Saturday, October 10, 2020



 મૂત્ર ચિકિત્સા 

                                                                 ઘણા લોકોને મૂત્ર ચિકિત્સા વિષે અણગમો  હોય છે કારણ કે મૂત્રમાંથી  આવતી વાસ , એનો સ્વાદ અને રંગ પણ વિચિત્ર હોય છે. પરંતુ કુદરતની કમાલ એવી છેકે  ખરાબ સ્વાદવાળી વસ્તુઓમાં એવા ગુણો ભરી દીધા હોય છે  કે માનવીને કમને પણ  એને આશરે જવું પડે છે.   જેમકે લીમડો, કારેલા, મેથી , જેવી વસ્તુઓ એટલી કડવી હોય છે છતાં  ઘણા રોગોમાં એનો ઉપાય અકસીર  હોય છે.  તેમ મૂત્ર પ્રત્યે સુઘ  હોવા છતાં ઘણા એનો ઉપયોગ કરવા લાગ્યા છે. અને એ  ઘણા રોગો પર અકસીર બની રહ્યું છે. 

                         થોડા વખત પહેલા જ જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે વિદેશી ચેનલની મુલાકાતમાં જણાવ્યું હતુંકે તેઓની તંદુરસ્તીનું  કારણ તેમનું નિયમત ગૌ મુત્રનું સેવન છે. આજ પ્રમાણે એક વાર પરદેશ પ્રવાસ દરમિયાન એક અમેરિકન  ટીવી ચેનલને  પૃર્વ વડાપ્રધાન , મોરારજી દેસાઈએ  એમની તંદુરસ્તીનું રહસ્ય   એમનું સ્વમુત્રનું  સેવનને આભારી છે એમ જણાવ્યું હતું.  ટીવી એન્કરે એમને પૂછ્યું 'તમને એનું સેવન કરવાથી ખરાબ કે ગંદુ  લાગતું  નથી ?   હું તો મારું પોતાનું મૂત્ર પીવું છું પરંતુ કેટલાક  લોકોતો જાહેરબાથરૂમમાંથીલીધેલા મુત્રમાથી બનેલી દવાઓ લેછે. એમણે કેટલીયે દવાના નામો ત્યાંને ત્યાંજ આપ્યા. અને પેલા  ટીવી  એન્કરની બોલતી બંધ થઇ ગઈ . જાપાનમાં જાહેર મુતરડીમાંથી મેળવેલા મૂત્રમાંથી  જીવ બચાવે એવા ઈન્જેકશન બનાવવામાં આવે છે. એના નામો છે જેવાકે યુરોફાઈનેંસ પ્રોફાસી , એન્ટિનિઓ પ્લાસ્ટીન   પ્રાગાનીલ.  એમાંની છેલ્લી  દવાનો ઉપયોગ લોહીના ઘટટાને પીગળાવવામાં  મદદરૂપ થાય છે.  મુત્રમા  શરીર ઉપયોગી બહુ  મૂલ્યવાન તત્વોઓ હોય છે જેવાકે વિટામિન , ક્ષાર , લોહતત્વ , પ્રોટીન , એન્જાઈમ , હોર્મોન્સ વગેરે વગેરે .

                                               સ્વમૂત્રની બાબતમાં એના ગુણો વિષે હિન્દૂ  પ્રાચીન ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  ખ્રિસ્તી   પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ છે કે ' તારા શરીરમાંથી નીકળતા પાણીનું પાન કર ' યુરોપ , જાપાન, ઓસ્ટ્રેલિયા , ચીન , ઇંગ્લેન્ડ , અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાં પણ સ્વમૂત્ર ચિકિત્સા  પ્રચલિત છે.

