Thursday, August 6, 2026



 અતુલ ગવાન્દે -અમેરિકન ઇન્ડિયન વિજ્ઞાનિક 

                                                                                      અતુલ  અમેરિકામાં   હેલ્થ  નિષ્ણાત  વિજ્ઞાનિક છે. જેણે  એ વિષય પર  ઘણા પુસ્તકો લખ્યા  છે જેમા કોમ્પ્લિકેશન ,બેટર , અને 'બીઇંગ મોર્ટલ' પ્રખ્યાત છે. 

                                                        એણે અમેરિકાની  ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ  એજેંસીમાં વિશ્વ હેલ્થમાં   આસિસ્ટન્ટ  એડમિનિસ્ટટર  તરીકે પણ કામ કર્યું છે.  એઉપરાંત એમણે હાર્વર્ડ  મેડિકલ સ્કૂલમાં  પ્રેકટીસ સર્જરીમાં  પ્રોફેસર  તરીકે પણ કામ કરી ચુક્યા છે.  તે ઉપરાંત અતુલ ગવાન્દે અમેરિકાની   'એરીયડને' લેબોરેટરીના કો-સ્થાપક પણ છે જે હેલ્થમાં  શોધખોળમાં પ્રવૃત્ત  છે. 



                                                    તેઓ નવીન અને યુવાન વિજ્ઞાનિકોને  એમના ક્ષેત્રમાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા હોય તેને નિરાશ  ન થવાની સલાહ આપી કહે છે કે પરિસ્થિતિ બદલાશે અને એક દિવસ જરૂર એમને કૈક નવીન કરવાની તક મળી રહેશે. 

                                                     એમના  અભિપ્રાય મુજબ  પોલિયો , એચઆઈ વી , મેલેરિયા , ક્ષય  જેવા રોગોમાં અમેરિકાની ટેક્નોલોજી  જે ઘણી આગળ છે તે એ બધા રોગોના  લગતા પ્રશ્નોના ઉકેલમાં  બહુજ મદદ કરી શકે છે.   ટેક્નોલોજી લોકોની હેલ્થ કક્ષામાં અને પ્રાથમિક સારવારમાં  સુધારા કરવામાં પણ ઘણી મદદ રૂપ થઇ શકે છે. 



                                                   સારવારની સવલતોને સુધારવાથી  અમેરિકામાં મોટા  ઓપેરશન દરમિયાન થતા  મૃત્યુઓનું  પ્રમાણ ૧/૩  જેટલું ઓછો થયું છે. 



                                                     ભારત માટે ગર્વની વાત છે કે એક ઇન્ડિયન અમેરિકન વ્યક્તિ દુનિયાની હેલ્થ સારવારમાં અગત્યનું પ્રદાન કરી રહ્યા છે. 

                            ****************************



                                                    

                                                      

Wednesday, July 15, 2026



આર્ટિફિશ્યલ ઇન્ટ્લલિજન્સ અને એની અસર 

                                                               ભારત આજે દુનિયામાં ૩૧૫ બિલ્લીઓન ડોલર જેટલી આવક એક વર્ષમાં  સોફ્ટવેર  એન્જિનિયર મારફતે  આઉટસોર્સિંગમાં  દ્વારા કમાય છે .  આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવ્યા બાદ એના પર અસર પડશે એવી આગાહી થઇ રહી છે . એનું કારણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  ગતિ અને થોડા માનવ કલાકમાં ઘણું મોટા પ્રમાણમાં કોડિંગનું  કામ કરી શકે છે. 

                                                           ભારતમાં ઈંફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી   જેવી ભારતીય કંપનીઓ અમેરિકાને હજારો સોફ્ટવેર એન્જીનીયર્સ  મોકલાવે છે જે અમેરિકન કંપનીઓમાં કોડિંગનું  કામ કરે છે. જયારે એ જ કામ જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  દ્વારા થવાનું હોય અને બહુ ઓછા લોકોથી થઇ શકાતું હોય ત્યારે ભારતીય  આઇટી  ઉદ્યોગને એની અસર પડી શકે છે.

                                                                   ભારતની કન્સલટનસી  કંપનીઓ  હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને   વધુને વધુ ફાયદાકારક અને અસરકારક  બનાવી શકાય એ દિશામાં  કામ આગળ વધારી  રહી છે. નંદન નિલેકાની , ઈંફોસીસના સ્થાપક કહે છે કે 'ભારતીય  કન્સલ્ટન્સી કંપનીઓને એમાં ૨૦૩૦ સુધીમાં ૩૦૦થી ૪૦૦ બીલીઓન ડોલ્લર્સ જેટલી આવક થવાનો સંભવ છે'.



                                                          ભારતમાં રહેલી ગ્લોબલ કેપેબીલીટી  કંપનીઓ જેઓ ભારતીય એન્જીનીરોને  રાખે છે એ  કન્સલટનસી  કંપનીઓ  કરતા પણ વધારે ભારતીય આઇટી એન્જીનીયરને હવે નોકરી આપે છે .  તે ઉપરાંત વેલ ફાર્ગો અને લુલુણેમોં જેવી  કંપનીઓ પણ ભારતીય એન્જીનીરને સીધા એમની  જરૂરિયાત પ્રમાણે નોકરીઓ આપે છે . આમ ભારતીય આઇટી એંજિનિરોની જરૂરિયાત કોઈ પણ સંજોગોમાં ઓછી થવાની નથી .

                                                             આથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  ભારતીય આઇટી  ઉદ્યોગને બહુ અસર કરી શકે એમ નથી.

                       ***************************************

                                     

Wednesday, July 8, 2026

 


મન 

                                                               દુનિયામાં મનુષ્ય પાસે ધન, દોલત, સત્તા તથા બધી જાતની સાયબી હોય તો પણ મનુષ્યને મનની શાંતિ કે પછી મન પર કાબુ ન હોય તો એને સુખ પ્રાપ્ત થતું નથી.  એવા અનેક દાખલાઓ જીવનમાં  જોવા મળે છે.  એવા અનેક દાખલાઓ પુરાણમાં પણ જોવા માટે છે . એમાં રાવણનો  દાખલો અનોખો છે. 

                                  જે રાવણની લંકા સોનાની હતી. જેની પાસે અઢળક સત્તા અને સંપત્તિ  હતી . જે રાવણ ગ્રહોની ગતિ પર કાબુ ધરાવતો હતો. તે પ્રચંડ જ્યોતિષી હતો . શનિ જેવા ગ્રહો જેના ઘરમાં પાણી ભરતા હતા. જે  ચારે વેદો , સ્મૃતિ અને પુરાણોનો જ્ઞાતા હતા. એને પણ મનની શાંતિ અને કાબુ માટે શિવજીની આરાધના કરી હતી. 

                                       એ શિવજીને પ્રાર્થના કરતો હતો કે એને મનની દુર્ગતિથી મુક્ત થવું છે. એ  મનની ખરાબ વૃત્તિઓથી જેવીકે લોભ, ક્રોઘ, અહંકાર , દ્વેષ, અને મોહ થી મુક્ત થઇપરમ  શાંતિ જોઈતી હતી .

                                           એને એકાંત જંગલમાં  ઝૂંપડીમાં  બનાવી ઝરણાને કિનારે બેસી મનની શાંતિ માટે ધૂની ધુણાવી શિવજીની તપશ્ચર્યા કરવી હતી.  રાવણે એના શિવ તાંડવઃ  સ્રોતમાં એનો ઉલ્લેખ કર્યો છે.  એણે શિવજીને એની દુમરતીમાંથી  મુક્ત કરવાની પ્રાર્થના કરી છે. 



                                                   ઇતિહાસમાં મહાન સિકંદર પણ  વિશ્વ વિજેતા બન્યા છતાં મનથી  દુઃખી હતો . એણે એના સરદારોને કહ્યું હતુંકે એના જનાજામાં એના બે ખાલી હાથો બહાર રાખવા જેથી લોકોને ખબર પડેકે મહાન વિજેતા સિકંદર  બધું હોવા છતાં આ દુનિયામાંથી ખાલી હાથે ગયો હતો. આજ બતાવે છે કે બધું હોવા છતાં એ મન પર કાબુ ધરાવતો ન હતો . અને એ દુઃખી હતો .

