Friday, March 28, 2025

  


માર્ક ઝુકરબુર્ગ અને ફેસબુક 

                                                        માર્ક ઝુકરબુર્ગ એ ફેસબૂકના માલિક છે અને અમેરિકાના એક ધનવાન વ્યક્તિ છે. અને ઉદ્યોગ જગતમાં અને   રાજકીય દ્રષ્ટિએ પણ બહુજ અગત્યના વ્યક્તિ છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ચૂંટાયા પછી એમની સાથે વાત કરવામાં પણ એમણે પહેલ કરી હતી. એમની કંપનીના વડા સિરિલ સેન્ડ બર્ગ પણ એટલાજ શક્તિશાળી  અને ધનવાન છે. માર્ક ઝુકર બર્ગ  પાસે  આશરે ૬૭  બીલીઓન  ડોલર જેટલું ધન છે. અને દુનિયાના ધનવાનોમાં એનો ૧૭ મોં  જેટલો નંબર આવે છે. જયારે એમના ચીફ એક્સસીક્યુટીવ ઓફિસર સિરિલ સેન્ડ બર્ગ  પાસે એક બીલીઓન ડોલર જેટલું ધન છે.                     

                                            ૨0૧૮ માં ફેસબૂકની ટોટલ ચોખ્ખી  આવક ૫૫ બીલીઓન ડોલર હતી. અને ચોખ્ખો નફો ૨૧બિલિયોન ડોલરનો હતો. કેટલાએ નાના દેશોનો જીડીપી પણ એટલો નથી હોતો. ૨૦૧૭ માં જાહેરખબરમાંથી જ ફેસબુકને ૪૦ બીલીઓન ડોલર જેટલી આવક થઇ હતી. આજ બતાવે છેકે કંપની કેટલી શક્તિશાળી છે.



                                          ફેસબુક ૨ બિલિયોનથી વધારે દુનિયાના લોકોને જોડે છે.  આથી ફેસબુક પાસે અબજો લોકોના વિષેની માહિતી છે. અને એણે એનો વેપાર પણ કર્યો છે એમ કહેવાય છે. કેમ્બ્રિજ એનાલિટિકાને ૮૭ મિલિયન લોકોની માહિતી પુરી પાડી હતી. 

                                         આ  ફેસબુકની શક્તિનો અંદાજ આપે છે. રાજકીય રીતે પણ લોકોના અભિપ્રાયને અસર કરવાની પણ   ફેસબુકમાં શક્તિ રહેલી છે. એટલા માટે જ ઝુકરબર્ગે  હવે સત્તા પર આવેલા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સમાધાનનો રસ્તો અપનાવ્યો હોય એમ લાગે છે . આજકાલ લોક મીડિયા કંપનીઓનો જમાનો છે. 

                                    ******************************************

                                           


                                                





                                                

Thursday, March 27, 2025



જીવનનું રહસ્ય 

                                                          જીવનના  મધ્યસ્થમાં કોઈ પણ જાતના ભય વગર જીવન જીવી નાખવું જોઈએ કારણકે તે સમયમાં માનસિક અને  શારીરિક રીતે વધુ કરીને લોકો તંદુરસ્ત હોય છે. તે ઉપરાંત ગયેલો સમય કદી પાછો આવતો નથી માટે સમયનો સદઉપયોગ સમયસર  કરતા રહેવું જોઈએ.એટલામાટે સમયસર જેટલું બહાર ફરવાનો  શોખ પ્રમાણે ફરી લેવું જોઈએ. તમારા પગો કામ કરતા બંધ થઇ જાય અને તકલીફ આપવા માંડે પછી તમને બહાર ફરવા ન જવા માટે કોઈ ગમ ન થવો જોઈએ. 

                        જયારે તક મળે ત્યારે મિત્રો, સ્કૂલ  મિત્રો  સહિત, અને સાથે કામ કરનારા સાથે મળતા રહેવું  જોઈએ અને એમાંથી આનંદ મળી રહે છે. એવા મિલનમાં ખાવા કરતા ભૂતકાળની યાદો વધારે મહત્વની હોય છે જે જીવનમાં નવ ઉર્જા ભરી દે છે.  વૃદ્ધવસ્થામાં  જયારે વખત મળે ત્યારે  વખતનો  ઉપયોગ વધુને વધુ આનંદ મેળવવામાં કરવો જોઈએ જેથી તંદુરસ્તી સારી રહે.



