Saturday, July 18, 2015


'જીવો જિવસ્ય ભોજનમ'
                                                                                                         ઍમ કહેવામા આવે છેકે શક્તિશાળી પ્રાણી બીજા પ્રાણીને ખાઈ જાય છે. ઍવુ તદ્દન સત્ય નથી. ઘણીવાર નબળુ જીવડુ પણ મજબૂત અને શક્તિશાળીને પણ નુકશાન પહોચાડી શકે છે.  ઍ પણ ઍક અજાઇબી છે.


                              આપણે જેને તુચ્છ  ગણી કાઢી ઍ છીઍ, ઍ ઍજ જીવ ખતરનાક બની રહે છે. આપણે સિંહ, વાઘ, હાથી. અને દીપડાને ખતરનાક માની ઍનાથી ડરીઍ છે, ઍના કરતા નાની માખીઓ વધારે જીવો લે છે, અને કુદરતના નિયમને ઉંધો પાડે છે. અત્યારે જે આંકડાઓ પ્રસિધ્ધ થયા છે, ઍના પરથી જાણી શકાશે કે કોણ કોનો વધૂ નાશ કરે છે.ઍના પરથી ઍ પણ જાણી શકશે કે કોણ જીવોના નાશ કરવામા આ જગતમા મહત્વનો ભાગ ભજવે છે.


 દાખલા તરીકે ઍક વર્ષમા  માખીઓ ૭૫૫૦૦૦ માણસોને મારે છે જ્યારે ઈયળો ૨૦૦૦૦૦ માણસોને મારે છે. સાપો ૯૪૦૦૦ ને મારે છે, અને કુતરા ઑ ૬૧૦૦૦ ને મારે છે.  મગરો વાર્ષિક ૧૦૦૦ માણસોને ફાડી ખાય છે. હાથીઑતો ફક્ત  ૩૦૦ જેટલા જ માણસોને મારે છે.  આમ તમે  જુઓ તો નાના જીવો મનુષ્ય જેવા શક્તિશાળી અને હોશિયાર જીવો માટે વધારે ખતરનાક છે. આમા કુદરતનો નિયમ ક્યા રહ્યો છે?

                                                 ***********************************

Thursday, July 16, 2015


૧૦૮ નો આંકડો
                       
                                                                                                   હિન્દુ શાશ્ત્રમા ૧૦૮ ના આંકડાને ઋષિ મુનીઓેઍ ઘણુ મહત્વ આપવામા આવ્યુ છે. ઍની પાછ ળ પણ રહસ્ય છે!  હિન્દુઓમા ૧૦૮ મન્ત્રોની માળા ને મહત્વ આપવામા આવે છે. ૧૦૮ મન્ત્રોની આહુતિ દેવોને ચડાવવામા આવે છે.  કારણકે ૧૦૮ ના આંકડાને ઑમ સમાન ગણવામા આવે છે.  ઑમમા ઈશ્વર છે ઍમ માનવામા આવે છે.

                               ૧૦૮ ના આંકડાને બ્રમ્હાંડ સાથે ગા ઢ સબંધ છે. કુદરત પણ ૧૦૮ જેટલા વિભાગો મા વહેચાયેલી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરમા ૧૦૮ સૂર્યો સમાઇ શકે છે.  સૂર્યના ડાઈમનસનને અને પૃથ્વીના ડાઇમનસન વડે ભાગી યે તો ૧૦૮ આવશે. માનવી પણ ઍના જીવનમા ૧૦૮ વર્ષે સમ્પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. તે ઉપરાંત માનવીના જીવનમા જ્યોતિષની દ્રષ્ટિે ઍ ૯ નક્ષત્રો દ્વારા ૧૨ મહાદશામાથી પસાર થવુ પડે છે. ઍટ લે ૧૨ ને ૯ગુણી કાઢી ઍ તો ૧૦૮ નો જ આંકડો આવે છે. ઍથી ૧૦૮નુ મહત્વ દરેક ક્ષેત્રમા છે.

                                પૃથ્વી અને ચન્દ્ર વચ્ચેના અંતરમા ૧૦૮ ચન્દ્રો સમાઇ શકે છે. આથી ૧૦૮ની પાછળ આધ્યાત્મિક રહસ્ય રહેલુ છે.