                                                આનાથી ઉલ્ટું ઘણા સંતો અને સાધુઓ પાસે કઈ નથી હોતું પણ તેઓનું જીવન   સુખી  અને  શાંતિમય હોય છે કારણકે તેમનો એમના મન પાર સંપૂર્ણ કાબુ હોય છે.  આથી ટૂંકમાં જીવનમાં દરેકે સૌથી પહેલા પોતાના મન પર કાબુ કરવો જરૂરી  છે. 

                                 ****************************   

                                     

                    . 

         


Sunday, July 5, 2026



 રંગેબેરંગી  ભારત 

                                              માર્ક  ટ્વેઇન  એ ભારતમાં પ્રવર્તતા  વિવિધ રંગોની પ્રશંસા  કરી છે. અને ભારતીય રંગોથી  એ બહુજ પ્રભાવિત થયા હતા . ભારતના વિવિધ રંગો એના ફળો , ફૂલો ,  શાકબાજીઓમાં ,મસાલાઓમાં અને કાપડના રંગોમાં છલકે છે. 

                             વસંતના હોળીના તહેવારોમાં ભારત રંગોથી રંગાઈ જાય છે. જાતના રંગો એક બીજા પર નાખી પ્રેમપૂર્વક હોળી કુટુંબો , સ્નેહીઓ અને મિત્રોમાં ઉજવાય છે. બાળકો અને  વયસ્થો  સર્વ હોળીના પર્વમા જોડાય છે . અને દરેકના ચહેરા પર તથા રસ્તાઓ અને મકાનો પણ રંગોથી રંગાઈ જાય છે.  આમ સારું ભારત રંગોમય બની જાય છે. 



                             ભારતની આર્થિક પ્રગતિ આજે દુનિયામાં બહુજ ગતિથી વધી ગઈ છે. રસ્તાઓ , પુલો , બંદરો , ઐરપોર્ટો , રીફીનરીઓ , ઉધોગીક વસાહતોનું  બાંધકામ  ગતિથી વધી રહ્યું છે. એમાંથી ઉડતા  પ્રદુષણોને   રોકવા  જ્યાં ત્યાં લીલા રંગની નેટો  નજરે પડે છે. 

                                  પ્રદુષણ મુક્ત કરવા માટે રીક્ષાઓ પણ ગૅસથી ચલાવવા માટે  હુકમ  ભારતીય સુપ્રીમ  કોર્ટે કર્યો એટલે ગૅસથી ચાલતી  રીક્ષાઓનો રંગ પણ  પીળો બનાવી દેવામાં આવ્યો છે.  આથી પીળા રંગે રસ્તાઓ પર રીક્ષાઓને આકર્ષિત કરી નાખી છે.  સુઝુકીએ  પણ એના 'હેટચબેક'  મોડેલને  નેપલ્સ પીળો રંગે રંગીને રસ્તાઓ પર મૂકી છે .



                             ભારતની સૌથી વિશાલ  રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ  સેફરોન રંગને અપનાવી ભારતીય રાજકારણને સેફરોન  બનાવી દીધું છે.  તે ઉપરાંત  સેફ્રોન રંગ હિન્દૂ, બૌદ્ધ  ધર્મ અને ભારતના રાષ્ટ્રીય ઝંડા પર પણ સંકળાયેલ  છે. 

                         ભારતીય ક્રિકેટ ટીમ   પણ હવે  મેદાનમાં  વાદળી રંગોની જર્સી પહેરીને મેદાનમાં  ઉતરે છે.  અને સફેદ રંગના ઈલેકટ્રીક બલ્બોની જગ્યાએ ભારતમાં નિઓન  લાઇટ એ જગ્યા લીધી છે.  આમ આજે ભારતીય વાતવરણ રંગમય  બની ગયું છે. 

                                 ***********************


Thursday, June 18, 2026



 દુનિયાનો સૌથી વિશાળ કેસિનો 

                                                            દુનિયાનો વિશાળ  કેસિનો ' યુનાઇટેડ આરબ એમિરાટ્સમાં 'દુબઈની નજીક તૈયાર થઇ રહ્યો છે.  આમ તો ઇસ્લામમાં જુગારને નામંજૂર કરવામાં આવ્યો છે  પરંતુ હવે ' યુએઈ ' ઇન્વેસ્ટમેન્ટ અને પ્રવાસન ઉપરાંત હવે દેશની આવક વધારવા માટે જુગારને પણ દેશમાં લાવવામાં આવશે જેથી દેશની સમૃદ્ધિ વધે અને જયારે તેલની  આવક બંધ થાય ત્યારે એના પૂરક બની રહે. 

                                                        એ વિશાળ કેસિનો દરિયા કિનારે ' રાસ અલ ખૈમાહ 'ખાતે બની રહ્યો છે. કેસિનીની ઊંચાઈ 350 મીટર જેટલી હશે . આવતા વર્ષે એને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.  એ કેસિનો માટે દેશના કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.  'યુએઈ' માં ધનવાનોને એમના પૈસાના ઉપયોગ કરવામાં અને લોકોને મનોરંજન પૂરું પાડવા માટે એ ભવ્ય કેસિનો બાંધવામાં આવી રહ્યો છે. એ કેસિનો પાછળ એને લાસ વેગાસ અને મકાઉની જેમ વિકસિત કરવાની 'યુએઈના' સત્તાવાળાઓની  મુરાદ છે. 



                                                   એ કેસિનોમાં યુરોપ ,અને પૂર્વ  એશિયાના લોકોને પણ આકર્ષિત કરવાની યોજના છે.  1.4 મિલિયન પ્રવાસીઓને 'યુએઈ'એ ગયે વર્ષે આકર્ષિત  કર્યા  હતા પરંતુ હવે આ નવા વિશાળ કેસિનો દ્વારા પ્રવાસીઓનો આંકડો હવે ૫.૩ મિલિયન એક દસકામાં  વધારવાનો' યુએઈ' નો ઈરાદો છે. 



                                                       આમ પણ 'યુએઈમાં' 10000 જેટલા મિલ્લીઓનર્સ છે જેની કિંમત 63 બિલ્લીઓન ડોલર જેટલી છે.   અમેરિકન  કેસિનો કંપની ' વિંન રિસોર્ટ'  જ   આ નવો રિસોર્ટ ચલાવશેઅને એ લોકો  માને છે કે ' યુએઈનો' નવો કેસિનો વાર્ષિક ૧.૭ બિલ્લીઓન ડોલર જેટલી આવક કરશે .

                                                            યુએઈ સત્તાવાળાઓ  જુગાર અને બેટ્ટીન્ગ  વ્યહવાર પર  કેટલો કાબુ રાખે છેકે પછી એના પર  અંકુશ રાખી શકે છે એના પર કેસિનોની સફળતાનો આધાર રહેશે .

                                                   **************************** 

Wednesday, June 10, 2026




પિન્ક શહેર જયપુર 

                                    જયપુરને યુનીસકો દ્વારા   દુનિયાની  પુરાતન હેરિટેજ  શહેર જાહેર કરેલ છે.  એ એના ઇતિહાસિક કિલ્લા , હવેલીઓ , મહેલો  અને બગીચાઓ માટે જાણીતું છે.  તે ઉપરાંત સારું શહેર પિન્ક રંગથી રંગીત છે એનાથી એનું સૌંદર્ય  વધી જાય છે આમ એ  રાજસ્થાનના  મોટા એવા જયપુર રજવાડાનું એક વાર રાજધાનીનું ઐતહાસિક શહેર પણ છે. 



