કૈલાસ - માનસરોવર
કૈલાસ એ હિંદુઓ માટે બહુજ પવિત્ર સ્થળ છે. હિંદુઓ માને છે કે કૈલાસ એ મોક્ષ અને મુક્તિ અપાવનારું સ્થળ છે જ્યા ઉચ્ચકોટીના આત્માઓનો વાસ છે.એ એક આદ્યાત્મિક સ્થળ છે. પરંતુ એ તિબેટમાં આવેલું છે અને એના પાર ચીનનો કાબુ છે. ભારતની એ કમનસીબી છે. કે જે સ્થળે મુક્તિ માટે પાંડવોએ મહાભારતના યુદ્ધ પછી પ્રયાણ કર્યું હતું તેના પર આપણા દેશનો કાબુ નથી. તિબેટ પર ચીનના હક્કનેમંજુર કરવામાં આપણી રાજનીતિની નિસ્ફળતામાંથી ઉદ્ધભવેલો પ્રશ્ન છે.
આજે આપણે કૈલાસની યાત્રા માટે ચીન પર નિર્ભર રહેવું પડે છે. કૈલાસ 22028 ફીટ જેટલી ઉંચાઈ ધરાવે છે . અને એની પરિક્રમા 32 માઈલ જેટલી લાંબી છે. એમાંથી ભારતની જીવન દોરી સમાન બ્રમ્હપુત્રા, કરનાળી , સતલજ અને સિંધુ જેવી વિશાલ નદીઓ વહે છે.
કૈલાસની તળેટીમાં જ વિશાળ માનસરોવર આવેલુંછે. એને હિંદુઓ બહુજ પવિત્ર માને છે. એ હિમાલયમાં 15060 ફીટ પર આવેલું છે. અને એનો ઘેરાવો 55 માઈલ જેટલો છે. અને એ વધારેમાં વધારે 300 ફીટ જેટલું ઊંડાઈ ધરાવે છે.
ભારતથી છ જગાએથી કૈલાસ પહોંચી શકાય છે. લદાખ ,ગંગોત્રી , બદ્રીનાથ , જ્યોતિ મઠ , અલમોરા, નેપાળને માર્ગે કૈલાસ અને માનસરોવર પહોંચવાના માર્ગો છે. એ ૨૮ દિવસની યાત્રા હોય છે. એમાં ૧૧ દિવસો ભારતમાં પસાર કરવા પડે છે.
જ્યાં શિવનો વાસ માનવવામાં આવે છે અને ગહન વ્યક્તિઓનો વાસ છે એવી ભૂમિનો લાભ એકવાર લેવા જેવો છે.
**********************************************
.jpg)

.jpg)
No comments:
Post a Comment