Friday, January 23, 2026

  


 જમીનમાંથી કાર્બન કાઢવાની શોધ                                             

                                                      એક ભારતીય વિજ્ઞાનીકે એના માટે પ્રયત્નો શરુ કર્યા. એનું નામ છે શાંતનુ અગરવાલ જેમણે એમની  જમીનમાંથી કાર્બન કાઢવાની કલા વિકસાવી છે.

                                                   ભારતના ચોખાના ખેતરો જોઈને કોઈને પણ આવો ખ્યાલ ન આવે. પરંતુ એક  ભારતીય વિજ્ઞાનિકને ચોખાના ખેતરો જોઈને એક અદભુત વિચાર અનુભવ્યો. ભારત આમ પણ વિશ્વ માટે અન્નનો ભંડાર છે કારણકે એની જમીન બહુજ ફળદ્રુપ છે.  તે છતાં એક ભારતીય વિજ્ઞાનિકને વિચાર આવ્યો કે  જમીનને કેવી રીતે વધુને વધુ ઉત્પાદિક બનાવવી ?



                                            એમણે માટીમાં કેવી રીતે પરિવર્તન લાવી એને કાર્બન રહિત બનાવવી એની રીત શોધી કાઢી જેથી પાકનું ઉત્પાદન વધારી શકાય. જમીન પર બેસાલ્ટ રોકનો પાવડર પાથરી જમીનમાંથી કાર્બન ચૂસવાની પદ્ધતિ અપનાવવાથી જમીન વધુ ફળદ્રુપ બને છે અને પાક માં અનેક ગણો વધારો થઇ શકે છે.

                                           આ અદભુત સંધોધન ને કારણે  સંતનું અગરવાલના માટી કાર્બન ને જમીનમાંથી કાર્બન કાઢવાની શોધને માટે 50 મિલિયન ડોલરનું  એક્ક્ષ ઇનામ મળ્યું.  માટી કાર્બનનું કામ તાન્ઝાનિયા , ઝામ્બિયા  જેવા દેશોમાં પણ  ચાલી રહ્યું છે. 





                                         શાંતનુનું  લક્ષ્ય ૧૦૦ મિલિયન ખેડૂતો સુધી પહોંચવાનો છે. અને ૨૦૫૦ સુધીમાં  ૧૦૦  બિલ્લીઓન ટન કાર્બન  જમીનમાંથી કાઢવાનો છે.

                                            આ શોધ ભારતમાં ખેતીનું ઉત્પાદન વધારવામાં પણ મદદરૂપ બની રહેશે  એના માટે દરેક દેશવાસીઓ ગર્વ લઇ શકે છે.

                         **********************************************

                                      

No comments:

Post a Comment