Wednesday, August 26, 2026



ઊંઘ 

                                                                      ઊંઘ એ માનવી માટે અગત્યની બાબત છે. ઓછી ઊંઘ કે પછી ઊંઘ વચ્ચેના અવરોધો માનવી માટે ઘણી વાર તંદુરસ્તી માટે ભય ઉભો કરે છે. આથી પ્રશ્ન ઉદ્દભવે છેકે ઊંઘ માટે શું મર્યાદાઓ  છે.  સામાન્ય રીતે તમે સવારના ઉઠો અને સ્ફૂર્તિ અનુભવો તો તે ઊંઘને  તંદુરસ્ત માની શકાય .

                      આજકાલ સંધોધનો પરથી મનાય છે કે જેમ ઓછી ઊંઘ તંદુરસ્તી માટે નુકશાનકારક છે તો વધારે પડતી ઊંઘ પણ તંદુરસ્તીને નુકશાન પહોંચાડે છે.  ઓછી ઊંઘ માનવીને રોગિષ્ટ બનાવી દે છે .ઓછી   ઊંઘ બીજો દિવસ વધુ સુસ્ત બનાવી દે છે. મગજમાં તણાવ ઉભા કરે છે અને સાઈકોલોજિકલ પ્રશ્નો પણ ઉભા કરી દે છે . અને ઘણી વાર મોત પણ નોતરે છે. પરંતુ વધુ પડતી ઊંઘ કોઈ રોગની નિશાની પણ ગણાય છે.

                       રિપોર્ટ અનુસાર સ્ત્રીઓ માટે ૬ .૫ કલાકથી ૭.૮ કલાક  સુધીની ઊંઘ અને પુરુષો માટે ૬.૪ કલાકથી ૭.૭ કલાકની ઊંઘ તંદુરસ્તી માટે આદર્શ સમય છે.

                       ચિંતા ઊંઘની બાબતમાં મોટી સમસ્યા છે.  સંધોધનો બતાવે છે કે ચિંતા માણસની ઊંઘ ઓછી કરી  એમની  તંદુરસ્તીને હાનિ કરે છે. એથી ચિંતાને રાતના દૂર રાખવી જોઈએ. તે ઉપરાંત કેટલા કલાક કોઈ ઊંઘે છે એ અગત્યનું નથી પરંતુ કેટલાક કલાક ઊંઘવાથી સ્ફૂર્તિ અને તંદુરસ્તી  સારી રહે છે એ અગત્યનું છે.

                        ****************************  

No comments:

Post a Comment