                                                 સ્વમૂત્ર ચિકિત્સામાં  પણ અમુક નિયમોં છે. જેમ કે વહેલી સવારના પહેલા મૂત્રનો આગળ અને પાછલો ભાગ છોડીને બાકીના મૂત્રનો જ ઉપયોગ કરવાનો હોય છે.સ્વમૂત્ર ચિકિત્સાનો ઉપયોગ  આંખ , કાંન ,  દાંત , નાક, ગળું, ,વાળ  અને ચામડીના રોગોની  માવજત માટે પણ કરવામાં આવે છે. અગત્યની વાતતો એ છેકે એ ચિકિત્સા પદ્ધતિનો ગરીબ અને ધનવાન અને બધા  વર્ગ  કરી શકે છે. 

                                                       *************************  

                          

                                                      


Saturday, October 3, 2020



ચીની ચાલ 

                                                                                       ચીન આજે દુનિયામાં એકદમ અળખામણું બની ચૂક્યું છે એના ગણા વજૂદ કારણો છે.એકતો કોરોના વાયરસને જન્મ આપ્યો અને એના વિશેની બધી વિગતો લાંબા વખત સુધી છુપાવી. તથા  દુનિયામાં એનો ફેલાવો  થવા  દીધો. ચીન પર  એવો પણ આરોપ છેકે  કોરોના વાયરસની ઉત્તપતિ  ચીનની રાસાયણિક લેબમાંજ થયો અને ત્યાંથી જ એ લીક થઈને આખી દુનિયામાં પ્રસરી ગયો. આજે કોરોના વાયરસે   આખી દુનિયાની અર્થવ્યવસ્થા ખેરવી નાખી એના માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવે છે . એની પાછળ પણ ચીનની વિશ્વિક સર્વોપરિતા મેળવવાની ચાલ ગણવામાં આવે છે. 

                                              ચીનની ચાલબાજી એકજ ક્ષેત્રમાં નથી.  હોંગકોંગ અમારું છે એમ કહી બ્રિટનને ખોટા વચનો આપી પડાવી લીધું . તાઇવાન પણ અમારું છે એમ કહી ધિકતીધરા હજુ ચાલુ છે. એટલુંજ નહીં પણ  આજુબાજુના બધાજ  દેશોની જમીનો પર ચીનની નજર છે અને તક મળે એટલે તેમની જમીનો પચાવી પાડવાની તૈયારીમાં છે.  ભારત સાથે એને  લડાખ, સિયાચીન , અરુણાચલ પ્રદેશ , નાની મોટી કેટલીયે જગાઓ માટે ૩૪૮૮ કિલોમીટરની સરહદ પર ઝગડો છે. કીર્ગીસ્થાનના કેટલાક પ્રદેશો પર પણ ચીનનો દાવો છે. કીર્ગીસ્થાને તો એની  ચીનની સાથેની  સરહદો સીલ કરીદીધી છે.  તજિકિસ્થાને ૫૦ કિલોમીટર જેટલી જમીન ચીનને આપી દીધી છે તો પણ ચીનને હજુસંતોષ નથી . ચીનને  અફઘાનિસ્તાન સાથે પણ સરહદી ઝગડો છે. નેપાળની પણ કેટલીક જમીન ચીને પચાવી પાડી છે. એજ પ્રમાણે ભૂતાન, અને મ્યાનમાર સાથે પણ સરહદી ઝગડો છે.

                                             ચીન દક્ષિણ ચીની સમુદ્ર પણ પોતાનો માને છે. દક્ષિણ સમુદ્રમાં  આવેલા કેટલાએ ટાપુ પર ચીને દાવા ઠોક્યાં છે. આથી ચીનને  મલેશિયા , સિંગાપોર ,લાઓસ, વિયેતનામ ફિલિપાઇન, બ્રુનોઇ , ઇન્ડોનેશિયા  અને સાઉથ કોરિયા જેવા દેશો સાથે પણ  ઘર્ષણ શરુ થયું છે.રશિયા અને મોંગોલિયા સાથે પણ ચીનના સરહદી ઝગડાઓ છે. 

                                           ચીન  ગરીબ અને નબળા દેશોને  ધિરાણ કરી એમને ફસાવે છે. અને પછી એમના કુદરતી સાધનો અને જમીનો પર કબજો જમાવી ત્યાં પોતાના થાણા બનાવી એમને ગુલામ બનાવી દે છે. આ પણ ચીનની એક ચાલ છે.

