Thursday, March 27, 2025



જીવનનું રહસ્ય 

                                                          જીવનના  મધ્યસ્થમાં કોઈ પણ જાતના ભય વગર જીવન જીવી નાખવું જોઈએ કારણકે તે સમયમાં માનસિક અને  શારીરિક રીતે વધુ કરીને લોકો તંદુરસ્ત હોય છે. તે ઉપરાંત ગયેલો સમય કદી પાછો આવતો નથી માટે સમયનો સદઉપયોગ સમયસર  કરતા રહેવું જોઈએ.એટલામાટે સમયસર જેટલું બહાર ફરવાનો  શોખ પ્રમાણે ફરી લેવું જોઈએ. તમારા પગો કામ કરતા બંધ થઇ જાય અને તકલીફ આપવા માંડે પછી તમને બહાર ફરવા ન જવા માટે કોઈ ગમ ન થવો જોઈએ. 

                        જયારે તક મળે ત્યારે મિત્રો, સ્કૂલ  મિત્રો  સહિત, અને સાથે કામ કરનારા સાથે મળતા રહેવું  જોઈએ અને એમાંથી આનંદ મળી રહે છે. એવા મિલનમાં ખાવા કરતા ભૂતકાળની યાદો વધારે મહત્વની હોય છે જે જીવનમાં નવ ઉર્જા ભરી દે છે.  વૃદ્ધવસ્થામાં  જયારે વખત મળે ત્યારે  વખતનો  ઉપયોગ વધુને વધુ આનંદ મેળવવામાં કરવો જોઈએ જેથી તંદુરસ્તી સારી રહે.



                         ખોરાક પણ ખવાય એટલો અને ફક્ત સારો સ્વાદનો અનુભવ કરવા માટે લેવો જોઈએ . ખાવાનો આનંદ આગળ  વયમાં  શરીરની પૂરતી માટે જ લેવો જોઈએ . વધારે પડતો ભાવતો ખોરાક ખાવો એ શરીર માટે હાનિકારક હોય છે. શરીરને પુષ્ટિ કરે એવો  ખોરાક લેવો આવશ્યક છે.  



                          નબળી તબિયત અને બીમારીને જીવનની એકપ્રક્રિયા સમજીને લેવી જોઈએ. શરીરને બીમારીમાં  ડોક્ટરને હવાલે કરી  અને તમારા જીવનને  ઈશ્વર પર  છોડી હંમેશા સારી રીતે  જીવી જવાની એક ઉમદા રીત છે. કોઈ પણ જાતની ચિંતા એ બીમારીનો ઉકેલ નથી. ચિંતાએક કાલ્પનિક ચીજ છે. એ ખુશી ને બદલે સંતાપ લાવેછે.  પરંતુ એ કોઈપણ ઉકેલ લાવતી નથી.

                       તમારા છોકરાઓ એમનું ભવિષ્ય પોતે જ બનાવી લેશે માટે  એમની ચિંતા કરાવી વ્યર્થ છે.પરંતુ તમારી બચત નો ઉપયોગ તમારા વહેવાર ચલાવવા માટે કરી  આત્મસન્માનથી જીવવું જરૂરી છે. તમારા શરીર ની તંદુરસ્તીની સંભાળ દરેકે પોતે જ રાખવી રહી. આથી હસતા હસતા જીવી જવું એજ ધેય હોવું જોઈએ. જીવન એક વહેતા પાણી જેવું જે પાછું વળતું નથી. જીવનનું એ રહસ્ય છે. એટલા માટે જીવનને સુખી રીતે જીવી જવાનો પ્રયત્ન કરવો રહ્યો.

                                              *********************************** 

No comments:

Post a Comment