વીઆઈપી ક્લચર - અગત્યની વ્યક્તિઓ
વીઆઈપી સંસ્કૃતિ એ ભારતને ગુલામીની એક ભેટ છે. ઇંગ્લેન્ડે ભારત પર રાજ કર્યું ને અને પ્રજાને દબાવવાકે પછી એમનામાં ભય ઉત્તપન કરવામાટે એમના અમલદારો જયારે પ્રજામાં જતા ત્યારે સાથે પોલીસોના મોટા રસાલા સાથે ફરતા. એનાથી ભલે પ્રજાને અડચણ પડે એની એમને પડી ન હતી.
અમેરિકામાં લોકશાહી છે ત્યાં ગવર્નર , હોય કે કોંગ્રેસના સભ્ય હોય કે કોઈ મોટા સરકારી ઓફિસર હોય તે તમારી પાસેથી પસાર થઇ જાય તો ખબર પણ ન પડે . કારણકે તેઓ પ્રજાના સેવક છે અને લોકોએ તેમને નીમેલા છે એનાથી તેઓ જાગૃત છે. અને પ્રજા પર ખોટો પ્રભાવ પાડવા પ્રયત્ન કરતા નથી.
ભારતમાં ચૂંટાયેલા મંત્રીઓ, ઉંચ્ચ અમલદારો ગાડીઓ અને અંગરક્ષક દળનાકાફલાઓ સાથે ફરે છે. એનાથી જનતાને ઘણી વાર અગવડ પડે છે. ઘણીવાર રસ્તાઓ જામ થઇ જાય છે. વાહન વ્યહવાર ખોરવાઈ જાય છે. લોકો માટે રસ્તાઓને બંધ કરી દેવામાં આવે છે. એમાં સામાન્ય માનવીનેજ વધારે હેરાનગતિ થાય છે . ટ્રાફિક લાઈટ પર પણ વીઆઈપી કાફલો નીકળી જાય છે. જે સામાન્ય લોકો માટે અંધાધૂંધી સર્જે છે .
ભારત આઝાદ થયા બાદ ઘણા ચૂંટાયેલા સભ્યો એ પણ ભૂલી જાય છે કે તેઓ જનતાના સેવક છે. તેઓ તેના માલિક નથી. તાજેતરમાં ઉત્તર ભારતમાં એક ધાર્મિક સમારંભમાં 37 માણસોના ધક્કાધક્કીમાં સામાન્ય માણસોના મૃત્યુ થયા હતા કારણકે સમારંભના મોટો ભાગ વીઆઈપી માટે રાખ્યો હતો . એક એવાજ સમારંભમાં ધક્કાધક્કીમાં કેટલોક રસ્તાનો ભાગ વીઆઈપી માટે અલગ રાખવામાં આવ્યો હતો.
મૂળમાં હવે વીઆઈપી સંસ્કૃતિ રક્ષાને બદલે હવે દરજ્જાનો વિષય બની રહયો છે.
**********************
.jpg)
.jpg)
.jpg)