Saturday, December 13, 2025



 દેશથી વિદેશ અને વિદેશથી દેશ 

                                                             સમૃદ્ધ દેશમાં  વિક્સિત દેશમાં કારકિર્દી માટે પ્રસ્થાન કરવું  એ સામાન્ય વાત છે. પરંતુ એ બાબતમાં ભારત અગ્રગણ્ય બની રહ્યું છે. એમાં બે વર્ગ છે એકતો વિદ્યાર્થી અને બીજો  ભણેલો વર્ગ જે પોતાની કારકિર્દી માટે જાય છે. 

                                                    એમાં અમેરિકા જનારા  ૭૦%ભારતીય  સોફ્ટવેર  એંજિનયોર  એચ -બી૧ વિઝા પણ જાય છે. અને ૩૦% ભારતીય વિદ્યાર્થી અમેરિકા, અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જાય છે.  એક વખત એને ભારતની બહાર  જનાર બુદ્ધિ ધન માનવામાં આવતું હતું  પરંતુ હવે બદલાતા સમય સાથે એને  સિરક્યુલેશન વસ્તી માનવામાં આવે છે. 



                                                એનું કારણ સમૃદ્ધ માનતા દેશો હવે એમના વહેતા ધોધને અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ માને છે કે બહારથી આવતા લોકો એ દેશની નોકરી લઇ લે છે. અને એમના દેશમાં બેકારી વધારી રહયા છે.  અને ઘણા ખરા  વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરી પાછા ફરતા નથી .



                                               આ સાચા કે ખોટા કારણ હોય પરંતુ  અમેરિકાએ  એચ બી ૧ વિઝાની ફી હવે $૧૦૦૦૦૦/- કરી નાખી છે. દાખલા તરીકે બ્રિટનમાં પરદેશી વિદ્યાર્થીઓમાં  ૨૫% જેટલા ભારતીય વિદ્યાર્થીઓ  હોય છે.  પરંતુ એ લોકોને અભ્યાસ પૂરો થયા બાદ પાછા ફરવા માટે ૧૮ મહિનાનીજ મુદત આપવામાં આવી છે. એટલે કે એમણે જલ્દીથી દેશ છોડો જવું જોઈએ. બ્રિટનને લાગે છે કે પરદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કાર્ય પછી પાછા ફરવાને બદલે ગમેતે રીતે ત્યાંજ ઠસી પડે છે. કૅનેડાએ પણ પરદેશી વિદ્યાર્થી માટે  સંખ્યા ઓછી કરી નાખી છે. તે ઉપરાંત હવે વિદ્યાર્થીઓની ફીસ પર વધારેની ૬% લેવી નાખવાની તૈયારી કરી લીધી છે. આથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ ગયો છે. આમ છતાં ૧.૫ મિલિયન ભારતીય વિદ્યાર્થીઓ આખા વિશ્વમાં પથરાયેલા છે. પરંતુ હવે સમૃદ્ધ પરદેશોમાં  બહારના વિદ્યાર્થોઓને આવકારતા ખચકાય છે. જેને માટે એમના પોતાના  સામાજિક કે આર્થિક કારણ પણ હોઈ શકે.

                                        આવી વિદ્યાર્થી માટેની વિશ્વિક વિષમ  પરિસ્થિતિમાં ભારતને  પરદેશી ચલણનો  ખર્ચો ઓછો થઇ જશે.  બીજું ભારતીય  વિદ્યાર્થીઓ  જર્મની, ફ્રાન્સ , રશિયા અને ચીન તરફ વળવા માંડ્યા છે. વ્યવસાયીઓ માટે હવે અમેરિકન પ્રતિબંધોને કારણે ભારતમાં તકો વધી રહી છે. અમેરિકન કંપનીઓ હવે એનું કામ ભારતીય કંપનીઓને સોંપવા જવા માંડી છે. બૅંગ્લૉરુમાં દરેક અમેરિકન કંપનીઓએ ગ્લોબલ કેપેબીલીટી સેંટર ખોલી નાખ્યા છે. જેઓ હવે સંધોધનો , ફરમાસિકેલ લેબો , અને આઉટ સોર્સીંગ કરવા માંડ્યું છે. એ ભારતને માટે લાભકારક છે.  ઘણા ભારતીય  એન્જીનયરો હવે  ભારતમાં પાછા ફરી પોતાની કંપનીઓ ખોલી રહયા છે નહીતો બીજી કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે. તે ઉપરાંત ભારત સરકારે પણ નવી કંપનીઓને મદદ કરવા માંડી છે. આથી ભારત તરફનો  ભારતીય અમેરિકન નો પ્રસ્થાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.  પરદેશથી દેશનો પ્રવાહ શરુ થયો છે. આમ બ્રેન ડ્રેઇનનો  હવે બ્રેઈન ગેઇનના  રૂપાંતરની  શરૂઆત થઇ ચુકી છે. 



                                                      આમ સ્થળાન્તર ઉપરના સમૃદ્ધ દેશોના પ્રતિબંધો ઘણી વાર વિક્સિત દેશોને લાભ થઈ શકે છે. કારણકે આજે જ્યાં તકો મળે ત્યાં લોકો જાય છે. એથી આ સમય હવે બ્રેન સિરક્યુલેશનનો  સમય છે એમાં શંકા નથી. 

                                       ***********************************  

                                            

No comments:

Post a Comment