Friday, November 7, 2025

 


આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ (એઆઈ ) -અમેરિકા અને ચીન

                                                                                                                         અમેરિકન ઉપ પ્રમુખ જે ડી વાંસ કહે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ માં  હરીફાઈ એ  હથિયારો બનાવવાની  એક  દોડ છે. ' અમેરિકા જો એના પાર કાબુ રાખવાની જંજાળમાં પડશે તો એમજ ગૂંગળાઈ રહેશે. આજ બતાવે છે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ ની કેટલી મહત્વતા છે. અમેરિકન  કંપનીઓ પણ એના પર અંકુશો ઓછા રાખવાની હિમાયત  કરે છે. ટૂંકમાં તો આ વિષય પર આગળ વધવા માટેની અમેરિકા અને ચીન વચ્ચેની   હરીફાઈ છે. 



                                                                                           એમાં અમેરિકાનો અને ચીનના માર્ગો જુદા છે. અમરિકાનું ભાષાકીય  એઆઈ મોડેલ સામે ચીને દિપસિંક મોડેલ બહાર પાડ્યું છે. એ ઓછા ફંડથી બનાવી લોકો માટે બહાર પાડ્યું છે. ચીન એનો ઉપયોગ દરરોજની મુશ્કેલીઓ સામે એનો ઉપયોગ કરવા માગે છે. એનો ઉપયોગ ચીન એની ફેક્ટરીઓના ઉત્પાદન વધારવા કરી રહ્યું છે.  જયારે એના મોડેલનો ઉપયોગ  મોટા  આંકડાકીય સેન્ટરો ઉભા કરવા માટે કરી રહ્યું છે. ચીન એના મોડેલનો  ઉપયોગ લોકોઉપયોગી  કરવા માટે આગળ વધી રહ્યું  છે.  અમેરિકા આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટનો ઉપયોગ  માનવ શક્તિ ને ઓળંગી સર્વોચ્ચ ઇન્ટેલીજન્ટ વ્યવસ્થા બનાવવાનો  છે. 

                                                                                              ચીન 'એઆઈ માં આંધળી દોડમાં  નથી . એ  એનો ઉપયોગ વિવિધ  માનવી ક્રિયાઓમાં  એનો  ઉપયોગ કરી માનવી સુવિધાઓ વધારવામાં કરવાનો છે. તે ઉપરાંત એઆઈ  ને સસ્તું અને વધુ ગતિવાન બનાવવા ચીન પ્રયત્ન કરી રહ્યું છે. એટલે કે કોમ્પ્યુટી શક્તિ વધારવા કરતા એને લોકો માટે કરવા આગળ વધી રહ્યું છે. એઆઈ નો ઉપયોગ  રોબટૉને વધારેને  વધારે માનવી બુદ્ધિ આપી તેનો ઉપયોગ કરવા  માંગે છે. એને માનવીય  મગજની શક્તિ આપવા માંગે છે જેથી એ સામાન્ય માનવીય પ્રવૃત્તિઓ વધારે સારી રીતે કરી શકે.



                                                                                         આમ જુદા રસ્તાઓ અમેરિકાની આર્થિક વ્યવસ્થાને વધારે મદદ રૂપ બની રહે છે. પણ ચીનનો રસ્તો માનવી પ્રવૃત્તિઓને વધારે પ્રોત્સાહિત કરી શકે છે અને માનવીને વધુ શક્તિવાન બનાવી શકે છે,

                                                                                     તંદુરસ્ત હરીફાઈ હંમેશા માનવ સમાજ માટે હિતકારક હોય છે.

                                             **********************************

  

Saturday, November 1, 2025

 


મદિરાનો પ્રભાવ 

                                                                   મદિરાનું  સેવન એ આદિકાળથી ચાલી આવે છે. ભારતીય સંસ્કૃતિમાં એને સોમરસ તરીકે  ઓળખ આપવામાં આવી છે. એનો ઉપયોગ માનવીના દિલને વાસ્તવિકતાથી દૂર  કરી દહેલવા માટે કરવામાં આવે છે. દુનિયામાં વસ્તુઓ ખરાબ નથી હોતી પણ એનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ જ જવાબદાર હોય છે. એનો ઉપયોગ માનવીના મગજના તંતુઓને જરાક હળવા કરવામાં આવે ત્યાં સુધી મદિરા  હાનિકારક બનતું નથી. પણજ્યારે એનો ઉપયોગ અતિશય કરી જીવનના કઠિન પ્રશ્નોને ભૂલવા માટે  કરવામાં આવે ત્યારે એ માનસિક અને શારીરિક રીતે નુકશાનકારક બની રહે છે. ત્યારે આધુનિક  જમાનામાં દારૂ બની જાય છે. અને ઘણીવાર માનવી જીવનને નાશ કરી નાખે છે. 

                             આથી દારૂને કાબુમાં રાખવા માટે અમેરિકી , રશિયન, ભારત જેવી સરકારોએ  કાયદા કર્યા પણ એમાં સફળતા મેળવામાં મુશ્કેલ બન્યું છે. કારણકે  દારૂ પર કાબુ વ્યક્તિ પોતે જ રાખી શકે છે . એમાં કાયદાઓ બહુ ઉપયોગી નીવડતા નથી . પરંતુ એક વસ્તુ તો સત્ય છે કે  દારૂના અતિ સેવનથી એની શરીર પર ઘણી અવળી અસર થાય છે. તે છતાં ધનિક અને શક્તિશાળી વ્યક્તિઓને દારૂના અતિસેવન કરતા અટકાવવા મુશ્કેલ છે. એટલેકે મનુષ્ય જ પોતાનો દુશ્મન બની રહે છે.



                               દારૂનું અતિસેવન માનવીના શરીરના ઘણા  અંગો પર અસર કરે છે .એમાં વધારેમાં વધારે નુકસાન માનવીના લીવરને થાય છે. ત્યારબાદ એ હાર્ટ ,આંતરડા, પેંક્રિયાસ અને મગજને દારૂની ભયંકર અસર થાય છે.આ બધી બીમારીઓનો આધાર 'દારૂ કેટલો પીવામાં આવે છે. અને કેટલા વખત એ લોહીમાં રહે છે.' એમ નિષ્ણાતો કહે છે. એમ  માનવામાં આવે છે કે  પુરુષો જો દિવસમાં   ચારથી  વધારે ડ્રિન્કનો  સેવન કરે અને સ્ત્રીઓ દિવસમાં  ત્રણ કરતા વધારે ડ્રિન્કનો ઉપયોગ કરે તો એમની તંદુરતીની  અસર કરે છે. એમને લાંબેગાળે હાઈ બ્લડ  પ્રેસર , હાર્ટ પ્રોબ્લેમ , અને લીવરની બીમારી લાગુ પડે છે. એ કૅન્સરને પણ નોતરી શકે છે. તે ઉપરાંત માનવીની ઇમ્યુન સિસ્ટમ નબળી પડી અને મગજને પણ એની અસર થાત છે.



                             દારૂનું સેવન બંધ કરવાથી લીવરની બીમારી ધીમે ધીમે ઓછી થવા માંડે છે એમ નિષ્ણાતોનું માનવું છે. દારૂનું સેવન ઊંઘની બીમારી , સ્વભાવ બદલવાની બીમારી અને ડિપ્રેશન જેવી બીમારીનું ઉદ્ભવ સ્થાન છે એવું સ્ટેન્ડફોર્ડ યુનિવરસિટીના નિષ્ણાતોનું માનવું છે. સ્ટેન્ડફોર્ડ યુનિવરસિટીના નિષ્ણાત ટેટનું  માનવું છે કે 'દારૂનું સેવનની  લત અને સામાન્ય સેવનની ટેવ વચ્ચે બહુ પાતળી  દોરી હોય છે જે સેવન કરનારની નજરથી ક્યારે ઓળંગી જવાય છે. તે ખબર પડતી નથી. 

                         થોડા સમયમાટે દારૂનું સેવન બંધ કરવાનો પ્રયોગે પણ સાબિત કર્યું છે કે' એ માનવીને શારીરિક , અને મગજને  પણ ફાયદાકારક  હોય છે.' આ એક સંપૂર્ણ સત્ય છે.

