Wednesday, November 20, 2024

 


સત્યની શોધમાં           

                                     દુનિયામાં ઘણી બાબતો છે જેના વિષે જાણવું આવશ્યક છે. કેટલીક બાબતો સામાન્ય છે પરંતુ એ માનવજાત પર સારો એવો પ્રભાવ પાડે છે.

                                      સ્ત્રીઓ ઘણીવાર સૌંદર્યની શોધમાં પોતાનું વજન કે શરીર ને સમતોલ કરવા પ્રયત્નો કરે છે. પરંતુ ઘણાને ખબર નહિ હોય કે વધારે જાડુ શરીર એક રોગ છે. ઘણા સમૃદ્ધ અને વિક્સિત દેશોમાં લોકો વધારે પડતા વજન અને અસમતોલ શરીરથી લોકો પીડાતા હોય છે. એ જાણીને આશ્ચર્ય થશેકે વધારે પડતું વજનને અસમતોલ વજનને કારણે વર્ષે દુનિયામાં ૩૦૦૦૦ માણસો મૃત્યુ પામે છે.

                                    એજ રીતે ઘણીવાર વીજળીનું પડવું પણ ઘણું  જીવલેણ હોય છે. શહેરી જીવનમાં કદાચ થોડી સગવડો હશે જેથી એનાથી રક્ષણં માટી શકે પરંતુ ખુલા આકાશમાં જયારે વીજળી ત્રાટકે છે. ત્યારે એ જેના પર પડે મોતને પણ ભેટે છે. વીજળી પડવાથી આશરે ૧૦૦૦૦ માણસો વર્ષે દુનિયામાં મૃત્યુને ભેટે છે. 

                                     ઘણીવાર ખાટલા પરથી પડવાથી માણસોને ભયંકર અકસ્માત થાય છે અને એ જીવલેણ હોય છે એ સાંભળીને આશ્ચર્ય થાયછે પરંતુ સત્ય છે. અમેરિકામાં વાર્ષિક   ૪૫૦ માણસો ખાટલાપરથી પડવાથી મૃત્યુ પામે છે.



                                     આજકાલ મોબાઈલ બહુજ લોકપ્રિય સાધન બની ચૂક્યું છે. દરેક જણ હવે હાથમાં મોબાઈલ લઈને ફરતા હોય છે. ૧૯૯૦ માં દુનિયાભરમાં ૧ મિલિયન લોકો મોબાઈલ વાપરતા હતા પરંતુ એનો અત્યારે વપરાશનો આંકડો પાંચથી છ બિલ્લીઓન જેટલો પહોંચી ગયો છે. અને દિવસે દિવસે વધતો જ જાય છે. 

                                      દુનિયામાં ધનવાન અને ગરીબી વચ્ચેનો તફાવત વધતોજ જાય છે . પરંતુ ગરીબી થોડી ઓછો પણ થવા માંડી છે. ૧૯૮૧માં ૫૨% લોકો ગરીબીમાં  દુનિયામાં સબડતા હતા પરંતુ  ૨૦૧૦માં દુનિયામાં ગરીબી ઓછી થઇ અને એ આંકડો ૨૧% પર આવી ગયો છે. આબતાવે છેકે ગરીબી હવે વિશ્વમાંથી ઓછી થઇ રહી છે.

                                     એમ કહેવાય છેકે આરબ જગતમાં સ્ત્રીઓની સ્થિતિ બહુ સારી નથી પણ આરબ અલ્જિરિયામાં ૭૦% સ્ત્રીઓ કાયદાકીય નિષ્ણાત છે અને એમાંથી  ૬૦% તો  ન્યાયધીશના પદ પર છે.

                                         આમ ઘણી નાની વસ્તુઓ  વિષે માહિતી પણ ઘણી રસ પદ હોય છે.

                                          ****************************************

                                           

Thursday, November 14, 2024



સીરમ ઇન્સ્ટિટ્યૂટ  ઑફ ઇન્ડિયા -વેકસિનની અજબ કંપની 

                                                                                       સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિદ-19 પછી ઘણીજ પ્રસિદ્ધ કંપની બની છે. એની વેકસિનએ  આખી દુનિયામાં  કરોડો લોકોની જિંદગી બચાવવામાં મદદ  રૂપ બની હતી. એની ઓફિસ પૂના ખાતે આવેલી છે. એના મુખ્ય ઓફિસર આદર પુનાવાળા છે. એ  ભારતીય કંપની હવે એની  વેકસિનોને લીધે વિશ્વ વિખ્યાત કંપની બની ગઈ છે.



