Saturday, December 13, 2025



 દેશથી વિદેશ અને વિદેશથી દેશ 

                                                             સમૃદ્ધ દેશમાં  વિક્સિત દેશમાં કારકિર્દી માટે પ્રસ્થાન કરવું  એ સામાન્ય વાત છે. પરંતુ એ બાબતમાં ભારત અગ્રગણ્ય બની રહ્યું છે. એમાં બે વર્ગ છે એકતો વિદ્યાર્થી અને બીજો  ભણેલો વર્ગ જે પોતાની કારકિર્દી માટે જાય છે. 

                                                    એમાં અમેરિકા જનારા  ૭૦%ભારતીય  સોફ્ટવેર  એંજિનયોર  એચ -બી૧ વિઝા પણ જાય છે. અને ૩૦% ભારતીય વિદ્યાર્થી અમેરિકા, અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જાય છે.  એક વખત એને ભારતની બહાર  જનાર બુદ્ધિ ધન માનવામાં આવતું હતું  પરંતુ હવે બદલાતા સમય સાથે એને  સિરક્યુલેશન વસ્તી માનવામાં આવે છે. 



                                                એનું કારણ સમૃદ્ધ માનતા દેશો હવે એમના વહેતા ધોધને અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ માને છે કે બહારથી આવતા લોકો એ દેશની નોકરી લઇ લે છે. અને એમના દેશમાં બેકારી વધારી રહયા છે.  અને ઘણા ખરા  વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરી પાછા ફરતા નથી .



                                               આ સાચા કે ખોટા કારણ હોય પરંતુ  અમેરિકાએ  એચ બી ૧ વિઝાની ફી હવે $૧૦૦૦૦૦/- કરી નાખી છે. દાખલા તરીકે બ્રિટનમાં પરદેશી વિદ્યાર્થીઓમાં  ૨૫% જેટલા ભારતીય વિદ્યાર્થીઓ  હોય છે.  પરંતુ એ લોકોને અભ્યાસ પૂરો થયા બાદ પાછા ફરવા માટે ૧૮ મહિનાનીજ મુદત આપવામાં આવી છે. એટલે કે એમણે જલ્દીથી દેશ છોડો જવું જોઈએ. બ્રિટનને લાગે છે કે પરદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કાર્ય પછી પાછા ફરવાને બદલે ગમેતે રીતે ત્યાંજ ઠસી પડે છે. કૅનેડાએ પણ પરદેશી વિદ્યાર્થી માટે  સંખ્યા ઓછી કરી નાખી છે. તે ઉપરાંત હવે વિદ્યાર્થીઓની ફીસ પર વધારેની ૬% લેવી નાખવાની તૈયારી કરી લીધી છે. આથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ ગયો છે. આમ છતાં ૧.૫ મિલિયન ભારતીય વિદ્યાર્થીઓ આખા વિશ્વમાં પથરાયેલા છે. પરંતુ હવે સમૃદ્ધ પરદેશોમાં  બહારના વિદ્યાર્થોઓને આવકારતા ખચકાય છે. જેને માટે એમના પોતાના  સામાજિક કે આર્થિક કારણ પણ હોઈ શકે.

                                        આવી વિદ્યાર્થી માટેની વિશ્વિક વિષમ  પરિસ્થિતિમાં ભારતને  પરદેશી ચલણનો  ખર્ચો ઓછો થઇ જશે.  બીજું ભારતીય  વિદ્યાર્થીઓ  જર્મની, ફ્રાન્સ , રશિયા અને ચીન તરફ વળવા માંડ્યા છે. વ્યવસાયીઓ માટે હવે અમેરિકન પ્રતિબંધોને કારણે ભારતમાં તકો વધી રહી છે. અમેરિકન કંપનીઓ હવે એનું કામ ભારતીય કંપનીઓને સોંપવા જવા માંડી છે. બૅંગ્લૉરુમાં દરેક અમેરિકન કંપનીઓએ ગ્લોબલ કેપેબીલીટી સેંટર ખોલી નાખ્યા છે. જેઓ હવે સંધોધનો , ફરમાસિકેલ લેબો , અને આઉટ સોર્સીંગ કરવા માંડ્યું છે. એ ભારતને માટે લાભકારક છે.  ઘણા ભારતીય  એન્જીનયરો હવે  ભારતમાં પાછા ફરી પોતાની કંપનીઓ ખોલી રહયા છે નહીતો બીજી કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે. તે ઉપરાંત ભારત સરકારે પણ નવી કંપનીઓને મદદ કરવા માંડી છે. આથી ભારત તરફનો  ભારતીય અમેરિકન નો પ્રસ્થાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.  પરદેશથી દેશનો પ્રવાહ શરુ થયો છે. આમ બ્રેન ડ્રેઇનનો  હવે બ્રેઈન ગેઇનના  રૂપાંતરની  શરૂઆત થઇ ચુકી છે. 



                                                      આમ સ્થળાન્તર ઉપરના સમૃદ્ધ દેશોના પ્રતિબંધો ઘણી વાર વિક્સિત દેશોને લાભ થઈ શકે છે. કારણકે આજે જ્યાં તકો મળે ત્યાં લોકો જાય છે. એથી આ સમય હવે બ્રેન સિરક્યુલેશનનો  સમય છે એમાં શંકા નથી. 

                                       ***********************************  

                                            

Sunday, December 7, 2025



ભારતની  આર્થિક  તાકાત 

                                                      અત્યારે ભારત ૫મી આર્થિક વિશ્વિક તાકાત છે અને ૧૯૨૬ માં એ વિશ્વની ૪થી આર્થિક  તાકાત બનવાની તૈયારીમાં છે. એ જાપાનની આર્થિક તાકાતને પણ પાછી પડી દેશે . એ ભારત માટે ગર્વની વાત છે. તે ઉપરાંત થોડા વખતમાં એ  જર્મનીની આર્થિક તાકાતને પણ પાર કરી જશે. એભારતની આર્થિક પ્રગતિને બતાવે છે. ઇન્ટરનેશનલ મોનટોરી  ફંડ  નું માનવું છે કે ૨૦૩૦ સુધીમાં  ભારતની આર્થિક તાકાત વિશ્વમાં અમેરિકા અને ચીન પછી ત્રીજી આર્થિક તાકાત બની શકે છે.



                                         તે છતાં ભારતને  હજુ પણ બીજા આર્થિક આંકડોને જોતા ઘણું કરવાનું બાકી છે એ બતાવે છે.  ભારતની સમૃદ્ધિ શહેરોમાં ઉંચા ઊંચા ભવ્ય  મકાનો , અને મોટા લાંબા , અને સુંદર રસ્તાઓમાં દેખાય છે. એનું શેર માર્કેટ દિવસે દિવસે વિક્સિત થઇ રહ્યું  છે. આશરે ૪૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ભારતમાં માધ્યમ વર્ગમાં પ્રવેશ કર્યો છે. એ પણ એક ધ્યાન લેનારી ભારતની સિદ્ધિ છે. તે છતાં ભારત હજુ ગરીબ દેશોની ગણતરીમાં  આવે છે . એના કારણો ને ધ્યાનમાં લઇ એ બાબતમાં કામ કરવાની જરૂરત છે.



                                                અત્યારે ભારતની માથા દીઠ આવકમાં ભારતનો  ૧૨૬ મોં ક્રમ છે જેને નીચે  લાવવાની જરૂર છે. પહેલા એ નંબર ૧૫૨ હતો  તેમાં પ્રગતિ થઇ છે, પરંતુ હજુ  વધુ કામ કરવાની જરૂર છે . એટલેકે ભારતની વધતી સમૃદ્ધિ ને યોગ્ય રીતે વહેંચણી કરવાની જરૂર છે. એટલેકે  ગરીબોની આવકને વધારવાની જરૂર છે. તે છતાં ભારતનો ગરીબી રેશિયો  છેલ્લા દસકામાં જેટલો ઘટવો જોઈએ એટલો ઘટ્યો નથી એમ વિશ્વ બેંક પણ માને છે. ભારતનો ભૂખમરાના રેશિયોમાં   ટોટલ ૧૨૩ માં  ૧૦૨ નંબર છે. એ ભારતની ગરીબાઈ વિષે ખ્યાલ આપી જાય છે.




                                     તે ઉપરાંત ભારત  પ્રદુષણની   બાબતમાં ઘણું પાછળ છે.   પ્રેસ સ્વત્રંત્રતાની બાબતમાં પણ વધુ કરવાની જરૂરત છે. આર્થિક તાકાત જ એકલી મહત્વની નથી પરંતુ કરોડો ભારતવાસીઓનું  જીવનધોરણ  ઉપ્પર લાવવું  એ પણ મહત્વનું છે.

                  *************************************************              

Wednesday, December 3, 2025

 


ભારતીયોનું અમેરિકામાં પ્રદાન 

                                                       અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીયોનું બહુજ પ્રદાન છે. ભારતીયો અમેરિકાની અર્થવ્યવસ્થામાં મહત્વનું સ્થાન  ધરાવી રહ્યા છે.  ૪૦ % ભારતીય મૂળના લોકો અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં  માલિકી ધરાવે છે.

                                                               અમેરિકાની સિલીકોન વેલીમાં ૪૦% કામકારનારા લોકો ભારતીય મૂળના છે. એમના  પ્રસ્થાનથી વેલી વેરાન થઇ જાય એમ છે.

                                                                   તે ઉપરાંત નાસામાં કામ કરનારા ૧/૩ લોકો ભારતીય મૂળના છે. એનાથી અમેરિકાનું અવકાશ વિજ્ઞાન વિકસિત થઇ રહ્યું છે.



                                     વિજ્ઞાનિક રિસર્ચમાં  પણ ભારતીયો વગર અમેરિકામાં અવકાશ સર્જાઈ શકે છે.  અમેરિકાની વિશ્વ બેન્કિંગ સિસ્ટમમાં  પણ ૨૦% ભારતીય મૂળના લોકો કામ કરે છે. ભારત અમેરિકામાં ૪૦% જર્ણીક દવાઓ ભારતથી આવે છે. એના વિના અમેરિકાની આરોગ્ય વ્યવસ્થાને પણ નુકશાન થઇ શકે છે. અમેરિકાની હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સો પણ ભારતીય મૂળના સારા એવા લોકો કામ કરી રહ્યા છે. એના વગર હોસ્પિટલની ઈમરજંસી સેવાઓ પર પણ અસર થઇ શકે છે.

                                     ભારતીય મૂળના ટેકનીકલ માણસો વગર અમેરિકાની ઘણી એપ્સ ક્રેશ થઇ જાય, પેમેન્ટ સિસ્ટમ પણ નિસ્ફળ થઇ શકે અને ડેટા સેંટરમાં પણ ગભરાટ ફેલાઈ શકે છે.વેપારમાં પણ એની અસર થઇ શકે છે.



                                       ' અમેરિકામાં ભારતીયો અમેરિકન નાગરિકોના  કામ  લઇ રહ્યા છે એમ કહેવાય છે. ' એમાં આશ્ચર્ય જનક  નથી  કારણકે ભારતીય મૂળના લોકોએ અમેરિકામાં સિસ્ટમ બનાવી છે જે અમેરિકન આર્થિક વ્યવસ્થાને ધીમી કરી શકે છે. એને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. એટલા માટે જ ભારતીય મૂળના લોકોના પ્રદાનનું મહત્વ છે . 

                                          ************************************

                             

                                                                

                                                            

                                         

Saturday, November 15, 2025



 એલ્ઝહેઈમર

                                                                                એલ્ઝહેઈમર એ એવો રોગ છે જેમ માનવી પોતાની ઓળખ જ ભૂલી જાય છે. પોતાના સ્વજનોને ભૂલી જાય છે તો દુનિયામાં પોતાની ઓળખ ભુલાવી દે છે. ઘણે ભાગે એ રોગ વૃદ્ધાવસ્થામાં વધારે દેખાય છે. કેટલાએ દુનિયાની મહાન વ્યક્તિઓ એનો ભોગ બનીછે. એ રોગના ભોગ બનેલા લોકોની સ્થિતિ બહુજ દયાજનક થઇ જાય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ રેનોલ્ડ રેગન એ રોગના ભોગ બન્યા હતા. ઘણીવાર સેન મોનિકાના દરીયા કિનારે એમનો  પૌત્ર એમને લાકડી સાથે દોરી જતા નઝરે પડતા . એ દ્રશ્ય એક વખતના દુનિયાના તાકાતવાન માનવ માટે દયાજનક હતી. પરંતુ તો રોગ જેનાથી એ પીડાતા હતા તે ભયંકર રોગ હતો.

                                             એ રોગના ઉકેલ માટે દુનિયાના કેટલાએ વિજ્ઞાનીકો લાગેલા છે પણ સંતોષજનક ઉકેલ હજુ મળી શક્યો નથી. એ એટલો ભયંકર રોગ છેકે સમયની સાથે પરિસ્થિતિ વિપરીત  થતી જાય છે. 

                                              અત્યાર સુધીના વિજ્ઞાનિક  તારણો જણાવે છે કે  એલ્ઝહેઈમરને ખોરાકની આદતો બદલવાથી કે કસરતો દ્વારા અટકાવી શકાય છે. તે ઉપરાંત સામાજિક રીતે લોકસંપર્કમાં રહેવાથી એની અસરને ઓછી કરી શકાય છે.


                                               એલ્ઝહેઈમર  માટે  'સિલ્વર  બુલેટ'  જેવી દવાઓ પણ  આપવામાં  આવે છે પણ એની અસર વષે  હજુ પણ શંકાઓ ઉભી છે. 

                                                 એલ્ઝહેઈમરને શરૂઆતથી શોધવા માટે લોહીનો ટેસ્ટ પ લેવામાં આવે છે પણ એના તારણ હજુ પણ એટલો આધાર રાખી શકતો નથી .એવું નિષ્ણાતોનું માનવું છે.

                                                દુન્યવી કારણો જેવાકે રંગભેદ , તંદુરસ્તી , આજુ બાજુનું વાતાવરણ પણ  એ રોગને વધારવામાં કારણભૂત બનતા હોય છે એવું પણ માનવામાં આવે છે. કેટલાક સંધોધન  કરનારાઓ એ બાબતમાં ઉકેલ શોધવા પ્રયત્નો કરી રહ્યા છે. 



                                                મૂળમાં વિજ્ઞાનીકોનું  માનવું  છેકે  એલ્ઝહેઈમર નું ઉદ્ધભવ 'તાઓ' અને  એમિલોઈડ બીટા જેવા પ્રોટીન મગજમાં  ભેગા થવાથી થાય છે. એ સમયની સાથે નેયુરોન સેલને નુકસાન કરે છે . એમાંથી જ અલઝહેઈમર જેવો રોગ ઉત્પન્ન થાય છે. એના પરસંધોધન દ્વારા દવાઓ બનાવવા પ્રયત્ન કરી રહયા છે.

એ દવાઓમાં 'સાઈડ ફફેક્ટ' નો પણ ભય હોય છે. એમાં મગજમાં લોહી સ્ત્રાવ અથવા લખવા જેવી ફફેક્ટ લાગે એવી ઘટના બનવાનો સંભવ પણ હોય છે.

                                                  આથી અલઝહેઈમરના ઉકેલમાં અનેક અવરોધો છે તે છતાં પહેલા કરતા અત્યારે  વિજ્ઞાનીકોની શોધોને લીધે એ રોગના ઉકેલમાં સારી એવી પ્રગતિ કરી છે.

                                  *******************************************

                                                  

Friday, November 7, 2025

 


આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ (એઆઈ ) -અમેરિકા અને ચીન

                                                                                                                         અમેરિકન ઉપ પ્રમુખ જે ડી વાંસ કહે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ માં  હરીફાઈ એ  હથિયારો બનાવવાની  એક  દોડ છે. ' અમેરિકા જો એના પાર કાબુ રાખવાની જંજાળમાં પડશે તો એમજ ગૂંગળાઈ રહેશે. આજ બતાવે છે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ ની કેટલી મહત્વતા છે. અમેરિકન  કંપનીઓ પણ એના પર અંકુશો ઓછા રાખવાની હિમાયત  કરે છે. ટૂંકમાં તો આ વિષય પર આગળ વધવા માટેની અમેરિકા અને ચીન વચ્ચેની   હરીફાઈ છે. 



                                                                                           એમાં અમેરિકાનો અને ચીનના માર્ગો જુદા છે. અમરિકાનું ભાષાકીય  એઆઈ મોડેલ સામે ચીને દિપસિંક મોડેલ બહાર પાડ્યું છે. એ ઓછા ફંડથી બનાવી લોકો માટે બહાર પાડ્યું છે. ચીન એનો ઉપયોગ દરરોજની મુશ્કેલીઓ સામે એનો ઉપયોગ કરવા માગે છે. એનો ઉપયોગ ચીન એની ફેક્ટરીઓના ઉત્પાદન વધારવા કરી રહ્યું છે.  જયારે એના મોડેલનો ઉપયોગ  મોટા  આંકડાકીય સેન્ટરો ઉભા કરવા માટે કરી રહ્યું છે. ચીન એના મોડેલનો  ઉપયોગ લોકોઉપયોગી  કરવા માટે આગળ વધી રહ્યું  છે.  અમેરિકા આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટનો ઉપયોગ  માનવ શક્તિ ને ઓળંગી સર્વોચ્ચ ઇન્ટેલીજન્ટ વ્યવસ્થા બનાવવાનો  છે. 

                                                                                              ચીન 'એઆઈ માં આંધળી દોડમાં  નથી . એ  એનો ઉપયોગ વિવિધ  માનવી ક્રિયાઓમાં  એનો  ઉપયોગ કરી માનવી સુવિધાઓ વધારવામાં કરવાનો છે. તે ઉપરાંત એઆઈ  ને સસ્તું અને વધુ ગતિવાન બનાવવા ચીન પ્રયત્ન કરી રહ્યું છે. એટલે કે કોમ્પ્યુટી શક્તિ વધારવા કરતા એને લોકો માટે કરવા આગળ વધી રહ્યું છે. એઆઈ નો ઉપયોગ  રોબટૉને વધારેને  વધારે માનવી બુદ્ધિ આપી તેનો ઉપયોગ કરવા  માંગે છે. એને માનવીય  મગજની શક્તિ આપવા માંગે છે જેથી એ સામાન્ય માનવીય પ્રવૃત્તિઓ વધારે સારી રીતે કરી શકે.



                                                                                         આમ જુદા રસ્તાઓ અમેરિકાની આર્થિક વ્યવસ્થાને વધારે મદદ રૂપ બની રહે છે. પણ ચીનનો રસ્તો માનવી પ્રવૃત્તિઓને વધારે પ્રોત્સાહિત કરી શકે છે અને માનવીને વધુ શક્તિવાન બનાવી શકે છે,

                                                                                     તંદુરસ્ત હરીફાઈ હંમેશા માનવ સમાજ માટે હિતકારક હોય છે.

                                             **********************************

  

Saturday, November 1, 2025

 


મદિરાનો પ્રભાવ 

                                                                   મદિરાનું  સેવન એ આદિકાળથી ચાલી આવે છે. ભારતીય સંસ્કૃતિમાં એને સોમરસ તરીકે  ઓળખ આપવામાં આવી છે. એનો ઉપયોગ માનવીના દિલને વાસ્તવિકતાથી દૂર  કરી દહેલવા માટે કરવામાં આવે છે. દુનિયામાં વસ્તુઓ ખરાબ નથી હોતી પણ એનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ જ જવાબદાર હોય છે. એનો ઉપયોગ માનવીના મગજના તંતુઓને જરાક હળવા કરવામાં આવે ત્યાં સુધી મદિરા  હાનિકારક બનતું નથી. પણજ્યારે એનો ઉપયોગ અતિશય કરી જીવનના કઠિન પ્રશ્નોને ભૂલવા માટે  કરવામાં આવે ત્યારે એ માનસિક અને શારીરિક રીતે નુકશાનકારક બની રહે છે. ત્યારે આધુનિક  જમાનામાં દારૂ બની જાય છે. અને ઘણીવાર માનવી જીવનને નાશ કરી નાખે છે. 

                             આથી દારૂને કાબુમાં રાખવા માટે અમેરિકી , રશિયન, ભારત જેવી સરકારોએ  કાયદા કર્યા પણ એમાં સફળતા મેળવામાં મુશ્કેલ બન્યું છે. કારણકે  દારૂ પર કાબુ વ્યક્તિ પોતે જ રાખી શકે છે . એમાં કાયદાઓ બહુ ઉપયોગી નીવડતા નથી . પરંતુ એક વસ્તુ તો સત્ય છે કે  દારૂના અતિ સેવનથી એની શરીર પર ઘણી અવળી અસર થાય છે. તે છતાં ધનિક અને શક્તિશાળી વ્યક્તિઓને દારૂના અતિસેવન કરતા અટકાવવા મુશ્કેલ છે. એટલેકે મનુષ્ય જ પોતાનો દુશ્મન બની રહે છે.



                               દારૂનું અતિસેવન માનવીના શરીરના ઘણા  અંગો પર અસર કરે છે .એમાં વધારેમાં વધારે નુકસાન માનવીના લીવરને થાય છે. ત્યારબાદ એ હાર્ટ ,આંતરડા, પેંક્રિયાસ અને મગજને દારૂની ભયંકર અસર થાય છે.આ બધી બીમારીઓનો આધાર 'દારૂ કેટલો પીવામાં આવે છે. અને કેટલા વખત એ લોહીમાં રહે છે.' એમ નિષ્ણાતો કહે છે. એમ  માનવામાં આવે છે કે  પુરુષો જો દિવસમાં   ચારથી  વધારે ડ્રિન્કનો  સેવન કરે અને સ્ત્રીઓ દિવસમાં  ત્રણ કરતા વધારે ડ્રિન્કનો ઉપયોગ કરે તો એમની તંદુરતીની  અસર કરે છે. એમને લાંબેગાળે હાઈ બ્લડ  પ્રેસર , હાર્ટ પ્રોબ્લેમ , અને લીવરની બીમારી લાગુ પડે છે. એ કૅન્સરને પણ નોતરી શકે છે. તે ઉપરાંત માનવીની ઇમ્યુન સિસ્ટમ નબળી પડી અને મગજને પણ એની અસર થાત છે.



                             દારૂનું સેવન બંધ કરવાથી લીવરની બીમારી ધીમે ધીમે ઓછી થવા માંડે છે એમ નિષ્ણાતોનું માનવું છે. દારૂનું સેવન ઊંઘની બીમારી , સ્વભાવ બદલવાની બીમારી અને ડિપ્રેશન જેવી બીમારીનું ઉદ્ભવ સ્થાન છે એવું સ્ટેન્ડફોર્ડ યુનિવરસિટીના નિષ્ણાતોનું માનવું છે. સ્ટેન્ડફોર્ડ યુનિવરસિટીના નિષ્ણાત ટેટનું  માનવું છે કે 'દારૂનું સેવનની  લત અને સામાન્ય સેવનની ટેવ વચ્ચે બહુ પાતળી  દોરી હોય છે જે સેવન કરનારની નજરથી ક્યારે ઓળંગી જવાય છે. તે ખબર પડતી નથી. 

                         થોડા સમયમાટે દારૂનું સેવન બંધ કરવાનો પ્રયોગે પણ સાબિત કર્યું છે કે' એ માનવીને શારીરિક , અને મગજને  પણ ફાયદાકારક  હોય છે.' આ એક સંપૂર્ણ સત્ય છે.

                                  ***********************************

                                 

Friday, October 24, 2025

 


એલોન મસ્ક દુનિયાના  ધનિક અને  શક્તિશાળી વ્યક્તિ

                                                                                                             અલોન મસ્ક એક બુદ્ધિવાન વ્યક્તિ છે. એમણે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખની  ચૂંટણી જીતવામાં મદદ કરીને એની કાબેલિયત બતાવી દીધી હતી. એમના અને ટ્રમ્પ વચ્ચે ઘાઢ સબંધ છે. પરંતુ બે શક્તિશાળી વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થવાનો સંભવ છે. એથી જયારે ટ્રમ્પએ ગુસ્સામાં મસ્કના ઉદ્યોગીક સામ્રાજ્યને મળતી સરકારી મદદ બંધ કરવાની વાતો  કરી ત્યારે મસ્કે  સરકારી પ્રોજેક્ટ ડ્રેગન અવકાશની તરત જાહેરાત કરી દીધી . આ પ્રસંગે અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ શુભેચ્છકોએ વચમાં પડી એ વાતને ઠંડી પાડી દીધી હતી.  આજ બતાવે છે કે અમરિકાનો અવકાશ પ્રોજેક્ટ મસ્કના મિજાજ  પર અવલંબિત છે.



                                                                મસ્કની સ્પેસ - એક્ષ  કંપનીનું ફાલ્કન -9 સ્પેસ રોકેટ  સ્પેસ મુસાફરી માટે  ઘણું જ મહત્વનું બની ચૂક્યું છે. એણે ૪૮૫ મિશન સફળતા પૂર્વક પાર પાડ્યા છે. મસ્કનું  રોકેટ આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને પણ સફળતા પૂર્વક સેવા આપી રહ્યું છે.

                                                                   અમેરિકન સ્પેસ ફોર્સ એ  પણ સ્પેસ -એક્ષને   ૫.૯  મિલિયન ડોલરનો કરાર  પેન્ટાગનના મિલિટરી સેટેલાઇટ  અવકાશમાં મુકવા માટે આપ્યો છે. તે ઉપરાંત અમેરિકન મિલિટરી  સ્પેસ એક્ષની સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ  સર્વિસનો ઉપયોગ કરી રહી છે. તે ઉપરાંત ૨૨ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ અમેરિકન સરકારે મુસ્કની કંપનીઓને આપ્યો છે.

                                                                      આજ બતાવે છે કે  અમેરિકન સરકાર અને મસ્કની એક બીજા પર અવલંબિત છે. મસ્કના મિત્ર જારેડ ઇસાકમેનની નિમણુંક નાસાના મુખિયા  તરીકે ટ્રમ્પએ નિમણુંક કરી છે એજ બતાવે છેકે મસ્કની સરકારમાં કેટલું  ચલણ છે.  આમ દુનિયાના ધનિક વ્યક્તિ મસ્ક  સરકારી સત્તા પર કેટલો આધિપત્ય ધરાવે છે. તે ઉપરાંત સ્પેસ પ્રોજેક્ટમાં મહત્વ ધરાવતા અમેરિકાના કૅલિફૉર્નિયા ,ટેક્સાસ , અને ફ્લોરિડા જેવા રાજ્યો પણ એલોન મુસ્કના મજબૂત ટેકેદારો છે.



                                                                       એલોન મસ્ક દુનિયાના  અત્યન્ત વિદ્વાન , ધનિક અને બહુ જ શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે.

                                          *************************************  

Tuesday, October 14, 2025



સાઉથ કોરિયા 

                                                     વિશ્વ્ સત્તાઓની સાંઠમારીમાં કોરિયાના ભાગલા થયા અને આજે નોર્થ કોરિયા એન્ડ સાઉથ કોરિયા નામના બે રાષ્ટ્રો બન્યા. નોર્થ કોરિયા સામ્યવાદી વિચારદ્વારા ઉત્તર કોરિયાએ અપનાવીને અને આખરે એ સરમુખત્યારી પદ્ધતિ અપનાવી. જયારે દક્ષિણ કોરિયા એ  લોકશાહી અપનાવી અને દુનિયાની પાંચમી અર્થ વ્યવસ્થા બની રહી . દક્ષિણ કોરિયાએ સામાજિક, મિલિટરી , અને   ટેક્નોલોજીમાં  પ્રગતિ કરી છે.



                               દક્ષિણ કોરિયા એ અત્યારેજ અમેરિકામાં $૧૫૦ બિલ્લીઓનનું રોકાણ   કરવાની જાહેરાત કરીછે. તે ઉપરાંત અમેરિકા પાસે ૫૦ બિલ્લીઓન ડોલરના બોઇંગ વિમાનો કોરિયન એરલાઇન ખરીદવાની છે. આજ  કોરિયાની સમૃદ્ધિની એક નિશાની છે. સેમસંગ , હુન્ડાઈ જેવી મોટી કંપનીઓ પણ અહીએ ફૂલીફાલી છે.

                                 કોરિયામાં લોકશાહી પણ મજબૂત બની રહી છે. થોડા વખત પહેલા કોરિયન પ્રમુખને ભ્રસ્ટાચારના આરોપો પર દૂર કરવામાં આવ્યા હતા . અને નવા પ્રમુખ લી  જેઇ -મયુન્ગ ચૂંટીકાઢ્યા હતા.



                                                                                      સાઉથ કોરિયા આમ પણ રહેવાલાયક દેશ છે. એના બુદ્ધ મંદિરો વિષે પ્રખ્યાત છે. તે ઉપરાંત કુદરતી દ્રષ્ટિએ પણ એસમૃદ્ધ છે. એની પર્વતીય ગ્રામ્ય વસ્તી લીલોતરીથી છવાયેલી છે. એમાં ચેરીના ઝાડો એના સૌંદર્યમાં વધારો કરે છે 



                                                           એની રાજધાની સિઓલ  ટેક સિટી છે. અને એની વાહન વ્યહવાર વ્યવસ્થા બહુજ સુંદર છે. અહીનું જીવન ઉચ્ચ કોટિનું છે.   સાઉથ કોરિયન   હેલ્થ કેર  પણ  ઉત્તમ કક્ષાનું છે. લોકો મૉટે મૉટે થી વાત કરવાની  ટેવને પસંદ કરતા નથી. સરકારે અઠવાડિયામાં  ૫૨ કલાક કામ  કરવાનો કાયદો બનાવ્યો છે. જેમાં વધારે વધારે ૧૨ કલાકનો ઓવરટાઈમ  રાખેલો છે. આથી મજૂર કાયદાઓ પણ  મજબૂત છે. 

                              એશિયામાં  નાનો એવો દેશ મજબૂત રીતે વિકસીને વિકસિત દેશ બન્યો છે.    

                                      ******************************************* 

                               

                                 

Monday, October 6, 2025

 


પ્રાણી જીવદયા અને ઉદ્દભવતા પ્રશ્નો 

              ,                                                     આજકાલ દુનિયામાં  જીવદયા માટે મોટું  આંદોલનો ચાલી રહ્યા છે. એમાં ધાર્મિક લાગણીઓ , અથવા કરુણા પણ સંકળાયેલી છે. પરંતુ જયારે લાગણી, કરુણા,  અને ધાર્મિકતા  જવાબદારી વગર ઉભી થાય ત્યારે એ લોકો માટે  એક મુસીબત  બની જાય છે.  વધતી જતી  શહેરોની વસ્તીએ આમપણ પ્રાણીઓને શહેરના રસ્તાઓ પર લાવી દીધા  છે કારણકે તેમના રહેવાની જગ્યાએ એટલે કે જંગલની જગ્યાએ ઝાડોને કાપી  મોટા મોટા કોન્ક્રીટના  જંગલો ઉભા કરી દીધા છે.

                                             શહેરી કુતરાઓ , બિલાડીઓ ,ગાયો , ભેંસો અને વાંદરાઓ  જેવા જાનવરો તો હવે શહેરોમાં અવરોધ ઉભા કરી રહ્યા છે. ઘણીવાર  તો જીવદયા મંડળીઓ , અને ધાર્મિક લોકો એના માટે મોટા  જવાબદાર બન્યા છે.  એમને એક કે બીજા કારણોએ એ જાનવરોને રક્ષણ આપી રહ્યા છે. એક બે ભારતીય શહેરોમાં તો ચિત્તાઓ પણ ઘૂસી જવાના બનાવો બની ચુક્યા છે.



                                              દિલ્હી જેવા શહેરમાં તો એક વર્ષમાં ૨૫૦૦૦ જેટલા કુતરા કરડવાના બનાવો બન્યા છે. યુનિટેડ નેશન્સના રિપોર્ટ પ્રમાણે આશરે વાર્ષિક ૧૮૦૦૦ જેટલા લોકો ભારતમાં  કુતરા કરડવાને લીધે મૃત્યુઓ થયા છે. જે આખી દુનિયાના ૧/૩ આંકડો છે. મ્ર્ત્યુઓમાં મુખ્યત્વે બાળકો હતા .

                                            ભારતમાં રસ્તા પર રખડતી ગાયો રસ્તાપરના ટ્રાફિકને  નડતર રૂપ હોય છે.  વાંદરાઓ ખોરાક ઉપાડી જાય છે.ઘણી વાર તો મોબાઈલ પણ ઉપાડી જાય છે. જંગલી  રસ્તા પર રખડતા કુતરાઓ ચાલતા લોકોને કરડી જાય છે. અમદાવાદમાં તો સવારના ફરવા નીકળેલા  એક ઉદ્યોગપતિને  જંગલી કૂતરો કરડી ગયો અને મૃત્યુ પામ્યા હતા . આજ બતાવે છે કે રસ્તા પર રખડતા કુતરાઓ લોકોને કેટલી હેરાનગતિઓ  ઉભી કરી રહ્યા છે. હવે તો શહેરોમાં પણ સર્પો દેખાવા  માંડયા છે. 



                                            એમાં ધાર્મિક માન્યતા જેમ કે વાંદરો   હનુમાનના પ્રતીક , સર્પોની નાગપંચમીને દિવસે પુંજા કરવામાં આવે છે . ગૌ માતા તરીકે પુંજાવામાં આવે છે એથી એ અવરોધોને દૂર કરવા  મુશ્કેલ છે. આથી એ રાજકીય પ્રશ્ન બની રહ્યો છે  અને એના નાશ ન થાય એના માટે કાયદાઓ પણ બનાવવા આવ્યા છે.

                                            રાજકીય અને ધાર્મિક લાગણીઓને  લીધે ભારતીય  સુપ્રીમ કોર્ટને પણ જંગલી કુતરાઓને નાબૂદ કરવાના એમના ચુકાદાને  નરમ બનાવી દેવો પડ્યો હતો.  આમ  ભારતના  શહેરોમાં રખડતા જાનવરોનો શહેરી  રંજાડ સહન કરવા લોકોને  બેજાર બનાવી દેવામાં આવ્યા  છે. આમ  જવાબદારી વગરની જીવદયા ભારતમાં આજે બોજારૂપ બની ચુકી છે.



                                               આથી જંગલી અને રસ્તા પર રખડતા જાનવરોના પ્રશ્નો વિજ્ઞાનિક દ્રષ્ટિએ જોવો રહ્યો નહીકે  લાગણીની દ્રષ્ટિએ. દુનિયામાં ઘણા દેશો પણ એવાજ પ્રશ્નોનો સામનો કરી રહયા છે. જેમ કે  ઇંગ્લેન્ડમાં જંગલી ટર્કીઓનો  પ્રશ્ન , જર્મનીમાં  જંગલી બોઅર્સનો  પ્રશ્ન , અને આર્જન્ટિનામાં  કેપિબર્સ  જેવા જાનવરોનો ત્રાસ શહેરોમાં વધી ગયો છે .

                                          એનો ઉકેલ લાવવાંમાં નહિ આવશે તો એ પ્રશ્ન વિકટ બનતો જશે અને માનવ હાનિ વધતી જ જશે .         

                      *************************************************************   


                                             

Tuesday, September 16, 2025

    


 વિશ્વ સત્તાના નવા સમીકરણો 

                                                                              અમેરિકાના ટેરિફ હુમલાથી ઘાયલ થયેલા દેશો અત્યારે નવા બઝારો અને સત્તાના નવા સમીકરણો રચવા માંડયા છે. અમેરિકા એ ચીન, ભારત , જાપાન , સાઉથ કોરિયા , ઇન્ડોનેશિયા, વિએટનામ , જેવા દેશો પર આકરી ટેરિફઓ  નાખી છે. એથી વિશ્વના વેપાર ઉથલપાથલો થઇ રહી છે. જેનાથી બ્રિક સંઘઠન વધારે સંઘઠિત  થવા માંડ્યું  છે. આથી અમેરિકા વધારે ક્રોધિત થઇ રહ્યુંછે કારણકે એનાથી ડોલર પર અવળી અસર થશે અને ડોલરનું મૂલ્ય ઓછું  કરવાનો પ્રયત્ન પણ થઇ શકે છે.



                                                        અત્યારે થોડા વખત પહેલા જ ચીનમાં 'શંઘાઇ  કોઓપરેશન સંસ્થાના'  હેઠળ 20 દેશોના પ્રમુખો અને  વડા પ્રધાનો મળ્યા હતા એમાં રશિયા, ચીન , ભારત , ઉત્તર કોરિયા જેવા દેશો પણ જોડાયા હતા.  સહકારને નામે અમેરિકાની ટેરિફ થી આડ અસર થવાની છે એનો ઉકેલ શોધવા ગુંથાયેલા હતા. એમાં પરસ્પર આયાત અને નિકાસને કેવી રીતે વાળવી કે જેથી તેમના દેશોના હિતો ટેરિફ સામે ટકી શકે. એમાં એવો પણ પ્રશ્ન પણ ચર્ચાયો હોયકે એશિયાના દેશોની નાણાકીય , લશ્કરીઅને સલામતીની વ્યવસ્થા કેવીરીતે 'નાટો' જેવી સંસ્થા ઉભી કરીને જાળવી શકાય? શંઘાઇ સંમેલનમાં અમેરિકાની સેંકશન અને ટેરિફ યુદ્ધમાં સપડાયેલા રશિયા , ચીન અને ભારતે નક્કી કર્યું હતુંકે ' બને ત્યાં સુધી તેમનો પરસ્પર વેપાર તેમના ચલણમાં  જ કરવો . એ પણ નોંધનીય છેકે ચીને ૨૦૧૯ માં તેના વેપારનો ૩૦% ભાગ એના ચલણ યુઆનમાં જ કર્યો હતો . આખરે તો આ બધી પ્રક્રિયાઓ અમેરિકાના ડોલર સામે જ જાય છે. જેનાથી ડોલર એટલા અંશે નબળો પડે છે.

                                                          ટેરિફ અસરો હવે જણાવા લાગી છે . ભારતે રશિયા , ચીન , બ્રિટન  અને યુરોપ સાથે ફ્રી વેપારના કરારો કરવાની વાતો  ચાલી રહી છે. ચીન પણ બીજા રાષ્ટ્રો સાથે વાટાઘાટો ચલાવી રહ્યું છે. એ કેટલા અંશે સફળ રહેશે એતો ભવિષ્ય જ કહેશે.

                                                        ટેરિફને લીધે અમેરિકાની આવક  વધશે અને એના બજેટમાં  ખાંધ  ઓછી  થશે પણ લાંબેગાળે  મોંઘવારી, બેરોજગારી  અમેરિકામાં વધવાની સંભાવના છે . તે ઉપરાંત અમેરિકાની સામે એના હરીફોમાં એકતા વધશે. જેથી અમેરિકાને  નુકશાન થવા પણ સંભવ છે.



                                                        આવા સંજોગોમાં અમેરિકા સામે બીજા રાષ્ટ્રોનો મોરચો પણ ઉભો થઇ શકે છે. અમેરિકાએ જે રાષ્ટ્રો રશિયા અને ઈરાન પાસે સસ્તું તેલ ખરીદે છે એવા  રાષ્ટ્રો પર 50% સુધી ટેરિફઓ નાખી છે. એમાં ભારતનું મંતવ્ય છે કે' અમને જે અમારા રાષ્ટ્રના હિતમાં લાગશે એ પ્રમાણે જ અમારી નીતિ ચાલુ રહશે. એમાં રાષ્ટ્રગૌરવ અને અમારી  સ્વાતંત્રતાના હિતનું પણ રક્ષણ કરતા રહીશું .'



                                                         બ્રિક સંઘઠનમાં બ્રાઝીલ,રશિયા, ચીન , ભારત , સાઉથ આફ્રિકા , ઈરાન અને સંયુક્ત અમીરાત, જેવા રાષ્ટ્રો છે અને એ રાષ્ટ્રો પોતાના ચલણમાં વેપાર કરવાની યોજના બનાવી રહ્યા હતા. એથી ડોલરને અસર થશે એમ અમેરિકાનું પણ માનવું છે. એથી અમરિકાએ બ્રિકને ચેતવણી  આપી છેકે એ ચાલનો જવાબ ૧૦૦%  ટેરિફ થી કરવામાં આવશે.



                                                             આથી ટેરિફ યુધ્ધ દુનિયાના સત્તાના સમીકરણો બદલવામાં  કારણભૂત બને તો એમાં આશ્ચર્ય પામવા જેવું નહિ હોય.

                                        ******************************************


Wednesday, September 10, 2025



 દેશ નાના પણ કામ મોટા 


                                                  યુરોપના  ઉત્તર ભાગમાં અને એન્ટાર્ટીકાની  નજદીક ડેનમાર્ક , સ્વીડન , ફિનલેન્ડ અને નોર્વે  જેવા દેશો આવેલા છે. તેમનું હવામાન ઠંડુ છે પરંતુ એમની રાજ્યવ્યવસ્થા અતિ સુંદર અને સરળ છે. ત્યાં વેપાર કરવા માટેનું સરળ વાતાવરણ  આવેલુંછે.  એ દેશોમાંથી દુનિયાની ઘણી જાણીતી કંપનીઓ આવેલી છે જેણે દુનિયાભરમાં  નામના કાઢેલી છે. 



                                                          'કાર્લ્સબર્ગ ' જે દુનિયાના મોટી દારૂ બનાવનારી  કમ્પની છે. ડેનમાર્ક જેવા નાના દેશની કંપનીએ  આટલી નામના કાઢેલી છે એ દુનિયા માટે કોયડો છે? '03% 'જેની વસ્તી છે અને' 1% 'દુનિયાનો જેનો  'જીડીપી'  છે એવા એ દેશોમાં દુનિયાની પ્રસિદ્ધ કમ્પનીઓ  આવેલી છે. ફિનલેન્ડ , ડેનમાર્ક , નોર્વે , અને સ્વીડન 'નૉર્વેક' દેશો તરીકે ઓળખાય છે.



                                                         સ્વીડનની 'આઇકિયા'  એ દુનિયામાં સારામાં સારું ફર્નીચર બનાવે છે જયારે' લેગોના'  રમકડાંઓ જગતભરમાં  વેચાય છે.  નોર્ડીક દેશોમાં 'એટલાસ કોપકો ' મશિનરી બનાવે છે અને 'નોકિયા' અને 'એરિક્સન'  મોબાઈલ  અને ટેલિકોમ્યુનિકેશનમાં અગ્રગણ્ય  કંપનીઓ  છે. 'ઑટોલાઇવ ' જેવી કમ્પની  'ઓટો સીટ બેલ્ટ 'બનાવે છે. ' કોન'લિફ્ટ બનાવે છે. 

                                                        તે ઉપરાંત સંગીતમાં પણ 'સ્પોટીફાઈ 'જેવી લોકપ્રિય કંપનીઓ આવેલી છે.'કલરના' જેવી ક્રેડિટ કાર્ડ કંપનીઓ પણ અહીએ ફૂલીફાલી  છે. સ્થૂળતાને દૂર કરનારી દવા' નોવો નોર્ડીસક' અહીએ બને છે. મૂળમાં નોર્ડીક દેશો  ઘણી બાબતમાં  યુરોપમાં આગળ છે. 



                                                       આ બધી કંપનીઓ દુનિયાની એની હરીફ કંપનીઓ કરતા નફામાં પણ આગળ છે. નોર્વેમાં લાકડાનું ઉત્પાદન વધારે છે અને લોખંડ જેવી  ધાતુઓ પણ સારા પ્રમાણમાં  મળે છે. ડેનમાર્કમાં જેવેલરી ઉદ્યોગ દુનિયાનો ૧%  જેટલો છે.



                                                                               વેપાર ઉદ્યોગનો વીકાસ અહીંની સરકારોને આભારી છે. આ દેશોનો આરોગ્ય અને શિક્ષામાં  તથા બેરોજગારીમાં સરકાર તરફથી સારો એવો સહકાર મળી રહ્યો છે. એથી નવા નવા ઉદ્યોગીક સાહસિકો  ઉદ્યોગીક સાહસ કરવા પ્રેરાય છે. આથી દરેક ક્ષેત્રમાં નાના ઉદ્યોગીક સાહસો ઉભા થયા છે. તે ઉપરાંત અહીંની પ્રજામાં કંપનીના નફા માટે રાહ જોવાની અનોખી ધીરજ છે. એટલેકે કંપનીને સફળતા માટે પૂરતો વખત મળે છે. અહીંના નિષ્ણાતોનું માનવું છે કે 'સફળતા ફક્ત તાકાતવારને જ મળે છે એવું નથી પરંતુ સફળતા સંજોગોને અનુકૂળ થાય એવા લોકોને મળે છે.

                                    ************************************

 

Wednesday, September 3, 2025

 


સિનિયર નાગરિકો 

                                  આજકાલ  વયસ્થ નાગરિકો વિષે  દુનિયાભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. એમના સ્વાસ્થ્ય , એમના જીવનને સરળ અને સુખી બનાવવા માટે પણ સમાજ જાગૃત છે. તેઉપરાંત વિશ્વના ઘણા રાષ્ટ્રો વૃદ્ધ થઇ રહ્યા છે એટલેકે જન્મ  આંકડાઓ ઓછા થઇ રહ્યા છે અને વૃદ્ધોનો આંકડો વધી રહ્યો છે.

                                 એમાં જાપાન , ચીન , અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોમાં પણ વૃદ્ધોની સંખ્યા વધી રહી છે એ આર્થિક રીતે ચિંતાનો વિષય છે.  એમાં નિવૃત્તિનો સમય કેવી રીતે પસાર કરવાનો એમાં પણ વિવાદ છે. ઘણા એવું સમજેછેકે નિવૃત્તિ એટલે ખાઈ પી ને મઝા કરવાની. પરંતુ એ પ્રવૃત્તિ લાંબા ગાળે માનસિક અને શારીરિક મુશ્કેલી ઉભી કરે છે.  એટલા માટે નિવૃત્તિનો સમય ગાળવો મુશ્કેલ છે જો તેના માટે યોગ્ય યોજના ન બનાવી હોય.

                                જાપાનમાં, કે પછી અમેરિકા જેવા દેશોમાં વૃદ્ધો મોટી ઉંમર સુધી નાના મોટા કામો કરી  સમય વિતાવે છે. એટલેકે સમૃદ્ધ દેશોમાં એ સમસ્યાને અનુકૂળ રીતે સિદ્ધ કરવામાં  આવીછે. પરંતુ  ભારત અને બીજા રૂઢિચુસ્ત દેશોમાં આ સમસ્યા વિકટ થતી જાય છે. કારણકે આર્થિક સ્થિતિ બળતી જાય છે. સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે અને વૃદ્ધ માબાપો દયામય સ્થિતિ માં આવી પડે છે અને ઘણા આવી પડેલા છે.  વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે.

                             આવી પરિસ્થિતિમાં સરકારો પણ હવે સંચિત  બની છે. અને વૃદ્ધો માટે સહાયક યોજનાઓ બનાવી રહી છે. એમાં વૃદ્ધો  માટે યુવા વસ્તીને કેટલું માન છે એના પર આધાર રહે છે. જો કેટલાક વૃદ્ધોને વપરાઈ ગયેલી શક્તિ માની એની ઉપેક્ષા કરે તો વૃદ્ધોને સ્થિતિ વિષમ બને છે. પરંતુ કેટલાક પશ્ચિમી દેશોમાં વૃદ્ધોને દેશની સમૃદ્ધિમાં પાયારૂપ માનવામાં આવે છે. એટલા માટે  તેમને દરેક જાતની સહાય આપી એમના જીવનને સુખમય બનાવે છે. એનાથી વૃદ્ધોનું  સન્માન પણ વધે છે. વૃદ્ધોના જીવન અનુભવોનો પણ યુવા પેઢી લાભ લઇ શકે છે.



                           વૃદ્ધોને અપાતી સગવડોનો સદુપયોગ પણ થવો જોઈએ. પશ્ચિમના દેશોમાં બધી સગવડો સાથે ના વૃધ્ધાશ્રયો બનાવેલા છે પરંતુ વૃદ્ધો એમની યુવાનીની ટેવો  પ્રમાણે  સેક્સ ,ડ્રગ  એવી અનેક પ્રવૃતિઓ ચાલુ રાખે છે. એ શરીર માટે નુકશાન કારક પણ નીવડે છે. ઇંગ્લેન્ડ જેવા દેશમાં ૬૫ ની ઉપ્પરના  ઘણા  લોકો  ભયજનક રોગોના ભોગ બન્યા છે. અને તેઓ સામાજિક સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે. એમાં વૃદ્ધોને અપાતી સગવડોનો દુરુપયોગ પણ કદાચ જવાબદાર હોઈ શકે ?



                           ટૂંકમાં વૃદ્ધોના અનુભવો પ્રમાણે સરકારે એનો ઉપયોગ લોકઉપયોગી કામો માટે કરવો જોઈએ  જેથી તેઓ એમનો સમય યોગ્ય રીતે પસાર કરે. કામ વગરના વૃદ્ધો સમાજ અને દેશ માટે પણ સમસ્યા બને તો એમાં નવાઈ પામવા જેવું નથી.

                            ******************************************* 

                          



Sunday, August 24, 2025

 


 આદિ માનવનું રહેઠાણ- ગુફા 

                                                                આદિ માનવીઓ હંમેશા અસલામતીમાં જીવતા. હિંસક પ્રાણીઓ અને આંતરિક લડાઈઓ એમને સતાવતી. ત્યારે  કાયદા અને વ્યવસ્થા જેવું કઈ હતુજ નહિ અને લોકોનું જીવન અસ્તિવ એમની કાબેલિયતને અને આવડત પર અવલંબિત હતી. એવા ભયજનક વાતાવરણમાં તેઓ કુદરતને ખોળે જે રક્ષણ મળતું લઈને રહેતા.

                                     એમાં એમનું રહેઠાણ ગુફાઓમાં રહેતું. ઘણીવાર તેઓ કુદરતી ગુફાઓમાં વાસ કરતા. અને જેમ જેમ એમની કલા વિકસતી ગઈ તેમ જાતે પણ પથ્થરો કોતરી  ગુફા બનાવી રહેવા માંડ્યા. જેમ સંસ્કૃતિ વિકસી તેમાં નકશીકામ અને ચિત્રકામ પણ વિકસાવ્યું. આવી ઘણી ગુફાઓ દુનિયામાં ઘણી જગાએ મળી આવી છે. આ પથ્થર યુગની વાત છે જે વખતે પથ્થરના શસ્ત્રો શિકાર કરવા અથવા નાના મોટા સંગર્ષો  પણ વપરાતા હતા. 



                                   આવી ૨૦૦૦ જેટલી ગુફાઓ જેમાં આદિ માનવો જીવતા હતા તે સ્પેઇનના ડુંગરાળ પ્રદેશમાં શોધવામાં આવી છે.  યુરોપની  સૌથી મોટામાં મોટી ગુફાની વસાહત આજે ત્યાં ૩૦૦૦ માણસોને સમાવે છે. આજે  પણ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં સખત ગરમીથી બચવા માટે  એવી ગુફા જેવા ઘરોમાં રહે છે.

                                  આદિ માનવીઓ જ ગુફામાં રહેતા હતા એવું નથી પણ આજના યુગમાં પણ અમેરિકામાં ઉટાહ ખાતે  મોર્મોન્સ લોકો ૧૫ જેટલી ગુફામાં ઘર બનાવી રહે છે.



                                      તે ઉપરાંત ગ્રેનાડા, સ્પેઇનમાં  ગુફામાં રહેનાર લોકોએ ફલેમનકો  જેવી નૃત્ય કલાને ૫૦૦ વર્ષ પહેલા વિકસાવી હતી જે આજે જગપ્રખ્યાત  કલા બની ગઈ છે. આજે પણ સ્પેઇનમાં એવા જ વાતાવરણ વચ્ચે રાત્રીના સમયે એ નૃત્યકલાનું પ્રદર્શન કરવામાં આવે છે.



                                    આવી  ગુફા સંસ્કૃતિએ દુનિયાને  અનોખી કળાની પણ ભેટ આપી છે.  તે સાથે  ગુફાના ઠંડા અને આલ્હાદક વાતાવરણમાં રહેતા કેટલા તંદુરસ્ત વાતાવરણ માં રહેતા હતા અને એમાં પ્રદુષિત વાતાવરણને  સ્થાન પણ ન હતું .

                                       એમાંથી એક પ્રશ્ન ઉદ્ભવે છે.કે કોણ સુખી હતા? આદિ માનવ કે પછી આધુનિક માનવી?

                                   ***********************************

                                     

Saturday, August 16, 2025

 


ઇઝરાયેલ 

                                                      બીજા યુદ્ધ દરમિયાન  નાઝીઓને હાથે  જ્યૂઝ લોકોએ ઘણા અત્યાચારો સહન કર્યા તે અસહનીય હતા. કેટલાક જ્યૂઝોને તો ગેસ ચૅમ્બરમાં નાખીને મારી નાખવામાં આવ્યા હતા. આમ જ્યૂઝ પ્રજાએ ઘણા જુલમો સહયા હતાઅને એમના પ્રત્યે દુનિયાને સહાનુભૂતિ હતી.આમ તો જ્યૂઝ પ્રજા  આખી દુનિયામાં જઈને વસી  હતી પરંતુ હિટલરે અને નાઝી સત્તાએ એમને  વણી વણીને માર્યા હતા.  જ્યૂઝ પ્રજા જ્યાં વસી ત્યાં એમની બુદ્ધિ અને આવડતને લીધે નામના કાઢી હતી. આજે પણ દુનિયામાં નોબલ પુરસ્કાર મેળવવામાં આગળ છે. અમેરિકામાં શેર માર્કેટમાં, હોલિવુડમાં, રાજકારણમાં અને સમાજના દરેક ક્ષેત્રમાં જ્યૂઝ લોકો આગળ પડતું સ્થાન ધરાવે છે અને ઘણુંજ શક્તિશાળી જૂથ છે. એમ કહેવાય છે કે જુના સમયમાં જ્યૂઝો પેલેસ્ટાઇનમાં  રહેતા હતા પરંતુ એમને બહારના આક્રમણોકારોએ ત્યાંથી ભગાડયા હતા અને એ પ્રજા દુનિયામાં જ્યાં સ્થાન મળ્યું ત્યાં પથરાયેલા હતા. એટલેકે એમના માટે કોઈ દેશ હતો નહિ.  એમના પર થયેલ જુલમો અને એમાંથી ઉત્ત્પન થયેલી સહાનુભૂતિ એ ૧૯૪૮ માં પેલેસ્ટાઇનમાં થોડો પ્રદેશ કાઢીને અમેરિકા અને પશ્ચિમી દેશોએ ઇઝરાયેલ નામનો દેશ જ્યૂઝઓ માટે ઉભો કરવામાં આવ્યો ત્યારથી પેલસ્ટાઈનો અને બધાજ મુસ્લિમ દેશોને ઇઝરાયેલ પ્રત્યે રોસ છે કે ઇઝરાયેલ ઉભું કરીને એમની જમીન પચાવી પાડી છે. અને આજુબાજુના દેશો સાથે ઇઝરાએલનો  ટકરાવ ચાલુ રહ્યો  છે.



                                          એમાં 'હમાસ' નામની  મુસ્લિમ ત્રાસવાદી સંસ્થાએ  ઇઝરાયેલ પર હુમલો કરીને ઘણા ઇઝરાયલી નાગરિકોને મારી નાખી ૨૦૦ થી  વઘારેનું અપહરણ કરી નાખ્યું  હતું. આજ ઇઝરાયેલ માટે રોસનું કારણ બન્યું   અને એ  ઇઝરાયેલ અને ગાઝા પટ્ટી વચ્ચે યુદ્ધનું કારણ બન્યું. અને એ આજે પણ ચાલુ  છે. 

                                             ત્રાસવાદી સંસ્થાના હમાસ  દ્વારા ઇઝરાયેલ પર થયેલા  હિંસક હુમલા બાદ ઈઝરાઈલે પોતાના રક્ષણ માટેના જે પગલાં લીધા એણે ગાઝાની બરબાદી નોતરી છે. ગાઝાના રસ્તાઓ , હોસ્પિટલો ખેતીની જમીનો ,સ્કૂલો ,અને માછીમારોના  વહાણોનો પણ બોમ્બમારાથીં નાશ થયો છે. ઈઝરાઈલે હમાસ  નાગરિકો , સ્કૂલો , હોસ્પીટલોનો ઉપયોગકરી પોતાનું રક્ષણ કરેછે' એમ કહી દરેક વસ્તુઓ પર બોમ્બમારો  વર્ષાવી ગાઝાને જમીનદોસ્ત કરી નાખ્યું છે. 'ગાઝામાં ૬૦% મકાનો ,૬૨%રસ્તાઓ , ૮૪% ખેતીની જમીનો, ૮૯% સ્કૂલો , ૯૪% હોસ્પિટલો અને ૭૨% માછીમારોના વહાણો ભીષણ  બોમ્બમારામાં નાશ પામ્યા છે . આજે ગાઝા ખંડેર હાલત માં  છે. હામાસની શક્તિનો નાશ કરી નાખવામાં આવ્યો છે. તેછતાં લાગેછેકે હજુ ઇઝરાયેલનું લક્ષ્ય પૂરું થયું નથી. 

                                                         બધી  માનવાધિકારી સંસ્થાઓ , પશ્ચિમી રાષ્ટ્રો પણ તેમના પ્રજામતને લીધે ઇઝરાયેલ પર યુદ્ધવિરામ કરવા દબાણ લાવી રહ્યા છે. પરંતુ ઇઝરાયેલ યુદ્ધના ક્ષેત્રને લેબિનોન , સિરિયા , અને ઈરાન સુધી વધારી દીધું છે. એની પાછળ ઇઝરાયેલ એના અસ્તિત્વના ભયને આગળ કરી રહ્યું છે. 

                                                            અમેરિકામાં પણ જ્યૂઝ લોબી બહુજ શક્તિશાળી છે જેથી અમેરિકા ઈઝરાયેલને  શસ્ત્રોની મદદ કરી રહ્યું છે. આથી આ યુદ્ધ ક્યાં જઈને અટકશે એ એક વિકટ પ્રશ્ન છે.?

                                       *******************************************