Thursday, December 20, 2012












ભારતનુ સૌદર્ય
--------------
પ્રભુઍ ભારતને ખોબે ખોબે ભરીને કુદરતી સૌદર્ય આપેલુ છે. ઉત્તરમા હિમાલય દક્ષિણમા કન્યાકુમારી તો પૂર્વમા બંગાળનો મહાસાગર અને પશ્ચિમમા પશ્ચિમઘાટની ગીરીમાલાઑ પથરાયેલી છે. ઍના સૌદર્ય નો  આનંદ  અદભૂત છે. ઍ બધામા  ઉત્તરમા હીંમાલયમા ઍવરેસ્ટ  અને કાંચનજંઘાના હિમાદિત શીખરોનુ પ્રભાતનુ  સોનેરી સૌદર્ય સ્વર્ગમય હોય છે. ઍના વિષે  લખવા માટે શબ્દો નથી પરંતુ લખવા નમ્ર પ્રયત્ન કર્યો છે.
કાંચનજંઘા
----------
વહેલી સવારનો સમય હતો
પર્વતો ખેડીને આવ્યાનો શ્રમ હતો
શીતલ હવા છરીની જેમ તીવ્ર હતી
મુખમાથી ગરમ વરાળ  વહેતી હતી
વહેલી સવારનો---
સૂર્યોદય થવાની થોડી વાર હતી
જાણે અંધારુ સરકતુ હતુ
ત્યાતો થયો અદભૂત ચમકારો
સુવર્ણમય બની ગયુ શીખર સારુ
ધરતી પર જાણે સ્વર્ગ સર્જાયુ
વહેલી સવારનો સમય હતો
હદયે સ્વર્ગ દ્વારે પહુચવાનો આનદ હતો
ભારત દેસાઈ

દક્ષીણમા કન્યાકુમારીનો સાગર જ્યા સ્વામી વિવેકાનંદ સત્યની ખોજમા  બેઠા હ્તા. ત્યાનો સુર્યાસ્ત પણ અદભૂત હોય છે.
કન્યાકુમારી
-----------
જ્યા ત્રણ સાગરોનુ મિલન થાય
ત્યા ભૂરા, ભૂખરા, લીલા રંગોની રંગોળી રચાય
જમીનનો ઍક  ટુકડો જ્યા સાગરને વીંધે
ત્યા દેવિ કાન્યાકુમારીનુ સ્થાન કહેવાય                                      
જ્યા ત્રણ---
ક્ષિતિજ સુધી છે  પાણી પાણી જ્યા
વચ ટાપુ પર  છે મંદિર ત્યા.
ઍક સંતે લગાવી હતી ધૂણી જ્યા
ભારતના આત્મ સન્માનની કરવા ખોજ અહા
જ્યા ત્રણ---
સુર્યાસ્ત જ્યા સપ્ત રંગોમા થાય
દૂર દૂર અગન ગોળો  સરકી જાય
જ્યા સપ્ત રંગોની રંગોળી પુરાય
આભ મંડળમા જાણે સ્વર્ગ રચાય
જ્યા ત્રણ સાગરોનુ---
ભારત દેસાઈ
                                    ==============================

