Sunday, August 18, 2013


રૂપિયાની તો દશા બેઠી છે

                                ૧૯૪૭મા રૂપિયો અત્યાર જેટલો નીર્બળ ન હ્તો. ઍ ડૉલર્સ જેટલો જ હ્તો. ત્યારે ભારતને માથે  આટલુ બધુ દેવુ પણ ન  હ્તુ. ભારતના બીજા વિશ્વ યુધ્ધ પેઠે ઇંગ્લેંડ પાસે પૈસા  નીકળતા હતા. ત્યારે રૂપિયાના આનાનુ પણ ચલણ હ્તુ. સામાન્ય લોકો ૧૨ આનામા આગલી  હરોળમા બેસી પિક્ચર પણ જોઈ શકતા હતા. રૂપિયાની દશા પંચવરર્ષીય યોજના શરૂ થઈ અને વિશ્વમાથી ભારતે જ્યારથી લોનો લેવા માંડી ત્યારથી શરૂ થઈ છે.
                            ૧૯૪૮મા ૪.૭૯ રૂપિયા ૧ ડૉલર બરાબર હતી. ઍ મૂલ્ય ૧૯૬૬ સુધી ચાલુ હતુ.
૧૯૬૭મા રૂપિયાનુ અવમૂલ્યન થયુ અને ઍ ની કીમત ડૉલર સામે૭.૫૭ જેટલી થઈ. ત્યાર બાદ ૧૯૭૫ ઍનુ અવમુલ્યન ૮.૩૯ થયુ. ૧૯૮૫ ડૉલર સામે ઍનુ મૂલ્ય ૧૨ રૂપિયા હતુ. ૧૯૯૧મા  ૧૭.૯૦ રૂપિયા અને ૧૯૯૩ મા ડૉલર સામે રૂપિયો ૩૧.૩૭ પર જઈને બેઠો. આમ રૂપિયાની અવદશા  શરૂ થઈ અને રૂપિયો ૨૦૦૧ થી ૨૦૧૦ વચમા આશરે ૪૫ સુધી નીચે ગયો. ઑગસ્ટ ૨૦૧૩ ઍ ૬૧.૮૦ સુધી નીચે ગયો છે.
                              ભારતીય નાંણા સ્થિતિ બગડતા  રૂપિયાની  પડતી શરૂ થઈ છે. ભારત સરકાર રૂપિયાના અવમુલ્યન અટકાવવા હવાતિયા મારી રહી છે કારણકે ઍના થકી ભારતીય નિકાસને ભયંકર નુકશાન થઈ રહ્યુ છે.  ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થઈ રહ્યુ છે.
                               રૂપિયાને બચાવવા ભારત સરકારે સોના /ચાંદી જેવી ધાતુઑ પર જકાત વધારી દીધી છે. ઘરોમા પડેલા સોનાના જથ્થા ને બહાર લાવવા માટે ગોલ્ડ બોન્ડ લાવવાનુ વિચારી રહી છે. પરદેશી ચલણની ડીપોજીટો પરના ઇંટ્રેસ્ટ રેટ વધારવાની બૅંકો ને પરવાનગી પણ આપી છે. આ બધા રૂપિયાના વધુ અવમુલ્યન રોકવામાટે છે. ટુંકમા ભારતનુ અર્થતંત્ર નાજુક સ્થિતિમાથી પસાર થઈ રહ્યુ છે. જો સખત પગલા નહી લેવાય તો નાણાકીય સ્થિતિ વધુ નાજુક થવાની સંભાવના છે.
                                      *************************************

