Sunday, January 12, 2025



પોતાનામાં વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ 

                                                        માનવી  જે પળે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે એ પળથી એની શારીરિક અને  માનસિક પડતી શરુ થઇ જાય છે. આત્મવિશ્વાસ  ગુમાવવાથી  માણસમાં એક ડર દાખલ થઇ જાય છે કે જીવનમાં એ કઈ પણ કરી શકશે નહિ.  અને ડર એ દુનિયામાં માનવીઓ માટે મોટો દુશ્મન બની રહે છે. વિશ્વમાં ડરને કારણે   જ મોટા દુષણો પોષાય રહ્યા છે. ટૂંકમાં આત્મવિશ્વાસ રહિત મનુષ્યોને ધનવાન અને સત્તાવાન લોકો શોષણ કરતા રહ્યા છે. 

                                                       આત્મવિશ્વાસ ધરાવનાર લોકો માટે આ જગતમાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. વિશ્વના ધનિક સાહસીક એલન  મસ્ક માટે કહેવાય છેકે એને આદત છે કે એ એવી વસ્તુઓ પર કામ કરે છે કે બીજા એને અશક્ય  વસ્તુ સમજે છે.  આથી જેનામાં મજબૂત ઇચ્છાશક્તિ હોય છે એજ સાહસિક બને છે. 

                                                       અબ્રાહમ લિંકન એ અમેરિકામાંથી રંગભેદ નાબૂદ કરવાનું બીડું ઝડપ્યુ જે વખતમાં અમેરિકામાં  અશક્ય હતું . દક્ષિણ અમેરિકાના રાજ્યોમાં એની સામે સખત વિરિદ્ધ હતો કારણકે એમની માન્યતા અને આર્થિક કારણો પણ જવાબદાર હતા . માઈલો અને માઈલો સુધી પથરાયેલા ખેતરોમાં ગોરાઓ કાળા આફ્રિકનોનું ગુલામ બનાવી શોષણ કરતા હતા. એમના માટે એ ગુલામોને છુટા કરવા એ એક મોટું નુકશાન હતું. દક્ષિણના રાજ્યો મધ્યસ્થ સરકારની સામે થઇ ગયા હતા. અમેરિકાના અસ્થિત્વનો સવાલ હતો. પરંતુ લિંકનમાં આત્મવિશ્વાસ હતો અને એમણે આંતર યુદ્ધના ભોગે પણ પણ ગુલામી પ્રથા નાબૂદ કરી. તે જમાનામાં ગુલામી પ્રથા નાબૂદ કરાવી મુશ્કેલ પ્રશ્ન હતો . આજ બતાવે છેકે માણસે પોતાની શક્તિને ઓછી ન આંકવી જોઈએ  પરંતુ એના માટે આત્મવિશ્વાસની  જરૂર હોય છે.

                                                    શિવાજીએ  અતિ બળવાન મોગલ સલ્તનત સામે યુદ્ધ આદર્યું  તેના માટે તેમનો સંકલ્પ  જવાબદાર હતો . એમણે અશક્યને એમના આત્મવિશ્વાસ દ્વારા જ  સિદ્ધ કરીને બતાવ્યું હતું. ઘણીવાર આત્મવિસ્વાસ  માનવીના શારીરિક શક્તિ કરતા પ્રબળ માનસિક શક્તિ પર આધારિત હોય છે.

                                                    ગાંધીજીને અહિંસા પર પૂર્ણ  વિશ્વાસ હતો સાથે એમનો આત્મવિશ્વાસ હતો કે તેઓ એના વડે જ ભારતને આઝાદી અપાવશે  જયારે ક્રાંતિકારીઓ , ઉગ્રવાદીઓ અને સામ્યવાદીઓને એમાં બહુ વિશ્વાસ ન હતો . તે છતાં ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી એમ બહુમત લોકો માને છે.  હું મારા ઉદ્દેશને સિદ્ધ કરી બતાવીશ  એમ માનવું એ  એક આત્મવિશ્વાસનો ઉત્તમ નમૂનો છે. 

                                                     આમ આત્મ વિશ્વાસ એક એવો વિચાર આપે છેકે એવી કોઈ પણ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય કારણકે ઉકેલ તમે ધારો એના કરતા સરળ હોય છે. અશક્ય પણ પ્રયત્નો દ્વારાજ શક્ય બની શકે છે.