                                          એ શહેરમાં 800 જેટલી ઐતહાસિક હવેલીઓ પણ આવેલી છે. એના જુદા જુદા મહોલ્લાઓ છાપખાના , માર્બલ મૂર્તિઓ બનાવવામાં   કે પછી  જાતિઓ પ્રમાણે ધંધાઓમાં વહેંચાયેલા  છે.  પરંતુ જેમ શહેર વિકસતું જાય છે તેમ તેમ જૂનીઇતિહાસિક  હવેલીઓ ભોંય ભેગી થતી જાય છે.  એ શહેરની કમનસીબી  છે.  કેટલીક હવેલીને તો તોડીફોડીને ન ઓળખાય એવી આધુનિક બનાવી દેવાય છે. 



                                     પિન્ક રંગથી રાજા રામસિંઘે ૧૮૭૬માં  જયપુરને  રંગી એને અનોખું અને સુંદર સ્વરૂપ આપ્યું હતું. એને બ્રિટિશ રાજાના આગમનના પહેલા શણગારવામાં  આવ્યું હતું.   પરંતુ અત્યારે એ શહેર  પર્યાવણ અને જુદા આછા રંગોથી રંગાયેલા શહેરનો દેખાવ પહેલા જેવો રહ્યો નથી. ખુલ્લી ગટરો અને લટકતા ઇલેક્ટ્રિક વાયરોએ શહેરના સૌંદર્યને બગાડવામાં મોટો ભાગ ભજવ્યો છે. એમાં  સુધારો કરવામાં હેરિટેજ શહેર પાસે પૂરતું ફંડ પણ લાગતું નથી. 



                               હવે તો યુનિસ્કો  દ્વારા હેરિટેજ હટાવવાના  કોઈ પગલાંજ શહેર ના સત્તાવાળાઓની  ઊંઘ ઉડાડી શકે એમ છે.  એનું ઇતિહાસિક મહત્વ જાળવી રાખવામાં પિન્ક રંગને જાળવી રાખવામાં શહેરનું હિત સમાયેલું છે. સત્તાવાળાઓને  પણ એમાં રસ હશે.

                                             ***********************  


                                               

Wednesday, June 3, 2026

 


વીઆઈપી  ક્લચર -  અગત્યની વ્યક્તિઓ   

                                                                       વીઆઈપી સંસ્કૃતિ એ ભારતને ગુલામીની એક ભેટ છે.  ઇંગ્લેન્ડે ભારત પર રાજ કર્યું ને અને પ્રજાને દબાવવાકે પછી એમનામાં  ભય ઉત્તપન કરવામાટે  એમના અમલદારો જયારે પ્રજામાં જતા ત્યારે સાથે  પોલીસોના મોટા રસાલા સાથે ફરતા. એનાથી ભલે પ્રજાને અડચણ પડે એની એમને પડી  ન હતી. 

                                               અમેરિકામાં  લોકશાહી  છે ત્યાં ગવર્નર , હોય કે કોંગ્રેસના સભ્ય હોય કે કોઈ મોટા સરકારી ઓફિસર હોય તે તમારી પાસેથી પસાર થઇ જાય તો ખબર પણ  ન પડે . કારણકે તેઓ  પ્રજાના સેવક છે અને લોકોએ તેમને નીમેલા છે એનાથી તેઓ જાગૃત છે. અને પ્રજા પર ખોટો પ્રભાવ પાડવા પ્રયત્ન કરતા નથી.



                                          ભારતમાં ચૂંટાયેલા મંત્રીઓ, ઉંચ્ચ  અમલદારો ગાડીઓ અને અંગરક્ષક દળનાકાફલાઓ સાથે ફરે છે. એનાથી જનતાને ઘણી વાર અગવડ પડે છે. ઘણીવાર રસ્તાઓ જામ થઇ જાય છે.  વાહન વ્યહવાર ખોરવાઈ જાય છે. લોકો માટે રસ્તાઓને  બંધ કરી દેવામાં આવે છે.  એમાં સામાન્ય માનવીનેજ વધારે હેરાનગતિ થાય  છે . ટ્રાફિક લાઈટ પર પણ વીઆઈપી કાફલો નીકળી જાય છે. જે  સામાન્ય લોકો માટે અંધાધૂંધી સર્જે છે .




                                            ભારત આઝાદ થયા બાદ  ઘણા  ચૂંટાયેલા સભ્યો એ પણ ભૂલી જાય છે કે તેઓ  જનતાના સેવક છે.  તેઓ તેના માલિક નથી. તાજેતરમાં  ઉત્તર ભારતમાં  એક ધાર્મિક સમારંભમાં  37 માણસોના ધક્કાધક્કીમાં  સામાન્ય માણસોના મૃત્યુ થયા હતા કારણકે સમારંભના મોટો ભાગ વીઆઈપી  માટે રાખ્યો હતો .  એક એવાજ સમારંભમાં  ધક્કાધક્કીમાં   કેટલોક રસ્તાનો ભાગ વીઆઈપી  માટે અલગ રાખવામાં આવ્યો હતો.  

               મૂળમાં હવે વીઆઈપી સંસ્કૃતિ  રક્ષાને  બદલે હવે  દરજ્જાનો વિષય બની રહયો  છે.   

                                      **********************

                                                        


Friday, May 15, 2026

 


રુપિયાની પડતી 

                                          ભારતની રૂપિયાની કથળથી સ્થિતિ  ચિંતાજનક   બની રહી  છે. ભારત સરકાર માટે પણ એ મોટો કોયડો બની ગયો છે. અત્યારના આધુનિક ગલ્ફ યુદ્ધના વખતે રૂપિયો ગબડીને ડોલર સામે ૯૪.૬૫ પર  પહોંચી ગયો છે. અને થોડા જ સમયમાં એ 100 પર  પહોંચી જાય તો નવાઈ નહિ. 

                                   2010 ની આજુબાજુમાં ભારત સરકાર રૂપિયાની કથળથી  સ્થિતિ માટે બહુજ ટીકામાં આવી ગઈ હતીં . તે વખતે મોંઘવારી બહુ વધી ગઈ હતી. ખર્ચાઓ આવક કરતા વધી ગયા હતા . અને ભ્રષ્ટાચાર ચરમ સીમા પર  હતો . સરકાર બદનામ થઇ ગઈ હતી. ફોરેન એક્સચેન્જનું બેલેન્સ બહુ વિકટ હતું .

   .                                પરંતુ અત્યારે જયારે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર છે.  મોંઘવારી કાબુમાં છે . ફોરેન એક્સચેન્જનું સારું એવું બેલેન્સ છે. અને દેશનો આર્થિક વિકાસ સારો છે ત્યારે રૂપિયાનું કથળવું આશ્ચર્યજનક છે. આથી એના કારણો તપાસવા જરૂરી છે. 



                                   એનર્જીના અને વપરાશની  વસ્તુઓના  ભાવ ગલ્ફ યુદ્ધને કારણે ઉપ્પર જઈ રહ્યા છે. ટ્રમ્પના ટેર્રીફે અને આંતરિક નબળા બઝારોને લીધે રૂપિયા પાર સારો એવું દબાણ છે.  તે ઉપરાંત સરકારની આંતરિક નીતિઓ પણ નબળા રૂપિયા  માટે જવાબદાર ગણવામાં આવે છે.  એક એવું પણ કારણ છે જે  આર્થિક નહિ  પણ રાજકીય હોઈ શકે.

                                   તે છતાં મજબૂત રૂપિયો  એ દેશને  ગૌરવ અપાવે છે માટે એને મજબૂત બનાવવા માટે પૂરતા પ્રયાસો કરવાની જરૂર છે. 

