Sunday, August 24, 2025

 


 આદિ માનવનું રહેઠાણ- ગુફા 

                                                                આદિ માનવીઓ હંમેશા અસલામતીમાં જીવતા. હિંસક પ્રાણીઓ અને આંતરિક લડાઈઓ એમને સતાવતી. ત્યારે  કાયદા અને વ્યવસ્થા જેવું કઈ હતુજ નહિ અને લોકોનું જીવન અસ્તિવ એમની કાબેલિયતને અને આવડત પર અવલંબિત હતી. એવા ભયજનક વાતાવરણમાં તેઓ કુદરતને ખોળે જે રક્ષણ મળતું લઈને રહેતા.

                                     એમાં એમનું રહેઠાણ ગુફાઓમાં રહેતું. ઘણીવાર તેઓ કુદરતી ગુફાઓમાં વાસ કરતા. અને જેમ જેમ એમની કલા વિકસતી ગઈ તેમ જાતે પણ પથ્થરો કોતરી  ગુફા બનાવી રહેવા માંડ્યા. જેમ સંસ્કૃતિ વિકસી તેમાં નકશીકામ અને ચિત્રકામ પણ વિકસાવ્યું. આવી ઘણી ગુફાઓ દુનિયામાં ઘણી જગાએ મળી આવી છે. આ પથ્થર યુગની વાત છે જે વખતે પથ્થરના શસ્ત્રો શિકાર કરવા અથવા નાના મોટા સંગર્ષો  પણ વપરાતા હતા. 



                                   આવી ૨૦૦૦ જેટલી ગુફાઓ જેમાં આદિ માનવો જીવતા હતા તે સ્પેઇનના ડુંગરાળ પ્રદેશમાં શોધવામાં આવી છે.  યુરોપની  સૌથી મોટામાં મોટી ગુફાની વસાહત આજે ત્યાં ૩૦૦૦ માણસોને સમાવે છે. આજે  પણ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં સખત ગરમીથી બચવા માટે  એવી ગુફા જેવા ઘરોમાં રહે છે.

                                  આદિ માનવીઓ જ ગુફામાં રહેતા હતા એવું નથી પણ આજના યુગમાં પણ અમેરિકામાં ઉટાહ ખાતે  મોર્મોન્સ લોકો ૧૫ જેટલી ગુફામાં ઘર બનાવી રહે છે.



                                      તે ઉપરાંત ગ્રેનાડા, સ્પેઇનમાં  ગુફામાં રહેનાર લોકોએ ફલેમનકો  જેવી નૃત્ય કલાને ૫૦૦ વર્ષ પહેલા વિકસાવી હતી જે આજે જગપ્રખ્યાત  કલા બની ગઈ છે. આજે પણ સ્પેઇનમાં એવા જ વાતાવરણ વચ્ચે રાત્રીના સમયે એ નૃત્યકલાનું પ્રદર્શન કરવામાં આવે છે.



                                    આવી  ગુફા સંસ્કૃતિએ દુનિયાને  અનોખી કળાની પણ ભેટ આપી છે.  તે સાથે  ગુફાના ઠંડા અને આલ્હાદક વાતાવરણમાં રહેતા કેટલા તંદુરસ્ત વાતાવરણ માં રહેતા હતા અને એમાં પ્રદુષિત વાતાવરણને  સ્થાન પણ ન હતું .

                                       એમાંથી એક પ્રશ્ન ઉદ્ભવે છે.કે કોણ સુખી હતા? આદિ માનવ કે પછી આધુનિક માનવી?