                                         **********************************   

                                                       

                 

Monday, January 6, 2025

 


માં તે માં બીજા વગડાના  વા 

                                                       માં જેવો નિશ્વાર્થ પ્રેમ અને સંતાનો પ્રત્યેનું બલિદાન અજોડ હોય છે. માં ની  જગ્યા  દુનિયામાં કોઈ લઇ શકે નહિ . એટલામાટે કહેવાય છે કે કોઈની માતા  મૃત્યુને ભેટવી ન  જોઈએ.  મનુષ્યને શાંતિ  અને હૂંફ જોઈતી હોય તે માના ખોળામાં જ મળે છે. દુનિયામાં એક એવો માનવી બતાવો કે જે એની માતાને પ્રેમ ન કરતો હોય? માં પ્રેમ , બલિદાનની અને કરુણતાની સાક્ષાત મૂર્તિ હોય છે.લોકો ઈશ્વરની શોધમાં  ભટકતા હોય છે પરંતુ ઈશ્વર તો માની ગોદમાં જ જોવા મળે છે. 



                                                      વિશ્વમાં કોઈ પણ મહાન વ્યક્તિની આત્મકથા વાંચશો તો એમાં એના માના એના જીવનમાં કેટલું પ્રદાન હતું  એ જાણવા મળશે . અબ્રાહમ લિંકન , મહાત્મા ગાંધી , શિવાજી વગેરે ઘણી ઇતિહાસિક  મહાન વ્યક્તિઓના જીવનમાં એમની માતાનું અદભુત પ્રદાન હતું . શિવાજીની માતા જીજીબાઈનું હાલરડું પ્રેરણાત્મક  અને મધુર છે જે આજે પણ પ્રચલિત છે.  અમેરિકાના  પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને કહ્યું છે કે એની માતાનો એના જીવનના ઘડતરમાં મહત્વનો ફાળો હતોકારણકે એના દારૂ જેવી બદીઓથી ઘેરાયેલા હતા.ઘણા  મોટી વ્યક્તિઓ સારા કામો માટે હંમેશા માં આશીર્વાદ લેતા રહેતા હોય છે.



                                                     ભગવાન શ્રી કૃષ્ણ  એમના શિશુકાળમાં વ્રજમાં એમની માતા જશોદા જે જમીન પરથી પસાર થતા તેની ધૂળ ચાટતા રહેતા એમ કહેવાય છે. કૃષ્ણ મથુરા છોડી સોનાની દ્વારકા બનાવી ત્યાં રહેતા હતા ત્યારે પણ માં યશોદાની યાદમાં ઝૂરતા રહેતા. એમના ભીના ઓશિકાઓ જોઈને એમની રાણીઓ સમજી જતીકે રાતભર કલાકો સુધી  એમની માની યાદમાં કેટલાએ આશુંઓ વહાવ્યા હશે. માની વિરહ બાદ વર્ષો પછી માં જશોદાને દ્વારકામાં મળ્યા ત્યારે માના  ખોળામાં સૂઈને આંસુઓનો વરસાદ વર્ષાવ્યો હતો. આજ બતાવે  છેકે માનો પ્રેમ કેવો હોય છે .



                                                  સંતાનો ગમે તેટલા મોટા થઇ જાય પરંતુ માના પ્રેમમાં રતિભાર પણ ફર્ક પડતો નથી સંતાનને જો ઠોકર વાગે તો એની પીડા માને થતી હોય છે. આવો અદભુત હોય છે માનો પ્રેમ. સારા અને ખરાબ બંને જાતના સંતાનો માટે માનો પ્રેમ હંમેશા સરખો રહે છે એજ એની મહાનતા છે. મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરિલાલે એકવાર ભરી સભામાં એમની માતા કસ્તુરબાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા  હતા અને ગાંધીજી ની અવગણના કરી હતી અને કહ્યું હતું ' મારા પિતા  મહાત્મા બન્યા પણ તે  મારી માતાના બલિદાનને આભારી છે. '



                                               આ પણ માતૃ પ્રેમનો એક અદભુત નમૂનો છે. કસ્તુરબાને પણ એના બાગી પુત્ર તરફ પણ એટલોજ પ્રેમ હતો.  માનો પ્રેમ બધાજ સંતાનો પ્રત્યે સરખોજ પ્રેમ હોય છે એનો આ ઉત્તમ દાખલો છે.

                                               ****************************************

 

Friday, December 13, 2024

 


શીખવાની કળા

                                     દુનિયામાં નવું નવું શીખવું અને કેવી રીતે શીખવું એ પણ એક આવડતનો સવાલ છે. ઘણા લોકો માને છેકે એમને બધું જ ખબર છે. પરંતુ એ એમની મુર્ખામી છે. કારણકે મનુષ્યે જીવે ત્યાં સુધી શીખતાં રહે એમાંજ એમની સફળતાની ચાવી રહેલી હોય છે. એનું કારણ ઝડપથી દુનિયા બદલાઈ રહી  છે અને નવી વસ્તુઓ આવી રહી છે અને એના વિષે જાણવું , સમજવું  અને શીખવાનું આવશ્યક છે. મનુષ્યના મરણ તક એ પક્રિયા ચાલુ જ રહેવાની છે.

                                નવું જાણવાની પણ એક આવડત છે. જેમકે   તમે જુદી જુદા ચિત્રો કે ફોટાઓ દ્વારા ઘણું જાણવાનું મળે છે.  આજ કાલ ઈન્ટરનેટ પર જાતજાતના વિડિઓ , ઘણી માહિતીઓ સાથે ફરતા થયા એમાં ભરપૂર નવી માહિતીઓ મળી રહે છે . એમાંથી કઈ માહિતીનો ઉપયોગ કરવો એ  આપણા પર આધાર રાખે છે .

                                 તમે પુસ્તકો દ્વારા  વાંચીનેકે પછી  લખીને પણ  નવીન વસ્તુઓ વિષે જાણી શકો છો. લખવા માટે વાંચવું  અને એમાંથી માહિતી મેળવવાની  જરૂરિયાત પડે છે .

                                 જીવનમાં થયેલા સારા અને બુરા  અનુભવો એ જ્ઞાનની મોટી ખાણ છે. એમાંથી શીખીને માણસ પ્રગતિ કરી શકે છે.  જીવન એક પ્રયોગશાળા છે . એમાં જાત જાતના પ્રયગો કરીને એના પરિણામોમાંથી શીખી શકાય છે.



                                  જીવનમાં  જ્ઞાનીઓ સાથે સંગાથ રાખવાથી એમની સાથેના સંવાદોમાંથી પણ ઘણી માહિતીઓ મળે છે. અજ્ઞાનીઓ સાથે રહેવાંથી આપણી અજ્ઞાનતા જ વધે છે. એટલા માટે મિત્રો અને સંગાથની બાબતમાં વધારે સાવચેત રહેવું જરૂરી છે. એટલે કે મિત્રો અને સંગાથ એવો હોવો જોઈકે જેની પાસે સાચી માહિતી અને જ્ઞાન મળી શકે. એલન મશ્ક જેવાના સંગાથથી અને માર્ગદર્શનથી ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ તરીકે  ચુંટાવવામાં સફળ રહ્યા છે. એલન મશ્ક એક વિચિક્ષણ અને બુદ્ધિશાળી વ્યક્તિ છે એનો લાભ પણ ટ્રમ્પને મળ્યો છે. 

                                હવે  ગુગલ  જેવા માહિતી કેન્દ્રો છે. જે કોઈનું પણ જ્ઞાન વધારી શકે છે પરંતુ આ બધા  સાધનોના સંપર્કમાં સતત રહેવું  પડે કારણકે વિશ્વ દરરોજ બદલતું રહે છે અને માહિતી અને જ્ઞાન પણ બદલાતું રહેતું  હોય છે.  

                                     જીવનમાં મૃત્યુ સુધી માણસે નવું નવું શીખતાં રહેવું પડે છે તોજ  બદલતી દુનિયામાં  ટકીરહેવું  સહેલું પડે છે. જ્ઞાન એજ સફળતાની દીવાદાંડી છે. એથી જ્ઞાન મેળવવાની કળા પણ જાણવી આવશ્યક છે.

                                          *************************************

                                             

Saturday, December 7, 2024

 


દાળો  અને  સ્વાસ્થ્ય 

                                               સ્વાસ્થ્ય માટે દાળો  બહુજ અગત્યની છે. જેમકે મગની દાળ  હલકી અને અને વૃદ્ધો માટે પણ પચાવવામાં સરળ હોય છે.  મગની દાળમાં ઓછી કેલોરી અને સારા પ્રમાણમાં પોટેશિયમ હોવાથી  બ્લડ પ્રેશરને કાબુમાં રાખવામાં મદદ કરે છે.  એથી આયુર્વેદમાં પણ એને સ્વાસ્થ્ય માટે મહત્વ આપવામાં આવ્યું હતું. એ રીતે જોઈએ તો જે આયુર્વેદમાં જે વસ્તુઓને  મહત્વ આપવામાં આવ્યું છે તે હવે વિજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક  સાબિત થઇ રહ્યું છે. 



                                          ચણાની દાળમાં પ્રોટીન સારા પમાણમાં હોય છે. અને તે  ફાયબરથી ભરપૂર હોય છે. એમાં રહેલું લોહ તત્વ શરીરને શક્તિ આપે છે.



                                         તુવેરની દાળમાં ઇન્ફેકશન દૂર કરવાનું તત્વ હોય છે. એ શરીરને રોગો સામે સામનો કરવામાં મદદ કરે છે. ભારતમાં તો તુવેરની દાળ ચોખા સાથે ખવાય છે. સંભારમાં તેનો ઉપયોગ થાય છે. તુવેરમાં રહેલું 'ફોલેટ 'મગજના સ્વાથ્યને માટે બહુ જ મહત્વનું છે.



                                           અળદની દાળમાં વિટામિન બી  હોય છે. મેગ્નેસિયમ પણ હોય છે જે હાડકાઓને મજબૂત બનાવે છે.એનાથી લોહની ઉણપ પણ દૂર થાય છે.



                                            મસૂરની દાળ  કોલોસ્ટ્રલ અને હૃદયની બીમારીને દૂર કરવામાં પણ મદદ રૂપ થાય છે.  યુવાની ટકાવવા માટે પણ દરરોજ મસૂરની દાળ ખાવી આવશ્યક છે.

                                             આ બધી દાળોનું મહત્વ અકબરની  રાણી જોધાબાઈએ મોગલોના  વખતમાં મહત્વ વધાર્યું હતું.

                                              આ બધી દાળોને પહેલા  શેકી  પછી પલાળીને રાંધવામાં લેવી જોઈએ.  ઠંડી પડ્યા બાદ  એમાંથી જુદી જુદી અલગ મહેક આવે છે અને ખાવાની પણ મઝા લઇ શકાય છે.

                                                 **************************************

                                                    

Sunday, December 1, 2024


 

રશિયા અને પ્રેસિડેન્ટ પુતિન 

                                                                રશિયામાં કૉમ્યૂનિસ્ટ રાજના પતન બાદ થોડા સમય માટે અરાજકતા અને થોડી નબળાઈ આવી હતી. એનો લાભ લઈને  ઘણા  એના પ્રાંતો  રશિયાથી છુટા પડી સ્વતંત્ર થઇ ગયા હતા. એમાં કાઝધીસ્થાન, ઉઝબેગીસ્થાન. યુક્રેઇન , જેવા ઘણા સ્વતંત્ર રાજ્યોનો પણ સમાવેશ થાય છે. તે વખતે લાગ્યું હતું કે તે  હવે નબળું પડી રહેલું રાષ્ટ્ર છે. વિશ્વ સત્તાઓમાંથી ફેકાઈ જશે. 



                                                               તે વખતે રશિયાની ખુફિયા  સંસ્થા ' કેજીબી ' માં કામ કરી ચૂકેલા પુતિન  ક્રિમલિનના રાજકારણમાં દાખલ થયા હતા. તે વખતના રશિયાના ઉંચ્ચ નેતાઓના તેઓ સંપર્કમાં હતા. આથી એમને  રશિયાના સત્તા વર્તુળમાં દાખલ થવા નસીબે યારી આપી અને આખરે રશિયાના ઉચ્ચ પદે પહોંચ્યા .



                                                   પુતિનની  સફળતાનું રહસ્ય એની નેતાગીરીમાં છે. એણે રશિયાની જનતાને ખાતરી  આપી હતીકે રશિયાને એ વિશ્વ સત્તાઓમાં ફરીથી  મજબૂત બનાવશે અને એનું સ્થાન પાછું અપાવશે. આજે દુનિયામાં રશિયાની ફરી બોલબાલા છે. અને યુક્રેઇનમાં મજબૂતાઈથી પશ્ચિમો દેશોનો સામનો કરી રહ્યું છે. 