                                                  ****************************

 

                                  

Monday, May 11, 2026


 


ગ્રીનલેન્ડ 

                                                                                            ગ્રીનલેન્ડ અત્યારે બહુજ સમાચારમાં છે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પએ એનો કબજો લેવાની વાત શરુ કરી છે.  ગ્રીનલેન્ડ  પર અત્યારે ડેન્માર્કનો કબજો છે અને ડેન્માર્ક  અત્યારે નાટોનું સદસ્ય છે. એથી ગ્રીનલેન્ડ પરનો હુમલો એ નાટો દેશ પાર હુમલો ગણાય . યુરોપ ના  બધા દેશો એના સદસ્ય છે  એથી ટ્રમ્પની જાહેરાતે મામલો ગૂંચવાયેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે રશિયા અને ચીનની ગ્રીનલેન્ડ ના દરિયામાં દરમિયાન ગીરીને  લીધે  ગ્રીનલૅન્ડના રક્ષણની જવાબદારી અમેરિકા એ લઇ લેવી જોઈએ.  પરંતુ બીજું એક એવું રહસ્ય ગ્રીનલેન્ડ માં છુપાયેલું  અને એ ત્યાંના કિંમતી ખનીજ ભંડારો છે. જેના પર પણ અમેરિકાની નઝર છે. 



                                       પરંતુ યુરોપના દેશોએ અમેરિકાના ઈરાદાનો વિરોધ કર્યો છે. એથી એ આંતરાષ્ટ્રીય કટોકટીનો ભાગ બની ગયો છે. આમ તો ગ્રીનલેન્ડ નિર્જન  અને બરફીલો પ્રદેશ છે અને જુના વખતથી ડેન્માર્કનો ભાગ છે જેને ડેન્માર્કે આંતરિક સ્વાત્રંત્રતા પણ આપેલી છે. તે ઉપરાંત ગ્રીનલૅન્ડનો આર્કેટિક સમુદ્ર ઉત્તરના સમુદ્ર માંર્ગોમાંનો એક બહુ જ અગત્યનો માર્ગ અમેરિકા રશિયા , ચીન અને યુરોપ માટે છે. એથી એની મહત્વતા વધુ છે. 

                                    તે ઉપરાંત ગ્રીનલૅન્ડના પુરાતન નોર્સ વસાહતીઓનો એક ઇતિહાસ છે જેના પુરાતન અવષેશો કોપેન હેગન ના મ્યુઝિયમમાં પડેલા છે . જેમાં 

કોફિન્સ , હાડપિન્જરો  અને તે જમાનાના  લોકોના કપડાં પણ  રાખવામાં આવ્યા છે.  કેટલાક તે વખતના વપરાતા સાધનો  અને પહેરવાના ઘરેણાઓ પણ રાખવામાં આવ્યા છે .એજ બતાવે છેકે ગ્રીનલૅન્ડનો પોતાનો પુરાણીક ઇતિહાસ પણ છે. તે વખતના વસાહતીઓને યુરોપ સાથે સબંધ  હતો પરંતુ નૈસર્ગીક બદલાવને કારણે  ગ્રીનલેન્ડ યુરોપથી વિખુટી પડી ગયું હતું . પહેલા જે ઉનાળામાં બરફ ચાલી જતો તે ત્યાં હંમેશને માટે બરફીલો પ્રદેશ બની ગયો.  



                                                  આને કારણે નોર્સલોકો  વિકટ  મૌસમને સહન  ન કરી શક્યા પરંતુ એસ્કિમો એ પ્રદેશની  બરફીલી આબુહવાને અનુકૂળ બનાવી  ત્યાં રહેવા માંડ્યા. 

                                                   મૂળમાં ગ્રીનલેન્ડજેવા બરફીલા પ્રદેશને  જે સમાચારમાં પ્રસિદ્ધિ મળી છે  એનું કારણ  એના અમૂલયો ખનીજો અને  એની  આંતરાષ્ટ્રીય  દરિયાઈ માર્ગની મહત્વતા છે. 

                               ************************

                                    t

Wednesday, May 6, 2026

 


મગજ અને વૃદ્ધાવસ્થા 

                                            વૃદ્ધાવસ્થામાં  ઘણા વયસ્થો  મગજની બીમારીથી પીડાઈ છે.  તેમાં વિસ્મૃતિ  જેવી બીમારી સામાન્ય છે.  જ્યારે તદ્દન વિસ્મૃતિ એટલેકે  જાતનું ભાન ભૂલી જેવી બીમારી જેને આલ્ઝામેરની  બીમારી કહેવામાં આવે છે જે  દયાજનક  હોય છે. 

                                          એવું કહેવાય છેકે ' તમારી મગજની ' જિનેટિક' બીમારી ફક્ત 25% જેટલી જ હોય છે પણ બેદરકારીને લીધે આવતી મગજની બીમારી 80% જેટલી હોય છે . આથી કાળજી લેવાથી ઘણી ખરી મગજની બીમારીને અટકાવી શકાય છે અથવા હળવી બનાવી શકાય છે. 



                                            આથી વૃધ્ધ્વસ્થામાં નવી નવી વસ્તુઓ કરવામાં વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. નવી વસ્તુઓ તે અવાસ્થામાં મગજને માટે ખાતર સમાન બની રહે છે અને મગજને ફળદ્રુપ બનાવે  છે. નવી નવી વસ્તુઓ કરવાથી મગજ વધુ તાજી લાગણીઓ અનુભવે છે. દરેક દિવસે જેટલું નવું કઈ કરો તો તમારું મગજ યુવાની લાવે છે. 

                                                 તે ઉપરાંત વૃદ્ધોએ એક કામ હાથમાં લેવું અને એના પરજ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ . એક સાથે ઘણા કામોની પાછળ રહેવાથી ધ્યાન કેન્દ્રિત કરવાથીં મગજમાં ગુંચવાડો ઉભો થાય અને મગજને આડ અસર થાય છે અને માનસિક બીમારી વધે છે. એકજ કામમાં મગજને કેન્દ્રિત કરવાથી મગજની શક્તિ વધે છે અને એની ત્રિવતા પણ વધારો થાય છે.  એનાથી મગજ પરનો કાબુ પણ વધે છે. 



                                                મિત્રો અને સ્વજનો સાથે સતત સંપર્કમાં રહેવાથી પણ મગજ ને સારો એવો ફાયદો થાય છે.  એ મગજને તાજું અને  એકટીવ  કરે છે.  લોકોના સંપર્કમાં રહેવાથી અને લાગણીઓ તરબોળ  થવાથી મગજને નવજીવન મળી રહે છે. 

                                                    રાત્રે પુરતી  નિદ્રા લેવાથી મગજને આરામ  મળી રહે છે. એ મગજ કાર્યને વધુ  કાર્યવત અને સ્મૃતિ શક્તિને વધારે  છે. 

                                                      બીજું જીવનમાં વધુ ક્તુહલતા વધારવાની પણ જરૂરત છે જેથી નવી મગજને પ્રવૃતિમય બનાવી શકાય અને એને વધુ ત્રીવ બનાવી શકાય. તે ઉપરાંત ઉંમર એ ફક્ત આંકડા છે એને ભૂલી વધુને વધુ જીવન પર લક્ષ્ય આપવાથી, વધુ આનંદ અનુભવવાથી , કે ચર્ચાઓ કરવાથી મગજ યુવાની અનુભવવા માંડે છે. જે એની તંદુરસ્તી માટે લાભકારક  છે. 

                                    **************************** 

                                                   

                                     


Saturday, April 18, 2026

 



શ્વાસોશ્વાસની પક્રિયા  - નાક   અને મુખ 

                                                                              શ્વાસોશ્વાસની  પક્રિયા એ શરીર  માટે બહુજ  અગત્યની પક્રિયા છે. તમે  નાકથી શ્વાસ લો તો એ વધારે આરોગ્યદાયક હોય છે. તે ઉપરાંત જયારે નાક ભરાઈ જાય અને બંધ થઇ જાય ત્યારે ઘણા લોકો મોઢાથી પણ  શ્વાસ  લે છે. 

                                        નાકની શ્વાસો  લે એના ઘણા ફાયદાઓ  છે. એની  અંદર  ફિલ્ટર સિસ્ટમ છે જેથી જે હવા ફેફસામાં જાય તે શુદ્ધ હોય છે.બીજું  નાક  થોડું  હુંફાળું  અને ભીનું  હોય છે જે માનવીય તંદુરસ્તી માટે સારું  છે. એમાંથી શ્વાસ લેવાથી એ નાઇટ્રિક ઓક્સસાઈડ  વધારે છે જે શરીરની નસોને પહોળી બનાવે છે જે  બ્લડ પ્રેસર ઓછું કરે છે . 