                                                આવી વિસ્તારવાદી નીતિને  હવે અમેરિકા , ઓસ્ટ્રેલિયા , જાપાન, સાઉથ કોરિયા , બ્રિટન અને યુરોપના દેશો ઓળખી ગયા છે. એમાં એમને ચીનની વિશ્વ સત્તા બનવાની ગંધ આવેછે. તેમાં કોરોના વાયરસે આગમાં  પેટ્રોલ નાખવા જેવી પરિસ્થિતિ  ઉભી કરીછે. એમાંથી વિશ્વ યુદ્ધનો ભડકો થવાની પણ શક્યતા છે. મૂળમાં તો ચીનની દરેક ક્ષેત્રમાં  વધી રહેલી ચાલબાજી  જ જવાબદાર છે. એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ચીનને કોની સાથે  ઝગડો નથી ?

                                    ****************************************  

Monday, September 14, 2020



અબળા શક્તિ 

                                                                           આજે સ્ત્રીઓને અબળા માની એનો ઉદ્ધાર કરવા માટે  કેટલાક લોકો એક આંદોલન ચલાવી રહયા છે. મૂળમાં તો સ્ત્રીઓમાં આંતરિક શક્તિ એટલી છેકે તે પુરુષોને પાછળ પાડી શકે છે. ફક્ત એને રૂઢિચુસ્ત  અને હોશિયાર લોકોએ  ધાર્મિક, સામાજિક અને કુટુંબિક  કારણો દ્વારા દબાવી રાખી છે. લોકશાહીના જમાનામાં સ્ત્રીઓના મતોની પણ ઘણી શક્તિ છે એથી એમનો  અને એમની લાગણીઓને રાજકીય દ્રષ્ટિએ ઉપયોગ કરી કરવામાં આવે છે.  પરંતુ જ્યાં જ્યા સ્ત્રીઓને તક મળી છે ત્યાં તેમણે એમની શક્તિ બતાવી દીધી છે. સ્ત્રીઓએ  હવે  રાજકારણ , કળા અને સંસ્ક્રુતિના ક્ષેત્રમાં , અને સમાજમાં ઉચ્ચ સ્થાનો મેળવી ચુકી છે .



                                         માર્ગરેટ થેચર બ્રિટનના બહુજ મજબૂત વડા પ્રધાન ગણાયા  છે. એમણે ભલભલા પુરુષ રાજપુરુષોને મહાત કર્યા હતા . એમનું માનવું હતું કે ' પુરુષો બોલવામાં  હોશિયાર  હોય છે. પણ કામને જલદી અને સારી રીતે  પૂરું કરાવવું હોય તો એ સ્ત્રીઓ દ્વારાજ સારી રીતે થઇ શકે.' એમાં એમણે સ્ત્રી શક્તિને બિરદાવી છે.



                                           જાણીતી હોલિવુડ  અભિનેત્રી  ઔડ્રી  હેપ્બર્ન તો માનતી હતી કે આ જગતમાં કોઈ પણ ચીજ  હાસિલ કરવી અશક્ય નથી કારણકે  ઇમ્પોસિબલ શબ્દ જ કહે છે કે (આઈ એમ પોસિબલ ) ' એટલેકે દરેક વસ્તુ શક્ય છે. આજ  અભિનેત્રીની શક્તિનો અને આત્મા વિશ્વાસનો   પરિચય  આપે છે .



                                            એલીના રૂઝવેલ્ટ  અમેરિકન પ્રેસિડેન્ટ  રૂઝવેલ્ટના પત્ની હતા પરંતુ તેમના સામાજિક કાર્ય માટે આખા અમેરિકામાં બહુજ પ્રસિદ્ધ  હતા . તેઓ પ્રેસિડેન્ટને માટે એક પ્રેરણા  હતા. તેમણે સ્ત્રી શક્તિને બિરદાવતા લખ્યું કે ' સ્ત્રી એ એક ચાની બેગ જેવી છે. એ કેટલી કડક છે એ ત્યાં સુધી ખબર ન પડે જ્યા સુધી એ ગરમ પાણીમાં ન મુકવામાં આવે . એટલેકે સ્ત્રીની  શક્તિ  ખરાબ સમયમાં ખબર પડે છે. 