                                                                                     વિશ્વ આરોગ્ય  સંસ્થાએ પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટને એની આર 21/ મેટ્રિક્સ એમ  મેલેરિયા વેક્સીન માટે ઉચ્ચ સ્થાન આપેલું છે.  મચ્છરો દ્વારા ફેલાતો મેલેરિયા વિશ્વમાં દર વર્ષે ૬૦૦૦૦૦ માણસોનો ભોગ લે છે.  આ વેકસિન સીરમએ યુનિવરસિટી ઓફ ઓક્સફર્ડ સાથે મળીને બનાવી છે. સીરમ વાર્ષિક ૧૦૦ મિલિયન ડોસીસ બનાવશે અને આફ્રિકાના દેશોમાં એમની જરૂરિયાતોને પુરી પાડશે. એ આરોગ્ય  ક્ષેત્રમાં  સીરમનુંવિશ્વમાં   મહાન યોગદાન  હશે. તે ઉપરાંત વેક્સીનના એક શોટ ચાર ડોલર જેટલા સસ્તા પણ હશે. એમાં  પ્રોફિટ કરતા જન સેવાની ભાવના વધારે રહેલી છે.



                                                                                     આદર પૂનાવાલા ભારતના એક આગળ પડતા અને ધનવાન ઉદ્યોગપતિ પણ છે. એમણે એમના ધનનું ઘણા ઉદ્યોગોમાં રોકાણ કર્યું છે. એવા સમાચાર છેકે એમણેફિલ્મ ઉદ્યોગમાં  હજારો કરોડોનું રોકાણ કરી  કરણ જોહરની ફિલ્મમાં ભાગીદારી કરી  છે.

                          એમની સફળતાનું રહસ્ય એમની જન સેવાની ભાવનાને આભારી છે.

                                           **************************

                                  

                                          

 

Tuesday, November 5, 2024



મુક્તિનો   માર્ગ

                                          આપણા શાસ્ત્રોમાં તિબેટમાં આવેલા કૈલાસ ધામ અને માનસરોવર પહોંચવાથી મુક્તિ મળે છે એમ માનવામાં આવે છે. મહાભારતમાં પાંડવોએ પણ અંતિમ પડાવમાં હિમાલયમાં ગમન કર્યું હતું અને એ લોકો પણ સ્વર્ગ ધામ આખરે કૈલાશ ધામ પહોંચ્યા હશે  જ્યાં તેમણે પોતાના શરીરનો ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યા હશે.એમ પણ કહેવાય છેકે ધર્મરાજ યુધિષ્ઠિર  સ્વર્ગ દ્વારે પહોંચ્યા હતા બાકીના બધા ભાઈઓ બરફમાં ઓગળી ગયા હતા. આતો એક ધાર્મિક વાત છે. 

                                       કૈલાશને સ્વર્ગ ભૂમિ માનવામાં આવે છે જ્યાં શિવનો વાસ છે જે ત્યાગ અને સાદાઈનું એક પ્રતીક છે. શિવ એ સુંદરતા અને સત્યના પ્રતીક છે. શિવની સુંદરતા અને સત્યમાં જ મનુષ્ય જીવનનો મુક્તિ માર્ગ  છે.



                                      મહામૃત્યુંજય સ્લોકને લોકો બોલે છે એને સાચા અર્થમાં સમજવો મુશ્કેલ છે. કેટલાક કદાચ માનતા હશે કે એ  મૃત્યુ પર વિજય મેળવી અમર બનાવે એવો મંત્ર છે. પરંતુ એના મૂળમાં મુક્તિના માર્ગ નો ઉકેલ હોય એમ લાગે છે.

                                        મુક્તિનો માર્ગ એટલે જન્મો જન્મના ફેરામાંથી  મુક્ત થવાની માનવી ખેવનાનો માર્ગ છે . એમાં માનવીય અમરતાની પ્રાપ્તિને કોઈ સબંધ નથી.