                                              **********************************

Friday, July 10, 2015


ભારતની લોકશાહી
                   
                                                                                                                આપણામા  કહેવત છે કે સાસરામા સાસુ  પીરસનારી હોય તો જમાઈને કઈ ઉણપ નહી રહે, ઍવી જ સ્થિતિ આપણા પાર્લામેન્ટના સભ્યોની છે. પોતેજ પોતાના પગાર અને  ભથ્થાઑ નક્કી કરી અને પોતેજ પાસ કરાવી દે છે. ભારતની પ્રજા પર ઍ ઠોકી દે છે. ઍજ લોકશાહીની કમનસીબી છે.
                           અત્યારે  પાર્લામેન્ટના સભ્યોને-
- ઍમની પત્ની સાથે ૧ ક્લાસ ઍસીની રેલવે ટિકેટ, અને સહાયકને સેકેંડ ક્લાસની ટિકેટ. તેઉપરાંત ટ્રાવેલ ભથ્થુ  ઍક સેકેંડ ક્લાસની ટિકેટ જેટલુ મળે છે.
-વિમાની ભાડુ ફ્રી અને સાથે ૧/૪ જેટલુ વિમાની ભાડુ ભથ્થુ તરીકે મળે છે.
- ફ્રી સરકારી ફ્લૅટ/૫૦૦૦૦ યૂનિટ મફત પાવર/૪૦૦૦૦કિલો લિટર મફત પાણી/૫૦૦૦૦ મફત ટેલિફોન કૉલ પર વર્ષ
-૨૦૦૦૦રૂપિયાનુ માસિક પેન્શન/ ઍક  ટર્મ થી વધારે રહે તો ૨૧૬૦૦ રૂપિયાનુ પેન્શન મળતુ રહે છે. બંગલો ૧૩૦ રૂપિયાના માસિક ભાડે રહેવા મળે છે.
- રૂપિયા ૫૦૦૦૦ની માસિક પગાર પણ મળે  છે. અને પાર્લમેન્ટ જ્યારે ચાલુ હોય ત્યારે રૂપિયા ૨૦૦૦નુ દૈનિક ભથ્થુ મળે છે.
                                                             પાર્લામેન્ટના સભ્યોના  પગાર અને ભથ્થાઑ વધારવામાટે પાર્લામેંટ સભ્યોની ઍક કમીટી તાજેતરમા બનાવવામા આવેલી હતી. તેણે કરેલી ભલામણો પણ  જાણવા જેવી છે.
- સરકારી નોકરોના પગારો અને ભથ્થાઑની  જેમ ઍમના પગારો અને . ભથ્થાઑ  વખતો વખત રીવ્યૂ થવા જોઇઍ.
-સભ્યોના પગાર માસિક ૩૫૦૦૦રૂપિયા કરવા જોઇઍ./મફત વિમાની પ્રવાસ અને સહાયકને મફત ફ્સ્ટ ક્લાસ રેલવેની ટિકેટ./અને વિમાની ફેર જેટલુ  જ ભથ્થુ મળવુ જોઇઍ.
-સભ્યોના પુત્રો/ પુત્રીને તથા પૌત્રોને પણ મફત સરકારી મેડિકલ સહાય મળવી જોઇઍ.
- સભ્યોનો માસિક પગાર બમ ણો કરવાની પણ માંગણી છે.
- સભ્યોના ભથ્થાઑ સારા ઍવા વધારવાની પણ માંગણી છે.
- સભ્યોની જે તે વિમાની મથકે માનપૂર્વક સ્વાગતની વ્યવસ્થા હોવી જોઇઍ.
                       આ છે લોકશાહીની બલિહારી છે ! અને લોકસેવા કરવા માટેની  અજબ માંગણીઑ છે.
                                           ************************************************

Monday, July 6, 2015


કેટલા લોકો જાણે છે?

                                                                                                         ૧) ગ્લાસને  સડી જતા ૧૦૦૦૦૦૦  વર્ષ લાગે છે.
                                 ૨) સોનાને કદી કાટ લાગતો નથી.
                                  ૩)જીભ ઍવી ઍકજ સ્નાયુ છે જે ઍક બાજુથી જ શરીર સાથે જોડાયેલો છે.
                                 ૪) જ્યારે શરીરમાથી પાણી શોષાઇ જાય છે ત્યારે તરસ મટી જાય છે.
                                 ૫) અમેરિકન આંતર યુધ્ધ દરમિયાન અમેરીકામા સંદેશાઓ પતંગ અને વર્તમાનપત્ર       દ્વારા મોકલતા હતા.
                                 ૬) સિંગતેલનો  ઉપયોગ સબમરીનમા બળતણ તરીકે કરવામા આવે છે, કારણ કે સિંગતેલ ૪૫૦ફેરાનાઇટ ઉશ્ણતામાને જ ધુમાડો કાઢે છે.

