Wednesday, June 18, 2025




અહમ 

                                               અહમને લીધે દુનિયામાં મોટા યુદ્ધો થાય છે. દુર્યોધનના અહમને લીધે મહાભારતનું યુદ્ધ થયું હતું  અને મોટો રક્તપાત થયો હતો. રાવણ અહમને લીધે રામ રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું .  આખા વિશ્વને  જીતવાના હિટલરના  અહમને લીધે ભયંકર વિશ્વ યુધ્દ્ધ ભભકી ઉઠ્યું હતું. 

                                               શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું હતું કે તે દુર્યોધનને 'આંધળાનો  છોકરો આંધળો ' એવો કટાક્ષ ન માર્યો હોત તો મહાભારતનું યુદ્ધ અટકાવી શકાત. એમાં દુર્યોધનનો અહમ ઘવાયો હતો અને પછી એનું પરિણામ  મહાયુદ્ધમાં  આવ્યું હતું. આ  વસ્તુ માનવીના જીવનમાં પણ લાગુ પડે છે. ઘણા ખરા કુટુમ્બીક ઝગડાનું મૂળ અહમના ટકરાવમાં  હોય છે .અહમ એ દુનિયાનું મોટામાં મોટું દુષણ છે.

                                              આથી માનવીએ જીવનમાં ક્ષમાનો રસ્તો અપનાવવાની જરૂર છે. અહમનો રસ્તો છોડી સમાધાનનો રસ્તો જ ઉત્તમ છે. તમે દુનિયામાં જોશો તો ઘણી વસ્તુઓ આ દિશામાં દોરી જાય છે. 



                                                બરફ એકદમ ઠંડો હોય છે.  કોઈએ પૂછ્યું ' બરફ કેમ આટલો ઠંડો હોય છે?'  કારણકે બરફને એના ભૂતકાળમાં અને ભવિષ્યમાં એનો અંત પાણી છે એની ખબર છે.  એટલે એને અહમ નડતો  નથી .તેવી જ રીતે મનુષ્યનો આરંભ અને અંત પણ ખાલી હાથે આવવાનું  અને જવાનું . પછી અહમ શા માટે ?

                                              જેમકે પાસ અને ફેઈલ બંને  શબ્દો વિરોધી શબ્દો છે પણ એના ઇંગ્લીશમાં ચાર શબ્દો જ હોય છે . એમાં પણ ટકરાવ નથી . એવું ક્રાય અને જોયમાં ત્રણ જ અક્ષરો છે. એ પણ ટકરાવ બતાવતા નથી.  એટલે કુદરત પણ અહમ અને ટકરાવને  ટેકો આપતું નથી.



                                              એથી સંદેશો બહુ જ સ્પષ્ટ છે કે અહમથી સામાજિક , આર્થિક, અને કુટુમ્બીક સંબંધોમાં પણ નુકસાન  જ છે.  રાજા રાવણનો પણ અહમ ટક્યો ન હતો અને વિશ્વ વિજેતા સિકંદરે પણ અંતિમ યાત્રામાં ખાલી  હાથ બતાવી એની તરફ જ ઈશારો કર્યો છે. 

                                      ***************************************

                                                    

Wednesday, June 11, 2025

 


ગાયત્રી મંત્ર 

                                                                             ગાયત્રી મંત્ર એ ચાર વેદોના મૂળ આધાર છે. પ્રભું જો પ્રસન્ન થાય તો મનુષ્યને  સદબુદ્ધિ  આપે છે. સદબુદ્ધિ મનુષ્યને સારા કામ કરવાની પ્રેરણા આપે છે. હિન્દૂ સંસ્કૃતિના મહાન ગ્રંથો ચાર વેદો ગાયત્રી મંત્રના એકએક અક્ષર પર આધારિત છે.

                                   ગાયત્રી મંત્ર ભારતીય સંસ્કૃતિ  વિજ્ઞાનનું એક  મૂળ તત્વ છે. એટલેકે એ માનવી જીવન પર તાત્વિક રીતે પ્રભાવિત કરે છે . એનો સારા કર્મો સાથે સીધો સબંધ છે.  માનવી સદકર્મોથી જ સારા અને લોકઉપયોગી કામોકરી શકે છે. એટલા માટે ગાયત્રી મંત્રમાં  જ સદબુદ્ધિ આપવાની પ્રભુને પ્રાર્થના છે.