                                 મોંઢાથી  શ્વાસ લેવાથી  ઘોરવાનું વધી જાય છે.  તે ઉપરાંત નિદ્રાને પણ બગાડે છે અને શ્વાસોશ્વાસ બંધ થવાથી ગળાના સ્નાયુઓ હવાને પણ અવરોધે છે. એ માનવી તંદુરસ્તી માટે બરાબર નથી.  બાળકો માટે મોઢાનો શ્વાસોશ્વાસ એમના મોંઢાનાં દેખાવને પણ બેડોળ બનાવે છે. 

                                  મોઢાના શ્વાસોશ્વાસ  રોકવા માટે રાત્રીએ  હળવા ટેપ લગાડવાના પ્રયોગો  પણ કર્યા  હતા . એના પ્રયોગોમાં  અમુક કેસોમાં ઘોરવાનું ઓછું થઇ ગયું હતું.  શ્વાસોશ્વાસના  કલાકમાં અવરોધો પણ ઓછા અને અડધા થઇ ગયા હતા.  

                                 પરંતુ જેને નાકમાં  નેસલ અવરોધો  હોય  છે  એના માટે મોંઢા પાર ટેપ લગાડવાના પ્રયોગો  શરીર તંદુરસ્તી માટે હાનિકારક   હોયછે.  એવા લોકો માટે નિષ્ણાત  ડોક્ટરો પાસે માવજત લેવી આવશ્યક છે. 

                            ****************************************     

Friday, April 10, 2026

 


ઇંગ્લેન્ડમાં ભારતીય  વસાહતીઓ  

                                                                               ઇંગ્લેન્ડે ભારતપર 200 સુધી રાજ કર્યું અને ભારતની સમૃદ્ધિનું શોષણ કર્યું. ભારતીય જુના અને સમૃદ્ધ ઉદ્યોગોનો નાશ કરીં પોતાના માલોને ભારતમાં  ઘુસાડી કરોડો રૂપિયા ભારતમાંથી ઉપાડી ગયા અને ભારતની હાલત બુરી કરી નાખી. 

                                                એક  ભારતીયે  આજે ઇસ્ટ ઇન્ડિયા કંપની જેણે ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નાખ્યો હતો એને ખરીદી લીધી છે એ પણ સમયની બલિહારી  છે. ભારત સ્વાતંત્ર થયા પછી ફરીથી સમૃદ્ધિને પથ પર આગળ વધી રહ્યું છે.  એનું બુદ્ધિ ધન પાછું વિશ્વમાં એમની શક્તિ પાથરી  રહ્યું છે. 

                                           એમાં બ્રિટન પણ બાકાત નથી . આજૅ પશ્ચિમના દેશોમાં પરદેશી બુદ્ધિ ધન સામે ઝુંબેશ ચાલે છે.  એમાં ઇંગ્લેન્ડ પણ બાકાત નથી .



પરંતુ ભારતીય વિના ઇંગ્લેન્ડ કેટલું લાચાર છે એ ઘણાને ઓછો ખ્યાલ છે.  ભારતીય  ડોક્ટરો અને નર્સો વગર  ઇંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ તદ્દન સ્થગિત થઇ જાય એવી પરિસ્થિતિ છે. 40% જેટલા ડોક્ટરો ઇન્ડિયન છે. ઇંગ્લેન્ડની  ફાર્મસીઓ પણ ભારતીય ફાર્માસીસ્ટો  ચલાવે છે. 

                                         ભારતીયો વગર આઇટી ઓફિસો  ખાલી થઇ જાય એવી પરિસ્થિતિ છે. ઈન્ટરનેટ સર્વિસો પણ સ્થગિત થઇ શકે છે.  ઈ મૈલો  બંધ થઇ જાયતો વેપાર ધંધાને પણ અસર થઇ શકે છે. 

                                          તે ઉપરાંત હોટેલો અને રેસ્ટોરન્ટો પણ ભારતીય વસાહતીઓ જ ચલાવે તો  એના વિના ઇંગ્લેન્ડના લોકોને ચિકન મસાલા , સમોસા અને સ્પાઈસી કરી મળતી બંધ થઇ શકે છે. 24 કલાક દૂધ પણ  ભારતીય વસાહતીઓ જ પુરી પાડે છે. 



                                        ઇંગ્લેન્ડની યુનિવરસિટીઓમાં 50% જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે. જેના વગર યુનિવર્સિટીઓ  ઉજ્જળ થઇ શકે છે.  આમ ઇંગ્લેન્ડની  અર્થવ્યવસ્થામાં ભારતીય વસાહતીઓનું સ્થાન કેટલું મહત્વનું છે એનો ખ્યાલ આવી શકે છે. 

                                       ભારતીય વસાહતીઓ ઈંગ્લેન્ડમાં ત્યાંના ક્રિકેટ  સ્ટેડિયોમોને ભરી દે છે.  અજબની વાતતો એ છેકે ભારતીય વસાહતી એવા રિશી સુનક ઇંગ્લેન્ડના વડા  પ્રધાન પણ રહી ચુક્યા છે.  જે ઇંગ્લેન્ડે ભારત પાર સદીઓ રાજ કર્યું એજ ઇંગ્લેન્ડ પર એક  ભારતીય મૂળના  વસાહતી રાજ કરી ચુક્યા છે. એના માટે વર્તમાન ભારત ગર્વ અનુભવે છે. 

                                  **************************

                                         

Sunday, April 5, 2026

 


પ્રાચીન ભારતીય ગ્રામ વ્યવસ્થા 

                                                             આજે ભારત વિશ્વમાં પ્રગતિ કરી રહ્યું છે પરંતુ એના ગામડાઓને  જ્યાં સુધી ઉપ્પર લાવવામાં નહિ આવે ત્યાં સુધી એના માટે વિકસિત થવું મુશ્કેલ છે.  મહાત્મા ગાંધીએ એટલા માટે ગ્રામ વિકાસ તરફ વધારે મહત્વ આપ્યું હતું . ભારત આમતો  ખેતી પ્રધાન દેશ છે એની 60% થી વધુ આબાદી ગામડાઓમાં વસે છે. એથી એમને ઉપ્પર લાવવામાં આવે તોજ દેશ વધુ ગતિથી ઉપ્પર આવશે  એમાં શંકા નથી. 

                                                  ભારત પર ઘણા વિદેશી આક્રમણો થયા પરંતુ એની ગ્રામ વ્યવસ્થા મજબૂત હતી એથી એની અર્થ વ્યવસ્થા લાંબો  વખત  સુધી ટકી રહી હતી  એનું કારણ એની પુરાણી આત્મનિર્ભર   ગ્રામીય વ્યવસ્થા હતી . પરંતુ સમયની  સાથે એ જમીનદોસ્ત  થઇ ગઈ અને ભારત  ગરીબીમાં  સડવા લાગ્યું . બ્રિટિશ રાજે એના પર મરણતોડ માર માર્યો અને ભારતની સમૃદ્ધિ તણાઈ ગઈ. 



                                                વેદના પૂરાં કાળથી ભારતીય ગામડાઓ આત્મનિર્ભર હતા. ગામમાં એક ધનવાન વ્યક્તિ મળી જતી તો વિદ્વાન રહેતા . ગામની બાજુમાંથી ક્યાંતો નદી વહેતી કે પછી તળાવો અને કુવાઓ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી.  ગામને પાદરે એકાદ મંદિર જરૂર રહેતું જેથી લોકો ત્યાં  મળી શકે અને   ધાર્મિક વિધિ કે પછી પુંજા પણ કરી શકે.  શિક્ષિત વિદ્વાન દ્વારા યુવાનોને જ્ઞાન પણ મળી રહેતું.  ગામમાં એક લુહાર , કુંભાર અને હજામ જેવા વ્યવસાયિક લોકો પણ રહેતા જે જરૂરિયાત પ્રમાણે ગામ લોકોને સેવા આપતા.

