Saturday, July 12, 2025

 


 માનસિક બીમારી 

                                               માનવીની  આહાર ખાવાની આદતોની અસર માનવીના મગજ  પર થાય છે. માનવી  જે ખોરાક લે  છે એની અસર માનવીના મગજ  પર  ૨૪ કલાકમાં થાય છે. અમુક જાતનો ખોરાક માનવીના મગજના સમીકરણોને અવળી અસર કરે છે. ડિપ્રેસન જેવા રોગોને એની ખરાબ અસર થાય છે. અમુક જાતના ખોરાક લેવાથી ડિપ્રેસન ૧/૩ ઘણું ઓછું પણ થઇ શકે છે.

                                  મેડિટેરિઅન ખોરાક, અથવા  ઓછું ચરબીવાળો ખોરાક  અથવા  લીલા શાકભાજી , એટલેકે ફાઇબર ધરાવતો ખોરાક મગજના તંતુઓને નિયંત્રણમાં રાખી શકે છે. 



                                આંતરિક સોજાઓ પણ માનસિક બીમારી વધારી દે છે. એવા દર્દીઓ સામાન્ય ડિપ્રેસનની દવાઓની અસર થતી નથી. એવા ૩૦% ટકા માનસિક રોગી હોય છે. આથી આજકાલ માનસિક રોગીઓ માટે મગજમાંથી સોજાઓને દૂરકરવાની દવાઓનો ઉપયોગ થાય છે.

                              એમ કહેવાય છે કે ઓમેગા -૩ માછલીઓ , નટ્સ , અને હોલ ગ્રેઈનસનો ખોરાક સોજાઓને દૂરકરનારી અસર ધરાવે છે.



                           પૂરતી ઊંઘ અને આધ્યાત્મિક ધ્યાન જેવી ક્રિયા પણ માનવીના સ્વાભાવને સારો કરે છે. અને ઇન્ફ્લેમેશનની ક્રિયા ને દૂર કરવામાં મદદ રૂપ થાય છે.  મગજના તંતુઓને વધારે તંદુરસ્ત બનાવી માનવીને માનસિક રોગોથી દૂર રાખે છે.

                                   *******************************

                                   

                                

No comments:

Post a Comment