Wednesday, July 17, 2024

 


વિશ્વાસ 

                                        સંસાર એક જંગ છે અને એમાં જેનામાં વધારે વિશ્વાસ હોય એવી વ્યક્તિઓની મદદ થી  એ જંગ ખેલવો પડે છે. પરંતુ ઘણીવાર એવા પ્રસંગો બને છે કે જેના પર વિશ્વાસ કર્યો હોય તેજ ટેકો ખેંચી લે છે કે પછી વિશ્વાસઘાત  કરે છે. ત્યારે માનવી નિરાશ થાય છે . તેછતાં  કેવા માણસોનો વિશ્વાસ કરવો એના પર પણ મંથન કરવું જરૂરી છે.

                                    કેટલાક માણસો બીજાની મજાક કરીને એમાંથી આનંદ મેળવે છે. એવા મનુષ્યોથી ચેતીને ચાલવું જરૂરી છે. કારણકે એવા માણસો તમારી પડતીમાં કે પછી ખરાબ દિવસોમાં કેટલા સાથે રહશે એ શંકા જનક છે. એવા મનુષ્યોનો વિશ્વાસ કરવો ન જોઈએ.



                                  ઘણા એવા પણ હોય છે જે જીવનમાં જવાબદારી લેતા નથી  અને દરેક  વસ્તુ માટે બીજાને જ દોષ દે છે. એવા મનુષ્યો પર વિશ્વાસ કરવાથી આખરે નિરાશા જ મળે છે.

                                     આ જગતમાં એવા લોકો પણ હોય છે જેઓ કહે છે શું ? અને કરેછે કઈ બીજું. આવા માણસો જરા પણ વિશ્વાસને લાયક હોતા નથી. એવા લોકો ઘણીવાર દગો પણ દઈ શકે છે.



                                     જે લોકો તમારી સામે વખાણ કરે જાય છે અને તમારી પીઠ પાછળ ઘા કરેછે. આવા લોકોને લીધે જીવનની મુશીબતોમાં સહન કરવાનો વારો આવે છે. એ લોકોનો કદી વિશ્વાસ કરી ન શકાય .

                                    કેટલાક લોકો તમારા જે હિતમાં હોય છે એના વિષે  શંકા ઉત્ત્પન કરે છે અને તમારું અહિત કરે છે આવા મનુષ્યોને દૂર જ રાખવા જોઈએ કારણકે તે ઓ કદી વિશ્વાસને પાત્ર હોતા નથી.



                                     તમારી જે મહત્વકક્ષા  હોય છે જે જાણીને કેટલાક ઈર્ષા પણ કરી શકે છે. અને એમાં અવરોધો પણ ઉભા કરી શકે છે. આવા લોકો તમારા માર્ગમાં  આવી તમારે માટે તમારું લક્ષ મુશ્કેલ બનાવી દે છે . એવા લોકોને પહેચાની એમને દૂર રાખી એમનો વિશ્વાસ ન કરવો જોઈએ .

                                     ટૂંકમાં માણસોને   ઓળખવાની દ્રષ્ટિ કેળવી એમની યોગ્ય તુલના કરીને એમની સાથે સબંધો કેળવવા જરૂરી છે.  જેથી જીવન સંગર્ષ  સરળ અને સફળ રહે. 

                                *******************************************************


No comments:

Post a Comment