Saturday, November 15, 2025



 એલ્ઝહેઈમર

                                                                                એલ્ઝહેઈમર એ એવો રોગ છે જેમ માનવી પોતાની ઓળખ જ ભૂલી જાય છે. પોતાના સ્વજનોને ભૂલી જાય છે તો દુનિયામાં પોતાની ઓળખ ભુલાવી દે છે. ઘણે ભાગે એ રોગ વૃદ્ધાવસ્થામાં વધારે દેખાય છે. કેટલાએ દુનિયાની મહાન વ્યક્તિઓ એનો ભોગ બનીછે. એ રોગના ભોગ બનેલા લોકોની સ્થિતિ બહુજ દયાજનક થઇ જાય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ રેનોલ્ડ રેગન એ રોગના ભોગ બન્યા હતા. ઘણીવાર સેન મોનિકાના દરીયા કિનારે એમનો  પૌત્ર એમને લાકડી સાથે દોરી જતા નઝરે પડતા . એ દ્રશ્ય એક વખતના દુનિયાના તાકાતવાન માનવ માટે દયાજનક હતી. પરંતુ તો રોગ જેનાથી એ પીડાતા હતા તે ભયંકર રોગ હતો.

                                             એ રોગના ઉકેલ માટે દુનિયાના કેટલાએ વિજ્ઞાનીકો લાગેલા છે પણ સંતોષજનક ઉકેલ હજુ મળી શક્યો નથી. એ એટલો ભયંકર રોગ છેકે સમયની સાથે પરિસ્થિતિ વિપરીત  થતી જાય છે. 

                                              અત્યાર સુધીના વિજ્ઞાનિક  તારણો જણાવે છે કે  એલ્ઝહેઈમરને ખોરાકની આદતો બદલવાથી કે કસરતો દ્વારા અટકાવી શકાય છે. તે ઉપરાંત સામાજિક રીતે લોકસંપર્કમાં રહેવાથી એની અસરને ઓછી કરી શકાય છે.


                                               એલ્ઝહેઈમર  માટે  'સિલ્વર  બુલેટ'  જેવી દવાઓ પણ  આપવામાં  આવે છે પણ એની અસર વષે  હજુ પણ શંકાઓ ઉભી છે. 

                                                 એલ્ઝહેઈમરને શરૂઆતથી શોધવા માટે લોહીનો ટેસ્ટ પ લેવામાં આવે છે પણ એના તારણ હજુ પણ એટલો આધાર રાખી શકતો નથી .એવું નિષ્ણાતોનું માનવું છે.

                                                દુન્યવી કારણો જેવાકે રંગભેદ , તંદુરસ્તી , આજુ બાજુનું વાતાવરણ પણ  એ રોગને વધારવામાં કારણભૂત બનતા હોય છે એવું પણ માનવામાં આવે છે. કેટલાક સંધોધન  કરનારાઓ એ બાબતમાં ઉકેલ શોધવા પ્રયત્નો કરી રહ્યા છે. 



                                                મૂળમાં વિજ્ઞાનીકોનું  માનવું  છેકે  એલ્ઝહેઈમર નું ઉદ્ધભવ 'તાઓ' અને  એમિલોઈડ બીટા જેવા પ્રોટીન મગજમાં  ભેગા થવાથી થાય છે. એ સમયની સાથે નેયુરોન સેલને નુકસાન કરે છે . એમાંથી જ અલઝહેઈમર જેવો રોગ ઉત્પન્ન થાય છે. એના પરસંધોધન દ્વારા દવાઓ બનાવવા પ્રયત્ન કરી રહયા છે.

એ દવાઓમાં 'સાઈડ ફફેક્ટ' નો પણ ભય હોય છે. એમાં મગજમાં લોહી સ્ત્રાવ અથવા લખવા જેવી ફફેક્ટ લાગે એવી ઘટના બનવાનો સંભવ પણ હોય છે.

                                                  આથી અલઝહેઈમરના ઉકેલમાં અનેક અવરોધો છે તે છતાં પહેલા કરતા અત્યારે  વિજ્ઞાનીકોની શોધોને લીધે એ રોગના ઉકેલમાં સારી એવી પ્રગતિ કરી છે.

                                  *******************************************

                                                  

No comments:

Post a Comment