Wednesday, June 24, 2015


 સિલિકન વેલીની બીજી બાજુ

                                                                                                         અમેરીકામા સિલિકન વેલી ઍક સમૃધ્ધ પ્રદેશ છે ત્યા ગૂગલ, ઍપલ, ઈન્ટેલ, સિસ્કો, અને ફેસ બુક જેવી સમૃધ્ધ કંપનીઓ આવેલી છે. આખા અમેરિકાની સરેરાસ પ્રત્યેક માણસ દીઠ આવક આશરે $૩૬૦૦૦ ની સામે સિલિકન વેલી ની સરેરાસ પ્રત્યેક માણસ દીઠ આવક આશરે $ ૪૪૦૦૦ જેટલી છે. ઍનુ કારણ હાઈ ટેક્ની સમૃધ્ધિ છે
                                                                પરંતુ  ઍ સમૃધ્ધિના ચન્દ્ર સમાન  સૌદર્યમા ઘણા લોકો ઘરબાર વગરના  છે, અને ઍ લોકો રસ્તા પર કે પછી તોતીંગ પુલોની નીચે કે પછી નદી નાલાઓને કિનારે જીવન વિતાવે છે. ઍમા કેટલાક નિવૃત્ત સૈનિકો પણ છે. ઍમાના કેટલાક તો માનસિક રીતે પડી ભાંગેલા કે પછી માનસિક રોગિષ્ટ પણ છે.
                                                                આજના સરવે પ્રમાણે ૨૦૧૫ મા ૬૫૫૬ ઘરબાર વગરના લોકો હજુ પણ રસ્તા પર રખડે છે.  ૨૦૧૩ મા ઍવા ૭૬૩૧ વ્યક્તિઓ હતા.  આથી સંતોષ લેવાની વાત છે કે હોમલેસ માણસો ઑછા થયા છે અને સત્તા વાળાના અને ખાનગી સંસ્થાઓનાપ્રયત્નો  થોડે અંશે સફળ થયા છે.
                                                                     તે છતા ઍક બાજુ  અઢળક  સમૃધ્ધિ અને બીજી બાજુ આવી કંગાળતા ઍ વ્યાજબી નથી. ટૂકમા આજે દુનિયાંમા ઍક બાજુ સમૃધ્ધિ અન બીજી બાજુ કંગાળતા ફેલાયેલી છે ઍમાથી અમેરિકા પણ થોડે અંશે ઘેરાયેલ લાગે છે.
                                           ********************************************

