Wednesday, July 17, 2024

 


વિશ્વાસ 

                                        સંસાર એક જંગ છે અને એમાં જેનામાં વધારે વિશ્વાસ હોય એવી વ્યક્તિઓની મદદ થી  એ જંગ ખેલવો પડે છે. પરંતુ ઘણીવાર એવા પ્રસંગો બને છે કે જેના પર વિશ્વાસ કર્યો હોય તેજ ટેકો ખેંચી લે છે કે પછી વિશ્વાસઘાત  કરે છે. ત્યારે માનવી નિરાશ થાય છે . તેછતાં  કેવા માણસોનો વિશ્વાસ કરવો એના પર પણ મંથન કરવું જરૂરી છે.

                                    કેટલાક માણસો બીજાની મજાક કરીને એમાંથી આનંદ મેળવે છે. એવા મનુષ્યોથી ચેતીને ચાલવું જરૂરી છે. કારણકે એવા માણસો તમારી પડતીમાં કે પછી ખરાબ દિવસોમાં કેટલા સાથે રહશે એ શંકા જનક છે. એવા મનુષ્યોનો વિશ્વાસ કરવો ન જોઈએ.



                                  ઘણા એવા પણ હોય છે જે જીવનમાં જવાબદારી લેતા નથી  અને દરેક  વસ્તુ માટે બીજાને જ દોષ દે છે. એવા મનુષ્યો પર વિશ્વાસ કરવાથી આખરે નિરાશા જ મળે છે.

                                     આ જગતમાં એવા લોકો પણ હોય છે જેઓ કહે છે શું ? અને કરેછે કઈ બીજું. આવા માણસો જરા પણ વિશ્વાસને લાયક હોતા નથી. એવા લોકો ઘણીવાર દગો પણ દઈ શકે છે.



                                     જે લોકો તમારી સામે વખાણ કરે જાય છે અને તમારી પીઠ પાછળ ઘા કરેછે. આવા લોકોને લીધે જીવનની મુશીબતોમાં સહન કરવાનો વારો આવે છે. એ લોકોનો કદી વિશ્વાસ કરી ન શકાય .

                                    કેટલાક લોકો તમારા જે હિતમાં હોય છે એના વિષે  શંકા ઉત્ત્પન કરે છે અને તમારું અહિત કરે છે આવા મનુષ્યોને દૂર જ રાખવા જોઈએ કારણકે તે ઓ કદી વિશ્વાસને પાત્ર હોતા નથી.



                                     તમારી જે મહત્વકક્ષા  હોય છે જે જાણીને કેટલાક ઈર્ષા પણ કરી શકે છે. અને એમાં અવરોધો પણ ઉભા કરી શકે છે. આવા લોકો તમારા માર્ગમાં  આવી તમારે માટે તમારું લક્ષ મુશ્કેલ બનાવી દે છે . એવા લોકોને પહેચાની એમને દૂર રાખી એમનો વિશ્વાસ ન કરવો જોઈએ .

                                     ટૂંકમાં માણસોને   ઓળખવાની દ્રષ્ટિ કેળવી એમની યોગ્ય તુલના કરીને એમની સાથે સબંધો કેળવવા જરૂરી છે.  જેથી જીવન સંગર્ષ  સરળ અને સફળ રહે. 

                                *******************************************************


Tuesday, July 16, 2024

 


પ્રદુષણ 

                                           હવામાં વધતું જતું પ્રદુષણ એ અત્યારે વિશ્વમાં જીવનમરણનો પ્રશ્ન બની રહ્યો છે. ઉદ્યોગીક ક્રાંતિ  અને જમીનના તેલના  ઉપયોગે પ્રદૂષણ વધારી દીધું છે.  પ્રદૂષણો માનવીની તંદુરસ્તી પર અને હવામાન પર પણ આડઅસર પડી છે. એમાં પ્રદૂષણે માનવીઓના જીવનને વિવિધ રોગોની ભાળ આપી છે એ બહુ ખતરનાક છે. મુખ્યત્વે માનવીઓમાં શ્વાસોશ્વાસને  લાગતા  રોગો વધી રહ્યા છે. 



                                           અત્યારના સર્વે મુજબ કાર , ફેક્ટરીઓ ,ભયંકર આગો , લાકડા બળતા ચુલાઓ  દુનિયામાં આશરે વાર્ષિક ૯૦ લાખ જેટલા માનવીઓનું  અણધાર્યું  મોત નોતરે છે. એમાં દક્ષિણ એશિયામાં વધારેમાં વધારે મોત થાય છે. પ્રદુષણના  અંશો લોહી વડે છેક માનવીના  ફેફસા સુધી પહોંચી શ્વાશોશ્વાશના રોગો ઉત્પન્ન કરે છે. એમાં અસ્થમા, હૃદય રોગ અને સ્ટ્રોક  જેવી બીમારી પણ આવી શકે છે. સ્થૂળતા, ડાયાબિટીસઅને કોવિદ-૧૯ ના મૂળ પણ એમાં રહેલા હોય છે.