                                   ***********************************

                                     

Saturday, August 16, 2025

 


ઇઝરાયેલ 

                                                      બીજા યુદ્ધ દરમિયાન  નાઝીઓને હાથે  જ્યૂઝ લોકોએ ઘણા અત્યાચારો સહન કર્યા તે અસહનીય હતા. કેટલાક જ્યૂઝોને તો ગેસ ચૅમ્બરમાં નાખીને મારી નાખવામાં આવ્યા હતા. આમ જ્યૂઝ પ્રજાએ ઘણા જુલમો સહયા હતાઅને એમના પ્રત્યે દુનિયાને સહાનુભૂતિ હતી.આમ તો જ્યૂઝ પ્રજા  આખી દુનિયામાં જઈને વસી  હતી પરંતુ હિટલરે અને નાઝી સત્તાએ એમને  વણી વણીને માર્યા હતા.  જ્યૂઝ પ્રજા જ્યાં વસી ત્યાં એમની બુદ્ધિ અને આવડતને લીધે નામના કાઢી હતી. આજે પણ દુનિયામાં નોબલ પુરસ્કાર મેળવવામાં આગળ છે. અમેરિકામાં શેર માર્કેટમાં, હોલિવુડમાં, રાજકારણમાં અને સમાજના દરેક ક્ષેત્રમાં જ્યૂઝ લોકો આગળ પડતું સ્થાન ધરાવે છે અને ઘણુંજ શક્તિશાળી જૂથ છે. એમ કહેવાય છે કે જુના સમયમાં જ્યૂઝો પેલેસ્ટાઇનમાં  રહેતા હતા પરંતુ એમને બહારના આક્રમણોકારોએ ત્યાંથી ભગાડયા હતા અને એ પ્રજા દુનિયામાં જ્યાં સ્થાન મળ્યું ત્યાં પથરાયેલા હતા. એટલેકે એમના માટે કોઈ દેશ હતો નહિ.  એમના પર થયેલ જુલમો અને એમાંથી ઉત્ત્પન થયેલી સહાનુભૂતિ એ ૧૯૪૮ માં પેલેસ્ટાઇનમાં થોડો પ્રદેશ કાઢીને અમેરિકા અને પશ્ચિમી દેશોએ ઇઝરાયેલ નામનો દેશ જ્યૂઝઓ માટે ઉભો કરવામાં આવ્યો ત્યારથી પેલસ્ટાઈનો અને બધાજ મુસ્લિમ દેશોને ઇઝરાયેલ પ્રત્યે રોસ છે કે ઇઝરાયેલ ઉભું કરીને એમની જમીન પચાવી પાડી છે. અને આજુબાજુના દેશો સાથે ઇઝરાએલનો  ટકરાવ ચાલુ રહ્યો  છે.



                                          એમાં 'હમાસ' નામની  મુસ્લિમ ત્રાસવાદી સંસ્થાએ  ઇઝરાયેલ પર હુમલો કરીને ઘણા ઇઝરાયલી નાગરિકોને મારી નાખી ૨૦૦ થી  વઘારેનું અપહરણ કરી નાખ્યું  હતું. આજ ઇઝરાયેલ માટે રોસનું કારણ બન્યું   અને એ  ઇઝરાયેલ અને ગાઝા પટ્ટી વચ્ચે યુદ્ધનું કારણ બન્યું. અને એ આજે પણ ચાલુ  છે. 

                                             ત્રાસવાદી સંસ્થાના હમાસ  દ્વારા ઇઝરાયેલ પર થયેલા  હિંસક હુમલા બાદ ઈઝરાઈલે પોતાના રક્ષણ માટેના જે પગલાં લીધા એણે ગાઝાની બરબાદી નોતરી છે. ગાઝાના રસ્તાઓ , હોસ્પિટલો ખેતીની જમીનો ,સ્કૂલો ,અને માછીમારોના  વહાણોનો પણ બોમ્બમારાથીં નાશ થયો છે. ઈઝરાઈલે હમાસ  નાગરિકો , સ્કૂલો , હોસ્પીટલોનો ઉપયોગકરી પોતાનું રક્ષણ કરેછે' એમ કહી દરેક વસ્તુઓ પર બોમ્બમારો  વર્ષાવી ગાઝાને જમીનદોસ્ત કરી નાખ્યું છે. 'ગાઝામાં ૬૦% મકાનો ,૬૨%રસ્તાઓ , ૮૪% ખેતીની જમીનો, ૮૯% સ્કૂલો , ૯૪% હોસ્પિટલો અને ૭૨% માછીમારોના વહાણો ભીષણ  બોમ્બમારામાં નાશ પામ્યા છે . આજે ગાઝા ખંડેર હાલત માં  છે. હામાસની શક્તિનો નાશ કરી નાખવામાં આવ્યો છે. તેછતાં લાગેછેકે હજુ ઇઝરાયેલનું લક્ષ્ય પૂરું થયું નથી. 