Wednesday, August 14, 2013



શારીરિક  સ્વાસ્થ્ય

                                         પેરાલિસિસનેથી બચવાના ઉપાયો- હાર્વર્ડ મેડિકલ સ્કૂલ
                                           -------------------------------------------------------
૧)ડોક્ટોરના સૂચન મુજબ તમારુ વજન કાબૂમા રાખો.
૨) દારૂ પીતા હો તો ઍનૂ પ્રમાણ ઓછુ કેરી નાખો. પુરુષો માટે દિવસના બે વાર અને સ્ત્રીઓ માટે ઍક વાર દારૂ પીવો યોગ્ય રહેશે. તે પણ ૧.૫ ઔંસ થી વધુ  દારૂ  ઍક વારના ગ્લાસમા ન હોવો જ઼ોઈઍ.
૩)૫૧ વર્ષના અંદરના ઍ ૨૩૦૦ મિલીગ્રામ દિવસનુ અને ૫૧ વર્ષના ઉપરના ઍ ૧૫૦૦ મિલીગ્રામ દિવસના મીંઠુ ખાવુ જ યોગ્ય રહેશે. ડાયાબિટીસ, અને કિડ્ની જેવા રોગો માટે ઍ નિયમ વધારે લાગુ પડે છે.
૪)ચરબી, અને સુગરવાળા પદાર્થો થી દૂર રહેવુ. પરંતુ ફળો, લીલા શાકભાજી, મચ્છી,  કઠોર, વગેરે ખોરાક શરીર માટે સારા હોય છે.
૫) બેઠાળૂ જીવન ઘણીવાર પેરાલિસિસને નોતરે છે. થોડુ ચાલવાનુ રાખો અને તમારા ડૉક્ટર ના સૂચન મુજબ કસરત કરતા રહો.
                                      દરરોજની પ્રવૃતિમા  આવી વસ્તુઓનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
                                      -------------------------------------------------------------
-ઉભા ઉભા કામ કરવાની ટેવો સ્વાસ્થ્ય માટે સારી છે.
-ટી વી જોવામા ઑ છો સમય ગાળો. તેને બદલે વધારેને વધારે તમારી શારીરિક પ્રવૃતિ  થાય ઍવી પ્રવૃતિઓ વધારો.
-ઍક કલાકના આરામ બાદ ૧૦ મિનિટનુ હલન ચલણ જરૂરી છે.
- લાંબુ ચાલવા કરતા ખાધા પછી ટૂંક પ્રમાણમા ચાલવા થી સુગર ઓછી થાય છે.
-તમે લોકોની સાથે ચાલો તો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારુ છે. ઍ ની સાથે તમારા સામાજીક સબંધો પણ વધે છે.
                                                      સિનિયરો માટેના સૂચનો
                                                       ----------------------
-બદલતા સમય સાથે પગ મિલાવવા જરૂરી છે
-તમને ગમતી પ્રવૃતીઓમા ભાગ લેવો જરૂરી છે.
-મિત્રો સાથેનો સંપર્ક જાળવી રાખો
-ઉંઘ પુરી લેવી જરૂરી છે.
-પૂરતો ખોરાક  અને જરૂરી પ્રવાહી લેવુ પણ જરૂરી છે.
-તમને ગમતી કસરત કરવી જરૂરી છે.
-તમારા મગજને સતેજ રાખવા  નવી નવી વસ્તુઓ શીખવી જરૂરી છે.
                                 ********************************************

Tuesday, July 23, 2013


ધર્મ
===
                                            ધર્મઍ મનુષ્યની પોતાની પસંદગીનો વિષય છૅ. ધર્મ ભલે જુદા હોઈ શકે પરંતુ માનવીને સંસ્કૃતિમય બનાવી સમાજને ઉપયોગી બનાવવાનુ દરેક ધર્મનુ ધ્યેય હોય છે. ધર્મ યુધ્ધ તો ઘણા થયા પરંતુ દરેક ધર્મના ઉપદેશોનુ મનન બહુ ઑછુ થયુ છે.  સમજ્યા વગર પોતાના હિતો માટે ઍનો ઉપયોગ કરી માનવીઓઍ ધર્મોને ક્લુશિત કર્યા છે. આથી સામાન્ય શબ્દોમા ઍને સમજવા પ્રયત્નો કરવા જોઇઍ.
સીધ્ધાંતો વિનાંની રાજનીતિ ઍ ધર્મ નથી
દયા વિનાની સમૃધ્ધિનો શૉ અર્થ છે?
જ્ઞાન સાથે  નમ્રતાની  જરૂર છે
ભય સાથે બકરીની જેમ જીવવુ ઍતો કઈ જીવન છે?
સમજ વીનાની  પ્રભુ ભક્તિની કોઈ નિપજ નથી
માનવી બની જાનવરનુ જીવન ઍ શરમજનક છે!
પ્રેમ, સેવા અને બલિદાન ઍ માનવતાના પ્રતીક છૅ
ધર્મોના ભલે નામ હો જૂદા પણ ઉપદેશોતો સરખા છે
ભારત દેસાઈ
                                                  **********************************

Sunday, July 21, 2013


અમેરિકા વિષે
========
                           -અમેરિકાને મોબાઇલ ટેલિફોન ઘેલુ બનાવી રહયુ છે.  અમેરિકનો મોબાઇલ દ્વારા આખા વિશ્વને હ્થેળીમા રાખવા માંગે છે. અત્યાર સુધી ઇ-મેઈલ, સંગીત, સમાચાર, વીડિયો ગેમ, વગેરે મોબાઇલ દ્વારા માણતા રહયા છે પરંતુ હવે ઍમને જીવંત ટીવી પણ મોબાઇલ પર માણવો છે. ઍમા ઍરિયો, અને ડાઇલ જેવી નાની કંપનીઓ નાના ઍંટિના દ્વારા જીવંત ટીવી જોવાનુ શક્ય બનાવી રહ્યા છે. હવે દુનિયાની બધી જાણીતી ટીવી ચેનલો જેવીકે ઍબીસી,સીબીસી, ઍનબીસી, ફૉક્સ વગેરે મોબાઇલ પર બતાવવાની હૉડ લાગી છે. ખરેખર દુનિયા હવે ગામડાથી નાનુ બની રહ્યુ છે.
                           -અમેરીકામા ૨૦૧૦ આંકડાઓ પ્રમાણે ૪૯% અમેરિકાનો  અપરણીત છે. ઍનુ કારણ આર્થિક પરિસ્થિતિ પણ જવાબદાર છે. તે ઉપરાંત છુટાછેડા દ્વારા આપવી પડતી માતબર રકમો પણ જવાબદાર હોઈ શકે. ઍકાન્ત જીવન અને સમાધાન કરવાની વૃત્તિઓનો અભાવ પણ જવાબદાર હોઈ શકે.
                           -અમેરિકાના બજેટમા વાર્ષિક આશરે ઍક ટ્રિલિયૈન ડૉલરની ખાંધ છે કારણકે અમેરિકનો ૪ ડોલરની આવક સામે પાંચ ડોલર ખર્ચવાની આદત પણ જવાબદાર હોઈ શકે.
                          -અમેરિકાની કમનસીબી છેકે કરોડો ડોલરની સહાય બહારના રાષ્ટ્રોને આપવા છતા ઘણા રાષ્ટ્રો ઍ ની રાજનિતિને કારણે ઍનાથિ નારાજ છે.  અત્યારના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન,ચીન,ગ્રીસ, ટર્કી, આર્જેન્ટિના, ઇજિપ્ત, ટ્યૂનિસિયા, જોર્ડન, લેબાનોન, પેલેસ્ટાઈન જેવા દેશો અમેરિકાથી નારાજ છે. જ્યારે બીજા ઘણા રાષ્ટ્રો ખુશ પણ છે.
                            -અમેરિકા સ્વાસ્થ, અને સૈન્ય પાછળ દુનિયામા વધારેમા વધારે નાણા ખર્ચે છે.
                                                   ------------------------------------

Friday, July 12, 2013


અહમ્
---------
                                        અહમ્ જ્યારે ઈર્ષાનુ સ્વરુપ લે છે ત્યારે સારુ નરસાની કોઈ કીમત રહેતી નથી. માનવી પોતાની મર્યાદાઑને પણ ભૂલી જાયછે. 'હરીફાઈ કરવી ઍ યોગ્ય છે, પરંતુ હરીફને પાડી દેવો ઍ ઈર્ષા છે'  ઍવુ ગીતામા પણ કહ્યુ છે. આથી ઈર્ષા ઍ બધા દુખોનુ મૂળ છે.અને બધા દૂષણોની પાછળનુ રહસ્ય છે.
અભિમાન
=====
અહમનો મદ ચડે ત્યારે દારૂ જેવો નશો ચડે
નશામાને નશામા શત્રુઓ સાથે નિર્દોષોના દિલોને હણે
અહમ્ સાથે ઈર્ષા  મળે ઍટલે વર્તાવે કેર
કારણ વગર શત્રુઓ બનાવવાનુ ઍ કારણ બને
અહમ્ ના નશામા ઉપરથી  નીચે પડે જ્યારે
કાગારોળ કરી માનવી દુનિયામા શોર મચાવે ત્યારે
પડ્યાને પાટુ મારવાનો દુનિયાનો નિયમ છે
પણ માનવી ભૂલે છેકે ખુદાની શિક્ષા કરવાની ઍ રસમ છે
સફળતા ઍ પ્રભુની દેણ છે તો પતન ઍનો ઈશારો છે
 માનવીની મર્યાદા બતાવવાનો ભગવાનનો પ્રયાસ છૅ.
ભારત દેસાઈ
                                         ================================

