Friday, October 24, 2025

 


એલોન મસ્ક દુનિયાના  ધનિક અને  શક્તિશાળી વ્યક્તિ

                                                                                                             અલોન મસ્ક એક બુદ્ધિવાન વ્યક્તિ છે. એમણે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખની  ચૂંટણી જીતવામાં મદદ કરીને એની કાબેલિયત બતાવી દીધી હતી. એમના અને ટ્રમ્પ વચ્ચે ઘાઢ સબંધ છે. પરંતુ બે શક્તિશાળી વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થવાનો સંભવ છે. એથી જયારે ટ્રમ્પએ ગુસ્સામાં મસ્કના ઉદ્યોગીક સામ્રાજ્યને મળતી સરકારી મદદ બંધ કરવાની વાતો  કરી ત્યારે મસ્કે  સરકારી પ્રોજેક્ટ ડ્રેગન અવકાશની તરત જાહેરાત કરી દીધી . આ પ્રસંગે અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ શુભેચ્છકોએ વચમાં પડી એ વાતને ઠંડી પાડી દીધી હતી.  આજ બતાવે છે કે અમરિકાનો અવકાશ પ્રોજેક્ટ મસ્કના મિજાજ  પર અવલંબિત છે.



                                                                મસ્કની સ્પેસ - એક્ષ  કંપનીનું ફાલ્કન -9 સ્પેસ રોકેટ  સ્પેસ મુસાફરી માટે  ઘણું જ મહત્વનું બની ચૂક્યું છે. એણે ૪૮૫ મિશન સફળતા પૂર્વક પાર પાડ્યા છે. મસ્કનું  રોકેટ આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને પણ સફળતા પૂર્વક સેવા આપી રહ્યું છે.

                                                                   અમેરિકન સ્પેસ ફોર્સ એ  પણ સ્પેસ -એક્ષને   ૫.૯  મિલિયન ડોલરનો કરાર  પેન્ટાગનના મિલિટરી સેટેલાઇટ  અવકાશમાં મુકવા માટે આપ્યો છે. તે ઉપરાંત અમેરિકન મિલિટરી  સ્પેસ એક્ષની સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ  સર્વિસનો ઉપયોગ કરી રહી છે. તે ઉપરાંત ૨૨ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ અમેરિકન સરકારે મુસ્કની કંપનીઓને આપ્યો છે.

                                                                      આજ બતાવે છે કે  અમેરિકન સરકાર અને મસ્કની એક બીજા પર અવલંબિત છે. મસ્કના મિત્ર જારેડ ઇસાકમેનની નિમણુંક નાસાના મુખિયા  તરીકે ટ્રમ્પએ નિમણુંક કરી છે એજ બતાવે છેકે મસ્કની સરકારમાં કેટલું  ચલણ છે.  આમ દુનિયાના ધનિક વ્યક્તિ મસ્ક  સરકારી સત્તા પર કેટલો આધિપત્ય ધરાવે છે. તે ઉપરાંત સ્પેસ પ્રોજેક્ટમાં મહત્વ ધરાવતા અમેરિકાના કૅલિફૉર્નિયા ,ટેક્સાસ , અને ફ્લોરિડા જેવા રાજ્યો પણ એલોન મુસ્કના મજબૂત ટેકેદારો છે.



                                                                       એલોન મસ્ક દુનિયાના  અત્યન્ત વિદ્વાન , ધનિક અને બહુ જ શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે.

                                          *************************************  

Tuesday, October 14, 2025



સાઉથ કોરિયા 

                                                     વિશ્વ્ સત્તાઓની સાંઠમારીમાં કોરિયાના ભાગલા થયા અને આજે નોર્થ કોરિયા એન્ડ સાઉથ કોરિયા નામના બે રાષ્ટ્રો બન્યા. નોર્થ કોરિયા સામ્યવાદી વિચારદ્વારા ઉત્તર કોરિયાએ અપનાવીને અને આખરે એ સરમુખત્યારી પદ્ધતિ અપનાવી. જયારે દક્ષિણ કોરિયા એ  લોકશાહી અપનાવી અને દુનિયાની પાંચમી અર્થ વ્યવસ્થા બની રહી . દક્ષિણ કોરિયાએ સામાજિક, મિલિટરી , અને   ટેક્નોલોજીમાં  પ્રગતિ કરી છે.