                                              વધારે વાહન વ્યહવાર જેવા વિસ્તારોની બાજુમાં રહેવાથી પ્રદુષણને લીધે બ્રેસ્ટ કૅન્સર જેવી બીમારી ૮% જેટલી વધવાની શક્યતા રહેલી છે . આ એક અમેરિકન સર્વેનું તારણ છે. તે ઉપરાંત વૃદ્ધો, બીમાર બાળકો વધારેમાં વધારે પ્રદુષણનો  ભોગ બને છે.  યુરોપના એક સર્વે પ્રમાણે પ્રદુષણને  કારણે નવજાત જન્મેલા બાળકો ઓછા વજનથી જન્મે છે . તે તેમની તંદુરસ્તી માટે ભયજનક હોય છે.



                                              અમેરિકામાં જંગલોમાં લગતી ભીષણ આગમાંથી ઉત્તપન થતું પ્રદુષણ માનવીય તંદુરસ્તીને અસર કરે છે. ઘણીવાર  ધુમાડાઓને લીધે વાતાવરણ ધુંધળુ  બને છે અને એવા વાતાવરણમાં  સ્યુસાઇડના કિસ્સાઓ વધી જાય  છે એવું તારણ પણ ઇલિનોઇસ  યુનિવર્સિટી ના પ્રોફેસરે  કરી છે.



                                                 આમ ખરાબ હવા  માનવીના સ્વાસ્થ્યને  અસર કરે છે. એથી જેમ બને તેમ પ્રદુષણ ઓછું કરવાના પ્રયત્નોને  લોકોએ પ્રોત્સાહિત  કરવા જોઈએ .  એમાં સર્વના સહકારની પણ જરૂરિયાત છે .

                                          ***********************************

Sunday, July 7, 2024

 


સૂર્ય નમસ્કાર 

                                                           હિન્દૂ માન્યતા પ્રમાણે સૂર્યની આદિકાળથી પૂજા થઇ થતી  આવી છે.  પ્રાતઃકાળે સૂર્યોદયે હિંદુઓ પાણીની આહુતિ આપીને સૂર્યને નમન કરે છે. એનું મુખ્ય કારણ સૂર્યને આ પૃથ્વીના જીવનદાતા માનવામાં આવે છે. દુનિયાની આ ચેતના સૂર્યને આભારી છે.  એટલા માટે  યોગની કસરતમાં પણ સૂર્યનમસ્કારને સ્થાન આપવામાં આવ્યું છે. આજ ભારતીય સંસ્કૃતિની  વિજ્ઞાનિક અવલોકનનું એક પાસું છે.

                        ભારતીય સંસ્કૃતિમાં ગાયત્રી મંત્રનું  એટલું  જ મહત્વ છે જે સૂર્યની પ્રચંડ શક્તિનું મહત્વ સમજાવે છે. ગાયત્રીમંત્ર સૂર્યની શક્તિઓ વિષે વિવરણ કરતા  કહે છે કે' હે સુખ આપનાર ,દુઃખ દૂર કરનાર, સર્વમાં શ્રેષ્ટ , તેજસ્વી ,  બ્રહ્મ સ્વરૂપ ,(એટલેકે ઈશ્વર સ્વરૂપ ), પાપોનો  નાશ કરનાર   અમને તારી શક્તિ આપી સારા માર્ગે લઇ જા .' આજ બતાવે છે કે સૂર્ય આ પૃથ્વીના જીવોનો જીવનદાતા છે. અને એના નિસ્વાર્થ ગુણોની પ્રશંસા કરી એને માનવી જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે.



                           આ બાબતમાં આધુનિક વિજ્ઞાનીકો  કહે છેકે સૂર્ય એક વિશાળ ગેસ જેવા પદાર્થનો એક સળગતો એક વિશાળ  ગોળો છે . પરંતુ બહારના વાતાવરણના આવરણના ઠંડા પદાર્થો એને ધીમે ધીમે વખતો વખત મંદ કરી રહી છે . એનાથી એના પર જાડું આવરણ જામતું જાય છે જે વખતો વખત સૂર્યની ગરમી અને કિરણો  પૃથ્વી પર આવતા અટકાવી દેશે તો એની અસર પૃથ્વી જીવન પર ગણી ખરાબ થશે. એનાથી પૃથ્વી પર અંધકાર જામી જશે અને સખત ઠંડી પડવા માંડશે. પૃથ્વીનું જીવનની એ શરૂઆત  હશે.  અને આખી પૃથ્વી આદિ સ્વરૂપમાં નિર્જન બની જશે. આ એક વિજ્ઞાનિક અઘાહી છે એને માટે કરોડો વર્ષો વીતી જશે.



                     અત્યારે વિજ્ઞાનીકો સૂર્ય શક્તિનો ઉપયોગ ઇલેક્ટ્રિક શક્તિમાં રૂપાંતર કરવામાં લાગી ગયા છે જે સસ્તામાં  સસ્તી શક્તિ બની રહી છે.

                 આથી એક વાતતો સત્ય છે કે સૂર્યની પ્રચંડ શક્તિથીજ આ દુનિયાનું પોષણ  થઇ રહ્યું છે.

                                        **************************************