Saturday, June 29, 2013


ગુજરાત દિવસ - પહેલી મે ૨૦૧૩
=====================
ગુજરાત રાજ્યની સ્થાપના ૧૯૬૦ ના પહેલી મે ના રોજ થઈ હતી . ત્યારથી ગુજરાતની આગેકૂંચ ચાલુ છે. ગુજરાતે  ભારતને અનેકરત્નો આપ્યા છે. ભગવાન કૃષ્ણાથી  શરૂ થઈ ગાંધી અને સરદારથી આગળ વધી રહી છે. ભારતના ભાગલા થયા પણ ભાગલા કરાવનાર જ઼ીના પણ ગુજરાતી જ હતા. ગુજરાતે ભારતને રાસ્ટ્રપિતા, પ્રધાનમંત્રી, અને નાયબ પ્રધાન મંત્રી આપ્યા છે. મોરારજી દેસાઈ પ્રથમ ગુજરાતી પ્રધાન મંત્રી હતા અને બીજા ઍક અગ્રગણ્ય ગુજરાતીઍ પ્રધાન મંત્રી થવા નામ નોઘાવી દીધુ છે. ભારતના પૈસા પાત્ર વ્યક્તિઓમા  અંબાણી, ટાટા, પ્રેમજી  વગેરે  આગળ છે.  ગુજરાત વિકાસમા  પણ બધા રાજ્યોમા આગળ છે.
                                                    ગુજરાતનો ઈતિહાસ પણ  સમૃધ્ધ  છે. ગુજરાતીઓ સાહસિક, ખંતીલા, અને પ્રામાણિક હોઈ ગુજરાતની સમૃધ્ધિ જાળવી રાખી છે. દુનિયાને ખોળે ભમીને ઍમણે અખૂટ સંપતી ભેગી કરીને ગુજરાતને સમરુધ્ધ બનાવ્યુ છે. મોગલોથી માંડી બ્રિટીશો સુધી ગુજરાત હમેશા સમૃધ્ધ રહ્યુ છે. આથી ગુજરાતની જહેજલાલી હમેશા ગુજરાતની પ્રજાને જ જાય છે. નેતાઓ નિંમીત માત્ર હોય છે પરંતુ જહેજલાલી પાછળ  ગુજરાતી પ્રજાનુ જૉસ હોય છે. ભલે ગુજરાતીઓ  પરદેશમા  પૈસે ટકે સમરુધ્ધિમા આળોટતા હોય પરંતુ તૅઓ પોતાના માદરે વતન ગુજરાત અને ઍનિ ભૂમિને ભૂલતા નથી. દરેક ગુજરાતી ગુજરાતને  આવી રીતે  યાદ  કરે છે.
ઍવુ રૂપાળુ ગુજરાત-
પશ્ચિમે ઘુઘવતો સાગર, પુર્વે ગીરીમાલાઓ છે
ઍવુ રૂપાળુ ગુજરાત, જ્યા સ્વર્ગમય દિન રાત છે
બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે  નર્મદા અને મહી
દક્ષીણે  તાપી અને અંબિકા, પાથરી લીલી જાજમો અહી
ઍવુ રૂપાળુ ગુજરાત-
નરસિ્હના  પ્રભાતિયાઓથી, જ્યા સૂર્યોદય થાય છે
કૃષ્ણ અને ગા.ધિની ગાથાઓ , રાત દિન સંભળાય છે
અમેરિકાથી તે જાપાન સુધી, વિસ્વે ગુજરાતીઓ વસે
સમરુધ્ધિની રેલમ છેલમ થકી, ગુજરાતની  જો ળી ઑ ભરે
ઍવુ રૂપાળુ ગુજરાત-
બધે સાગરોને પર્વતો છે, ફળફૂલોથી લચકતા બગીચાઓ
તો પણ ગુજરાતીઑ શોધે શુ? ગુજરાતની માટીની મહેક ક્યા?
ઍવુ રૂપાળુ ગુજરાત-
ભારત દેસાઈ
                                       **********************************************

Thursday, June 20, 2013


પિતા દિવસ- ૧૬ મી જુન  ૨૦૧૩
=====================
અમેરીકામા ૧૬મી જૂને પિતા દિવસ ઉજવવામા આવ્યો. ઘણા ઍ પોતાના પિતાને ભેટો અને ફૂલોથી નવાજ્યા હશે. ભારતમાતો પિતા દિવસ દરરોજ હોય છે કારણકે પિતા કુટુંબના વડા તરીકે સાથે જ રહે છે. ઍને હમેશા માન આપવામા આવે છે. પરંતુ ઍવા પણ  કમનસીબ પિતા હોય છે જેને ધૂતકારવામા આવે છે. તેમની અવગણના પણ કરવામા આવે છે. ઍવા પિતાઓને થોડી પંક્તિઓમા આ અંજલી છે.
પિતા
-----
ઈશુની મા મેરી પણ પિતાનુ નામ ક્યા?
કૃષ્ણની મા દેવકી, વાસુદેવનુ નામ ક્યા?
સિતાને થયેલ અન્યાયનુ  જ્યા ત્યા ઉલ્લેખ છે
રામના દર્દની કોઈ વાત જ ક્યા છે
કવિઓ, લેખકો, અને સંતઓઍ માતાના ગુણો ગાયા
કમનસીબ પિતાઓ હંમેશ  છે, અવગણાયા
ઍ પિતાઓનો ગુનો શો, ઍતો પુછો
સખ્તાઈથી કુટૂબને તાર્યુ,  ઍ શુ ઍનો ગુનો?
પિતા આન્શુઓ ઓશીકે  વહાવે જ્યારે
માતાની આરતીઓ ઉતરતી હોય છે ત્યારે
ઍવા પિતાને આ  અંજલી છે
ભલે તમે થયા ફના, કુટુમ્બ તો આબાદ છે.
ભારત દેસાઈ
                                                         ***********************************