                                             કેટલીક સ્ત્રીઓ બિન્દાસ હોય છે એજ એમની સફળતાનું રહસ્ય હોય છે.  એમાં અભિનેત્રી  કેથેરીન હેપ્બર્નનું  એક કથન યાદ રાખવા જેવું છે ' એ કહે છેકે  'તમે બધા  નિયમો પ્રમાણે ચાલો તો પછી જીવનમાં કોઈ  આનંદ જેવું શું રહે ?. આવી જલદ વિચારશરણીમાં એને સફળતા અને આનંદની ચાવી દેખાય છે.આ વિચારમાં દુર્ગા ની શક્તિનો આભાસ થાય છે.  સ્ત્રીની દુર્ગા શક્તિ ઘણીવાર વિનાશક બનેલી આપણે નિહાળી છે .

                                                બીજી એક અભિનેત્રી બેટ્ટી  ડેવિસ તો જીવનમાં અશક્ય વસ્તુ કરવામાં માને છે જેથી  પોતાના કામને આગળ વધારી શકાય.



                                                  સ્ત્રીઓમાં નિર્ણય શક્તિ અદભુત હોય છે  એનો દાખલો રાણી લક્ષ્મીબાઈનો છે. એણે નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં એનું રાજ બ્રિટિશોના હાથમાં નહિ જવા દે અને અંગ્રેજોને એ ભારે પડી ગયા. ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને ચોખ્ખું કહી દીધું હતું કે 'મહાભારતના મહાસંહાર માટે એનો પ્રતિશોધ જવાબદાર હતો.' આજ સ્ત્રી શક્તિનો એક અજોડ દાખલો છે.

                                                   આથી સ્ત્રી શક્તિને  ઉપ્પર લાવવા કરતા એમને  પૂરતી સ્વાતંત્રતા અને સમાનતા નિખાલસ  દિલે પુરુષોએ સ્ત્રીને  આપવાની જરૂરત છે. એમનામાં શક્તિ આપવાના આંદોલનો ચલાવવાની કોઈ જરૂરિયાત  નથી. 

                                                       *********************************        

                                    

                                     

Friday, September 11, 2020

 


ગાંધીજીનો તદ્દન સામાન્ય અને સાદો આહાર

                                                                          ગાંધીજીનું જીવન ખુલ્લી બુક જેવું હતું . તેઓ તદ્દન સાદું જીવન ભારતના ગરીબ લોકોને અનુરૂપ હતું. તેઓનો પહેરવેશ અને હાવભાવ  સામાન્ય માનવી જેવું જ હતું. તેઓ ધાર્મિક હતા અને કહેતાકે હું દ્રરિદ્ર નારાયણમાં પરમાત્માના દર્શન કરું છું.  એથી એમના સાદા જીવન જેવું એમનો આહાર પણ સાંમાન્ય લોકો જેવો હતો.

                                                                              ગાંધીજી શાકાહારી અને ઘણુંખરું   કાચું  તથા  રાંધ્યા વગરનો આહાર પસંદ કરતા . સવારસાંજ  લીંબુનો રસ મધની  સાથે લેતા . તેઓ ફણગારેલાં ઘઉંને આહારમાં પસંદ કરતા . દરરોજ  ૨૨૦ એમ એલ  બકરીનું દૂધ પસંદ કરતા.  ઘણીવાર  તેઓ ગાયનું દૂધ કે  નાળિયેરનું દૂધ  પણ પી લેતા. 



