Thursday, April 10, 2025

 


કૈલાસ - માનસરોવર 

                                            કૈલાસ એ હિંદુઓ માટે બહુજ પવિત્ર સ્થળ છે. હિંદુઓ માને છે કે કૈલાસ એ મોક્ષ અને મુક્તિ અપાવનારું  સ્થળ છે જ્યા ઉચ્ચકોટીના આત્માઓનો વાસ છે.એ એક આદ્યાત્મિક સ્થળ છે. પરંતુ એ તિબેટમાં આવેલું છે અને એના પાર ચીનનો કાબુ છે.  ભારતની એ કમનસીબી છે. કે જે સ્થળે મુક્તિ માટે પાંડવોએ મહાભારતના યુદ્ધ પછી પ્રયાણ કર્યું હતું  તેના પર આપણા દેશનો કાબુ નથી.  તિબેટ પર ચીનના  હક્કનેમંજુર કરવામાં આપણી રાજનીતિની નિસ્ફળતામાંથી ઉદ્ધભવેલો પ્રશ્ન છે.

                                                 આજે આપણે કૈલાસની યાત્રા માટે ચીન પર નિર્ભર રહેવું પડે છે.  કૈલાસ 22028 ફીટ જેટલી ઉંચાઈ ધરાવે છે . અને એની પરિક્રમા 32 માઈલ  જેટલી લાંબી છે. એમાંથી ભારતની જીવન દોરી સમાન  બ્રમ્હપુત્રા,  કરનાળી , સતલજ  અને સિંધુ જેવી વિશાલ નદીઓ વહે છે.



                                                  કૈલાસની તળેટીમાં જ વિશાળ માનસરોવર આવેલુંછે. એને હિંદુઓ બહુજ પવિત્ર માને છે. એ હિમાલયમાં 15060 ફીટ પર આવેલું છે. અને એનો ઘેરાવો  55 માઈલ જેટલો છે. અને એ વધારેમાં વધારે 300 ફીટ જેટલું ઊંડાઈ ધરાવે છે.



                                                       ભારતથી છ જગાએથી કૈલાસ પહોંચી શકાય છે.  લદાખ ,ગંગોત્રી , બદ્રીનાથ , જ્યોતિ મઠ , અલમોરા, નેપાળને માર્ગે કૈલાસ અને માનસરોવર પહોંચવાના માર્ગો છે. એ  ૨૮ દિવસની યાત્રા હોય છે. એમાં ૧૧ દિવસો ભારતમાં  પસાર કરવા પડે છે. 

જ્યાં શિવનો વાસ માનવવામાં આવે છે અને ગહન વ્યક્તિઓનો વાસ છે એવી ભૂમિનો લાભ એકવાર લેવા જેવો છે.

                                         **********************************************

Friday, April 4, 2025



 સાઇકલ 

                                                 તમે  ૧૦૦ વર્ષ પહેલા જાવ તો સાઇકલ એક એવું વાહન હતું કે લોકો એનો ઉપયોગ દૂર સુધી જવા ઉપયોગ કરતા. કેટલાક તો આજના ટેક્ષીના જમાનામાં જેમ લોકો ભાડે  મોટરકાર  લેછે એમ વાહન માટે સાઇકલ પણ ભાડે લેતા. આ ધંધો આજે  પણ ગામડાઓમાં અને શહેરોમાં પણ ચાલે છે. બગીઓ અને મોટરકારના જમાનામાં સાઇકલ ધીમે ધીમે ગરીબો અને મધ્યમવર્ગનું વાપરવાનું સાધન બની. હવે ધનવાનો  શરીરની તંદુરસ્તી રાખવા માટે સાઇકલ સવારી કરે છે જયારે સામાન્ય વર્ગ એનો ઉપયોગ કામધંધા પર  જવા માટે કરે છે.

                                       ધનવાન દેશોમાં પણ ધનવાનો , અને યુવાનો હવે શારીરિક તંદુરસ્તી જાળવવા સાઇકલ  પર નીકળી પડે છે. એટલે રસ્તાની બાજુમાં જુદી બાઈક લાઈનો ચાલુ કરી છે. અને બાઈક રાઇડિંગ બહુજ પ્રખ્યાત થવા માંડી છે. અમેરિકા અને યુરોપ જેવા પ્રદેશોમાં બાઈક રાઈડ  શારીરિક  તંદુરસ્તીની દ્રષ્ટિએ પણ લોકપ્રિય બની રહી છે.

                                           ૧૯૦ મોટા શહેરોમાં ૯ લાખ મિલિયન સાઇકલો ફરી રહી છે. અને ચીનમાં  એક વખત ૩ માંથી એક વ્યક્તિ સાઇકલ ધરાવતી હતી. એક વખત એવો હતોકે ચીન માં લગ્ન કરવા ઘરમાં એક સાઇકલ હોવી જરૂરી હતી. ન્યૂયોર્કમાં ,પેરિસમાં અને લંડન માં આશરે ૧૦૦૦૦, ૨૧૦૦૦, ૧૬૦૦૦ જેટલી  સાઇકલ વાપરનારા છે.



