Wednesday, August 14, 2024

 


દુનિયાની ભયંકર બીમારીઓ - કેન્સર અને અલઝહેઈમર .

                                                                                                કેન્સર એવો રોગ છે કે જે ગમે તે ઉંમરમાં ગમે તેને થઇ શકે છે. એનું નામ સાંભળીનેજ એની ભોગ બનનાર વ્યક્તિ અધમુવો થઇ જાય છે. પરંતુ કેન્સરમાં શરૂઆતમાં ખબર પડે તો એનો ઈલાજ થઇ શકે છે. એની દવા  માટે આખી દુનિયામાં વિજ્ઞાનીકો અથાગ મહેનત કરી રહ્યા છે. પરંતુ એમાં ધરી સફળતા મળી નથી .  અત્યારે તો કોલોનોસકોપીથી જાણી શકાય છે કે કેન્સર ક્યાં અને કેટલું પેટમાં ફેલાયેલું છે. તે ઉપરાંત એનોડોસઃકોપીથી ગળાના કે પેટના ઉપ્પર ના ભાગના કેન્સર વિષે જાણી શકાય છે. પરંતુ એના માટે કોઈ સહેલો અને સરળ ઉપાય માટે હજુ સંશોધન ચાલી  રહ્યું છે. 

                                                                                 તેમાં એક સારા સમાચાર છે કે એક અમેરિકન કંપની ગુરદાન્ત હેલ્થએ   કેન્સરની ચકાસણી લોહીના ટેસ્ટથી જાણી શકાય એવી ટેકનોલોજી વિકસાવી  છે. અમેરિકામાં કેન્સરના  લીધે ૫૦% લોકો મૃત્યુનો ભોગ બને છે.  લોહીના ટેસ્ટમાં ૮૩% કેસોમાં કેન્સરની ચકાસણી થઇ શકી છે. અને આગળ  વધી ગયેલા કેન્સરના કેસોમાં ૧૦૦% જેટલી ચકાસણી થઇ શકી છે. આથી કૅન્સરની સારવાર માટે લોહીનો ટેસ્ટ હવે બહુજ અગત્યનો બની રહ્યો છે. એનાથી દર્દીને જલ્દી સારવાર શરુ થાય એ બચાવવામાં બહુ ઉપયોગી થઇ શકે છે.  અમેરિકાની સરકારી સંસ્થાએ પણ તેની મંજૂરી આપી છે. પરંતુ કૅન્સરની દવાના સંશોધન પાછળ હજુ ઘણું કરવાનું બાકી છે.



                                                                              અલઝહેઈમર  એ વૃદ્ધાવસ્થા આવતી   વિસ્મૃતિની મોટામાં  મોટી બીમારી છે. એ વૃદ્ધોની હાલત બહુજ બહેતર કરી નાખે છે. એમાં દર્દી  ઘણીવાર સાનભાન  ભૂલી જાય છે અને ખરાબ હાલત માં જીવન વિતાવે છે. એનો દાખલો અમેરિકાના પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રિગનનો છે. તેઓને તેમની નિવૃત્તિમાં  અલઝહેઈમર થયો હતો. દુનિયાના એક વખતના શક્તિશાળી વ્યક્તિનીની હાલત એવી થઇ હતી કે એમનો પૌત્ર એમની લાકડી પકડીને લોસ એંજલસના સાન મોનિકાના દરિયા કિનારે ફરવા લઇ જતો. આમ એ એટલો ભયંકર રોગ છે જે દર્દીને બેજાર કરી નાખે છે.



                                             અલઝહેઈમર  બીમારી માટે એક જાપાનીસ કંપની 'ઈસાઈ' એ  એના ઉદ્ધભવથી એને સારવાર આપતી એક દવા ' લેકએમબી '  શોધી છે. જેનો ઉપયોગ અમેરિકામાં થવા માંડ્યો છે. આનાથી આવતા સમયમાં આવતા  ૮૫ મિલિયન જેટલા વૃદ્ધો ને  લાભ અને રાહત થશે. એનો ઉપયોગ  પણ વધી રહ્યો છે જેથી એ ભયંકર બીમારીને મૂળથી જ કાબુમાં લઇ શકાય.  તે છતાં એ રોગને મૂળથી નાબૂદ કરવા માટે વધુ સંશોધનની જરૂરિયાત છે.

                                           *****************************

                                                                   

 

                                                        

Monday, August 12, 2024

 


 દુનિયાની તાકાતવર વ્યક્તિ 

                                                         અત્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સનો જમાનો છે. દરેક દેશ ,  દરેક વ્યક્તિ  અને વિશ્વની મોટી કંપનીઓ પણ એમાં રસ  ધરાવે છે. એમાં હવે હરીફાઈ  પણ થવા માંડી છે. દુનિયાની મોટી કંપનીઓ અને એલન માસ્ક જેવા અમેરિકન  અબજોપતિ પણ એની પાછળ છે. તેમાં એ ટેક્નોલોજીનો દુરુપયોગ ન થાય એના માટે શક્તિશાળી દેશો પણ નઝર નાખી રહ્યાં છે. ખુલ્લેઆમ ફેસબૂક , ગુગલ , અમોઝોન, માઇક્રોસોફ્ટ  સૌથી આગળ નીકળી જવા  માટે તત્પર છે. 

                                             ઓપન એ-વનના સી ઈ ઓ અલ્ટમાનને એની કંપનીના  ડિરેક્ટરોએ   હાંકી કાઢ્યા હતા . તેમને અલ્ટમાનના ઈરાદાઓ વિશે અવિસ્વાસ  હતો.  પરંતુ એ કંપનીમાં માઈક્રોસોફ્ટે બિલિયનો ડોલર્સ નાખેલા છે.  તે ઉપરાંત કંપનીના બધા જ નોકરિયાતોને  અલ્ટમાનમાં વિશ્વાસ  હતો .



                                             આવા ખરાબ વખતમાં  માઈક્રોસોફ્ટના સી ઈ ઓ  સત્યા નાડેલા એ  હિંમત પૂર્વક  અલ્ટમાન એના સ્ટાફને કહ્યુકે ' હું તમને માઈક્રોસોફ્ટમાં  તમને બધી સગવડો આપીશ જેથી તમે તમારું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નું  કામ અમારી કંપની સાથે કરીશકો છો.  આથી ' એ ઈ-1  માં હડકંપ મચી ગયો ને અલ્ટમાનને પાછા લેવા પડ્યા. અને પેલા ડિરેક્ટરોને રાજીનામુ આપવું પડ્યું.

                                              તે ઉપરાંત સત્યા નાડેલાએ ' એ ઈ -૧' ના એક  સ્થાપક મુસ્તફા  સુલેમાની  માઈક્રોસોફ્ટમાં જ રાખી લીધા જેથી પોતાનું જ 'એ આઈ- મોડેલ જલ્દીથી શરુ કરી શકાય. એમાં જ નવી ટેક્નોલોજી પર કાબુ મેળવવાની પહેલ છે.

                                                 સત્યા નાડેલા જેવા મજબૂત માણસો જ આવતા દિવસોમાં દુનિયાનો ચહેરો  બદલવામાં  અગત્યનો ભાગ ભજવવાના છે.  

                                                 સત્યા નાડેલા ભારતીય મૂળના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સ્નાતક  છે. એ ભારતીયો માટે ગૌરવની વાત છે.

                                               ******************************

Monday, August 5, 2024

  


જાણવા જેવું -

                                              આકાશમાંથી વરસતો વરસાદ ઘણી વાર બહુજ આલ્હાદક અને લોકઉપયોગી હોય છે. પરંતુ એના એક એક ટીપામાં બી-૧૨ જેવું વિટામિન હોય છે જે માનવીની શક્તિ  માટે ઘણુંજ ઉપયોગી હોય છે.

                         પાઈનેપલ એ બહુજ  સ્વાદિષ્ટ ફળ છે પરંતુ તે ઉપરાંત  માનવીની તંદુરસ્તી માટે એ ઘણું ઉપયોગી ફળ છે. એ કફ સુરપ કરતા પાંચ ઘણું  અકસીર  હોય છે. એ કફ અને ફ્લૂની અકસીર દવા છે.

         ગાજર એ એવું  શાકભાજી છે જેમાં  ફેટ જરા પણ નથી. એથી એ ખાવાથી  શરીર માટે  સારું રહે છે.



                         મધમાખી મધ ઉત્તપન કરે છે. પણ એક મધમાખી જ્યારે બે મિલિયન ફૂલોને ચૂસે છે ત્યારે એક પાઉન્ડ જેટલું મધ ઉભું કરી શકે છે. આ બતાવે છેકે મધમાખી માટે મધ ઉભું કરવા માટે કેટલો શ્રમ કરવો પડે છે .

                        કારમાં એક કલાક  હેડફોન પહેરી રાખવાથી  સાતસો  ટાઈમ બેકટેરિયા વધે છે. આથી વ્યક્તિની તંદુરસ્તીને કેટલું નુકસાન થાય છે એની માહિતી હોવી જરૂરી છે. 



                        ઈંડાની અંદર બધા જ વિટામિનો હોય છે,  ફક્ત વિટામિન સી નો એમાં અભાવ હોય છે. એટલા માટે ઈંડા માનવી તંદુરસ્તી માટે પણ સારા છે.

                      વિજ્ઞાનીકો પ્રમાણે આપણું મગજ એટલી વૉટની શક્તિ વાપરે  જેટલું  ૧૦ વૉટની  લાઇટમાં વપરાય છે.

                     એમ માનવામાં આવે છેકે  ૩૦ મિનિટમાં આપણું શરીર એટલી  ગરમી કાઢે છેકે  જેનાથી  ૧.૫ લિટર પાણીને ઉકાળી શકાય. 

                    આશ્ચર્ય જનક વાત એ છે કે તમે કાબુ બહાર હસી રહ્યા હોય  અને જો તમે તમારો હાથ માથાની ઉપર ઊંચો કરો તો તમારું હાસ્ય તરત અટકી જશે. આ અજમાવી જોવા જેવો એક પ્રયોગ છે.

                                  ******************************************