Tuesday, June 25, 2024

 


સુવર્ણ ભંડાર -પૃથ્વીના પેટાળમાં    

                                                                  પૃથ્વી પાર ઊંડામાં ઊંડો ખાડો  બ્રાઝિલમાં છે.  અને એ 'મોરો વેલહો 'નામે ઓળખાય છે. એનું ઊંડાણ ૬૭૨૫ ફીટ  જેટલું છે. એના તળિયે ઉષ્ણતામાન ૧૧૭ ડિગ્રી છે. 

                                                                 'મોરો વેલહો' એ ફક્ત ખાડો નથી પણ એક સમૃદ્ધ સોનાની ખાણ છે, જે ૧૮૩૪ થી અસ્તિત્વમાં  છે. ૧૧૭ ડિગ્રીમાં કામ કરવું ખાણિયાઓ માટે અશક્ય છે. એથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ખાણિયાઓ ઓછી ગરમીમાં ત્યાં   કામ કરી શકે. આથી અંદર ઉષ્ણતામાન ૯૮ ડિગ્રી જેટલું રહે.



                                                                  બહારનું ઉષ્ણતામાન આશરે ૬૮ ડિગ્રી જેટલું રહે છે, પણ એને શક્તિશાળી પંખા દ્વારા ૪૨ ડિગ્રી જેટલું ઠંડુ કરવાંમાં આવે છે.  નીચે તટિયે પહોંચતા પહોંચતા રસ્તામા ગરમી વધતી રહે છે  એનું કારણ  અંદરના ગરમ  ખડકો અને પંખાના કોમ્પ્રેસરો જવાબદાર હોય છે. તે છતાં  ખાણિયાઓ  પ્રતિકૂળ ગરમ વાતાવરણમાં  સોનુ કાઢતા રહેતા હોય છે.

                                                                  આજ બતાવે છે કે મનુષ્યો  દુનિયાની કિંમતી ધાતુ  મેળવવા માટે  કેટલા ઊંડાણ સુધી પૃથ્વી ને કોતરી કાઢે છે. પછી પૃથ્વી  એનો કાળ કુદરતી આપત્તિ જેવી કે ધરતીકંપ દ્વારા બહાર કાઢે જ ને. આવાતો અનેક જાતના અત્યાચારો મનુષ્યો આ ધરતી પર કરતા રહે છે.



                                                                 ભયંકર ધરતીકંપો , નદીના પૂરો , સાગરના તોફાનો , હવાના તોફાનો , અતિ વરસાદનો  કોપ  અને દુકાળો  આ બધા મનુષ્યના કુદરત પરના અત્યાચારોને જ આભારી છે. જેને હવે હવામાનના બદલાવને નામે ઓળખવામાં આવે છે. આથી માનવ જાતે કુદરતના ખજાનાને લૂંટવામાંથી હવે પાછા વળવાનો વખત આવી  ગયો છે.

                                       *********************************

Wednesday, June 12, 2024

 


મજૂરી - ચીનની  રીતે 

                                               

                                ચીન એક સરમુખત્યારી પર ચાલતો દેશ છે. ત્યાં સરકાર જે કઈ કામ  આપે તે કામ કરવું પડે છે. એમાં  પસંદગીનો સવાલ બહુ ઓછો હોય છે.  એનો અર્થ દુનિયા જેને જબરજસ્તી મજૂરી કહે છે એવી મજૂરી પણ અસ્તિત્વમાં ત્યાં છે. 

                                 ચીનમાં ઝીનજિઆંગ પ્રાંત જ્યાં મુસ્લિમઓની  બહુમતી વસ્તી છે ત્યાં ચીને પોતાના અધિકારીઓને ગ્રામ વિસ્તારોમાં મોકલાવી લોકોની રહેણીકરણી અને એમના વિચારોને બદલવા માટે ઝુંબેશ ચલાવી છે. કોણાબજાર જેવા એક ગામમાં  ચીની અધિકારીઓ  વૈચારિક પ્રચારમાં  લાગેલા છે. તેમનો ઉદ્દેશ એ પણ છેકે જે ખેડૂતોને   ખેતી  તરફ અણગમો હોય તેમને  બીજી જાતના કામો તરફ વાળવા.  તેમને શિક્ષણિક  શિબિરો તરફ લઇ જવા જે બીજા અર્થમાં  અટકાયત કેમ્પ જેવા જ હોય છે. એવી વસાહતોને આંતકવાદ અને ધાર્મિક અસહિષ્ણતાને  નાબૂદ કરવા માટે પણ  ઉભી  કરવામાં આવી છે. પરંતુ એમાં લાખો  સ્થાનિક યિંઘુર  મુસ્લિમોનો ઉપયોગ જબરજસ્તી મજૂરી માટે પણ થઇ શકે છે. એટલા માટે અમેરિકા અને યુરોપીઅન યુનિયને પણ એવી મજૂરીમાંથી બનેલી વસ્તુઓની આયાત  પર પ્રતિબંધ મુકેલો છે . પૉલિસિલિકોન , પ્રોસેસ ટામેટા , અને કપડાં પણ એવી મજૂરી માંથી બનેલી વસ્તુઓમાં આવી શકે છે, જે ઝિંગજિયાન્ગમાથી  આયાત થાય છે.



