Tuesday, October 18, 2016

અનાવિલ
   
                                                                                           
      અનાવિલ  બ્રાહ્મીણ જ્ઞાતી આમ વસ્તીની દ્રષ્ટિેઍ ગુજરાતમા  ઘણી નાની છે, પરંતુ ઍનૂ પ્રદાન ગુજરાતના જાહેર જીવનમા ઘણુ મોટુ છે. ઍમના મૂળ ' અનાવલ 'જેવા દક્ષિણ ગુજરાતના  નાના ઍક ગામ સાથે  છે.  ઍ જ્ઞાતિ ગુજરાતમા વાપી અને તાપી વચ્ચે વસેલી  હતી. હવે તે વિશ્વ અને ભારત વ્યાપી  છે. ઍ જ્ઞાતીની  ઉત્તપતિ શ્રી રામની સાથે સંકળાયેલી છે.
                         અનાવિલો બાહોશ, નિપુણ વ્યવસ્થાપક, અને ઇતિહાસમા શાસકો વતી કર ઉઘારાવવાની કામગીરી કરતા. આથી મોગલો અને મરાઠા વખતમા તેમને કર ઉઘારાવવા માટે દેસાઈગીરી પણ આપેલી હતી અને  ઍ માટે ઍમને  દેસાઈગીરી પણ મળતી હતી. આથી દેસાઈઓના સ્વભાવમા ક્ષત્રીયોના ગુણ વધારે આવેલા છે જેવાકે ક્રોધ, અભિમાન અને  તીક્ષ્ણ જીભ વગેરે વગેરે. બ્રિટિશોના વખતમા પણ દેસાઈઓ  રેલવે, ઇન્ષુરેન્સ કંપની, બૅંકો, અને શિક્ષણ જેવા ક્ષેત્રોમા ઉચ્ચ પદવીઑ ધરાવતા હતા.

                               સ્વતંત્રતાની લડાઈમા પણ ઍમણે મહત્વનો ફાળો આપેલો છે. મહાદેવ દેસાઈ, ભુલાભાઇ દેસાઈ, મોરારજી દેસાઈ, ખંડુભાઇ દેસાઈ,  ઠાકોરભાઇ દેસાઈ,  જેવા નેતાઓ સ્વાતંત્રની લડાઈમા  અદભૂત ભાગ ભજવ્યો હતો, મોરારજી દેસાઈ વડાપ્રધાન પદ સુધી પહોચ્યા હતા,
                               જ્ઞાતિ નાની પણ દેશ વ્યાપી  પ્રદાન સારુ રહયુ  છે. હવે જ્ઞાતિના નવી પેઢીની ફર્જ બની રહી છે કે પરંપરાને ચાલુ રાખે.  શરદ પૂનમની રાત્રીઍ  અનાવિલ મિત્ર મંડળ અમદાવાદની  યુવતીઓની  ગરબા ની રમજટની તસ્વીરો-
                                                                *************************************

No comments:

Post a Comment