ડીએનએ - જીવન વિજ્ઞાનનું શાસ્ત્ર
જયારે ભૌતિક શાસ્ત્ર ચરમ સીમાએ પહોંચ્યું ત્યારે વિજ્ઞાનીકોની દ્રષ્ટિ જીવન વિજ્ઞાન તરફ વળ્યું . ડીએનએને ઉકેલવા માટે ત્રણ વિજ્ઞાનિકોનો મોટો ફાળો હતો. ડૉક્ટર જેમ્સ વોટસન ,ફાન્સીસ ક્રીક , અને મોરિસ વિકીન્સને ડીએનએના બંધારણને ઉકેલવા માટે ૧૯૫૩ માં નોબેલ પુરસ્કાર આપવાંમાં આવ્યો હતો પણ એમાં રોઝાલિન્ડ ફેન્કલિનના ફાળાને અવગણવા માટે મોટો ઉહાપોહ વિજ્ઞાનિક જગતમાં થયો હતો.
ડીએન એ શું છે એ જાણવું અગત્યનું છે. દરેક મનુષ્ય શરીરમાં રહેલા જિનના રહસ્યને સાદી ભાષામાં ડીએનએ કહેવાય છે. એના રહસ્યને 'ડબલ હેલિકલ બંધારણ' કહેવામાં આવે છે. દરેક મનુષ્યના શરીરમાં હેલિકલ બે તાંતણા વાળું હોય છે જે ડીએનએ ના નામે ઓળખાય છે.
ડીએનએ ની શોધે ગુનાહખોરીના જગતમાં અધભુત સહાય રૂપ બની રહ્યું છે. જયારે માનવીનું શરીર બળીને કદરૂપું અને ન ઓળખાય એવું થયું હોય ત્યારે એના નજદીકના સગાનું ડીએનએ એની સાથે મેળવી એની પહેચાન થઇ શકે છે.
આમ ડીએનએ જગતમાં કેટલાએ કોયડાઓને ઉકેલવામાં મદદ રૂપ બને છે.
************************************


.jpg)
No comments:
Post a Comment