Saturday, November 1, 2025

 


મદિરાનો પ્રભાવ 

                                                                   મદિરાનું  સેવન એ આદિકાળથી ચાલી આવે છે. ભારતીય સંસ્કૃતિમાં એને સોમરસ તરીકે  ઓળખ આપવામાં આવી છે. એનો ઉપયોગ માનવીના દિલને વાસ્તવિકતાથી દૂર  કરી દહેલવા માટે કરવામાં આવે છે. દુનિયામાં વસ્તુઓ ખરાબ નથી હોતી પણ એનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ જ જવાબદાર હોય છે. એનો ઉપયોગ માનવીના મગજના તંતુઓને જરાક હળવા કરવામાં આવે ત્યાં સુધી મદિરા  હાનિકારક બનતું નથી. પણજ્યારે એનો ઉપયોગ અતિશય કરી જીવનના કઠિન પ્રશ્નોને ભૂલવા માટે  કરવામાં આવે ત્યારે એ માનસિક અને શારીરિક રીતે નુકશાનકારક બની રહે છે. ત્યારે આધુનિક  જમાનામાં દારૂ બની જાય છે. અને ઘણીવાર માનવી જીવનને નાશ કરી નાખે છે. 

                             આથી દારૂને કાબુમાં રાખવા માટે અમેરિકી , રશિયન, ભારત જેવી સરકારોએ  કાયદા કર્યા પણ એમાં સફળતા મેળવામાં મુશ્કેલ બન્યું છે. કારણકે  દારૂ પર કાબુ વ્યક્તિ પોતે જ રાખી શકે છે . એમાં કાયદાઓ બહુ ઉપયોગી નીવડતા નથી . પરંતુ એક વસ્તુ તો સત્ય છે કે  દારૂના અતિ સેવનથી એની શરીર પર ઘણી અવળી અસર થાય છે. તે છતાં ધનિક અને શક્તિશાળી વ્યક્તિઓને દારૂના અતિસેવન કરતા અટકાવવા મુશ્કેલ છે. એટલેકે મનુષ્ય જ પોતાનો દુશ્મન બની રહે છે.



                               દારૂનું અતિસેવન માનવીના શરીરના ઘણા  અંગો પર અસર કરે છે .એમાં વધારેમાં વધારે નુકસાન માનવીના લીવરને થાય છે. ત્યારબાદ એ હાર્ટ ,આંતરડા, પેંક્રિયાસ અને મગજને દારૂની ભયંકર અસર થાય છે.આ બધી બીમારીઓનો આધાર 'દારૂ કેટલો પીવામાં આવે છે. અને કેટલા વખત એ લોહીમાં રહે છે.' એમ નિષ્ણાતો કહે છે. એમ  માનવામાં આવે છે કે  પુરુષો જો દિવસમાં   ચારથી  વધારે ડ્રિન્કનો  સેવન કરે અને સ્ત્રીઓ દિવસમાં  ત્રણ કરતા વધારે ડ્રિન્કનો ઉપયોગ કરે તો એમની તંદુરતીની  અસર કરે છે. એમને લાંબેગાળે હાઈ બ્લડ  પ્રેસર , હાર્ટ પ્રોબ્લેમ , અને લીવરની બીમારી લાગુ પડે છે. એ કૅન્સરને પણ નોતરી શકે છે. તે ઉપરાંત માનવીની ઇમ્યુન સિસ્ટમ નબળી પડી અને મગજને પણ એની અસર થાત છે.



                             દારૂનું સેવન બંધ કરવાથી લીવરની બીમારી ધીમે ધીમે ઓછી થવા માંડે છે એમ નિષ્ણાતોનું માનવું છે. દારૂનું સેવન ઊંઘની બીમારી , સ્વભાવ બદલવાની બીમારી અને ડિપ્રેશન જેવી બીમારીનું ઉદ્ભવ સ્થાન છે એવું સ્ટેન્ડફોર્ડ યુનિવરસિટીના નિષ્ણાતોનું માનવું છે. સ્ટેન્ડફોર્ડ યુનિવરસિટીના નિષ્ણાત ટેટનું  માનવું છે કે 'દારૂનું સેવનની  લત અને સામાન્ય સેવનની ટેવ વચ્ચે બહુ પાતળી  દોરી હોય છે જે સેવન કરનારની નજરથી ક્યારે ઓળંગી જવાય છે. તે ખબર પડતી નથી. 

                         થોડા સમયમાટે દારૂનું સેવન બંધ કરવાનો પ્રયોગે પણ સાબિત કર્યું છે કે' એ માનવીને શારીરિક , અને મગજને  પણ ફાયદાકારક  હોય છે.' આ એક સંપૂર્ણ સત્ય છે.

                                  ***********************************

                                 

No comments:

Post a Comment