                                                 વ્યવહારમાં પૈસાને બદલે જરૂરિયાતની વસ્તુઓની આપલે થતી.  ખેતરોમાં કામ કરવા પણ ગામના લોકો જતા. અને એના બદલે ખેડૂતો અનાજ આપતા . ગામના સારા અને ખરાબ પ્રસંગોએ લોકો એક બીજાને મદદ કરતા.  ગામના બનેલા પંચો જ ગામના ઝગડાઓનો ઉકેલ લાવતા . કુંભારો , લુહારો , સુથારો ગામના લોકોને એમની જરૂરિયાત પુરી પાડતા. અને બદલામાં એમને અનાજ , શાકભાજી , કરિયાના  અને ફળફળાદી  વગેરે એમને પૂરું  પાડવામા આવતું.   એમાં હજામોને પણ એમની કામગીરી માટે મદદ મળી  રહેતી.



લગ્ન પ્રસંગે પણ બધી જ વ્યવસ્થા ગામ લોકો સગવડ પ્રમાણે એક બીજાને મદદરૂપ થઈ જતા . આમ ગ્રામીય જીવન હંમેશા  સારી રીતે ચાલી રહેતું . ગામના વૈદ્યની  પણ બીમારીમાં મદદ મળી રહેતી. 

                                   મૂળમાં ગામની બાર્ટર સિસ્ટમ , સદ્ભાવ તથા પ્રેમ પર ગ્રામ વ્યવસ્થા નિર્ભર હતી એટલે બહારની કોઈ મદદની જરૂરિયાત રહેતી નહિ  અને ગામો  આત્મનિર્ભર  અને સમૃદ્ધ હતા.  એને  લીધે ભારતમાં સુખ અને  સમૃદ્ધિ હતી. 

                               સમયની સાથે ધીમે ધીમે ગામ વ્યવસ્થા તૂટવા માંડી અને લોકોએ શહેરો તરફ દોડ મૂકી જેથી ગામડાઓ તૂટવા માંડ્યા અને ભારતની સમૃદ્ધિનો નાશ થયો . હવે જો ભારતનો સર્વાંન્ગ વિકાસ કરવો હશે તો ગામવ્યવસ્થા  સુધારીને એમને ફરીથી આત્મનિર્ભર  બનાવ્યા સિવાય છૂટકો નથી. 

                                   ****************************

                                 

 

Saturday, March 28, 2026

 


વૃદ્ધાવસ્થા  

                                                                    વયસ્થ નાગરિકો માટે એમના સમયનો સારી રીતે ઉપયોગ કરવાથી એમનું સ્વાસ્થ્ય સારું રહે છે. એમાં  સામાજિક સંપર્કો, સારી ટેવ  અને સારા કામોમાં વ્યસ્થ રહેવું આવશ્યક છે.  નિષ્ણાતો  પ માને છેકે સારી માનસિક સ્થિતિ પણ તંદુરસ્તી સારી રાકે છે.  સકારાત્મક  વલણ  વૃદ્ધોને એમનું આયુષ્ય પાંચથી સાત વર્ષ સુધી વધારવામાં  મદદરૂપ બને છે. 

                                      જેમ આયુષ્ય વધે તેમ તેમ શરીરના સ્નાયુઓ ઢીલા અને નબળા પડતા જાય એટલા માટે અઠવાડિયામાં બે ત્રણ વાર એવી કસરતો કરવી જોઈએકે જેથી એ સ્નાયુઓ મજબૂત રહે અને શરીરને સ્ફૂર્તિ  આપતું રહે.  ટૂંકમાં  આયુષ્ય વધારવામાં સ્નાયુઓ અગત્યનો ભાગ ભજવે છે. તે ઉપરાંત શરીરને સ્ફૂર્તિ આપી સ્નાયુઓ શરીરને કામકાજ કરવામાં પણ મદદ કરે છે.  સ્નાયુઓની કસરતો શરીરની શક્તિને અનુકૂળ હોવી જોઈએ જેથી એની આડી અસર ન થાય. ઘણા વૃદ્ધો સ્નાયુઓની નબળાઈને વશ થઇ પડી રહેતા હોય છે   અને જે મોતને જલ્દી નોતરે છે. 

                                           મજબૂત સામાજિક સંપર્કો જાળવવામાં  મિત્રો વધારે મદદરૂપ થતા હોય છે. એથી મિત્રો સાથે આગળ પડીને સંપર્કો ચાલુ રાખવા જોઈએ. મિત્રોની સાથે મિત્રતા જાળવવામાં સાથે ચાલવા જવુંકે પછી થોડા થોડા વખતે સાથે જમવા જવાથી મૈત્રી ઘાઢ બની શકે છે. ચા કે પછી કોફીને ચુસ્કી પણ મિત્રો સાથે લઇ શકાય છે. મિત્રોને  મળવા માટે  એમના  ફોન કે આમંત્રણ રાહ જોવા કરતા હંમેશા પહેલ કરવી પણ આવશ્યક છે. 


                                          માણસોના મૃત્યુ ઘણીવાર ગમે તેવા ખોરાક ખાવાથી થાય છે. એટલા માટે તંદુરસ્તીને અનુરૂપ ખોરાક ખાવાથી આયુષ્ય વાશે છે. એમ કહેવાય છે કે 'માણસો ખાવાથી વધુ મરે છે ભૂખથી નહિ '.  મૂળમાં તળેલા ખોરાક અને પ્રોસેસ ખોરાક વૃદ્ધોએ  ઓછો ખાવો જોઈએ .

                                             તે ઉપરાંત વૃધ્દ્ધાવસ્થામાં  નવીન વસ્તુઓ જાણવાની વૃત્તિઓ  મગજને તાજગી આપે છે.  કોઈ નવી વસ્તુનો અનુભવ તંદુરસ્તી માટે આવશ્યક છે.  વૃદ્ધોએ જેમાં એમને આતુરતા હોય એવી વસ્તુઓ કરવી, જેથી તેના વિષે વિચારી અને વાત કરી શકે . એનાથી  એમનો વિકાસ પણ થઇ  શકે.  તે ઉપરાંત પિયાનો,  હાર્મોનિયમ કે પછી સંગીતના સાધનો વઘાડતાં શીખવું પછી ચિત્રકામ કરવા જેવી પ્રવૃતિઓ કરવાથી  આનંદ અને વ્યક્તિત્વ  વિકાસ થાય છે.  એટલેકે વૃદ્ધાવસ્થામાં કોઈ નવીન વસ્તુ કરવાથી આયુષ્ય વધે છે અને શરીર તંદુરસ્ત પણ રહે છે. 

                                           વૃદ્ધાવસ્થા એ ઘણો મુશ્કેલ સમય છે. એમાં તંદુરસ્તી જાળવી માનવીએ પોતાની ઓળખાણ જાળવી રાખવી પડે છે.  એમાં થોડા  સકારાત્મક સૂચનો નિષ્ણાતોએ સૂચવ્યા છે એ બતાવવા પ્રયત્ન કર્યો છે. 

                                ****************************   

                          

Sunday, March 15, 2026

 



સાગર અને ખનીજનો  ખજાનો 

                                                             દરિયામાં એવો ભાગ છે જેના પર કોઈ પણ દેશનો કબજો નથી . એને આંતરરાષ્ટ્રીય ભાગ કહેવામા આવે છે જેના પર હવે ઘણા દેશોની નઝર છે કારણકે ત્યાં  તળિયે ખનિજોનો ખજાનો છે. 



                                                            આ વસ્તુ વધારે ધ્યાનમાં ક્યારે આવી જયારે  એ ખજાનાને કાઢવાની વાત પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ  વાત કરી . એને કારણે  ઘણા શક્તિશાળી દેશો પણ દાવો આગળ ધરવા મંડ્યા . પરંતુ એ સાગર પર કોઈ પણ  દેશનું રાજ નથી એ અંતરરાષ્ટ્રીય માલિકીનું છે. 

