સુખની ચાવી
દરેક માનવી સુખ શોધે છે. અને દુઃખથી કિનારો કરેછે. પરંતુ સત્ય તો એ છેકે સુખ અને દુઃખ બંનેને સરખા પ્રમાણ લેતા શીખવું જોઈએ . આમ કરવાથી જીવનમાં સંતાપ ઓછો રહે છે. સુખ અને દુઃખ માટે એવો કોઈ પણ ઉકેલ નથી પણ એને માનવીની સમતુલન માનસિક સ્થિતિ જ સુખમય જવાબ આપી શકે છે.
એના માટે માનસિક રીતે માનવી એ પોતાની જાતને તૈયાર કરવી રહી . જીવન માં સફળતા કે નિસ્ફળતા , કે પછી જશ કે અપજશ તો આવ્યા જ કરે છે. પણ એથી માનવીએ કર્તવ્ય કરવાનું બંધ ન કરવું જોઈએ.
સુખ ધન કે પછી સત્તાથી મળે છે એ વાત સત્યથી પરછે . કારણકે એનાથી તો મનુષ્યની અપેક્ષાઓ અને અસલામતી ભાવના વધતી જાય છે. પરંતુ સુખ અને શાંતિ માટે મન પર કાબુ રાખવો જરૂરી છે . વધુ પડતી કામના મનુષ્યની શાંતિ હરી જાય છે.
મનુષ્યએ પોતાની શક્તિ અને કાબેલિયત પ્રમાણે કર્તવ્ય કરતા રહેવું જોઈએ અને પરિણામ પર બહુ પરવાહ કરવી ન જોઈએ. એનાથી નિષફળતાનો આઘાત લાગતો નથી.
બીજાઓની સાથે વ્યહવાર સારો રાખવો જરૂરી છે. પછી બીજા પાસે સારા વ્યહવારની અપેક્ષા રાખવી ઉચિત છે. એમાં જીવનના ઘણા દુઃખ અને સંતાપઓને દૂર રાખી શકાય છે.
તે ઉપરાંત સુખની અનુભૂતિ માટે જે વ્યહવાર કરો એમાં ઈમાનદારી, નિષ્ટા અને નીસ્કામતા જરૂરી હોય છે. ધર્મનિષ્ટ માનવી જ શાંતિ અને સુખ માણી શકે છે.
એ પણ સત્ય છેકે જે એક વસ્તુ એક માનવી માટે સુખ હોય છે જે બીજી વ્યક્તિ માટે દુઃખ અથવા શાપ રૂપ બની રહે છે. ટૂંકમાં સુખની વ્યાખ્યા વિવિધ માનવીઓ માટે જુદી જુદી હોય છે.
આથી સુખની ચાવી માનવીના માનસમાં જ સમાયેલી છે. મનને જેટલું સ્થિતિ સ્થાપક બનાવો એટલુંજ જીવન સુખમય અને શાંતિમય બની શકે છે.
************************
.
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment