Friday, July 18, 2025

 


ધન                     

                                 ઘન સર્વને માટે પોતાના આત્મસન્માન અને ગુજરાન માટે આવશ્યક છે. અતિશય ધન પ્રાપ્તિને જાળવવું અને પચાવવું પણ મુશ્કેલ હોય છે. કારણકે ધન બહુજ ચલિત હોય છે. એથી એમાંથી ઘણા અનર્થો પણ  ઉત્ત્પન થાય છે. લોકઉપયોગી કામ માટે વાપરવું એ ધનનો ઉત્તમ ઉપયોગ છે. એનો દૂરઉપયોગ  બધી જાતના અનિષ્ટો ઉભા કરે છે. ટૂંકમાં ધન મનુષ્યનો ઉદ્ધાર  કરે છે અથવા એનો નષ્ટ પણ કરે છે. 

                                  આમ તો ધનનું કોઈ રૂપ  નથી પણ સર્વને આકર્ષે છે. સાધુઓ અને સંતો જ એનાથી પર હોય છે . પરંતુ તેઓ પણ એનાથી આકર્ષે તો એમનું પતન થાય છે. તે ઉપરાંત એ કોઈ હાથ નથી પણ એનાથી કામો થઇ શકે છે . એ પગ પણ નથી પણ એનાથી બધે પહોંચી શકાય છે. એમ  કહેવાય  છેકે પૈસો બધે બોલે છે. એની પાસે કોઈ અવાજ નથી.

                                      ધનમાં કોઈ શ્વાસોશ્વાસ નથી પણ તે ઘણાને નવ જીવન આપી દે છે. જેના પર એ કૃપા કરે એને હસાવે છે પરંતુ  એના વિના ઘણા માનવીઓને  જિંદગી ભર રડાવે છે. ઘણા નસીબદાર માનવીઓ ધનથી જીવનમાં તરી જાય છે. અને કમનસીબો  બરબાદ થઇ જાય છે.



                                    ધન કોઈ ભગવાન નથી પણ લોકો એને ભજે છે. કેટલાંકતો એને ઘરમાં ભગવાનની જેમ પુંજે છે. કેટલાએ કુટુંબોના  ક્લેશો , મોટા યુદ્ધો પણ ઘન મેળવવા માટે થયા છે. અને દુનિયામાં બરબાદી   સર્જી છે. 

                                   સત્તા એટલે સંપૂર્ણ  આધિત્વ  પરંતુ એવું પણ બન્યું  છેકે  ધન સત્તાને પણ ખરીદી લીધી છે. એ અર્થમાં ધન વિશ્વમાં અજય બની શકે છે . તે છતાં ઇતિહાસ કહે છેકે  કેટલાક છાતીવાળા માનવીઓ મૂલ્યોને વળગી રહીને ધનની સામે ઝૂક્યા નથી.  પરંતુ એવા વિરલા બહુ ભાગ્યે જ જોવા મળે છે.

                          ***************************************

Saturday, July 12, 2025

 


 માનસિક બીમારી 

                                               માનવીની  આહાર ખાવાની આદતોની અસર માનવીના મગજ  પર થાય છે. માનવી  જે ખોરાક લે  છે એની અસર માનવીના મગજ  પર  ૨૪ કલાકમાં થાય છે. અમુક જાતનો ખોરાક માનવીના મગજના સમીકરણોને અવળી અસર કરે છે. ડિપ્રેસન જેવા રોગોને એની ખરાબ અસર થાય છે. અમુક જાતના ખોરાક લેવાથી ડિપ્રેસન ૧/૩ ઘણું ઓછું પણ થઇ શકે છે.

                                  મેડિટેરિઅન ખોરાક, અથવા  ઓછું ચરબીવાળો ખોરાક  અથવા  લીલા શાકભાજી , એટલેકે ફાઇબર ધરાવતો ખોરાક મગજના તંતુઓને નિયંત્રણમાં રાખી શકે છે. 



                                આંતરિક સોજાઓ પણ માનસિક બીમારી વધારી દે છે. એવા દર્દીઓ સામાન્ય ડિપ્રેસનની દવાઓની અસર થતી નથી. એવા ૩૦% ટકા માનસિક રોગી હોય છે. આથી આજકાલ માનસિક રોગીઓ માટે મગજમાંથી સોજાઓને દૂરકરવાની દવાઓનો ઉપયોગ થાય છે.