Monday, December 3, 2012


અમેરિકા ઍટલે જ અમેરિકન
==================
ભારતમા લોકો અમેરિકાની સમૃધ્ધિ પર આફરીન છે પરંતુ ઘણાને ઍ ખબર નથી કે ઍ સમૃધ્ધિ અમેરિકનો પર આધારિત છે. ઍટલા માટે અમેરિકનોને સમજવાની જરૂરત છે. અમેરિકનો ઘણા પ્રેરણાદાયી છે. ઍ ખાસિયતો ઍમને ઇતિહાસીક વારસામા  મળેલી છે.અમેરિકનો ઘણા સાહસિક,  જબરી મહેનત કરનારા, અને  કલ્પનાને  હકીકત બનાવનારા છે. ઍ લોકો જીવનમા ડર વગર જંપલાવનારા છે. ઍટલે કે નિષ્ફળતાને પાચાવનારા છે. બેંજામીન ફ્રેક્લીનની જેમ પ્રયોગો કરીને ઍમાથી સફળતા મેળવવાંનો આત્મવિસ્વાસ ધરાવે છે.
               અબ્રાહમ લિંકનની જેમ સફળતા માટે દુશ્મનોનો પણ ઉપયોગ કરી જાણે છે. પૈસા કમાવવા માટે ગમે તે તળજોડ કરવા તૈયાર છે. રેનાલ્ડ રેગન માનતા હતા કે અમેરિકનો મુળભુત રીતે  ઉમદા,   અને ઉદાર, પ્રજા છે.  તે ઉપરાંત અમેરિકાની રચના કોઈ જાતી, વિચાર, કે ધર્મ,પર થયો નથી ઍટલે ઍનૂ ભાવી  અજોડ જ રહેશે. લિંકનના કહેવા પ્રમાણે  ગમે તેવા વાતાવરણમાથી આવેલા માણસોને પણ અમેરીકામા  ઍમનુ ઉંચ ભાવી લાગે છે. આથી અમેરીકામા મહત્વકાંક્ષી ઍવા વસાહતીઓની ભૂમિ બની રહી છે. અમેરીકામા રહી પોતાના મૂળને સાચવી દરેક અમેરિકન જીવી શકે છે ઍ મહત્વની વાત છે. યૂરોપીયન લોકો પહેલ કરવામા ઘણા નબળા પડે છે પરંતુ અમેરિકનો કહ્યા સિવાય કરનારી પ્રજા છે. અમેરિકોનોને માટે સમૃધ્ધિ, સ્વતંત્રતા, અને સાહસીકતા સમાનતા કરતા પણ વધારે મહત્વના છે. અમેરિકનો માટે  સ્વતંત્ર દ્રષ્ટી મહત્વની છે. વધારે પડતી સરકારી દરમ્યાનગીરીથી અમેરિકનો નો સ્વાસ રૂંધાય છે.  દરેક અમેરીકન નાગરિક સ્વતંત્રતાની કિંમત ચૂકવવા તૈયાર છે.   આથી અમેરિકાની આંધળી નકલ કરવા કરતા ભારતીયોયે અમેરિકન પ્રજાના ગુણ ઉતારવા આવશ્યક છે.
                                           *******************************

Tuesday, November 13, 2012












દિવાળી અને નવુંવર્ષ
===========

દિવાળી  પ્રકાશ લાવી અંધકારનો નાશ કરે છે. અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનનો  પ્રકાશ ફેલાવે છે. અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરે છે. આપણા જીવનમા પણ ઍ સુખ શાંતિ અને સમૃધ્ધિ લાવે ઍવી પ્રભુને પ્રાર્થના કરિયે. દિવાળીની શુભેચ્છાઓ અંને સાલ મૂબારક સહિત-
દિવાળી આવીને ---
દિવાળી આવીને લાવી દીવા
નવસમાજની રચના કરવા
ધનવાનો માટે લાવી સંદેશા
ગરીબો સાથે વહેચી ખાવા
મજાદૂરો માટે લાવી નવ આશા
વધુ પસીનો વડે સમરુધ્ધિ મેળવવા
નેતાઓ માટે લાવી નવ પ્રેરણા
ત્યાગ ભાવે કરો લોકસેવા
આવો આજે  નિર્ણય  કરિયે
ઍકતા અને પરિશ્રમ વડે દેશને ઉગારિયે
દિવાળી આવીને  લાવીદીવા
નવસમાજની  રચના કરવા
ભારત દેસાઇ
                                   *****************************