                                                                             દરરોજ ૨૦૦ ગ્રામ ઘી નો પણ ઉપયોગ  કરતા.  એમના આહારમાં ૨૩૦ ગ્રામ  તાજા ફળોનો અને કઠોરનો  પણ ઉપયોગ કરતા .  તે ઉપરાંત લસણ પણ એમના આહારનો એક ભાગ હતો. સૂકો મેવો કદી કદી એમના આહારમાં  માર્યાદિત પ્રમાણમાં જ ઉપયોગ કરાતો .

                                                                                  તે ઉપરાંત દરરોજ શારીરિક કસરતો એમના જીવનનું અંગ  હતું. 

                                                                                સાદું ભોજન અને સાદું જીવન શરીરને  વધારાની ઉર્જા આપે છે તે એમની જીવન શૈલી પરથી સિદ્ધ થાય છે. ગાંધીજીનું સાદું અને સાધુમય જીવન ભારતવાસીઓ  માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ બની ગયું હતું . આથી ભારતની પ્રજા એમને સંતની જેમ આદર કરતી હતી. 

                                                      **********************************

 

Friday, September 4, 2020

 


હોલિવૂડ  અને બોલિવૂડ 

                                                                                           હોલિવૂડમાં  'મી ટૂ' નું જે આંદોલન શરુથયું એમાં મોટા મોટા માથાઓ વધારાઈ ગયા. એમાં રેપ ,પ્રતિબંધ દવાઓનો, અને  સેક્સુઅલ  હુમલાઓના પણ ગુનાઓ આગળ આવ્યા હતા.  એમાં હોલિવૂડના મોટા દિગ્દર્શકો , અભિનેતાઓ અને હાસ્યકલાકારો પણ  સંડોવાયેલા હતા . એવીજ હાલત હવે બોલિવૂડની અભિનેતા  સુશાંતસિંહની આત્મહત્યા બાદ ઉભી થઇ છે.



                                                                     હોલિવૂડમાં જાણીતા  ડિરેક્ટર હાર્વે વેઇનસ્ટીન પર પણ સેક્સુઅલ  હેરાનગતિ કરવાના અને બળાત્કારના  કેસોનો સામનો કરવો પડ્યો હતો અને સજાઓ પણ સહન કરવી પડી હતી . જાણીતા હાસ્યકાર અભિનેતા અને પિતાતુલ્ય અભિનેતા બિલ કેસબીની ઉપ્પર પણ બળાત્કાર  અને  સેક્સુઅલ હુમલા જેવા આરોપો લાગ્યા. એમને પણ જેલની હવા ખાવી પડી રહી છે. આવા ઘણા દાખલાઓ હોલિવૂડમાં છે પરંતુ આતો દાખલાઓ તરીકે રજુ કર્યા છે. ટૂંકમાં હોલિવૂડમાં ડ્રગ , બળાત્કાર , અને સેક્સને લાગતા અનેક ગુનાઓ જોવા માટે છે .



                                                                    ' મી ટુ' ના દાખલાઓ બોલિવૂડમાં પણ આવ્યા હતા  જેમાં દાખલા તરીકે ડિરેક્ટર સજજિદખાન , નાના પાટેકર સામે પણ અભિનેત્રીઓએ  સેક્સુઅલ હેરાનગતિના આરોપો લગાવ્યા હતા . આતો  બહાર આવેલા થોડા  કેસોમાના થોડા છે, એટલેકે બરફની જેમ ૧/3  બહાર આવેલા છે બાકીના અંદર ઢંકાયેલા રહેલા પણ હોય  શકે . એક વાતતો બહાર આવતી જાયછે કે હોલિવુડની જેમ બોલિવૂડમાં પણ સેક્સ , ડ્રગ, અને બળાત્કાર જેવી બદીઓ ફેલાયેલી છે.