                                       શિવની સાથે સત્યમ , શિવમ અને સુન્દરમ સંકળાયેલા છે. એમાં સુંદરમ એ માનવીય પ્રકૃતિ સાથે સંકળાયેલા સદ્દગુણો વિશેનો ઉલ્લેખ છે.  મુક્તિના  માર્ગમાં આધ્યામિકતા સાથે માણસે અમુક ગુણોને જીવનમાં ઉતારવા આવશ્યક છે જે  માનવીય જીવને સહેલાઈથી મુક્તિ માર્ગે લઇ જાય છે. એટલેકે  જીવને  જન્મો જન્મમાંથી  મુક્તિ અપાવી  શકે છે.



                                        એમાં મનુષ્યે અહંમ , ઈર્ષા અને દ્વેષને દૂર કરવા જોઈએ જે મનુષ્ય પ્રકૃતિના મોટામાં મોટા દુશ્મન છે.  તે ઉપરાંત કોઈ જો  અપમાન કરેતો એને ક્ષમા આપવાની પણ શક્તિ કેળવવી જોઈએ. અહિંસા દરેક જીવો પ્રત્યે હોવી જરૂરી છે.  યોગ્ય માણસોની કદર કરવાની ઉદારતા પણ દાખવવી પણ જરૂરી છે. 

                                       ટૂંકમાં જીવને મુક્તિ અપાવવા પહેલા મનુષ્યે આ જગતમાં બધા અવગુણોનો ત્યાગ કરી  પોતાને નિરાકારી બનાવી દેવી જોઈએ જેથી મુક્તિનો માર્ગ સરળ થાય,

                                        શાસ્ત્રોમાં  બતાવ્યા પ્રમાણે આપણે આપણા પિતૃઓના જીવોની મુક્તિ માટે ધાર્મિક ક્રિયા જરૂર કરીએ કારણકે એમાં  એમના તરફનો પ્રેમ અને સદ્ભાવ પ્રગટ કરી શકીએ છીએ. પરંતુ પોતાના જીવની મુક્તિ માટે મનુષ્યે પોતાના જીવનમાં જ પ્રયત્ન કરવો રહ્યો. એજ જીવનનું સત્ય છે. આજ વસ્તુ ભગવાન કૃષ્ણે ગીતામાં વિસ્તારથી વર્ણવેલી છેકે  મુક્તિ અને મોક્ષ  માટે મનુષ્યે પોતે જ પોતાના  જીવન દરમિયાન શુદ્ધ  પુરુષ થવું આવશ્યક છે. 

                                       મૃત્યુ પછી જીવનું શું થશે  એ કહેવું મુશ્કેલ  છે.  પણ  સદ્દગુણી માણસોના જીવ મોક્ષ પામે છે એમાં  બહુમતી લોકો સંમત થશે એમાં શંકા નથી.

                                  *******************************************



                                   

Wednesday, October 16, 2024

 


ડીહાઇડ્રેશન - શરીરમા  પાણીની ઉણપ

                                                                                       આપણા શરીરમાં પાણીનું તત્વ ૮૦% જેટલું હોય છે અને તંદુરસ્તી જાળવવા માટે પાણી નું  પ્રમાણ જાળવી રાખવાની જરૂર હોય છે.  આથી શરીર માં પાણી નું જરુરીયાત માટે વયસ્થ માણસો એ દિવસ દરમિયાન ૨ થી ૩ કવાટર પ્રવાહી પીવું જરૂરી છે.  આજકાલ વાતવરણમાં ફરક પડી રહ્યો છે અને ગરમીનું  પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જરૂરી પ્રવાહી પીવું આવશ્યક છે.



                                                      શરીરમાં પ્રવાહીની ઉણપને  લીધે શરીરમાં શક્તિ ઓછી થઇ જાય છે અને રોગોનો સામનો કરવાની શક્તિ પણ શરીરની  ઓછી થઇ જાય છે. પાણીની ઉણપ મગજ પણ અસર કરે છે. સ્નાયુઓના દુખાવા કે બીજી સ્નાયુને લગતી બીમારીઓ આવે છે. માણસની વસ્તુઓ પર ધ્યાન સ્થિત કરવાની શક્તિને પણ પ્રવાહીની ઉણપ અસર કરે છે. અને શરીરમાં સોડિયમ, પોટેશિયમ ,કેલ્શિયમના તત્વનું સમતોલ પણ દૂર કરે છે. તે ઉપરાંત બ્લડ પ્રેસ્સર પણ અસર કરે છે. ટૂંકમાં શરીરમાં પાણી કે પ્રવાહીની ઉણપ ઘણા રોગોને નોતરું આપે છે.



