Monday, February 3, 2025



ભૂતકાળની શોધમાં 

                                                માનવીની જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ એ એના ભૂતકાળને યાદ કરીને એમાંથી આત્મસંતોષ લેવા માંડે છે. એક વાત એ ભૂલી જાય છે કે જીવનમાં જેમ પરિવર્તન આવે છે તેમ દુન્યવી વસ્તુઓ પણ બદલાતી રહે છે. જેને એ જોવા માંગે છે અને આનંદ માણવા  એ  વસ્તુઓ  હવે રહી  નથી અને નવી વસ્તુઓ સામે પ્રગટ થતી જાય છે. 



                                              માનવી ઘડપણમાં એના બચપણને બહુ યાદ કરી ઝુરેછે. કારણકે એ બહુજ નિર્દોષ અને જવાબદારી વગરનો સમય  અને જીવનની કઠણાઈઓ તે વખતે એના  ઉપર  ઝઝૂમી રહી હોતી નથી. આથી બચપણની યાદો બહુ સુખદ હોય છે.



                                            જીવનની કઠીનતાઓનો સામનો કરી જયારે માનવી વૃદ્ધ બને છે ત્યારે એને એની બચપણની બધી વસ્તુઓ મધુર લાગે છે. 

                                   આના  પડઘા  કવિની આ કવિતામાં પડતા દેખાય છે.



        હવે એ શહેર ક્યાં ?

હવે રંગેબી રંગી  બરફના ગોળા વેચનાર વૃદ્ધ મુસા નથી 

અને ચટાકેદાર ચણાની  પેલી  લારી પણ નથી 

હવે સડકો પર ચાલવાની જગા નથી 

જ્યાં એકવાર  સાઇકલોની હોડ  લગાવતા હતા

       હવે એ શહેર ક્યાં?

અમારા રમવાની જગ્યા  પર તોતિંગ  મકાનો દેખાય છે. 

જે રેલવે સ્ટેશન ક્યારે વેરાન રહેતું હતું 

ત્યાં ઉભા રહેવાની જગ્યા નથી.

હવે આ શહેર  પહેલા જેવું  રહ્યું નથી.

       હવે એ શહેર ક્યાં?

એક જૂનું સિનેમા ગૃહ હતું ત્યાં હવે ખંડેર ઉભું છે.

એ ખંડેરમાં હું મારું બચપણ શોધતો રહ્યો 

મને એટલી પણ સમજણ ન પડી કે 

એને વર્તમાને ક્યારનું  મિટાવી દીધું છે. 

હવે  એ શહેર  નથી રહ્યું  અહીએ 

જેમ સમયે  મારા બચપણને  મિટાવી દીધું  છે.

    હવે એ શહેર ક્યાં ?

                                      આ તો કવિની નહિ પ્રત્યેક  માનવી વાત  છે.

                                ******************************************** 


 

    

No comments:

Post a Comment