                               દક્ષિણ કોરિયા એ અત્યારેજ અમેરિકામાં $૧૫૦ બિલ્લીઓનનું રોકાણ   કરવાની જાહેરાત કરીછે. તે ઉપરાંત અમેરિકા પાસે ૫૦ બિલ્લીઓન ડોલરના બોઇંગ વિમાનો કોરિયન એરલાઇન ખરીદવાની છે. આજ  કોરિયાની સમૃદ્ધિની એક નિશાની છે. સેમસંગ , હુન્ડાઈ જેવી મોટી કંપનીઓ પણ અહીએ ફૂલીફાલી છે.

                                 કોરિયામાં લોકશાહી પણ મજબૂત બની રહી છે. થોડા વખત પહેલા કોરિયન પ્રમુખને ભ્રસ્ટાચારના આરોપો પર દૂર કરવામાં આવ્યા હતા . અને નવા પ્રમુખ લી  જેઇ -મયુન્ગ ચૂંટીકાઢ્યા હતા.



                                                                                      સાઉથ કોરિયા આમ પણ રહેવાલાયક દેશ છે. એના બુદ્ધ મંદિરો વિષે પ્રખ્યાત છે. તે ઉપરાંત કુદરતી દ્રષ્ટિએ પણ એસમૃદ્ધ છે. એની પર્વતીય ગ્રામ્ય વસ્તી લીલોતરીથી છવાયેલી છે. એમાં ચેરીના ઝાડો એના સૌંદર્યમાં વધારો કરે છે 



                                                           એની રાજધાની સિઓલ  ટેક સિટી છે. અને એની વાહન વ્યહવાર વ્યવસ્થા બહુજ સુંદર છે. અહીનું જીવન ઉચ્ચ કોટિનું છે.   સાઉથ કોરિયન   હેલ્થ કેર  પણ  ઉત્તમ કક્ષાનું છે. લોકો મૉટે મૉટે થી વાત કરવાની  ટેવને પસંદ કરતા નથી. સરકારે અઠવાડિયામાં  ૫૨ કલાક કામ  કરવાનો કાયદો બનાવ્યો છે. જેમાં વધારે વધારે ૧૨ કલાકનો ઓવરટાઈમ  રાખેલો છે. આથી મજૂર કાયદાઓ પણ  મજબૂત છે. 

                              એશિયામાં  નાનો એવો દેશ મજબૂત રીતે વિકસીને વિકસિત દેશ બન્યો છે.    

                                      ******************************************* 

                               

                                 

Monday, October 6, 2025

 


પ્રાણી જીવદયા અને ઉદ્દભવતા પ્રશ્નો 

              ,                                                     આજકાલ દુનિયામાં  જીવદયા માટે મોટું  આંદોલનો ચાલી રહ્યા છે. એમાં ધાર્મિક લાગણીઓ , અથવા કરુણા પણ સંકળાયેલી છે. પરંતુ જયારે લાગણી, કરુણા,  અને ધાર્મિકતા  જવાબદારી વગર ઉભી થાય ત્યારે એ લોકો માટે  એક મુસીબત  બની જાય છે.  વધતી જતી  શહેરોની વસ્તીએ આમપણ પ્રાણીઓને શહેરના રસ્તાઓ પર લાવી દીધા  છે કારણકે તેમના રહેવાની જગ્યાએ એટલે કે જંગલની જગ્યાએ ઝાડોને કાપી  મોટા મોટા કોન્ક્રીટના  જંગલો ઉભા કરી દીધા છે.

