Monday, August 5, 2024

  


જાણવા જેવું -

                                              આકાશમાંથી વરસતો વરસાદ ઘણી વાર બહુજ આલ્હાદક અને લોકઉપયોગી હોય છે. પરંતુ એના એક એક ટીપામાં બી-૧૨ જેવું વિટામિન હોય છે જે માનવીની શક્તિ  માટે ઘણુંજ ઉપયોગી હોય છે.

                         પાઈનેપલ એ બહુજ  સ્વાદિષ્ટ ફળ છે પરંતુ તે ઉપરાંત  માનવીની તંદુરસ્તી માટે એ ઘણું ઉપયોગી ફળ છે. એ કફ સુરપ કરતા પાંચ ઘણું  અકસીર  હોય છે. એ કફ અને ફ્લૂની અકસીર દવા છે.

         ગાજર એ એવું  શાકભાજી છે જેમાં  ફેટ જરા પણ નથી. એથી એ ખાવાથી  શરીર માટે  સારું રહે છે.



                         મધમાખી મધ ઉત્તપન કરે છે. પણ એક મધમાખી જ્યારે બે મિલિયન ફૂલોને ચૂસે છે ત્યારે એક પાઉન્ડ જેટલું મધ ઉભું કરી શકે છે. આ બતાવે છેકે મધમાખી માટે મધ ઉભું કરવા માટે કેટલો શ્રમ કરવો પડે છે .

                        કારમાં એક કલાક  હેડફોન પહેરી રાખવાથી  સાતસો  ટાઈમ બેકટેરિયા વધે છે. આથી વ્યક્તિની તંદુરસ્તીને કેટલું નુકસાન થાય છે એની માહિતી હોવી જરૂરી છે. 



                        ઈંડાની અંદર બધા જ વિટામિનો હોય છે,  ફક્ત વિટામિન સી નો એમાં અભાવ હોય છે. એટલા માટે ઈંડા માનવી તંદુરસ્તી માટે પણ સારા છે.

                      વિજ્ઞાનીકો પ્રમાણે આપણું મગજ એટલી વૉટની શક્તિ વાપરે  જેટલું  ૧૦ વૉટની  લાઇટમાં વપરાય છે.

                     એમ માનવામાં આવે છેકે  ૩૦ મિનિટમાં આપણું શરીર એટલી  ગરમી કાઢે છેકે  જેનાથી  ૧.૫ લિટર પાણીને ઉકાળી શકાય. 

                    આશ્ચર્ય જનક વાત એ છે કે તમે કાબુ બહાર હસી રહ્યા હોય  અને જો તમે તમારો હાથ માથાની ઉપર ઊંચો કરો તો તમારું હાસ્ય તરત અટકી જશે. આ અજમાવી જોવા જેવો એક પ્રયોગ છે.

                                  ******************************************

No comments:

Post a Comment