                                                           શરીર પર ડીહાઈડ્રેશનને લીધે જીભ ધીમી પડી જાય છે. માથામાં દુખાવો ઉપડે છે.  મગજમાં ગૂંચવણ રહે છે.  અશક્તિ વધે છે અને માણસ સમતોલપણુ ગુમાવી દે છે.



                                                            એટલા માટે પાણી , ફળોનો રસ, ચા, સોડા  વધુ પીવા જોઈએ પરંતુ  કૅફિન વાળા પીણાઓથી દૂર રહેવું જોઈએ. વાતાવરણમાં ગરમીનો વધારો થઇ રહ્યો છે માટે ડિહાઈડ્રેશનની  બીમારીથી  બચવું હવે આવશ્યક બન્યું છે.

                                 *************************************

Tuesday, October 15, 2024



અમેરિકન લોકશાહી 

                                                              અમેરિકાની લોકશાહી પણ આજકાલ ભયકારક સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. આ નવેમ્બરમાં અમેરિકામાં પ્રમુખની ચૂંટણી થવાની છે એમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ , રિપબ્લિકન, અને કમલા હેરિસ , ડેમોક્રેટ સામસામે ઉભા છે.  અને બંને વચ્ચે ત્રીવ રસાકસી  છે. એટલે ચૂંટણીના પરિણામો વિષે કોઈ કઈ કહી શકે એમ નથી.

                                  ગઈ ૧૯૨૦ની ચૂંટણીમાં જો બૈંડન ચૂંટાઈ આવ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ  એ ચૂંટણીને પડકારી હતી અને અમેરિકામાં મોટી બબાલ અને કેટલાએ કેસો થયા હતા અને એ વખતે લાગ્યું હતુંકે અમેરિકન લોકશાહી પર ઘા થઇ રહ્યો છે.



                                   આ વખતની ચૂંટણીમાં  મોંઘવારી , ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ ઉઠેલા છે. અને એના પર ઉગ્ર ચર્ચાઓ થઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પએ તો ત્યાં સુધી વચનો આપ્યા છેકે એ જો ચૂંટાશે તો વીજળી દરો ઓછા કરશે  અને ગેરકાયદેસરરીતે  રહેતા લોકોને કાઢી મુકશે . આબાબતમા ત્યાંના અમેરિકાનોમા ઉગ્ર વિવાદ છે.

                                 મુદ્દાની વાત એ છેકે  અત્યારે સર્વે મુજબ બને પ્રતિસ્પર્ધી વચ્ચે નજદિકની પ્રતિસ્પર્ધા ચાલે છે એથી એના પરિણામ વખતે ઉગ્ર વિવાદ ફરીથી થવાનો સંભવ છે.  એ દ્રષ્ટિએ ફરીથી  અમેરિકાની લોકશાહીની  પરીક્ષા લેવાશે.  એમાં રાજકીય અને કાયદાકીય વિવાદ થવાનો  સંભવ છે. 



                                લોકશાહીમાં બહુમત લોકોના મતો પરિણામ નક્કી કરે છે. પરંતુ એને સ્વીકારવાની   સહિષ્ણુતા લોકશાહીને સફળ બનાવવામાં જરૂરત હોય છે.

                                        ****************************

   

Sunday, October 6, 2024

 


બેંક ઓફ અમેરિકા 

                                                        બેંક ઓફ અમેરિકા  વિશ્વની એક  મોટી  બઁકોમાંની એક છે. એની  શરૂઆત આજના સીલ્લીકોન વેલીના પાટનગર સાન હોસે ખાતે નાના પાયે   થઇ હતી અને પછી એનું વડુમથક કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કો ખાતે ખસેડવામાં આવ્યું હતું . ત્યાર બાદ બીજી બેન્કોની સાથે એનું જોડાણ થતા એનું   વડું  મથક કૅલિફૉર્નિયાની બહાર  ખસેડવામાં આવ્યું હતું.

