્યાં ગવર્નર , હોય કે કોંગ્રેસના સભ્ય હોય કે કોઈ મોટા સરકારી ઓફિસર હોય તે તમારી પાસેથી પસાર થઇ જાય તો ખબર પણ  ન પડે . કારણકે તેઓ  પ્રજાના સેવક છે અને લોકોએ તેમને નીમેલા છે એનાથી તેઓ જાગૃત છે. અને પ્રજા પર ખોટો પ્રભાવ પાડવા પ્રયત્ન કરતા નથી.



                                          ભારતમાં ચૂંટાયેલા મંત્રીઓ, ઉંચ્ચ  અમલદારો ગાડીઓ અને અંગરક્ષક દળનાકાફલાઓ સાથે ફરે છે. એનાથી જનતાને ઘણી વાર અગવડ પડે છે. ઘણીવાર રસ્તાઓ જામ થઇ જાય છે.  વાહન વ્યહવાર ખોરવાઈ જાય છે. લોકો માટે રસ્તાઓને  બંધ કરી દેવામાં આવે છે.  એમાં સામાન્ય માનવીનેજ વધારે હેરાનગતિ થાય  છે . ટ્રાફિક લાઈટ પર પણ વીઆઈપી કાફલો નીકળી જાય છે. જે  સામાન્ય લોકો માટે અંધાધૂંધી સર્જે છે .




                                            ભારત આઝાદ થયા બાદ  ઘણા  ચૂંટાયેલા સભ્યો એ પણ ભૂલી જાય છે કે તેઓ  જનતાના સેવક છે.  તેઓ તેના માલિક નથી. તાજેતરમાં  ઉત્તર ભારતમાં  એક ધાર્મિક સમારંભમાં  37 માણસોના ધક્કાધક્કીમાં  સામાન્ય માણસોના મૃત્યુ થયા હતા કારણકે સમારંભના મોટો ભાગ વીઆઈપી  માટે રાખ્યો હતો .  એક એવાજ સમારંભમાં  ધક્કાધક્કીમાં   કેટલોક રસ્તાનો ભાગ વીઆઈપી  માટે અલગ રાખવામાં આવ્યો હતો.  

               મૂળમાં હવે વીઆઈપી સંસ્કૃતિ  રક્ષાને  બદલે હવે  દરજ્જાનો વિષય બની રહયો  છે.   

                                      **********************