                         ખોરાક પણ ખવાય એટલો અને ફક્ત સારો સ્વાદનો અનુભવ કરવા માટે લેવો જોઈએ . ખાવાનો આનંદ આગળ  વયમાં  શરીરની પૂરતી માટે જ લેવો જોઈએ . વધારે પડતો ભાવતો ખોરાક ખાવો એ શરીર માટે હાનિકારક હોય છે. શરીરને પુષ્ટિ કરે એવો  ખોરાક લેવો આવશ્યક છે.  



                          નબળી તબિયત અને બીમારીને જીવનની એકપ્રક્રિયા સમજીને લેવી જોઈએ. શરીરને બીમારીમાં  ડોક્ટરને હવાલે કરી  અને તમારા જીવનને  ઈશ્વર પર  છોડી હંમેશા સારી રીતે  જીવી જવાની એક ઉમદા રીત છે. કોઈ પણ જાતની ચિંતા એ બીમારીનો ઉકેલ નથી. ચિંતાએક કાલ્પનિક ચીજ છે. એ ખુશી ને બદલે સંતાપ લાવેછે.  પરંતુ એ કોઈપણ ઉકેલ લાવતી નથી.

                       તમારા છોકરાઓ એમનું ભવિષ્ય પોતે જ બનાવી લેશે માટે  એમની ચિંતા કરાવી વ્યર્થ છે.પરંતુ તમારી બચત નો ઉપયોગ તમારા વહેવાર ચલાવવા માટે કરી  આત્મસન્માનથી જીવવું જરૂરી છે. તમારા શરીર ની તંદુરસ્તીની સંભાળ દરેકે પોતે જ રાખવી રહી. આથી હસતા હસતા જીવી જવું એજ ધેય હોવું જોઈએ. જીવન એક વહેતા પાણી જેવું જે પાછું વળતું નથી. જીવનનું એ રહસ્ય છે. એટલા માટે જીવનને સુખી રીતે જીવી જવાનો પ્રયત્ન કરવો રહ્યો.

                                              *********************************** 

Tuesday, March 25, 2025



યોગ

                                                               યોગ એ ભારતીય સંસ્કૃતિનો એક અમૂલ્ય ભેટ છે. જેને આજે સારી દુનિયાએ અનુભવીને એનો સ્વીકાર કર્યો છે. એટલા માટે ૨૧ મી જૂન ને આતરરાષ્ટ્રીય દિવસ તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે.યોગમાં એવું શું છેકે લોકોએ સારા  સ્વાસ્થ્ય  જીવન માટે એનો સ્વીકાર કર્યો છે.

                                 યોગ એટલે તમારા અંગુઠાએ અડકવાની ક્રિયા નથી એતો તમારા વિચારોને જકડી લેવાની પ્રક્રિયા છે.  બીજા અર્થમાં યોગ  એ સંગીત સમાન છે. એ એક માનસિક દ્વારા ગવાયેલો એક સુંદર રાગ છે . શરીરને આત્મા સાથે જોડવાનો પ્રયત્ન છે.



                                બીજા અર્થમાં તમને શું જોઈએ છે? તમે ક્યાં  જઈ શકો છો? અને એ તમે કેવી રીતે મેળવી શકો છો એની એક ક્રિયા છે. ટૂંકમાં યોગ તમારા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર પણ આપે છે.

                                   યોગ વિષે વિવિધ વિદ્વાનો નું શું કહેવું છે એ પણ રસપ્રદ છે. સ્વામી કૃપાલ કહે છેકે ' તમારી  દરેક ક્રિયાને કળાકીય રીતે રજુ કરાવી એ  પણ યોગ છે'. રાલ્ફ ગેટ્સ ના પ્રમાણે 'યોગ એ બહારી ક્રિયા નથી પણ આત્માને એની સાથે જોડવાની ક્રિયા છે'. અમિત રેના માનવા પ્રમાણે યોગ એક કાવ્યમય ક્રિયા છે. યોગ એ આળસુ માણસની વાત નથી પરંતુ જે  એનો અમલ કરે છે એને સફળતા  જરૂર મળે છે  એમ  સ્વાત્મારામ  કહે છે.



                                  આજે દુનિયાભરમાં યોગના કલાસો  ચાલે છે અને એનાથી ફાયદો અવશ્ય થાય છે એટલા માટે એની માંગ વધી ગઈ છે. એનાથી તંદુરસ્તી અને માનસિક શાંતિ લોકો અનુભવે છે. એથી યોગ હવે એ ભારતીય પ્રક્રિયા નથી રહી પણ એ હવે આંતરરાષ્ટ્રીય  માંગ બની ચુકી છે.  એના માટે દરેક ભારતીયોએ ગર્વ લેવો જોઈએ.

                                        ********************************************