                                                         બધી  માનવાધિકારી સંસ્થાઓ , પશ્ચિમી રાષ્ટ્રો પણ તેમના પ્રજામતને લીધે ઇઝરાયેલ પર યુદ્ધવિરામ કરવા દબાણ લાવી રહ્યા છે. પરંતુ ઇઝરાયેલ યુદ્ધના ક્ષેત્રને લેબિનોન , સિરિયા , અને ઈરાન સુધી વધારી દીધું છે. એની પાછળ ઇઝરાયેલ એના અસ્તિત્વના ભયને આગળ કરી રહ્યું છે. 

                                                            અમેરિકામાં પણ જ્યૂઝ લોબી બહુજ શક્તિશાળી છે જેથી અમેરિકા ઈઝરાયેલને  શસ્ત્રોની મદદ કરી રહ્યું છે. આથી આ યુદ્ધ ક્યાં જઈને અટકશે એ એક વિકટ પ્રશ્ન છે.?

                                       *******************************************   

Monday, August 4, 2025

 


મિત્રતા 

                                           દુનિયામાં સારો મિત્ર  બહુ મુશ્કેલીથી મળે છે. અને એ નસીબદારને જ મળે  છે. સારા વખતમાં તો ઘણા આનંદ માનવા સાથે આવી જાય છે પણ એમની કસોટી તો ખરાબ અને મુશ્કેલ સમયમાં થઇ જાય છે. એટલે એક સારો મિત્ર  જીવનમાં ઉપ્પર લઇ જાય છે. જયારે ખરાબ મિત્ર જીવન બરબાદ કરી નાખે છે. 

                                         સારો મિત્ર  હંમેશા  પ્રગતિમાં પ્રોત્સાહિત  કરે છે અને મિત્રની ચઢતીમાં આનંદ માણે છે. મુશ્કેલીમાં જે તમારી સાથે રહે અને સાંત્વન પૂરું પાડે છે.  જીવનના મુશ્કેલ પ્રશ્નોમાં  ખરી અને વજૂદ સલાહ આપે છે. જોવાનું તો એ હોય છે કે કોઈ પણ લોહીનો સબંધ ન હોવા છતાં પ્રેમ વરસાવતો રહે છે.

                                            પાર્ટીઓ અને પીકનીકમાં  દિલથી આનંદ આપે અને  પ્રેમ વર્ષાવે. જે તમારા સુખમાં વધારો કરે અને દુઃખને ભૂલી જવામાં મદદ કરે.  જ્યા અગવડોમાં પડે અને જ્યાં અવગુણો મિત્રતામાં નડે એને સહન  કરી લે. જીવનમાં તમારી સાથે દૂધમાં સાકરની જેમ ભળી  જાય અને જીવન સાગરને  સુખમય બનાવી દે.

                                          જોવાનુંતો એ છે કે મિત્રનું કોઈપણ લોહીનું સગપણ હોતું નથી પણ સગાઓની જેમ જ પ્રેમ આપતો રહે. કદી પણ આ મારુ અને પેલું  તારું એનો આભાષ પણ ન થવા દે એ ખરો મિત્ર.

                                             સાચો મિત્ર હંએશાં  તમારી પ્રગતિમાં સીડીની ગરજ સારે છે. અને  જીવન માર્ગમાં હંમેશા એનો ખભો ટેકા માટે તૈયાર રાખે છે.  માંદગીમાં પણ તમને સહારો આપે  અને એમાંથી બહાર નીકળવાની  પ્રેરણા આપે .

                                           ઘણીવાર સગાઓ કરતા સારા મિત્રો વધારે મદદ રૂપ બની રહે છે. એ જીવનનું સત્ય બની રહે છે.

                                     ***************************************