Thursday, May 15, 2025

 


કેન્સરના  કારણો 

                                     કેન્સર એ દુનિયામાં ભયંકર અને જીવલેણ રોગછે. લાખો લોકો એનો ભોગ બને છે. એના પકડમાં આવ્યા બાદ એમાંથી માનસિક અને શારીરિક રીતે છૂટવું મુશ્કેલ બની રહે છે. 

                                    કૅન્સરપર અત્યારે દુનિયામાં સંધોધનો ચાલી રહ્યા છે. પરંતુ એને જડમૂળથી નાબૂદ કરવાંની દવા હજુ બાકી છે.  એને લાવનાર વસ્તુઓ પર જો ધ્યાન આપવામાં આવે તો એનો ફેલાવો અટકાવી શકાય છે. 

                                     વધારે પડતા ખાંડ સભર પદાર્થો ઘણી વાર કૅન્સરને નોતરે છે.  આજના યુગમાં પ્રોસેસ ખોરાક ખાવાનો બહુજ ખરાબ આદતો પડી છે. આમતો એ સ્વાદિષ્ટ હોય છે. પણ માનવી તંદુરતી માટે એ હાનિકારક હોય છે. તે ઉપરાંત સૂર્ય સ્નાન એક ફેશન બની ગઈ છેકે પછી તંદુરસ્તી માટે એને ઉત્તમ માનવામાં આવેછે.  વધારે પડતા સુર્યકીરણો ઘણીવાર શરીર માટે હાનિકારક હોય છે.  તે ચામડીના કેન્સર જેવા રોગોને નોતરે છે. તે ઉપરાંત તમાકુનું  સેવન ખાઈને , કે સિગરેટ કે બીડી પીને પણ લોકો કૅન્સરનો ભોગ બને છે.  ટોકક્ષીક , આર્સનીકઃ જેવા રસાયણો પણ કેન્સર જવા ભયાનક રોગો  લાવે છે. 



 જે લોકો કોલસાની ખાણમાં કે પછી રાત્રી દરયામિયાન કામ કરતા હોય એવા લોકો પણ કેન્સર જેવા રોગોની પકડમાં આવી જાયછે.  વધારે પડતો દારૂ , વધારે પડતા  મીઠાના પદાર્થો , મોટા પ્રમાણમાં લાકડાનો વેર , જેવી વસ્તુઓ  પણ શરીરમાટે હાનિકારક અને કેન્સર જેવા રોગોનું ઉગમસ્થાન છે.



                                  ઘણીવાર વાઇરસઓ , અને  વધારે પડતી ટોક્ષિક હવા પણ ભયંકર બીમારીઓ નોતરે છે. ગ્લાયફોસ્ટેટ જેવા રસાયણો જે ખાતર અને  વિદ મારવા માટે વપરાય છે એ પણ હાનિકારક છે. સ્ત્રીઓમાં પણ જન્મને કાબુમાં રાખવા જેવી દવાઓ ઘણીવાર બ્રેસ્ટ કેન્સર જેવી બીમારી લાવે છે. 

                     મૂળમાં કેન્સર લાવનારા પદાર્થોથી દૂર રહેવાથી  કેન્સર જેવી બીમારીને અટકાવી શકાય છે. 

                                   **************************************** 

                                   

No comments:

Post a Comment