                              એમ કહેવાય છે કે ઓમેગા -૩ માછલીઓ , નટ્સ , અને હોલ ગ્રેઈનસનો ખોરાક સોજાઓને દૂરકરનારી અસર ધરાવે છે.



                           પૂરતી ઊંઘ અને આધ્યાત્મિક ધ્યાન જેવી ક્રિયા પણ માનવીના સ્વાભાવને સારો કરે છે. અને ઇન્ફ્લેમેશનની ક્રિયા ને દૂર કરવામાં મદદ રૂપ થાય છે.  મગજના તંતુઓને વધારે તંદુરસ્ત બનાવી માનવીને માનસિક રોગોથી દૂર રાખે છે.

                                   *******************************

                                   

                                

Wednesday, July 2, 2025



કુદરતને માણવાની  કળા

                                                         આજકાલ જ્યાં જુઓ ત્યાં કુદરતી આફતો વધી ગઈ છે. અધિક વરસાદ , નદીઓમાં પૂર, સાગરનું  છલકાવું , ધરતીકંપ , વાવાઝોડા , જેવી કુદરતી આફતો જ્યાં જુઓ ત્યાં  જોવા મળે છે.  એનું કારણો પણ જોવા રહ્યા .જમીનોને માનવોએ ખોદી કાઢી છે. જંગલોને કાપી નાખ્યા છે.  પાણીના વહેણને કિનારે તોતિંગ કોન્ક્રીટ જંગલો ઉભાકરી દીધા છે. શહેરોમાં પણ એવી જ પરિસ્થિતિ છે. જ્યાં  ત્યાં ઝાડો કાપીને વસાહતો કાયદેસર કે પછી ગેરકાયદેસર  ઉભી કરી દીધી છે. નદીઓમાંથી રેતી ચોરવાની પ્રવૃત્તિઓ માફિયાઓ દ્વારા ચાલી રહી છે. જમીનમાંથી ખનીજો ખોદવાની ગેરકાયદેસર  પ્રવૃતિઓ પૂર જોશમાં  ચાલી  રહી છે.  એટલેકે કુદરતને રંજાડવાની પ્રવૃતિઓ ચાલી રહી છે.  કુદરતને છેડવાની પ્રવૃતિઓ પૂર જોશમાં છે . પછી કુદરત રૂઠીને માનવોને રંજાડે એમાં નવાઈ નથી .



                                                       મોટા મોટા  ઉદ્યોગોએ પણ હવાને અને આકાશને  દુષિત કરી નાખ્યું છે. ટૂંકમાં કુદરતને માણવા કરતા મનુષ્યો એને હણવા પાછળ પડ્યા છે. એનું જ પરિણામ કુદરતી આફતો છે.  એથી ટૂંકમાં  કુદરતના સૌંદર્યને માણવો જોઈએ અને એના છેડછાડથી બને એટલા દૂર રહેવું જોઈએ. 



                                         એક કવિએ એક કાવ્યમાં લખ્યું છે.

        મારે --

        મારે  હરિયાળી ખીણોમાં રખડવું છે

       નદીઓના કોતરોમાં અને પંખીઓના કલરવોમાં 

        રમવું  છે કુદરતને ખોળે

       ત્યાં જીવનનો પરમ આનંદ  માણવો  છે મારે .

       મારે --

       મારે પવનના  શુસવાટે  થથરવું  છે 

      મેઘ અને વીજળીની જુગલબંધી જોઈને  

      જીવનનો પરમ આનંદ માણવા 

      ડુંગરોની ખીણોમાં રખડવું છે મારે 

      મારે --

      નદીઓના નિર્મળ  જળમાં ડૂબકીઓ મારવી છે 

      સાગરની લહેરો પર તરવું  છે મારે 

      જીવનનો  પરમ આનંદ માણવા 

     કુદરતને ખોળે વિહરવું છે મારે 

     મારે --

                                               

        ટૂંકમાં  માનવોએ કુદરતને છેદવા કરતા એને  માણવાની કળા ખીલવવાની  જરૂર છે જેથી બંનેનું અસ્તિત્વ સુખમય બને.

                                     *********************************