Wednesday, July 15, 2026



આર્ટિફિશ્યલ ઇન્ટ્લલિજન્સ અને એની અસર 

                                                               ભારત આજે દુનિયામાં ૩૧૫ બિલ્લીઓન ડોલર જેટલી આવક એક વર્ષમાં  સોફ્ટવેર  એન્જિનિયર મારફતે  આઉટસોર્સિંગમાં  દ્વારા કમાય છે .  આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવ્યા બાદ એના પર અસર પડશે એવી આગાહી થઇ રહી છે . એનું કારણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  ગતિ અને થોડા માનવ કલાકમાં ઘણું મોટા પ્રમાણમાં કોડિંગનું  કામ કરી શકે છે. 

                                                           ભારતમાં ઈંફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી   જેવી ભારતીય કંપનીઓ અમેરિકાને હજારો સોફ્ટવેર એન્જીનીયર્સ  મોકલાવે છે જે અમેરિકન કંપનીઓમાં કોડિંગનું  કામ કરે છે. જયારે એ જ કામ જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  દ્વારા થવાનું હોય અને બહુ ઓછા લોકોથી થઇ શકાતું હોય ત્યારે ભારતીય  આઇટી  ઉદ્યોગને એની અસર પડી શકે છે.

                                                                   ભારતની કન્સલટનસી  કંપનીઓ  હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને   વધુને વધુ ફાયદાકારક અને અસરકારક  બનાવી શકાય એ દિશામાં  કામ આગળ વધારી  રહી છે. નંદન નિલેકાની , ઈંફોસીસના સ્થાપક કહે છે કે 'ભારતીય  કન્સલ્ટન્સી કંપનીઓને એમાં ૨૦૩૦ સુધીમાં ૩૦૦થી ૪૦૦ બીલીઓન ડોલ્લર્સ જેટલી આવક થવાનો સંભવ છે'.



                                                          ભારતમાં રહેલી ગ્લોબલ કેપેબીલીટી  કંપનીઓ જેઓ ભારતીય એન્જીનીરોને  રાખે છે એ  કન્સલટનસી  કંપનીઓ  કરતા પણ વધારે ભારતીય આઇટી એન્જીનીયરને હવે નોકરી આપે છે .  તે ઉપરાંત વેલ ફાર્ગો અને લુલુણેમોં જેવી  કંપનીઓ પણ ભારતીય એન્જીનીરને સીધા એમની  જરૂરિયાત પ્રમાણે નોકરીઓ આપે છે . આમ ભારતીય આઇટી એંજિનિરોની જરૂરિયાત કોઈ પણ સંજોગોમાં ઓછી થવાની નથી .

                                                             આથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  ભારતીય આઇટી  ઉદ્યોગને બહુ અસર કરી શકે એમ નથી.

                       ***************************************

                                     

No comments:

Post a Comment