                                 દુનિયામાં કુબુદ્ધિને  કારણે જ મોટા યુધ્ધો , અદાવત , અને અશુભ પ્રસંગો  બન્યા  છે.  એથી  સદબુદ્ધિ જરૂરી છે જે  ખરાબ અને હાનિકારક  વસ્તુઓ ને અટકાવી શકે છે. અને સદ્દબુધ્ધિના પાયામાં જ ગાયત્રી મંત્ર  છે . એથી એનું રટણ હંમેશા લાભદાયક  હોયછે. જેમ ગુજરાતીમાં કહેવત છે કે 'વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ' એટલેકે કુબુદ્ધિ  નાશનો માર્ગ છે. . એટલે ગાયત્રી મંત્ર એનો ઈલાજ  છે જે મનુષ્યને કુબુદ્ધિથી દૂર રાખે છે.



                                  રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદે પણ ગાયત્રી મંત્રની પૃષ્ટિ કરી છે.  ગાયત્રી મંત્રની સાધના મનુષ્યની ખરાબ સંજોગોમાં પણ કઠિન નિર્ણયો લેવાની શક્તિ આપે છે. એટલેકે તમારી દ્રષ્ટિને ચોખ્ખો માર્ગ બતાવે છે. એ મનુષ્યને ભૂત , ભવિષ્ય , અને વર્તમાનને  જોવાની દ્રષ્ટિ પણ આપે છે.

                                  રામને  ગાયત્રી  મંત્ર એમના ગુરુ મહર્ષિ વશિષ્ટએ  પરિચય કરાવ્યો હતો અને કૃષ્ણને એના ગુરુ સંદીપની ઋષિએ કરાવ્યો હતો. ગાયત્રી મંત્રથી પ્રભાવિત થઇ ઋષિ વિશ્વામિત્ર ક્ષત્રિયમાંથી  ઋષિ બની ગયા હતા.

                                    ભગવાન મનુ જેણે હિન્દૂ ધર્મમાં વિવિધ કાયદાઓની વ્યાખ્યા લખી છે એમણેપણ  ગાયત્રીમંત્રને  હૃદય અને મનને શુદ્ધ કરવા માટે એની  ઉપાસના કરવાની ભલામણ કરી છે. મહર્ષિ વેદમવ્યાસે  તો ગાયત્રી મંત્રને વેદોનો સાર કહ્યો છે.



                                      ગાયત્રી મંત્રના ઉપાસનાથી  પૂર્વ જન્મના અને  વર્તમાન જન્મના સધળા પાપોમાંથી મુક્તિ મળે છે એમ માનવામા આવેછે.  જેમ પુષ્પનો અર્ક મધ છે. દૂધનો અર્ક ઘી છે. તેમ ગાયત્રી મંત્ર વેદોનો સાર છે.

                                     એક વસ્તુ સત્ય છે કે ગાયત્રી મંત્રની ઉપાસના મનુષ્યમાં  નવી ઉર્જા ભરી દે છે. જે નવજીવન આપી મનુષ્યને જીવવાનો સારો રસ્તો બતાવે છે એમાં કોઈ શંકા નથી.

                                 ********************************************** 

                                       

                                    

Saturday, June 7, 2025



જાણવા જેવું

                                            સામાન્ય વસ્તુઓ વિષે જાણકારી ઘણા ઓછા લોકો જાણે છે અથવા જાણવા પ્રયત્ન કરતા નથી. એના વિષે જાણવાથી ઘણા  અકસ્માતોમાંથી બચી શકાય છે.



                                        ઘણી એવી વસ્તુઓ છે જે હાનિકારક હોવાથી ફ્રીઝથી  દૂર રાખવી જોઈએ.  એમાં બ્રેડ , કાંદા , લસણ ,એવોકાડો, ટામેટા, મધ , કેક , તરબૂચ, કોફી ,અને ઈંડા. લસણ અને કાંદા તો એની ગંધ પણ ફેલાવી દે છે.



                                      બીજા પદાર્થોની ઉપર ફ્રીઝમાં અવળી અસર પણ થાય છે. કોફી બીજા પદાર્થોની ગંધ ચૂસી લે છે . તરબૂચ ને જો ફ્રીઝમાં મુકવાનું હોય તો એને કાપીને બોઉલમા રેપ કરીને મૂકવું જોઈએ. બ્રેડ ફ્રીઝમાં સ્ટેઇલ થઇ જાય છે. મધ ફ્રીઝમાં ગાઢ થઇ જાય છે  એટલે એને પછી ચોપડી શકાતું નથી. ઈંડાને બહાર રાખવાથી એના બેકિંગમાં અને બાફવામાં સારા પરિણામો આવી શકે છે.

                   મૂળમાં વસ્તુઓના સારી રીતે ઉપયોગમાં લેવું હોય તો એને આળ અસરોથી બચાવવું જોઈએ .

                                *********************************************