                                                                     અભિનેતા સુશાંતસિંહ રાજપૂતઅનેઅભિનેત્રી રિયા ચક્રવર્તી ના મામલામાં જેમ  જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ બોલિવૂડની ડ્રગ અને સેક્સની કહાનીઓ આગળ આવતી જાય છે. એમાં કેટલાએ અભિનતા અને દિગ્દર્શકઓ આવી જશે એનો અંદાજ હજુ આવી રહ્યો નથી . પણ એક વાત ચોક્કસ છે કે ચલચિત્રના ક્ષેત્રમાં  ગ્લેમર અને  સ્વર્ગી સમૃદ્ધિના વહેણની સાથે ડ્રગ અને સેક્સ રમતનું વહેણ પણ વહી રહ્યું છે.  શહેરમાં સારી હવા માટે ગટ્ટરને સાફ કરવી જરૂરી છે. તેમ ફિલ્મ  કળાના ક્ષેત્રમાંથી  ડ્રગ અને સેક્સ જેવી ગંદકીને સાફ કરવી જરૂરી છે.

                                          ***********************************     

Sunday, August 16, 2020


 સફળ જીવન  

                                                                       દરેક પોતાના જીવનમાં સફળતા અને નિસ્ફળતા વિષે વિચારતા હોય છે પરંતુ એકને માટે સફળતા એ કોઈક બીજા માટે નિસ્ફળતા બની રહે છે એટલા માટે સફળતા માટે કોઈ એવો કોઈ માપદંડ હોવો જોઈએ જે સામાન્ય  લોકોને સ્વીકાર હોય. અમુક બાબતોને ધ્યાન રાખી માનવીના જીવનને મૂલવી  શકાય છે.

                            જેમ કે માનવીના જન્મ બાદ એકવર્ષમાં જો એ ચાલવાનું શીખી લીધું હોય તે સારી વાત કહેવાય. બાળકો લાંબી ઉંમર સુધી એના પેન્ટમાં જ પીસાબ કરી નાખતા હોય છે પરંતુ જો કોઈ પણ બાળકને  ૪ વર્ષની ઉંમરમાં એ પ્રકિયા પર અંકુશ આવી જાય તો એ એની એક સફળતા સમજી શકાય છે. કેટલાયે  બાળકો ઘરની  બહાર જાય પછી એના ઘરે  પાછા આવવા માટે ફાંફાં  મારવા પડે છે. ૮ વર્ષે એટલી આવડત આવી જાય તો બાળકની એ સફળતા ગણવી જોઈએ .


                              બાળ અવસ્થામાં ૧૨ વર્ષની કિશોરે ઉંમરે મિત્રો બનાવવાની કળા સફળતા માટે આવશ્યક છે અને ૧૮ વર્ષની ઉંમરે મોટર કાર ચલાવતા આવડવું જોઈએ અને એનું લાઇસન્સ પણ મેળવી લેવું જોઈએ .      

                                    ૨૩ વર્ષની ઉંમરે  સ્નાતક થઇ  અને ૨૫ વર્ષની ઉંમરે જો કોઈ કમાવા માંડે તો એ  એ સફળ જીવનની નિશાની છે.  ૩૦ વર્ષની ઉંમરે જો કોઈ કુટુમ્બીક માણસ ન બને તો એ સારી નિશાની નથી . જીવનના સંગર્ષમાં ૪૫  વર્ષેની વયે પણ તમે યુવાન જ દેખાવા જોઈએ. તમારા પુત્રો અને પુત્રીઓ 50 વર્ષની વયે સારું શિક્ષણ લેતા હોવા જોઈએ . તમારી ફરજો  પણ તમે  ૫૫ વર્ષે સારી રીતે બજાવવી જોઈએ. 

                                     ૬૦વર્ષે તમે કાર ચલાવતા હો  અને ૬૫ વર્ષે કોઈ પણ રોગના ભોગ ન બન્યા હોય તો એજીવન માટે સારી નિશાની છે.  ૭૦ વર્ષે તમે કોઈના પર બોજા  રૂપ નહિ બનો, અને ૭૫  વર્ષે પણ મિત્રો સાથે આનંદ પ્રમોદ કરતા હોવું એ એક સફળ જીવનની નિશાની છે. 

