Saturday, September 22, 2012



ભારતની પરદેશી કંપનીઑ લગતી નીતિ
============================
અત્યારે ભારતમા ઍફ ડી આઇ  વિશેની નીતિની બાબતમા મોટો હોબાળો મચ્યો છે. વિરોધીઓનુ કહેવુ છૅકે મોટી મલ્ટી નૅશનલ કંપનીઑ નાના વેપારીઓને ખાય જશે અન બેકારી વધશે. આથી ડાબેરીઓ, સોસિયાલિસ્ટ પાર્ટી, મમતા બેનેરજી અને મુલાયમસિંગ જેવા નેતાઓપણ ઍનો વિરોધ કરી રહ્યા છૅ. મનમોહનસિંગની સરકાર ઉંચી ઍફ ડી આઇના અમલ માટે અધિરવી થઈ ગઈ લાગે છે. ઍના બેજ કારણો હોઇ શકે. ઍકતો સરકારને જવુ પડે  ઍ પહેલા ઍફ ડી આઇ ની નીતિનો અમલ કરવો અથવાતો ભારત સરકાર મલ્ટી નૅશનલ કંપનીઓના દબાવને વશ થઈ રહી છે.
                                                          ચીન પણ ઍ નીતીમા આગળ્ વધવામા હવે સાવચેત થઈ ગયુ છૅ. ઍમણે ઍ નીતીમા લગામ ખેચી છૅ કારણકે ઍમને ઍ નીતિ હવે ઍમના માટે અનુકુળ લાગતી નથી. ઍથી લોકોમા અસંતોષ, બેકારી, અને વેપાર ધંધાને નુકશાન થાય છે.
                                                         ઍફ ડી આઇ મર્યાદાને વધારી પરદેશી કોંપનીઓને ૫૧% હિસ્સો આપવાથી ઍમનુ વર્ચસ્વ વધવા સંભવ છે. લોકોને ઍમના પર પરાણે  નાખવા જેવુ થશે અને લોકો પાસે મનભાવતા ભાવ વસુલ કરી શકશે. અને નાના વેપારીઓનુ અકાળે નાશ થશે.
                                                        ઍ બાબતમા વોલમાર્ટનો દાખલો લેવા જેવો છે. અમેરીકામા પણ ઍની રીતરસમો સામે વિરોધ ચાલી રહ્યો છે. વોલમાર્ટે નાના વેપારીઓને નુકશાન કર્યુ છે અને ઍના કામદારો પ્રત્યેનૂ વલણ યોગ્ય નથી.  આથી વોલમાર્ટ સામે અમેરિકન રાજધાની વોશિંગ્ટનમા વિરોધ પ્રદશન ચાલી રહ્યુ હતુ. આથી ભારત સરકારે પણ  ઍફ ડી આઇ નીતીમા સાવધાનીથી આગળ વધવાની જરૂર છે.

                                        ***********************************

No comments:

Post a Comment