                                                     સત્તા અને ધન બે વસ્તુ એ  કેફ સમાન છે. એથી આજે એ રશિયામાં સરમુખત્યાર બન્યા છે અને વિશ્વ ધનવાન બન્યા છે. એમને રશિયાના મૂડીવાદીઓને કહી દીધું લાગે છેકે તમારી સમૃદ્ધિને મારી સાથે વહેંચવી પડશે . એથી એ હવે સર્વસત્તાધીશ છે   અને કહેવાય છેકે દુનિયામાં ધનવાનોમાંના એક છે. પુતિન રંગીલા છે પરંતુ વિચિક્ષણ રાજપુરુષ પણ છે.  



                                                 ભારતના   પ્રધાન  મંત્રીના નિકટના રાજકીય મિત્ર પણ છે. એનો લાભ ભારતને રાજકીય રીતે પણ થયો છે. સસ્તું  ક્રૂડ ઓઇલ ભારતને મળે છે. રશિયા સાથેનો વેપાર પણ વધી રહ્યો છે. કાશ્મીરની બાબતમાં વિશ્વતરે રશિયાએ હંમેશ  ટેકો આપ્યો છે. તે ઉપરાંત રશિયા રૂપિયામાં પણ લેણદેણ કરે છે . ભારતને  રશિયા શસ્ત્રો પણ પુરા પાડે છે. આમ પુતિને ભારતના ગહન મિત્રની જવાબદારીઓ પણ નિભાવી  છે.  આનાથી કદાચ અમેરિકા નારાજ પણ હોઈ શકે પરંતુ કોઈ પણ દેશને માટે પોતાનું રાષ્ટ્ર હિટ મહત્વનું હોય છે.



                                                         પુતિન પાસે કહેવાય છે કે ૧૨૬૦૦ કરોડનું ઘર છે. એમાં આરસનો સ્વિમિંગ પૂલ છે. એમાં કેસિનો છે. નાઈટ ક્લબ અને બાર પણ . ટૂંકમાં દુનિયાની બધીજ સમૃદ્ધ વસ્તુઓ છે.  પરંતુ દુનિયામાં નેતા શું કરે છે તે ઉપરાંત દેશ માટે કેટલો ઉપયોગી છે એને જનતા વધુ મહત્વ આપે છે . એજ પુતિનની સફળતાનું રહ્શ્ય છે.

                                                  *************************************

                                                                


Wednesday, November 20, 2024

 


સત્યની શોધમાં           

                                     દુનિયામાં ઘણી બાબતો છે જેના વિષે જાણવું આવશ્યક છે. કેટલીક બાબતો સામાન્ય છે પરંતુ એ માનવજાત પર સારો એવો પ્રભાવ પાડે છે.

                                      સ્ત્રીઓ ઘણીવાર સૌંદર્યની શોધમાં પોતાનું વજન કે શરીર ને સમતોલ કરવા પ્રયત્નો કરે છે. પરંતુ ઘણાને ખબર નહિ હોય કે વધારે જાડુ શરીર એક રોગ છે. ઘણા સમૃદ્ધ અને વિક્સિત દેશોમાં લોકો વધારે પડતા વજન અને અસમતોલ શરીરથી લોકો પીડાતા હોય છે. એ જાણીને આશ્ચર્ય થશેકે વધારે પડતું વજનને અસમતોલ વજનને કારણે વર્ષે દુનિયામાં ૩૦૦૦૦ માણસો મૃત્યુ પામે છે.

                                    એજ રીતે ઘણીવાર વીજળીનું પડવું પણ ઘણું  જીવલેણ હોય છે. શહેરી જીવનમાં કદાચ થોડી સગવડો હશે જેથી એનાથી રક્ષણં માટી શકે પરંતુ ખુલા આકાશમાં જયારે વીજળી ત્રાટકે છે. ત્યારે એ જેના પર પડે મોતને પણ ભેટે છે. વીજળી પડવાથી આશરે ૧૦૦૦૦ માણસો વર્ષે દુનિયામાં મૃત્યુને ભેટે છે. 

                                     ઘણીવાર ખાટલા પરથી પડવાથી માણસોને ભયંકર અકસ્માત થાય છે અને એ જીવલેણ હોય છે એ સાંભળીને આશ્ચર્ય થાયછે પરંતુ સત્ય છે. અમેરિકામાં વાર્ષિક   ૪૫૦ માણસો ખાટલાપરથી પડવાથી મૃત્યુ પામે છે.