Monday, June 22, 2015



ફાધર ડે ઍટલે કે પિતાને પ્રત્યે માન  દાખવાનો અવસર-૨૧જુન ૨૦૧૫

                                                                      અમેરીકામા ૨૧મી જૂને ફાધર ડે ઉજવાઈ ગયો. ઘણા પુત્રો અને પુત્રીઓેઍ ઍને આદરથી ઉજવ્યો. પૂર્વની સસ્કૃતિમા તો પિતાને 'પિતરુદેવ' કહેવામા આવે છે  અને પિતાને આદરપૂર્વક જોવામા આવે છે. પશ્ચિમમા (અમેરીકામા) પણ વર્ષના ઍક દિવસે પિતાના દિવસ તરીકે ઉજવાય છે, ઍટલેકે ૨૧ જુન.
                                                                   પિતા ઍ કુટુંબના નેતા સમાન હોય છે અને ઍને કુટુંબના હિતમા ઘણા અપ્રિય અને દુખદ નિર્ય ણો લેવા પડે છે. ઍથી ઍની સ્થિતિ ગણી મુશ્કેલ હોય છે. ઍને ઍની લાગણીઓને દબાવી રાખવી પડે છે. પ્રેમના આવેશને દબાવી રાખવો પડે છે. ઍને બધુ કુટુંબમા આંધાધુંધી ફેલાતી અટકાવવામાટે કરવુ પડે છે. ઍથી ઍ હમેશા બલીના બકરા જેવી હાલતમા હોય છે.
                            પિતા જે નથી કેરી શકતા તેની ઉણપ માતા પુરી કરે છે, ઍટલા માટે બાળકો હમેશા માતા ના પર ઍમનો પ્રેમ વધારે વરસાવતા રહે છે.  નાનપણમા બાળકો પિતા સાથે રમતા રહે છે. ઍમની જરૂરીયાતો પણ પિતા દ્વ્રારા સંતોષતા રહે છે. પરંતુ મોટા થતા જેટલી દાખવવી જોઇઍ ઍટલી ઉદારતા દાખવી શકતા નથી ઍનુ કારણ પિતાના તેમની બાબતમા સખત નિર્યણો ઘણીવાર  જવાબદાર હોય છે.
                            ઍમ કહેવાય છેકે નાનપણમા પિતા ઍના બાળકો માટે મહાન અને વિદ્દ્વાન હોય છે.  મધ્ય ઉંમરમા  બાળકોને પિતા ક્રોધી, અને સમયને અનુકુળ લાગતા નથી. આગળ જતા ઍમના માટે પિતા મુશ્કેલ બનતા જાય છે. પરંતુ ઍજ બાળકો જ્યારે ૪૦ ની ઉપ્પર વયના થાય અને ઍમને પણ સંતાનો હોય ત્યારે ઍમને ખ્યાલ આવે છેકે અમારા પિતાઍ અમને કેવી રીતે  ઉછેર્યા હશે? અને જ્યારે ઍ ઘરડા થાય  ત્યારે ઍમને ખ્યાલ આવે છેકે ઍમના પિતા કેટલા ભવિષ્યવેતા અને કેટલી હોશીયારીથી ઍમનુ જીવન ઘડ્યુ હતુ. ત્યારે જ ઍમને પિતાની નિપુણતાનો ખ્યાલ આવે છે. પરંતુ  ઍ વખતે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે. કદાચ પિતા હયાત પણ નહી હોય. આજ પિતાની કહાનીનો કમનશીબ ભાગ છે.
                           ઍક વાત ચોક્કસ છે કે પિતા કુટુંબનો ભાર જ નથી ઉપાડતા પણ દરેક સભ્યની ઉણપોનો ભાગ ઉપાડી ઍને સલામત  સ્થળે પહોચાડે છે. ઍટલા માટે ભારતીય સંસ્કૃતિમા પિતાને વંદનીય સ્થાન પર મુકવામા આવેલા છે.
                                      *********************************  

Monday, June 15, 2015


હોશીયારી અને સફળતા

                                                                                                                                     સફળતા ઍ માનવીને સમાજમા ઉચા સ્થાન પર પહોચાડી દેછે.પરન્તુ હોશીયારી ને સફળતા સાથે ગાઢ સબંધ છે. આથી સફળ માનવી હોશીયારી વગર સમાજમા ટકી શકતો નથી. આથી હોશીયારીનુ વિવરણ કરવુ જરૂરી છે. ઍટલેકે હોશીયારી કોને કહેવાય?
                                હોશીયારી નુ ઘણા ચિન્તકોઍ પોતાના શબ્દોમા  વર્ણન કર્યુ છે. તેનો નિચોડ આ મુજબ છે.
૧)હોશીયાર માણસો પોતાની  મુશ્કેલી અને મર્યાદાને સમજે છે  આથી સંજોગોને વશ  થઈને વર્તે છે.
૨) ઍમને ખબર હોય છેકે ઍમનુ  જ્ઞાન કેટલુ છે અને ઍમની ઉણપને પુરી કરવા પ્રયત્ન કરે છે.
૩) ઍમની કતુહલતા  અપાર હોય છે. આથી ઍ કતુહલતાને સંતોષવા  ઍમની પાસે પ્રશ્નો પણ તૈયાર હોય છે.
૪) ઍ લોકો તદ્દન સ્પષ્ટ પ્રશ્નો  પૂછી લા છે અને ઍના ઉત્તરો મેળવીને જ જમ્પે છે.
૫) ઍ લોકો બીજાના વિચારોને અને લાગણીનેં સમજી શકે છે. બીજાના સારા વિચારો અને માન્યતાને અપનાવી લે છે.
૬) ઍ લોકો  ઉદ્દાર માનસ ધરાવતા હોય છે.
૭) ઍક અગત્યની વાત ઍ છે કે જ્યા સુધી  કોઈ પણ વસ્તુ પૂરાવા સહિત મગજમા ન ઉતરે ત્યા સુધી હોશિયાર લોકો ઍને અપનાવતા નથી.
                               આથી કહેવાય છે કે માનવીય સફળતા માનવીની  હોશીયારીને વરેલી છે.
                              ***********************************************