પ્રાણી જીવદયા અને ઉદ્દભવતા પ્રશ્નો
, આજકાલ દુનિયામાં જીવદયા માટે મોટું આંદોલનો ચાલી રહ્યા છે. એમાં ધાર્મિક લાગણીઓ , અથવા કરુણા પણ સંકળાયેલી છે. પરંતુ જયારે લાગણી, કરુણા, અને ધાર્મિકતા જવાબદારી વગર ઉભી થાય ત્યારે એ લોકો માટે એક મુસીબત બની જાય છે. વધતી જતી શહેરોની વસ્તીએ આમપણ પ્રાણીઓને શહેરના રસ્તાઓ પર લાવી દીધા છે કારણકે તેમના રહેવાની જગ્યાએ એટલે કે જંગલની જગ્યાએ ઝાડોને કાપી મોટા મોટા કોન્ક્રીટના જંગલો ઉભા કરી દીધા છે.
શહેરી કુતરાઓ , બિલાડીઓ ,ગાયો , ભેંસો અને વાંદરાઓ જેવા જાનવરો તો હવે શહેરોમાં અવરોધ ઉભા કરી રહ્યા છે. ઘણીવાર તો જીવદયા મંડળીઓ , અને ધાર્મિક લોકો એના માટે મોટા જવાબદાર બન્યા છે. એમને એક કે બીજા કારણોએ એ જાનવરોને રક્ષણ આપી રહ્યા છે. એક બે ભારતીય શહેરોમાં તો ચિત્તાઓ પણ ઘૂસી જવાના બનાવો બની ચુક્યા છે.
દિલ્હી જેવા શહેરમાં તો એક વર્ષમાં ૨૫૦૦૦ જેટલા કુતરા કરડવાના બનાવો બન્યા છે. યુનિટેડ નેશન્સના રિપોર્ટ પ્રમાણે આશરે વાર્ષિક ૧૮૦૦૦ જેટલા લોકો ભારતમાં કુતરા કરડવાને લીધે મૃત્યુઓ થયા છે. જે આખી દુનિયાના ૧/૩ આંકડો છે. મ્ર્ત્યુઓમાં મુખ્યત્વે બાળકો હતા .
ભારતમાં રસ્તા પર રખડતી ગાયો રસ્તાપરના ટ્રાફિકને નડતર રૂપ હોય છે. વાંદરાઓ ખોરાક ઉપાડી જાય છે.ઘણી વાર તો મોબાઈલ પણ ઉપાડી જાય છે. જંગલી રસ્તા પર રખડતા કુતરાઓ ચાલતા લોકોને કરડી જાય છે. અમદાવાદમાં તો સવારના ફરવા નીકળેલા એક ઉદ્યોગપતિને જંગલી કૂતરો કરડી ગયો અને મૃત્યુ પામ્યા હતા . આજ બતાવે છે કે રસ્તા પર રખડતા કુતરાઓ લોકોને કેટલી હેરાનગતિઓ ઉભી કરી રહ્યા છે. હવે તો શહેરોમાં પણ સર્પો દેખાવા માંડયા છે.
એમાં ધાર્મિક માન્યતા જેમ કે વાંદરો હનુમાનના પ્રતીક , સર્પોની નાગપંચમીને દિવસે પુંજા કરવામાં આવે છે . ગૌ માતા તરીકે પુંજાવામાં આવે છે એથી એ અવરોધોને દૂર કરવા મુશ્કેલ છે. આથી એ રાજકીય પ્રશ્ન બની રહ્યો છે અને એના નાશ ન થાય એના માટે કાયદાઓ પણ બનાવવા આવ્યા છે.
રાજકીય અને ધાર્મિક લાગણીઓને લીધે ભારતીય સુપ્રીમ કોર્ટને પણ જંગલી કુતરાઓને નાબૂદ કરવાના એમના ચુકાદાને નરમ બનાવી દેવો પડ્યો હતો. આમ ભારતના શહેરોમાં રખડતા જાનવરોનો શહેરી રંજાડ સહન કરવા લોકોને બેજાર બનાવી દેવામાં આવ્યા છે. આમ જવાબદારી વગરની જીવદયા ભારતમાં આજે બોજારૂપ બની ચુકી છે.
આથી જંગલી અને રસ્તા પર રખડતા જાનવરોના પ્રશ્નો વિજ્ઞાનિક દ્રષ્ટિએ જોવો રહ્યો નહીકે લાગણીની દ્રષ્ટિએ. દુનિયામાં ઘણા દેશો પણ એવાજ પ્રશ્નોનો સામનો કરી રહયા છે. જેમ કે ઇંગ્લેન્ડમાં જંગલી ટર્કીઓનો પ્રશ્ન , જર્મનીમાં જંગલી બોઅર્સનો પ્રશ્ન , અને આર્જન્ટિનામાં કેપિબર્સ જેવા જાનવરોનો ત્રાસ શહેરોમાં વધી ગયો છે .
એનો ઉકેલ લાવવાંમાં નહિ આવશે તો એ પ્રશ્ન વિકટ બનતો જશે અને માનવ હાનિ વધતી જ જશે .
*************************************************************

.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment