હતાશા
હતાશ થયેલ વ્યક્તિ એકદમ બેબસ થઇ જાયછે અને બીજા અર્થમાં જીવનમાં લાચારી અને ગુંચવણ અનુભવે છે. એને કોઈ પણ વસ્તુનો ઉકેલ દેખાતો નથી અને નિરાશા અનુભવે છે. મોટા પ્રખ્યાત વ્યક્તિઓ પણ ઘણીવાર એનો ભોગ બને છે. હતાશા ઘણીવાર મનુષ્યને આપઘાત તરફ દોરી જાય. આપણે ઘણા સેલેબ્રીટીને પણ આપઘાત કરતા જોઈએ છે. અમેરિકાની બહુજ પ્રખ્યાત અભિનેત્રી મેરેલિન મનરો જેની પાસે ધન , સંપત્તિ અને કીર્તિ હતી એણે હતાશામાં આપઘાત કર્યો હતો . હતાશ વ્યક્તિઓ ઘણી વાર અસલામતી પણ પીડાતા હોય છે. એમના ગાત્રો ગણી વાર ઢીલા થઇ જતા હોય છે અને ધ્રુજારીથી પણ પીડાતા હોય છે. એમાંથી નીકળવા માટે યોગ્ય વ્યક્તિની દોરવણી જરૂર હોય છે.
આને માટે બહુ દૂર જવાની જરૂરિયાત નથી. ગીતામાં કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનની સ્થિતિ પણ એના સ્વજનોની સામે યદ્ધ લડવા વખતે હતાશા જનક હતી. શ્રી કૃષ્ણે એને એમાંથી બહાર કાઢ્યો હતો. ગીતામાં અર્જુનનું હતાશા જનક સ્થતિનું વર્ણન કર્યું છે જેને આધુનિક જમાનામાં ડિપ્રેશન કહેવાય છે.
એમાં બધાજ સ્નાયુઓ જડ થઇ જાય છે. તે અજબ ભયથી પીડાતો હોય છે. સખત તણાવથી મોઢું સુકાતું હોય છે. શરીર ધ્રુજી રહ્યું હોય છે. વસ્તુઓ હાથમાંથી સરી જતી હોય છે. ચિંતામાં ચામડીઓ બળતી હોય છે. શરીર પાર કાબુ ગુમાવી માનવી ઉભા રહેવાની શક્તિ પણ ગુમાવી દે છે. જીવનમાં લાઈ બળતી હોય છે . આને જ ડિપ્રેસન કહેવાય છે. એટલેકે જ્યારે માનવી હતાશાથી પીડાય છે.
આને માટે ઉપાયો પણ છે. પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. થોડી ધીરજ રાખી અને થોડું ચાલવું . લોકોને ક્ષમા આપવી અને જેમ બને તેમ પોતાની જાતને સરળ બનાવી દેવી. બીજાને પોતાનું કામ સોંપીને એમને સમજવા પ્રયત્ન કરવો. સ્વભાવને પણ સકારત્મક રાખવો. આધ્યાત્મિકતા તરફ આગળ વધવું . સુવાંચન પણ કરતા રહેવું જોઈએ. બીજું જીવનમાં બધાને ખુશ રાખી શકાય નહી માટે ના કહેતા પણ શીખવું રહ્યું. આવી પ્રતિક્રિયા પણ ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ રૂપ નીવડે છે.
ટૂંકમાં હતાશામાંથી નીકળવા માટે માનવીએ પોતેજ પ્રયત્નો કરવા રહ્યા.
*****************************
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment