Wednesday, September 3, 2025

 


સિનિયર નાગરિકો 

                                  આજકાલ  વયસ્થ નાગરિકો વિષે  દુનિયાભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. એમના સ્વાસ્થ્ય , એમના જીવનને સરળ અને સુખી બનાવવા માટે પણ સમાજ જાગૃત છે. તેઉપરાંત વિશ્વના ઘણા રાષ્ટ્રો વૃદ્ધ થઇ રહ્યા છે એટલેકે જન્મ  આંકડાઓ ઓછા થઇ રહ્યા છે અને વૃદ્ધોનો આંકડો વધી રહ્યો છે.

                                 એમાં જાપાન , ચીન , અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોમાં પણ વૃદ્ધોની સંખ્યા વધી રહી છે એ આર્થિક રીતે ચિંતાનો વિષય છે.  એમાં નિવૃત્તિનો સમય કેવી રીતે પસાર કરવાનો એમાં પણ વિવાદ છે. ઘણા એવું સમજેછેકે નિવૃત્તિ એટલે ખાઈ પી ને મઝા કરવાની. પરંતુ એ પ્રવૃત્તિ લાંબા ગાળે માનસિક અને શારીરિક મુશ્કેલી ઉભી કરે છે.  એટલા માટે નિવૃત્તિનો સમય ગાળવો મુશ્કેલ છે જો તેના માટે યોગ્ય યોજના ન બનાવી હોય.

                                જાપાનમાં, કે પછી અમેરિકા જેવા દેશોમાં વૃદ્ધો મોટી ઉંમર સુધી નાના મોટા કામો કરી  સમય વિતાવે છે. એટલેકે સમૃદ્ધ દેશોમાં એ સમસ્યાને અનુકૂળ રીતે સિદ્ધ કરવામાં  આવીછે. પરંતુ  ભારત અને બીજા રૂઢિચુસ્ત દેશોમાં આ સમસ્યા વિકટ થતી જાય છે. કારણકે આર્થિક સ્થિતિ બળતી જાય છે. સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે અને વૃદ્ધ માબાપો દયામય સ્થિતિ માં આવી પડે છે અને ઘણા આવી પડેલા છે.  વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે.

                             આવી પરિસ્થિતિમાં સરકારો પણ હવે સંચિત  બની છે. અને વૃદ્ધો માટે સહાયક યોજનાઓ બનાવી રહી છે. એમાં વૃદ્ધો  માટે યુવા વસ્તીને કેટલું માન છે એના પર આધાર રહે છે. જો કેટલાક વૃદ્ધોને વપરાઈ ગયેલી શક્તિ માની એની ઉપેક્ષા કરે તો વૃદ્ધોને સ્થિતિ વિષમ બને છે. પરંતુ કેટલાક પશ્ચિમી દેશોમાં વૃદ્ધોને દેશની સમૃદ્ધિમાં પાયારૂપ માનવામાં આવે છે. એટલા માટે  તેમને દરેક જાતની સહાય આપી એમના જીવનને સુખમય બનાવે છે. એનાથી વૃદ્ધોનું  સન્માન પણ વધે છે. વૃદ્ધોના જીવન અનુભવોનો પણ યુવા પેઢી લાભ લઇ શકે છે.



                           વૃદ્ધોને અપાતી સગવડોનો સદુપયોગ પણ થવો જોઈએ. પશ્ચિમના દેશોમાં બધી સગવડો સાથે ના વૃધ્ધાશ્રયો બનાવેલા છે પરંતુ વૃદ્ધો એમની યુવાનીની ટેવો  પ્રમાણે  સેક્સ ,ડ્રગ  એવી અનેક પ્રવૃતિઓ ચાલુ રાખે છે. એ શરીર માટે નુકશાન કારક પણ નીવડે છે. ઇંગ્લેન્ડ જેવા દેશમાં ૬૫ ની ઉપ્પરના  ઘણા  લોકો  ભયજનક રોગોના ભોગ બન્યા છે. અને તેઓ સામાજિક સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે. એમાં વૃદ્ધોને અપાતી સગવડોનો દુરુપયોગ પણ કદાચ જવાબદાર હોઈ શકે ?



                           ટૂંકમાં વૃદ્ધોના અનુભવો પ્રમાણે સરકારે એનો ઉપયોગ લોકઉપયોગી કામો માટે કરવો જોઈએ  જેથી તેઓ એમનો સમય યોગ્ય રીતે પસાર કરે. કામ વગરના વૃદ્ધો સમાજ અને દેશ માટે પણ સમસ્યા બને તો એમાં નવાઈ પામવા જેવું નથી.

                            ******************************************* 

                          



No comments:

Post a Comment