                                             શહેરી કુતરાઓ , બિલાડીઓ ,ગાયો , ભેંસો અને વાંદરાઓ  જેવા જાનવરો તો હવે શહેરોમાં અવરોધ ઉભા કરી રહ્યા છે. ઘણીવાર  તો જીવદયા મંડળીઓ , અને ધાર્મિક લોકો એના માટે મોટા  જવાબદાર બન્યા છે.  એમને એક કે બીજા કારણોએ એ જાનવરોને રક્ષણ આપી રહ્યા છે. એક બે ભારતીય શહેરોમાં તો ચિત્તાઓ પણ ઘૂસી જવાના બનાવો બની ચુક્યા છે.



                                              દિલ્હી જેવા શહેરમાં તો એક વર્ષમાં ૨૫૦૦૦ જેટલા કુતરા કરડવાના બનાવો બન્યા છે. યુનિટેડ નેશન્સના રિપોર્ટ પ્રમાણે આશરે વાર્ષિક ૧૮૦૦૦ જેટલા લોકો ભારતમાં  કુતરા કરડવાને લીધે મૃત્યુઓ થયા છે. જે આખી દુનિયાના ૧/૩ આંકડો છે. મ્ર્ત્યુઓમાં મુખ્યત્વે બાળકો હતા .

                                            ભારતમાં રસ્તા પર રખડતી ગાયો રસ્તાપરના ટ્રાફિકને  નડતર રૂપ હોય છે.  વાંદરાઓ ખોરાક ઉપાડી જાય છે.ઘણી વાર તો મોબાઈલ પણ ઉપાડી જાય છે. જંગલી  રસ્તા પર રખડતા કુતરાઓ ચાલતા લોકોને કરડી જાય છે. અમદાવાદમાં તો સવારના ફરવા નીકળેલા  એક ઉદ્યોગપતિને  જંગલી કૂતરો કરડી ગયો અને મૃત્યુ પામ્યા હતા . આજ બતાવે છે કે રસ્તા પર રખડતા કુતરાઓ લોકોને કેટલી હેરાનગતિઓ  ઉભી કરી રહ્યા છે. હવે તો શહેરોમાં પણ સર્પો દેખાવા  માંડયા છે. 



                                            એમાં ધાર્મિક માન્યતા જેમ કે વાંદરો   હનુમાનના પ્રતીક , સર્પોની નાગપંચમીને દિવસે પુંજા કરવામાં આવે છે . ગૌ માતા તરીકે પુંજાવામાં આવે છે એથી એ અવરોધોને દૂર કરવા  મુશ્કેલ છે. આથી એ રાજકીય પ્રશ્ન બની રહ્યો છે  અને એના નાશ ન થાય એના માટે કાયદાઓ પણ બનાવવા આવ્યા છે.

                                            રાજકીય અને ધાર્મિક લાગણીઓને  લીધે ભારતીય  સુપ્રીમ કોર્ટને પણ જંગલી કુતરાઓને નાબૂદ કરવાના એમના ચુકાદાને  નરમ બનાવી દેવો પડ્યો હતો.  આમ  ભારતના  શહેરોમાં રખડતા જાનવરોનો શહેરી  રંજાડ સહન કરવા લોકોને  બેજાર બનાવી દેવામાં આવ્યા  છે. આમ  જવાબદારી વગરની જીવદયા ભારતમાં આજે બોજારૂપ બની ચુકી છે.



                                               આથી જંગલી અને રસ્તા પર રખડતા જાનવરોના પ્રશ્નો વિજ્ઞાનિક દ્રષ્ટિએ જોવો રહ્યો નહીકે  લાગણીની દ્રષ્ટિએ. દુનિયામાં ઘણા દેશો પણ એવાજ પ્રશ્નોનો સામનો કરી રહયા છે. જેમ કે  ઇંગ્લેન્ડમાં જંગલી ટર્કીઓનો  પ્રશ્ન , જર્મનીમાં  જંગલી બોઅર્સનો  પ્રશ્ન , અને આર્જન્ટિનામાં  કેપિબર્સ  જેવા જાનવરોનો ત્રાસ શહેરોમાં વધી ગયો છે .

                                          એનો ઉકેલ લાવવાંમાં નહિ આવશે તો એ પ્રશ્ન વિકટ બનતો જશે અને માનવ હાનિ વધતી જ જશે .         

                      *************************************************************