Wednesday, June 18, 2025




અહમ 

                                               અહમને લીધે દુનિયામાં મોટા યુદ્ધો થાય છે. દુર્યોધનના અહમને લીધે મહાભારતનું યુદ્ધ થયું હતું  અને મોટો રક્તપાત થયો હતો. રાવણ અહમને લીધે રામ રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું .  આખા વિશ્વને  જીતવાના હિટલરના  અહમને લીધે ભયંકર વિશ્વ યુધ્દ્ધ ભભકી ઉઠ્યું હતું. 

                                               શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું હતું કે તે દુર્યોધનને 'આંધળાનો  છોકરો આંધળો ' એવો કટાક્ષ ન માર્યો હોત તો મહાભારતનું યુદ્ધ અટકાવી શકાત. એમાં દુર્યોધનનો અહમ ઘવાયો હતો અને પછી એનું પરિણામ  મહાયુદ્ધમાં  આવ્યું હતું. આ  વસ્તુ માનવીના જીવનમાં પણ લાગુ પડે છે. ઘણા ખરા કુટુમ્બીક ઝગડાનું મૂળ અહમના ટકરાવમાં  હોય છે .અહમ એ દુનિયાનું મોટામાં મોટું દુષણ છે.

                                              આથી માનવીએ જીવનમાં ક્ષમાનો રસ્તો અપનાવવાની જરૂર છે. અહમનો રસ્તો છોડી સમાધાનનો રસ્તો જ ઉત્તમ છે. તમે દુનિયામાં જોશો તો ઘણી વસ્તુઓ આ દિશામાં દોરી જાય છે. 



                                                બરફ એકદમ ઠંડો હોય છે.  કોઈએ પૂછ્યું ' બરફ કેમ આટલો ઠંડો હોય છે?'  કારણકે બરફને એના ભૂતકાળમાં અને ભવિષ્યમાં એનો અંત પાણી છે એની ખબર છે.  એટલે એને અહમ નડતો  નથી .તેવી જ રીતે મનુષ્યનો આરંભ અને અંત પણ ખાલી હાથે આવવાનું  અને જવાનું . પછી અહમ શા માટે ?

                                              જેમકે પાસ અને ફેઈલ બંને  શબ્દો વિરોધી શબ્દો છે પણ એના ઇંગ્લીશમાં ચાર શબ્દો જ હોય છે . એમાં પણ ટકરાવ નથી . એવું ક્રાય અને જોયમાં ત્રણ જ અક્ષરો છે. એ પણ ટકરાવ બતાવતા નથી.  એટલે કુદરત પણ અહમ અને ટકરાવને  ટેકો આપતું નથી.



                                              એથી સંદેશો બહુ જ સ્પષ્ટ છે કે અહમથી સામાજિક , આર્થિક, અને કુટુમ્બીક સંબંધોમાં પણ નુકસાન  જ છે.  રાજા રાવણનો પણ અહમ ટક્યો ન હતો અને વિશ્વ વિજેતા સિકંદરે પણ અંતિમ યાત્રામાં ખાલી  હાથ બતાવી એની તરફ જ ઈશારો કર્યો છે. 

                                      ***************************************

                                                    

No comments:

Post a Comment