                                            એક રસપ્રદ દાખલો એવો છે કે અમેરિકાના ભૂત પૂર્વ પ્રમુખ એચ ડબલ્યુ  બુશ જયારે અમેરિકાના ચીનમાં એલચી હતા ત્યારે એમની પત્ની સાથે સાઇકલ પર  બેઈઝીંગ જોવા નીકળ્યા હતા. આજ બતાવે   છેકે  સાઇકલ રાઈડ દુનિયામાં કેટલી લોકપ્રિય બની ચુકી છે. 



                                              ગરીબોનો ધંધાકીય સહારો સાઇકલ આજકાલ અમીરોનો  શોખ બની ચુકી છે.  ગરીબો એનો ઉપયોગ પોતાની રોજીરોટી રળવા  માટે કરેછે જયારે અમીરો એનો ઉપયોગ શરીરની તંદુરસ્તી તથા ખોરાક પચાવવા માટે કરે છે. એ વિધિની વિચિત્રતા છે.

                                    ******************************************                                

Wednesday, April 2, 2025

  


  પૈસાની  જાળવણી 

                                આજકાલ તમારા  પૈસાને કેવી રીતે ગુનેગારોથી બચાવવા એક કોયડો છે. ઓન લાઈન  ગુનાઓ પુષ્કળ પ્રમાણમાં વધી ગયા છે. અને લાખો રૂપિયાઓ ચવાઈ ગયા છે. એમાં કેટલાએ નિર્દોષ લોકોએ પોતાની જિંદગીભરની કમાણીઓ ગુમાવી દીધી છે. આથી પૈસાની જાળવણી માટે અમુક પગલાં લેવા આવશ્યક છે.

                                    પૈસાનો વ્યહવાર આમતો બેંકો દ્વારા જ થાય છે એટલે બેંક ખાતામાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. ઘણી બેંકો ખાતાઓ રાખવાથી એના પાર અંકુશ રાખવો મુશ્કેલ થાય છે. માટે એક મુખ્ય અને બીજો એક ખાતું જુદું રાખવું  એટલેકે  બે ખાતાઓ જ રાખ્યા હોય તો એના પાર કાબુ રાખવું સરળ રહે છે.

                                      ગણાખરા પૈસા મુખ્ય ખાતામાં રાખવા અને એ ખાતાનો ઓન લાઈન ઉપયોગ ટાળવો . તે ઉપરાંત મુખ્ય ખાતાના ડેબિટ  કાર્ડ પણ વાપરવો જોઈએ નહિ.

                                       બીજા ખાતાનો ઉપયોગ ખર્ચાઓ માટે ઉપયોગ થઇ શકે. એના એટીએમ કાર્ડનો ઉપયોગ કેશ ઉપાડવા માટે થઇ શકે. તે ઉપરાંત મુખ્ય ખાતામાંથી જરૂર પડે એ પ્રમાણે પૈસા બીજા ખાતામાં કરી શકાય.  આથી તમારા માટે  બેન્ક વ્યહવાર સરળ અને સલામત રહેશે.



                                          ક્રેડિટ કાર્ડનો વ્યહવાર વધુ સલામત હોય છે. કારણકે એમાં તરત જ પૈસા ડેબિટ થતા નથી એટલે ખોટા અને ગુનાહિત નાણાની ચુકવણી પર ગરાકનો કાબુ રહે છે  ખોટી ચુકવણીને પાછી મેળવવી સરળ રહે છે. જયારે ડેબિટ કાર્ડ માં પૈસા તરતજ ડેબિટ થઇ જાય છે અને ખોટી ચુકવણી ના પૈસા મળવા મુશ્કેલ થઇ જાય છે.

                                          ચિપવાળા કાર્ડ રાખવા સારા . તમારા કાર્ડને  ક્યારે પણ  તમારી નઝર બહાર જવા ન દેવો જોઈએ , અને જયારે તમે  તમારો પીનકોડ વાપરો ત્યારે કોઈની  પણ  નઝર એના  પર ન પડે એની કાળજી લેવી જોઈએ. 

                                       એટીએમ માં જાવ ત્યારે બરાબર સાવચેતી રાખવી  જરૂરી છે. અને ધ્યાન રાખવું કે પિનકોડના ઉપયોગ કરતી જોઈ લેવું કે કોઈ કૅમેરા કે  પાછળની વ્યક્તિ એના પર નઝરતો  નથી રાખતું . એટીમની રિસીપટ પણ જોઈએ ફાડી નાખવી  જરૂરી  છે. કેશને  પાકીટમાં  મૂકીને જ એટીએમમાંથી બહાર આવવું એમાં જ તમારી અને પૈસાની સલામતી છે.



                                               આતો સામાન્ય બાબતો છે જેનું ધ્યાન આ ઈન્ટરનેટ ના જમાનામાં જરૂરી છે. તમારા પૈસાની સલામતી  અને જાળવણી એમાં રહેલી છે. દરરોજ પૈસાની બાબતમાં કેટલાએ કેટલાએ ફ્રોડો બેન્કોના બાબતોમાં થાય છે એમાંથી બચવાનો આ સલામત અને સરળ રસ્તો છે.

                                   ************************************************