                               તે છતાં એ બેન્કની નીતિ હંમેશા સમાજના દરેક વર્ગને મદદ કરવાની રહી છે .એની ખેડૂતોને ધિરાણ કાર્ડ આપવાની નીતિએ અને અમેરિકામાં સારી એવી ખ્યાતિ પ્રદાન કરી હતી.



                               આજે પણ એની નીતિ એના  નોકરિયાત માટે પણ બહુ પ્રગતિશીલ છે. તે એના વડા બ્રાયન મોયનિહાનને  આભારી છે. અમેરિકામાં ફુગાવાને લીધે લોકોને તકલીફ છે. પરંતુ  બેંક ઓફ અમેરિકાએ  એના નોકરિયાત માટે નિમિત્તમ પગાર કલાકના  ૨૩ ડોલર  કરેલા છે અને  ૨૦૨૫  સુધીમાં ૨૫ ડોલર લઇ જવા માંગે છે. તે ઉપરાંત જે સ્ટાફની ૧૫ વર્ષની નોકરી હોય એને  ચારથી છ અઠવાડિયાની પગાર સાથેની   રજા આપવાંમાં આવે છે. સ્ટાફના સારા નરસા પ્રસંગે  પણ બેંક મદદ કરે છે. ૧૦૦૦૦ જેટલા સ્ટાફએ એનો લાભ પણ લીધો છે . એની પાછળ બેન્કની નોકરીને આકર્ષક બનાવવાની  અને લોકોને અપાતી બેંક સેવાને ઉત્તમ બનાવવાની છે.



                                  આ દુનિયાની બેંકઓ માટે ઉત્તમ સેવા પૂરુંપાડવાનો દાખલો છે. સંતોષી સ્ટાફ જ સારી બેન્કિંગ સેવાઓ પુરી પડી શકે છે. અને એની પ્રગતિ પણ વધારે છે . એથી જ  બેંક ઓફ અમેરિકા દુનિયાની ઉત્તમ બેંક બની ચુકી છે. 

                                એવી બેંક સાથે દાયકાઓ પહેલા મુંબઈ ખાતે એ બેન્કની ભારતની પહેલી શાખામાં કામ કરવાની તક મળી હતી.

                                                      ********************************

Wednesday, September 25, 2024



 દેશ પ્રેમ 

                                          લોકો પરદેશમાં વ્યવસાવ માટે દૂર  દૂર જતા હોય છે પરંતુ પોતાના લોકો અને દેશને માટે હંમેશા ઝૂરતા હોય છે. ઘણીવાર પરદેશમાં એમને સમૃદ્ધિ અને અજબ સગવડો મળે છે પરંતુ તેઓ પોતાના લોકો અને દેશની લગાવને ભૂલી શકતા  નથી. એના માટે કવિ કહે છે એ  પણ સાંભળવા જેવું છે.

             ક્યાં છે ?

અહીં ભવ્ય ડુંગરમાળાઓ છે

અને નદીઓના નિર્મલ નીર છે 

પ્રભાતને સજાવેછે સોનેરી કિરણો અહીં 

રૂપેરી ચાંદનીની પણ મઝા છે 

કુદરત  ખરેખર આફરીન અહીં

પણ દેશની માટીની મહેક ક્યાં ?

ફૂલોથી લચકતા બગીચાઓ છે 

અને પંખીઓનો કલરવ પણ છે.

મદમસ્ત આવરણ સર્વત્ર અહીં 

પણ દેશની સુગંધી હવા ક્યાં ?

બરફી ટોચો લાગે હીરાના હાર સમાન 

લીલીછમ હરિયાળી  ખીણો અહીં 

સ્વર્ગ પૃથ્વી પર આવ્યું જાણે 

પણ દેશની નદીઓના નીર ક્યાં ?

ભલે અહીં બધે સ્વર્ગ હોય અહીં

પણ મારા દેશના પેલા માણહો ક્યાં ?

                   એમાં કવિનો દેશ પ્રેમ છલકે છે. અને પોતાના માણસોની માણસાઈથી કવિ તરબોળ છે . 

                                        ******************************************