                                     આજકાલ મોબાઈલ બહુજ લોકપ્રિય સાધન બની ચૂક્યું છે. દરેક જણ હવે હાથમાં મોબાઈલ લઈને ફરતા હોય છે. ૧૯૯૦ માં દુનિયાભરમાં ૧ મિલિયન લોકો મોબાઈલ વાપરતા હતા પરંતુ એનો અત્યારે વપરાશનો આંકડો પાંચથી છ બિલ્લીઓન જેટલો પહોંચી ગયો છે. અને દિવસે દિવસે વધતો જ જાય છે. 

                                      દુનિયામાં ધનવાન અને ગરીબી વચ્ચેનો તફાવત વધતોજ જાય છે . પરંતુ ગરીબી થોડી ઓછો પણ થવા માંડી છે. ૧૯૮૧માં ૫૨% લોકો ગરીબીમાં  દુનિયામાં સબડતા હતા પરંતુ  ૨૦૧૦માં દુનિયામાં ગરીબી ઓછી થઇ અને એ આંકડો ૨૧% પર આવી ગયો છે. આબતાવે છેકે ગરીબી હવે વિશ્વમાંથી ઓછી થઇ રહી છે.

                                     એમ કહેવાય છેકે આરબ જગતમાં સ્ત્રીઓની સ્થિતિ બહુ સારી નથી પણ આરબ અલ્જિરિયામાં ૭૦% સ્ત્રીઓ કાયદાકીય નિષ્ણાત છે અને એમાંથી  ૬૦% તો  ન્યાયધીશના પદ પર છે.

                                         આમ ઘણી નાની વસ્તુઓ  વિષે માહિતી પણ ઘણી રસ પદ હોય છે.

                                          ****************************************

                                           

Thursday, November 14, 2024



સીરમ ઇન્સ્ટિટ્યૂટ  ઑફ ઇન્ડિયા -વેકસિનની અજબ કંપની 

                                                                                       સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિદ-19 પછી ઘણીજ પ્રસિદ્ધ કંપની બની છે. એની વેકસિનએ  આખી દુનિયામાં  કરોડો લોકોની જિંદગી બચાવવામાં મદદ  રૂપ બની હતી. એની ઓફિસ પૂના ખાતે આવેલી છે. એના મુખ્ય ઓફિસર આદર પુનાવાળા છે. એ  ભારતીય કંપની હવે એની  વેકસિનોને લીધે વિશ્વ વિખ્યાત કંપની બની ગઈ છે.



                                                                                     વિશ્વ આરોગ્ય  સંસ્થાએ પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટને એની આર 21/ મેટ્રિક્સ એમ  મેલેરિયા વેક્સીન માટે ઉચ્ચ સ્થાન આપેલું છે.  મચ્છરો દ્વારા ફેલાતો મેલેરિયા વિશ્વમાં દર વર્ષે ૬૦૦૦૦૦ માણસોનો ભોગ લે છે.  આ વેકસિન સીરમએ યુનિવરસિટી ઓફ ઓક્સફર્ડ સાથે મળીને બનાવી છે. સીરમ વાર્ષિક ૧૦૦ મિલિયન ડોસીસ બનાવશે અને આફ્રિકાના દેશોમાં એમની જરૂરિયાતોને પુરી પાડશે. એ આરોગ્ય  ક્ષેત્રમાં  સીરમનુંવિશ્વમાં   મહાન યોગદાન  હશે. તે ઉપરાંત વેક્સીનના એક શોટ ચાર ડોલર જેટલા સસ્તા પણ હશે. એમાં  પ્રોફિટ કરતા જન સેવાની ભાવના વધારે રહેલી છે.



                                                                                     આદર પૂનાવાલા ભારતના એક આગળ પડતા અને ધનવાન ઉદ્યોગપતિ પણ છે. એમણે એમના ધનનું ઘણા ઉદ્યોગોમાં રોકાણ કર્યું છે. એવા સમાચાર છેકે એમણેફિલ્મ ઉદ્યોગમાં  હજારો કરોડોનું રોકાણ કરી  કરણ જોહરની ફિલ્મમાં ભાગીદારી કરી  છે.

                          એમની સફળતાનું રહસ્ય એમની જન સેવાની ભાવનાને આભારી છે.

                                           **************************