Monday, November 12, 2012


ઈંદિરા ગાંધી- મરણતિથી ૩૧મી ઑક્ટોબર
===========================
ઈંદિરા ભારતના પ્રથમ મહિલા પ્રધાન મંત્રી હતા. આથી ભારતની મહિલાઓમા પણ તેઓ ઘણા લોકપ્રિય છે. તૅઓ પાકા રાજકારણી હતા. ઘણી વાર તૅઓ કોની સાથે રાજકારણ રમી રહ્યા ચ્હે તેનુ ધ્યાન ન રાખતા આથી ઍમને ખાલિસ્તાન ચળવળમા શિખોને હાથે સહન કરવુ પડ્યુ અને તેમના શિખ અંગરક્ષક ની ગોળી ઍ મરવુ પડ્યુ. જય પ્રકાશ જેવા પ્રામાણિક અને ગાંધીવાદી નેતાને પડકારતા ચૂંટણી મા પરાજય ભોગવવો પડ્યો. ઈંદિરાજીના સલાહકારો નિપુણ હતા પણ ઍમની સાથીઓની પસંદગી નીચી કક્ષાની હતી જેથી તેઓ તેમને કાબૂમા રાખી શકે. તે ઉપરાંત તેમના કરતુકોનિ ફાઇલ રાખી શકે અને ઍમનુ ધ્યારુ કરાવી શકે. જાણીતા પત્રકાર અરૂણ પુરીઍ લખ્યુ છેકે ' ઈંદિરાજી મા નિર્ણય લેવાની શક્તિ છે પણ ઍમને ઍના પરિણામોનો ખ્યાલ હોતો નથી.' આવા ઍમણે ઘણા નિર્ણયો લીધા હતા.
                                         ઍમના રાજકીય નિર્ણયોમા બૅંકોનૂ રાષ્ટ્રીયકરણ, રાજાઓના સાલિયાનાની નાબુદી, દેશ પર કટોકટીની લાદણી. બૅંક ઓના રાષ્ટ્રીયકરણના વિપરીત પરિણામો દેશ ભોગવી ચૂક્યો છે. રાજાવીઓના સાલિ યાનાની રકમ ઍમણે આપેલા ભોગની સામે કઈ ન હતી જે સમય સાથે નાબૂદ થવાની હતી. ઍ ઍમનો સામન્ય માણસોના મત લેવા માટેનો તૂક્કો હતો. દેશ પર કટોકટી લાદવાનો નિર્ણય ઍમની સત્તા બચાવવા માટે હતો. ઍમ શાહ કમિશને પણ ઠેરવ્યૂ હતુ  બંગલા દેશની મુક્તિ અને પ્રથમ ઍટમ ધડાકો ઍમના પ્રસનસિય નિર્ણયો હતા.
                                          ઈંદિરાજી માટે ભ્રષ્ટાચાર  વિશ્વમય પ્રશ્ન હતો. આથી ભ્રષ્ટાચાર વધ્યો હતો. તેઓ રાજકારણમા નીતિમત્તાને મહત્વ આપતા ન હતા આથી  કટોકટી દરમિયાન' મેંટેનેન્સ ઓફ ઇંટર્નલ સેક્યૂરિટી'  કાયદા હેટળ રાજકીય નેતાઓની ધરપક્ડ ન કરવાની બાહેંન્ધારી આપી હોવા છતા જય પ્રકાશ નારયણ, મોરારજીભાઇ, અટલ બિહારી બજપાઇ અને અન્ય સેકડો નેતાઓની  ધરપકડ કરી હતી. ટૂંક મા  ડેમૉક્રેસી  સસ્પેંડ કરી નાખી હતી. ઍમના ઍ બધા કાર્યોં નો વૈશ્વિક વિરીધ થયો હતો. આખરે ઍમણે કટોકટીને હટાવવી પડી હતી અને ચૂંટણિમા પરાજય ભોગવવો પડ્યો હતો.
                                                   ==========================

Sunday, November 11, 2012


સરદાર પટેલ-જન્મ દિવસ ૩૧મી ઓક્ટોબર
===============================                          
 સરદાર લોખંડી પુરુષ હતા પરંતુ જરૂરીયાત પ્રમાણે મૃદુ રાજદ્વારી હતા.  ઍંમના મિત્રો, કાર્યકરો માટે તૅઓ ઘણા પ્રેમાળ અને લાગણીશીલ હતા. ગાંધીજી પ્રત્યે ઍમની લાગણી અને વફાદારી અપાર હતી. સ્વતંત્રતા બાદ વડા પ્રધાનની પસંદગી વખતે સરદારની કોંગ્રેસમા બહુમતી હતી પરંતુ બાપુના આદેશને માન આપી ઍમણે વડાપ્રધાન પદ નેહરુની તરફેણમા જતુ કર્યુ હતુ. ઍ ઍમના ત્યાગનો અદભૂત નમૂનો છે.
                               ઍમણે રાજાઓને લોખંડી હાથે ભારતના સંઘમા ભેળવી દીધા, પરંતુ તેઓ રાજાઓના બલિદાનની કદર કરતા હતા. ભાવનગરના સંસ્કારી રાજાની કદર કરી મદ્રાસના રાજ્યપાલ બનાવ્યા હતા. સચિનની બેગમ ને આર્થિક મદદ પોતાના પૈસે ઍક બહેન તરીકે કરી હતી. પ્રતાપસિંહ ગાયકવા ડ ની ગેરવર્તન માટે ઍને પદભ્રષ્ટ કરી નાખ્યા હતા. હૈદરાબાદનો કબજો લઈ નિજાંમને ઍમનો પરિચય આપ્યો હતો. નહેરૂ ઍમને કેબિનેટ મીટિંગમા ગુસ્સામા આવી કોમવાદી કહ્યા છતા દેશના હિતમા હૈદરાબાદના પ્રશ્નનો નિકાલ ઍક અઠવાડિયામા કરી નાખ્યો હતો પરંતુ ત્યારબાદ કદી કેબિનેટ મીટિંગમા હાજર રહ્યા ન હતા. આજ બતાવે છેકે દેશના હિત આગળ પોતાના માન સન્માનને આગળ લાવતાં નહી.  કાશ્મીરના પ્રશ્ન પર તેઓ સયુકત રાષ્ટ્રમા જવાની વિરૂધ્ધ હતા. તેમને તો પેશાવર સુધી જઈ કાશ્મીર પરના આપણા દાવાને પાકિસ્તાન પાસે તેજ વખતે કબૂલ કરાવી લેવો હતો. પરંતુ તેઓ નેહરુની જીદ્દ આગળ મજબૂર હતા. ચીનના બદ ઈરાદા વિષે ઍમણે નહેરુને ૧૯૬૨ પહેલા ચેતવણી આપી હતી. તેની
 કોઈ નોંધ લેવામા આવી ન હતી. સરદારને પગલે જો દેશ ચાલ્યો હોત તો આજે ઘણા પ્રશ્નોનો નીવડો આવી ગયો હતો. ગાંધીજી અને સરદારની મુલાકાત ગાંધીજીનુ મૃત્યુ થયુ ઍના  ૩૦મિનિટ પહેલા જ થઈ હતી જેમા સરદારે નહેરૂ સાથેના મતભેદોને લીધે સરકારમાથી  મુક્ત થવા દેવાની  ગાંધીજીને વિનંતી કરી હતી. દેશ હિત આગળ ઍમને સત્તાની પડી ન હતી.
                                 ઍમનુ જીવન તદ્દન સાદુ હતુ. તૅઓ રાજકારણમા પણ પ્રામાણિક જીવન જીવતા હતા. આથી ઍમાના મૃયૂ વખતે ઍમની પાસે ઍવી કોઈ મિલકત ન હતી. ઍમાના નામનો  ગેર ઉપયોગ કરવા બદલ તેમણે ઍમના ઍક્ના ઍક પુત્ર ડાહ્યાભાઈને પણ દૂર કર્યા હતા. ઍવા નેતા આજે ક્યા જોવા મળે છે?
                                          -----------------------------------------------