                                                           એમ કહેવાય છે કે પેસિફિક મહાસાગરમાં તળિયે 270 મિલિયન ટન નિકેલ , ૪૪મિલ્લીઓન  ટન કોબાલ્ટ છે.  એ જથ્થો આશરે પેસેફિક મહાસાગરમાં હવાઈ ટાપુઓથી 880 કીલમિટર દૂર છે જેના પારઅમેરિકાની નજર છે. પરંતુ ઘણા દેશો એમાં પણ રસ ધરાવી રહ્યા છે. 

                                                           એમ પણ માનવામાં આવે છે કે દરિયામાંથી ખનીજ કાઢવાની પ્રક્રિયા જમીનની ખનીજ કાઢવાની પક્રિયા કરતા વાતાવરણને ઓછું નુકસાનકારક છે. 



                                                         તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય  પાણી પરની કોઈ પણ પવૃત્તિને કાબુમાં રાખવા માટે '' આંતરરાષ્ટ્રીય સીબેડ  ઓથોરિટી" પણ અસ્તિવમાં છે.  એના મેમ્બર તરીકે ફ્રાન્સ, નોર્વે , કેનેડા અને ઇંગ્લેન્ડ જેવા દેશો પણ છે. એમને પણ દરિયાયી ખનીજ માં રસ છે.  જો સીબેડ ઓથોરિટી વ્યવસ્થિત  કાયદા કાનૂન ઘડી કાઢે તો દેશો વચ્ચે ઘર્ષણ અટકાવી શકાશે . નહિ તો અરાજકતા વધવાનો સંભવ છે. પછીતો જેની લાકડી એનું રાજ ઉભું થશે . 


                                                       સાગરમાં રહેલા અદભુત ખજાનાનો  વ્યવસ્થિત ઉપયોગ જ  વિશ્વના હિતમાં  હશે.  તે ઉપરાંત સાગરના જીવોના રક્ષણ માટેના  સંસ્થાઓ પણ એમાં વિરોધ પણ નોંધાવશે. એથી વધારે ગુંચવાડો ઉભો થઇ શકે છે. એથી બધાની સાથે વાતચીત દ્વારા એ પ્રશ્નનો ઉકેલ આવે એ ઉચિત છે.

                                                 ********************


 

Sunday, March 8, 2026

 


બ્રિગિટ્ટ  બારડોટ 

                                   બ્રિગિટ્ટ બારડોટ ફ્રેન્ચ અભિનેત્રી હતી. એણે એના સૌંદર્ય અને અભિનય દ્વારા ફિલ્મ જગતમાં તરખાટ મચાવ્યો હતો .એની ફિલ્મ  'એન્ડ ગોડ ક્રિએટે  વુમન ' એને દુનિયામાં પ્રખ્યાતિ આપી હતી . એ પવિત્ર વિચાર ધરાવનાર પરિવાર અને જેનો ઉછેર બહુ સારી રીતે  ઉછરેલી એવી પુત્રી હતી પરંતુ ફિલ્મી દુનિયાએ એના જીવન શૈલીને બદલી નાખી હતી. 

                                 એના વાળ  ભૂખરા રંગના હતા પણ એને પસંદ ન હતા તેથી એને સોનેરી બનાવ્યા હતા .  આમ સીધી સાદી ખાનગી શાળામાં ભણેલી યુવતી દુનિયાની સ્વપ્ન સુંદરી બની ગઈ હતી . એના માતાપિતાની રજા વગર પંદરમે varsh દુનિયાં પ્રખ્યાત મેગેઝીન પાર આવી ચુકી હતી અને ૧૭માં વર્ષે  એની બિકીની પહેરેલી તસવીરો પ્રગટ થવા લાગી હતી . 18 માં વર્ષમાં  આકર્ષક સૌંદર્યને લીધે લગ્ન પણ કરી લીધા હતા . ત્યાર પછી એણે ચાર લગ્નો કાર્ય હતા . પરંતુ એની એક વધુ ફિલ્મ 'બાબિટ્ટે ગોઝ તો વૉર ' પણ હિટ ગઈ હતી. 

                                                  આખરે  એણે સેન્ટ ટોપેઝ  નામના ફિશિંગ  પોર્ટ પર  એનું ઘર વસાવ્યું હતું.  ફોટોગ્રાફરો અને પ્રસિદ્ધિથી ત્રાસીને તે બેચેન  બની હતી અને એનું ધ્યાન ત્રાસિત જાનવરોના માવજત તરફ કેન્દ્રિત કર્યું હતું . પોતાનું જાર જવેરાત વેચીને એમાંથી ' બ્રિગિટ બારડોટ ફોઉન્ડેશન ' બનાવ્યું  અને એના દ્વારા ઘોડા , ગધેડા અને   રીછ જેવા અબ્યુઝ જાનવરોની દુનિયા ભરમાં માવજત કરવાની શરૂઆત કરી . એણે જાનવરોને ત્રાસરૂપ  વુલફ શિકાર, બુલ લડાઈ ,  ચિકન ફાર્મિંગ જેવી ઘાતકી પ્રવૃતિઓ સામે પણ દુનિયાભરમાં ઝુંબેશ ચલાવી.

                                            આવી ઉમદા પ્રવૃત્તિઓ કર્યા પછી આધ્યાત્મિક સંતોષ  માટે દરિયા કિનારે  ઝૂંપડી બાંધીને રહેવા માંડી હતી.  ૨૦૨૫માં  ૨૮મી ડિસેમ્બરે  91 વર્ષની વયે એક સેક્સી પણ ઉમદા અભિનેત્રીનુ અવસાન થયું . જીવનમાં  ઉત્તમ અભિનય સાથે ઉમદા  કામ કરીને જગતમાંથી વિદાય લીધી.

                        *************************** 

                                   

Sunday, February 22, 2026

  


જેફરી એપ્સ્ટીન

                                                                    જેફરી એપ્સ્ટીન એ અમેરિકમાં પ્રસિદ્ધ યૌન શોષણનો અપરાધી હતો. એના પર યુવાન અને અને નાની ઉંમરની  પીડિતાઓની   યૌન શોષણની ફરિયાદોને કારણે  કેદની સજા થઇ હતી.  જેફરી એપ્સ્ટેઇનના  સંમ્પર્કમા આવનાર અને એની સાથે રંગરેલી  માણનારના નામો અને  એના કરતુકોમાં ભાગલેનાર વ્યક્તિઓની કારકિર્દીઓ હવે ખતમ થઇ ગઈ છે ક્યાંતો ભાંગી પડી છે. એવું કહેવાય છે  અમુક વ્યક્તિઓની દોસ્તી અને દુશ્મની પણ સારી નથી હોતી એ જેફરીની બાબતમાં સાચી પડી રહી છે.

                                            અમેરિકામાં જેફરીની ફાઈલમાં કેટલાએ રાષ્ટ્ર પ્રમુખોના નામ છે તો  કેટલાક   કલાકારો, જાણીતા ઉદ્યોગપતિઓ, ટેકનોક્રેટોના નામો આવતા એમની કારકિર્દીઓ પર નુકસાન થઇ રહ્યું છે. ઇંગ્લેન્ડમાં રાજાના ભાઈ પર પોલીસ પણ ત્રાટકી છે.  એક બ્રિટિશ  રાજકારણીને તો રાજીનામુ આપવું પડ્યું છે. એમના જેફરી સાથેના સંબંધોને કારણે એમના નામને કલંક લાગી ગયું છે. 