                                        વધારે આનંદ જનક અને સુખદાયી ઘટના તો એ છે કે તમે ૮૦ વર્ષે પણ ઘર ભૂલ્યા સિવાય પાછા ફરી શકો છો . ૯૦ વર્ષની ઉંમરે તમેજો તમારી બધી જ ઇન્દ્રિયો પર કાબુ રાખી શકો અને જો કોઈની પણ મદદ વગર ચાલી શકો તો એ ખરેખર સફળ જીવનની નિશાની છે.

                               સામાન્ય માણસ માટે સફળ જીવનની એ બધી  નિશાનીઓ છે. 

                                            ***********************************          

Wednesday, August 12, 2020

 

અભિનેતા સુશાંતસિંગ  રાજપૂતની આત્મહત્યા 

                                               અભિનેતા સુશાંતસિંગના  મૃત્યુની કહાની આજે ભારતમાં બહુજ  ચર્ચાસ્પદ વાત બની ગઈ છે.  એક બીજો  પ્રશ્નતો એની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી સાથેના સબંધો અને એમાંથી ઉદ્ભવતા કેટલાક પ્રશ્નોએ  તરખાટ મચાવી દીધો છે. લગ્નસંબંધો સિવાય બંનેની સમજૂતી પ્રમાણે સાથે રહેવાની પ્રથા જેને ઇંગ્લીશમાં ' લિવિંગ ઈન રિલેશનશિપની' પ્રથા પણ ચર્ચામાં આવી ચુકી છે. આજકાલ આ પ્રથા આધુનિક યુગમાં બહુજ પ્રચલિત બની ચુકી છે. પહેલા તો પશ્ચિમ સંસ્કૃતિમાં આવી અને હવે એ પ્રથા ભારત જેવા  દેશમાં પણ પ્રચલિત થવા માંડી છે.  એમાં લગ્નના બંધન સિવાય કોઈજાતની જવાબદારી વગર એકબીજાની મરજીથી બિન્દાસ જીવવાની છૂટ સમાન બની રહે છે. 

                                                સુશાંતસિંઘના  મૃત્યુ બાદ  આક્ષેપબાજીઓ  ચાલી  રહી છે. એમાં એનું મૃત્યુ આપઘાત છેકે પછી એનું ખૂન થયું છે? એવી વાતો પણ ચાલી રહી છે. સુશાંતસિંહ ના સબંધીઓ અને એના પિતાના કહેવા પ્રમાણે એની મિત્ર રીયા ચક્રવર્તીએ  સુશાંતસિંઘના  પૈસા વગે કરી દીધા હતા અને એને એના સગા સબંધીઓથી એને  દૂર કરી દીધો હતો. એનાથી સુશાંતસિંઘને  આપઘાત કરવા પ્રેયરાઓ  હતો. એના  માટે સુશાંતસિંઘના પિતાએ કેશ પણ નોંધાવ્યો છે .  એ બાબતો અત્યારે પોલીસે તપાસ નીચે છે.

                                                આ બધી બાબતોમાંથી  ' લિવિંગ ઈન રિલેશનશિપ ' પ્રથા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. એ પ્રથામાં સ્ત્રી અને  પુરુષ બંન્ને ઘણુંખરું પુખ્ત વયના હોયછે . એથી એમાં લાગણીમાં તણાયા સિવાય બંન્ને બાજુએ પોતપોતાની   માનસિક અને નાણાકીય  બાબતો પર અંકુશ રાખવો જરૂરી છે  નહિ તો એના ગંભીર પરિણામો આવી શકે છે.  સુશાંતસિંઘનો મામલો એનો સચોટ દાખલો છે. જરૂરી એવો કાયદો પણ એ બાબતમાં લાવવો જરૂરી છે  જેનાથી આજની  અને ભવિષ્યની  પેઢીને રક્ષણ મળી શકે.  આજની આર્થિક  અને સામાજિક પરિસ્થિતિ  આવા વધુને વધુ મામલાઓ ઉભા થવાની શક્યતા વધારી દે છે.

                                                       ******************************