Monday, October 22, 2012









નવરાત્રિ અને દશેરો
==========
નવરાત્રિ બાદ દશેરા નો તહેવાર આવે છે. નવરાત્રિ ઍ મહા શક્તિ દેવીનો તહેવાર છે જ્યારે દશેરો  અસત્ય પર સત્યનો જયનો દિવસ છે.  તે ઉપરાંત દશેરોના  અર્થ સંસ્કૃતમાથી આવેલો દશ અને હારા ઍટલે' ખરાબ વસ્તુનો નાશ કરવાનો'. ઍટલા માટે રાવણ ના વધનો દિવસ ઍટલે દશેરાનો ઉત્સવ તરીકે ઉજવવામા આવે છે. જોકે નેપાળમા અને મૈસોરમા ઍને મા દુર્ગાના પર્વ તરીકે ઉજવવામા આવે છે.  માતા દ્વારા મહિસાસુરના વધ પરથી મૈસોર રાજ્યનુ નામ આપવામા આવેલુ હતુ.
નવરાત્રિ ઍ સ્ત્રી શક્તીનુ પણ પર્વ છૅ. નવરાત્રિમા સ્ત્રીના નવ ગુણોને પણ સમાવેશ થાય છે. સ્ત્રીઓની સહનશીલતા, પ્રેમ, ધીરજ, બલિદાન, બહાદુરી, લાગણી, સહિષ્ણુતા, નર્માસતા, અને ઍનો ક્રોધ ગમે તેવા દૃષ્ટોનો નાશ કરી શકે છે.
                                                          તે ઉપરાંત નવરાત્રીમા ઉપવાસ આત્મા સુધ્ધિ માટે કરવામા આવે છે. મૌન પણ રાખવામા આવે છે. જે માણસને આંતરિક શાંતિ અર્પે છે. અને દેવીની પૂંજાથી સ્ત્રીઑ તરફ માન અને આદર વધે છે.
નવરાત્રિ
=====
નવરાત્રિઍ નારી શક્તીનુ પર્વ   છે
નારીના ગુણોને પૂજવાનુ  પ્રતીક છે
ઍક ગુણ છે સહન શક્તિ,
તો બિજુ રુદ્ર સ્વરુપ છે
જન્મ આપી આરક્ષણ કરવુ
ઍ માતાનુ સ્વરુપ છે
બહેન બની ભૈલાને રક્ષે
ઍ પણ નિર્મળ રૂપ છે
ભાભી બની નિર્મળ  પ્રેમ વહાવે
ઍ માતા સમાન પવિત્ર જરનુ છે
સહન કરેતો ભાર ધરતી સમ સહે
રુદ્ર સ્વરૂપે ધરતીને ફાડે
ચારે ઑર આગ આગ વર્ષાવે
નવરાત્રિ ઍ નારી શક્તીનુ પર્વ છે
નારીના ગુણોને પુંજવાનુ પ્રતીક છે
ભારત દેસાઈ