                                                 તે ઉપરાંત મોટી મોટી કંપનીઓના વડાને પણ  જેફરી સાથેના સંબંધોને કારણે અને  એની  ફાઈલમાં નામ બહાર આવતા રાજીનામાં ધરી દેવા પડ્યા છે.                                          

                                            ઘણી રાષ્ટ્રોની સરકારો પણ જેફરી એપ્સ્ટીનના પડછાયા પડવાથી તકલીફમાં આવી ગઈ છે. ભારતની પાર્લામેન્ટમાં પણ ધમાલ થઇ રહી છે કારણકે જેફરી  એપ્સ્ટીનની  ફાઈલમાં એક ઉદ્યોગપતિ, એક ભારતીય મંત્રી અને વડા પ્રધાનનું નામ આવ્યું છે.

                                            આમ તો ફાઈલમાં નામ આવવાથી માણસ ગુનેગાર સાબિત થતો નથી પરંતુ માણસની પહેચાન એના મિત્રો અને સંપર્કોથી જ થાય છે એ એક સામાન્ય વાત છે. એથી ગુનેગારોના સંપર્કમાં રહેતા માણસો હંમેશા શંકામાં રહે છે. એનો  જેફરી એપ્સ્ટીન એક દાખલો છે.

                                              મૂળમાં કેટલાક અતિ શક્તિશાળી માણસો કે પછી ધનવાનો એની શક્તિ અને ધનને કારણે મર્યાદાઓ ભૂલી પોતાને કાયદાઓથી પણ પર ગણવા લાગે છે અને અનર્થ કરી બેસે છે.  એની જેફરી એપ્સ્ટીન ફાઈલ એક અજબ દાખલો છે. 

                                   ************************************

     

                                                        

Wednesday, February 18, 2026

 


 

વસ્તુને  લાંબો વખત સાચવવાનો ઘરગથ્થુ   ઉપાયો

                                                                                                       આજે વિશ્વમાં બેક્ટરીઆઓને  લીધે ઘણી વસ્તુઓ ટૂંકા સમયમાં બગડી જાય છેકે પછી  સડી જાય છે .  તમે એને રેફ્રીજેટરમાં રાખો તો એના પર બેક્ટરીઓ હુમલો કરી એને બગાડી મૂકે છે. એને માટે થોડા એવા ઉપાયો છે જે ફળો, શાકભાજીઓને તાજા રાખે છે.

                                           તરબૂચ એવું ફળ છેકે જે એક સાથે ખાવું  મુશ્કેલ છે એથી ખાધા પછી એને રેફ્રીજેટરમાં મુકવામાં આવે છે ત્યાં બેક્ટરિયાઓ એના પર હુમલો કરી એને બગાડી મૂકે છે. એટલા માટે વધેલા તરબૂચના ભાગ પર બે બાજુએ લસણની કડીઓ મૂકી એને પ્લાસ્ટિક પેપરથી ઢાંકી  રેફ્રીજેટરમાં રાખવાથી તરબૂચ ગાન દિવસો સુધી ખાવા લાયક તાજું રહે છે.

                                        કેળા પણ  થોડા વખતમાં એની છાલ સાથે કાળા પડવા માંડે છે.  એને તાજા રાખવા માટે એની છાલને શુદ્ધ પાણીથી સાફ કરી  અને એની સ્ટેમ ને  પેપર ટુવાલ થી સીલ કરી એના પર શુદ્ધ પાણી નાખવાથી એ લાંબો વખત તાજા રહેશે અને જયારે જરૂરિયાત પ્રમાણે ખાઈ શકાશે.



                                         એજ પ્રમાણે સિલેન્ટ્રો ભાજીની  દાંડીઓને પેપર ટોવેલથી બાંધી શુદ્ધ પાણીના ગ્લાસમાં  રાખવાથી એ આશરે મહિના સુધી તાજી રહેશે. અને એનો ઉપયોગ લાંબો વખત સુધી કરી શકાશે.

                                       એ રીતે કેબેજને એના રુટ  પર ભીનો  પેપર  ટુવાલ લગાવવાથીં  લાંબો સમય સુધી જાળવી  શકાય છે. 



                                         ટોમેટોને  એના મૂળમાં પ્લાસ્ટિક  પારદર્શક ટેપ લગાવવાથી  લાંબા સમય માટે એને તાજા રાખી શકાય છે .



                                       લીલા કાંદાના   મૂળિયાને  ભીના પેપર ટોવેલમાં બાંધી ને રાખવાથી  એ ૧૫ દિવસ સુધી તાજા રહે છે . 



                                        સ્ટ્રૉબૅરીસ લાંબો વખત ખાવા લાયક રાખવી મુશ્કેલ છે. એથી એને પાણી અને વિનેગાર ભરેલા વાસણમાં  રાખવાથી  એ તાજી રહે છે અને ખાવાને લાયક પણ રહે છે.

                                      ચોખા જેવા અનાજમાં લાંબા વખતે  જીવડાં પડે છે અને એનો નાશ કરે છે . એટલે જીવડાંઓથી બચાવવા માટે એમાં  આદુથી ભરેલી  સીલ બેગ નાખવાથી ચોખાનું રક્ષણ થાય છે. અને જીવાતોથી એને રક્ષણ મળે છે.

                                      આમ જીવાતોથી ખોરાકને, ફળોને , અને શાકભાજીઓનું ઘણા વખત સુધી સેવન કરી શકાય છે. 

                                    ******************************

           

Wednesday, February 11, 2026

   


વિશ્વ વેકસિનના માન્ધાતા 

                                                વિશ્વમાં વેક્સિનના ઉત્પાદનમાં ભારતે નામના કાઢી છે. કોવિદ-૧૯ દરમીયાન ભારતે વિશ્વના ઘણા દેશોને કોવિદની સસ્તી  વેકસીન પુરી પાડી હતી આથી ઘણા દેશો ભારતના ઋણી છે. 

                                               એ વેકસિનનું ઉત્પાદન પૂનાની એક કંપની એ કરેલ જેનું નામ છે' સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ' એના માલિક છે આદર પૂનાવાળા . એ કંપની આદરના પિતા સાયરસ પૂનાવાળા એ ૧૯૬૬ શરુ કરેલી હતી. વેકસિનના ડોઝીસ ૧૭૦ જેટલા દેશોમાં મોકલવામાં આવે છે એમાં ઘણા દક્ષિણ વિશ્વના ગરીબ દેશોનો પણ સમાવેશ છે.



                                                 સીરમ ઇન્સ્ટિટ્યૂટ વેકસિનને સસ્તી બનાવવા માટે સંશોધન પણ કરે છે. એમાં બર્ડ ફલૂ શોટ, મેલેરિયાની વેક્સીન, ડેન્ગ્યુને લગતી વેક્સીનનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં ગરીબ દેશોને પણ પોષાય એવો $૩/- જેટલો નીચો ભાવ રાખી વેચવામાં આવે છે. એમાં માનવતાનું તત્વ પણ સમાયેલ છે. જુના વખતમાં પૂનાવાળા ઘોડાઓ ઉછેરવાના ધંધામાં હતા એમાંથી તેઓ વેકસિનના ધંધામાં આવ્યા. ડીટીપી વેક્સીન અને મિસલ્સને લગતી  વેકસિને એમને ભારતમાં મોટામાં મોટા વેક્સીન ઉત્પાદક તરીકે ઉભા કરી દીધા


 .

                                               હવે  સીરમ એ  એની ઉત્પાદન શક્તિ આતરરાષ્ટ્રીય સ્થર લાવી દીધી છે.  હવે  એ યુનિસેફ , અમેરિકાની હેલ્થ સંસ્થાઓને  વગેરેને એનું ૮૦% ઉત્પાદન નિકાસ કરે છે. ભારત માટે એ ગર્વની વાત છે. હવે  સિરેમેં  એની બ્રાન્ચ આફ્રિકામાં પણ સ્થાપિત  કરી છે જેથી ગરીબ દેશોને એની વેક્સીન જલ્દીથી પુરી પાડી શકે.



                                               તેઉપરાંત હવે પૂનાવાલાએ પોતાનું પ્રદાન ફિલ્મ, આર્ટ, અને ભારતીય સંસ્કૃતિમાં પણ કરવા માંડ્યું છે. 

                                ******************************************