Saturday, March 28, 2026

 


વૃદ્ધાવસ્થા  

                                                                    વયસ્થ નાગરિકો માટે એમના સમયનો સારી રીતે ઉપયોગ કરવાથી એમનું સ્વાસ્થ્ય સારું રહે છે. એમાં  સામાજિક સંપર્કો, સારી ટેવ  અને સારા કામોમાં વ્યસ્થ રહેવું આવશ્યક છે.  નિષ્ણાતો  પ માને છેકે સારી માનસિક સ્થિતિ પણ તંદુરસ્તી સારી રાકે છે.  સકારાત્મક  વલણ  વૃદ્ધોને એમનું આયુષ્ય પાંચથી સાત વર્ષ સુધી વધારવામાં  મદદરૂપ બને છે. 

                                      જેમ આયુષ્ય વધે તેમ તેમ શરીરના સ્નાયુઓ ઢીલા અને નબળા પડતા જાય એટલા માટે અઠવાડિયામાં બે ત્રણ વાર એવી કસરતો કરવી જોઈએકે જેથી એ સ્નાયુઓ મજબૂત રહે અને શરીરને સ્ફૂર્તિ  આપતું રહે.  ટૂંકમાં  આયુષ્ય વધારવામાં સ્નાયુઓ અગત્યનો ભાગ ભજવે છે. તે ઉપરાંત શરીરને સ્ફૂર્તિ આપી સ્નાયુઓ શરીરને કામકાજ કરવામાં પણ મદદ કરે છે.  સ્નાયુઓની કસરતો શરીરની શક્તિને અનુકૂળ હોવી જોઈએ જેથી એની આડી અસર ન થાય. ઘણા વૃદ્ધો સ્નાયુઓની નબળાઈને વશ થઇ પડી રહેતા હોય છે   અને જે મોતને જલ્દી નોતરે છે. 

                                           મજબૂત સામાજિક સંપર્કો જાળવવામાં  મિત્રો વધારે મદદરૂપ થતા હોય છે. એથી મિત્રો સાથે આગળ પડીને સંપર્કો ચાલુ રાખવા જોઈએ. મિત્રોની સાથે મિત્રતા જાળવવામાં સાથે ચાલવા જવુંકે પછી થોડા થોડા વખતે સાથે જમવા જવાથી મૈત્રી ઘાઢ બની શકે છે. ચા કે પછી કોફીને ચુસ્કી પણ મિત્રો સાથે લઇ શકાય છે. મિત્રોને  મળવા માટે  એમના  ફોન કે આમંત્રણ રાહ જોવા કરતા હંમેશા પહેલ કરવી પણ આવશ્યક છે. 


                                          માણસોના મૃત્યુ ઘણીવાર ગમે તેવા ખોરાક ખાવાથી થાય છે. એટલા માટે તંદુરસ્તીને અનુરૂપ ખોરાક ખાવાથી આયુષ્ય વાશે છે. એમ કહેવાય છે કે 'માણસો ખાવાથી વધુ મરે છે ભૂખથી નહિ '.  મૂળમાં તળેલા ખોરાક અને પ્રોસેસ ખોરાક વૃદ્ધોએ  ઓછો ખાવો જોઈએ .

                                             તે ઉપરાંત વૃધ્દ્ધાવસ્થામાં  નવીન વસ્તુઓ જાણવાની વૃત્તિઓ  મગજને તાજગી આપે છે.  કોઈ નવી વસ્તુનો અનુભવ તંદુરસ્તી માટે આવશ્યક છે.  વૃદ્ધોએ જેમાં એમને આતુરતા હોય એવી વસ્તુઓ કરવી, જેથી તેના વિષે વિચારી અને વાત કરી શકે . એનાથી  એમનો વિકાસ પણ થઇ  શકે.  તે ઉપરાંત પિયાનો,  હાર્મોનિયમ કે પછી સંગીતના સાધનો વઘાડતાં શીખવું પછી ચિત્રકામ કરવા જેવી પ્રવૃતિઓ કરવાથી  આનંદ અને વ્યક્તિત્વ  વિકાસ થાય છે.  એટલેકે વૃદ્ધાવસ્થામાં કોઈ નવીન વસ્તુ કરવાથી આયુષ્ય વધે છે અને શરીર તંદુરસ્ત પણ રહે છે. 

                                           વૃદ્ધાવસ્થા એ ઘણો મુશ્કેલ સમય છે. એમાં તંદુરસ્તી જાળવી માનવીએ પોતાની ઓળખાણ જાળવી રાખવી પડે છે.  એમાં થોડા  સકારાત્મક સૂચનો નિષ્ણાતોએ સૂચવ્યા છે એ બતાવવા પ્રયત્ન કર્યો છે. 

                                ****************************   

                          

No comments:

Post a Comment