Wednesday, July 8, 2026

 


મન 

                                                               દુનિયામાં મનુષ્ય પાસે ધન, દોલત, સત્તા તથા બધી જાતની સાયબી હોય તો પણ મનુષ્યને મનની શાંતિ કે પછી મન પર કાબુ ન હોય તો એને સુખ પ્રાપ્ત થતું નથી.  એવા અનેક દાખલાઓ જીવનમાં  જોવા મળે છે.  એવા અનેક દાખલાઓ પુરાણમાં પણ જોવા માટે છે . એમાં રાવણનો  દાખલો અનોખો છે. 

                                  જે રાવણની લંકા સોનાની હતી. જેની પાસે અઢળક સત્તા અને સંપત્તિ  હતી . જે રાવણ ગ્રહોની ગતિ પર કાબુ ધરાવતો હતો. તે પ્રચંડ જ્યોતિષી હતો . શનિ જેવા ગ્રહો જેના ઘરમાં પાણી ભરતા હતા. જે  ચારે વેદો , સ્મૃતિ અને પુરાણોનો જ્ઞાતા હતા. એને પણ મનની શાંતિ અને કાબુ માટે શિવજીની આરાધના કરી હતી. 

                                       એ શિવજીને પ્રાર્થના કરતો હતો કે એને મનની દુર્ગતિથી મુક્ત થવું છે. એ  મનની ખરાબ વૃત્તિઓથી જેવીકે લોભ, ક્રોઘ, અહંકાર , દ્વેષ, અને મોહ થી મુક્ત થઇપરમ  શાંતિ જોઈતી હતી .

                                           એને એકાંત જંગલમાં  ઝૂંપડીમાં  બનાવી ઝરણાને કિનારે બેસી મનની શાંતિ માટે ધૂની ધુણાવી શિવજીની તપશ્ચર્યા કરવી હતી.  રાવણે એના શિવ તાંડવઃ  સ્રોતમાં એનો ઉલ્લેખ કર્યો છે.  એણે શિવજીને એની દુમરતીમાંથી  મુક્ત કરવાની પ્રાર્થના કરી છે. 



                                                   ઇતિહાસમાં મહાન સિકંદર પણ  વિશ્વ વિજેતા બન્યા છતાં મનથી  દુઃખી હતો . એણે એના સરદારોને કહ્યું હતુંકે એના જનાજામાં એના બે ખાલી હાથો બહાર રાખવા જેથી લોકોને ખબર પડેકે મહાન વિજેતા સિકંદર  બધું હોવા છતાં આ દુનિયામાંથી ખાલી હાથે ગયો હતો. આજ બતાવે છે કે બધું હોવા છતાં એ મન પર કાબુ ધરાવતો ન હતો . અને એ દુઃખી હતો .

                                                આનાથી ઉલ્ટું ઘણા સંતો અને સાધુઓ પાસે કઈ નથી હોતું પણ તેઓનું જીવન   સુખી  અને  શાંતિમય હોય છે કારણકે તેમનો એમના મન પાર સંપૂર્ણ કાબુ હોય છે.  આથી ટૂંકમાં જીવનમાં દરેકે સૌથી પહેલા પોતાના મન પર કાબુ કરવો જરૂરી  છે. 

                                 ****************************   

                                     

                    . 

         


No comments:

Post a Comment