Tuesday, October 16, 2012









નહેરૂ કુટુમ્બ અને ગુજરાત
===================
 નહેરૂ કુંટુંબે બારત  પર  વધારેમા વધારે રાજ કર્યુ છે. જવાહરલાલ નહેરૂથી શરૂ થયેલી ગાથા સોનિયા ગાંધીને આવી ઉભી છે. હવે રાહુલ ગાંધીની તાજપોષીની રાહ જોવાઈ રહી છે. મોતીલાલ નહેરૂ અને ગાંધીજીની રહેણી કરણી તદ્દન જુદી હતી. ભારતની સ્વતંત્રતા મેળવવાનુ  ધ્ધેય ઍક હશે. આથી બંનેનો મેળાપ રચાયો હશે.
                                                  લંડનમા શિક્ષણ પામેલા અને યૂરોપીયન ક્રાંતિથી પ્રભાવિત જવાહરલાલ નેહરુને ગાંધી વિચારધારા સાથે બહુ મેળ ન હતો. તે છ્તા સ્વતંત્રતાના જંગમા નેહરુ જોડાયા હતા. ધીમે ધીમે ઍમણે ગુજરાત સાથે નાતો મજબૂત બનાવ્યો હતો. નેહરુની ઍક બહેન વિજયાલક્ષ્મીના લગ્ન રાજકોટના પંડિત કુટુંબમા થયા તો, કૃષ્ણાના લગ્નઅમદાવાદના હટીસિંગ કુટુંબમા થયા હતા. ઈંદિરાના લગ્ન ફિરોસ ગાંધી સાથે થયા તૅઓ મૂળ ભરુચના પારસી કુટુંબના હતા. સ્વતંત્રતાની લડાઈ વખતે ગાંધીજી અને સરદાર જેવા મજબૂત ગુજરાતી સાથે નહેરુને કામ કરવુ પડ્યુ હતુ. સરદારતો નહેરુની નેતાગીરી સામે પડકાર સમાન હતા. ગાંધીજીની દરમિયાનગીરીને લીધે જ નહેરૂ વડા પ્રધાન  થઈ શક્યા હતા. ટુંકમા ૧૯૪૭ સુધી ગુજરાતના નેતાઓનુ વર્ચસ્વ હતુ. આને કારણે નહેરૂ કુટુંબને ગુજરાત સાથે  પ્રેમ અને કટૂતાનો સબંધ રહ્યો  હ્શે!
                                                 મોરારજીભાઇ સાથે નહેરુને ઘણો જ સારો સબંધ હતો પરંતુ જ્યારે ઈંદિરાજીને વડા પ્રધાન બનાવવાનો પ્રશ્ન આવ્યો ત્યારે મોરારજીભાઇઍ સીધો વિરોધ નોધાવ્યો. ઍના પરિણામ રૂપે ઍમની ગુજરાત અને મહારાષ્ટ્રની નેતાગીરીને  રફેદફે કરી નાખવામા આવી. આ રમતમા નહેરુનો ગુસ્સો ગુજરાત પ્રત્યે વધ્યો હતો કારણકે ઍમની નેતાગિરીને સીધો પડકાર હતો. નહેરૂ કુટુંબની નારાજગીને લીધે મોરારજીભાઈને વડા પ્રધાન થતા ૧૫વર્ષ લાગ્યા હતા.
                                                    ગુજરાત આમ પણ આર્થિક સામાજીક અને બૌધ્ધિક રીતે પણ સમૃધ્ધછે. નર્મદા યોજના  ગુજરાતની સમૃધ્ધિને ચાર ચાંદ લગાવી દેશે ઍ ઈર્ષામા ઘણા રાજ્યો ઍ પણ ઍના પર અવરોધો ઉભા કર્યા છે. હવે ગુજરાતના મુખ્ય પ્રધાન  નરેન્દ્રા મોદી ઍ પરોક્ષ રીતે વડા પ્રધાન માટે ઉમેદવારી નોધાવી છે આથી બળતાં મા ઘી હોમાયુ છે. નેહરુ કુટુમ્બ ઍનાથિ પણ નારાજ હોય તો નવાઈ નહી.
                                                           *******************