                                                              આજ પ્રમાણે   નાના મોટા ગુનાઓમાં પકડાયેલા કેદીઓનો પણ ઉપયોગ જબરજસ્તી  મજૂરી કરવામાં આવે છે. તે ઉપરાંત જમીનો જવાથી પણ બેકાર ખેડૂતો બીજા કામો કરવામાં પ્રોત્સાહિત  થાય છે પછી ભલે એ કામો ઘરથી નજદીક હોય કે પછી દૂર હોય. લાચારીનો ઉપયોગ પણ જબરસ્તી  મજૂરી  માટે  થઇ શકે છે.



                                                                મૂળમાં સસ્તી મજૂરી  વેતન અને જબરજસ્તી  સસ્તું  સારું અને વધારે ઉત્પાદનમાં મદદ રૂપ બને છે. પરંતુ બીજા અર્થમાં એ મજૂરોનું શોષણ બની રહે છે.

          ચીનનો માલ જે આજે દુનિયામાં સસ્તો અને  સારા  તરીકે વેચાય છે એમાનું એક રહસ્ય  જબરજસ્તી મજૂરી પણ હોય શકે ?  

                                        ************************************************         

    


 

Saturday, June 1, 2024



આંદામાનની  આદિકાળની વસ્તી    

                                                            આંદામાનની આજુબાજુ સેંકડો નાના મોટા ટાપુઓ છે જેના પર હજુ  જંગલોમાં વસ્તી વસે છે જે આજની દુનિયાથી અલગ તેમનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. અને આદિ વખતની સંસ્કૃતિમાં જીવન જીવી રહ્યા છે. તેઓને માનવીઓ તેમને અને તેમની સંસ્કૃતિને ખલેલ પહોંચાડે તે પસંદ નથી. તેઓ તિર કામઠા કે  ભાલા જેવા  હથિયારથી સ્વરક્ષણ  કરે છે. તેઓને આધુનિક સંસ્કૃતિ અને એમની માનવજાત પ્રત્યે કોઈ લગાવ નથી. ઘણા  ભારતીય અને પરદેશી સાહસિકોએ તેમની અંદર ડોકિયાં કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તેમણે તેનો ઝનૂની રીતે સામનો કર્યો છે. એમની વસ્તી પહેલા હજારોમાં હતી તે સેંકડોમાં આવી ગઈછે.



                                      કેટલાક આધુનિક સંધોધન કરનારાઓએ એમાંથી યુક્તિઓ અપનાવી  થોડા ઘરડા અને બાળકોને આધુનિક સંસ્કૃતિમાં લાવવા પ્રયત્નો કર્યા એમાંના ઘરડાઓ મૃત્યુ પામ્યા અને યુવાનો અને બાળકોને એમની  વસ્તીમાં પાછા કરવા પડયા.  માર્કો પોલો  એ ટાપુઓ પર તેરમી સદીમાં ગયા ન હતા પણ એણે  લખ્યું  છે કે એ ટાપુ પર  રહેનારા લોકો  એકદમ જંગલી અને એકદમ નિર્દય છે.એમનું માથું, દાંતો , અને આંખો કુતરા જેવા લાગે છે. તેઓ જે કોઈ પરદેશી હાથમાં આવે તેને ક્રુરતાથી મારી ખાઈ જાય એવા હોય છે .૬૦૦ વર્ષ પછી આર્થર કોનન ડોયલે લખે છે કે ' અહીંના લોકોની આંખો  ખૂની અને  શેરલોક હોમ્સની નવલકથામાં આવતા ખૂનીના જેવી લાગે છે. એક જર્મન સંધોધકે તો એ આદિ પ્રજાને  આદિ ચિમ્પાનીસ જેવા જણાવ્યા છે. એક ભારતીય સંધોધક વિશ્વજીત પંડ્યાએ   એ પ્રજાની  આદિ કાળની કલા , પેઇન્ટિંગ અને અન્ય વસ્તુઓની  પ્રશંસા કરી છે.  ટૂંકમાં પરદેશીઓએ આંદામાનની એ આદિ પ્રજાની કાળી બાજુ પર પ્રકાશ નાખવા પ્રયત્નો કર્યા છે. 



                                                         એક વસ્તુ સત્ય છે છેકે એ આદિ પ્રજાને અલાયદીરીતે રહેવાનો માનવ હક્ક છે  એમાં જો કોઈ દખલ કરે તો તેમનો  સામનો કરવાનો એમના હક્કને કોઈ  વિરોધ કરી ન શકે.  તેઓ કોઈ પણ શસ્ત્રથી કે  ખૂની હુમલાથી સામનો કરી શકે છે.



                  આપણી પણ આદિ સંસ્કૃતિ અને એની પ્રજાને રક્ષણ આપવાની ફરજ બની રહે છે.

                                      *****************************************