                                  ***********************************

                                 

Friday, October 24, 2025

 


એલોન મસ્ક દુનિયાના  ધનિક અને  શક્તિશાળી વ્યક્તિ

                                                                                                             અલોન મસ્ક એક બુદ્ધિવાન વ્યક્તિ છે. એમણે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખની  ચૂંટણી જીતવામાં મદદ કરીને એની કાબેલિયત બતાવી દીધી હતી. એમના અને ટ્રમ્પ વચ્ચે ઘાઢ સબંધ છે. પરંતુ બે શક્તિશાળી વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થવાનો સંભવ છે. એથી જયારે ટ્રમ્પએ ગુસ્સામાં મસ્કના ઉદ્યોગીક સામ્રાજ્યને મળતી સરકારી મદદ બંધ કરવાની વાતો  કરી ત્યારે મસ્કે  સરકારી પ્રોજેક્ટ ડ્રેગન અવકાશની તરત જાહેરાત કરી દીધી . આ પ્રસંગે અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ શુભેચ્છકોએ વચમાં પડી એ વાતને ઠંડી પાડી દીધી હતી.  આજ બતાવે છે કે અમરિકાનો અવકાશ પ્રોજેક્ટ મસ્કના મિજાજ  પર અવલંબિત છે.



                                                                મસ્કની સ્પેસ - એક્ષ  કંપનીનું ફાલ્કન -9 સ્પેસ રોકેટ  સ્પેસ મુસાફરી માટે  ઘણું જ મહત્વનું બની ચૂક્યું છે. એણે ૪૮૫ મિશન સફળતા પૂર્વક પાર પાડ્યા છે. મસ્કનું  રોકેટ આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને પણ સફળતા પૂર્વક સેવા આપી રહ્યું છે.

                                                                   અમેરિકન સ્પેસ ફોર્સ એ  પણ સ્પેસ -એક્ષને   ૫.૯  મિલિયન ડોલરનો કરાર  પેન્ટાગનના મિલિટરી સેટેલાઇટ  અવકાશમાં મુકવા માટે આપ્યો છે. તે ઉપરાંત અમેરિકન મિલિટરી  સ્પેસ એક્ષની સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ  સર્વિસનો ઉપયોગ કરી રહી છે. તે ઉપરાંત ૨૨ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ અમેરિકન સરકારે મુસ્કની કંપનીઓને આપ્યો છે.

                                                                      આજ બતાવે છે કે  અમેરિકન સરકાર અને મસ્કની એક બીજા પર અવલંબિત છે. મસ્કના મિત્ર જારેડ ઇસાકમેનની નિમણુંક નાસાના મુખિયા  તરીકે ટ્રમ્પએ નિમણુંક કરી છે એજ બતાવે છેકે મસ્કની સરકારમાં કેટલું  ચલણ છે.  આમ દુનિયાના ધનિક વ્યક્તિ મસ્ક  સરકારી સત્તા પર કેટલો આધિપત્ય ધરાવે છે. તે ઉપરાંત સ્પેસ પ્રોજેક્ટમાં મહત્વ ધરાવતા અમેરિકાના કૅલિફૉર્નિયા ,ટેક્સાસ , અને ફ્લોરિડા જેવા રાજ્યો પણ એલોન મુસ્કના મજબૂત ટેકેદારો છે.



                                                                       એલોન મસ્ક દુનિયાના  અત્યન્ત વિદ્વાન , ધનિક અને બહુ જ શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે.

                                          *************************************  

Tuesday, October 14, 2025



સાઉથ કોરિયા 

                                                     વિશ્વ્ સત્તાઓની સાંઠમારીમાં કોરિયાના ભાગલા થયા અને આજે નોર્થ કોરિયા એન્ડ સાઉથ કોરિયા નામના બે રાષ્ટ્રો બન્યા. નોર્થ કોરિયા સામ્યવાદી વિચારદ્વારા ઉત્તર કોરિયાએ અપનાવીને અને આખરે એ સરમુખત્યારી પદ્ધતિ અપનાવી. જયારે દક્ષિણ કોરિયા એ  લોકશાહી અપનાવી અને દુનિયાની પાંચમી અર્થ વ્યવસ્થા બની રહી . દક્ષિણ કોરિયાએ સામાજિક, મિલિટરી , અને   ટેક્નોલોજીમાં  પ્રગતિ કરી છે.



                               દક્ષિણ કોરિયા એ અત્યારેજ અમેરિકામાં $૧૫૦ બિલ્લીઓનનું રોકાણ   કરવાની જાહેરાત કરીછે. તે ઉપરાંત અમેરિકા પાસે ૫૦ બિલ્લીઓન ડોલરના બોઇંગ વિમાનો કોરિયન એરલાઇન ખરીદવાની છે. આજ  કોરિયાની સમૃદ્ધિની એક નિશાની છે. સેમસંગ , હુન્ડાઈ જેવી મોટી કંપનીઓ પણ અહીએ ફૂલીફાલી છે.

                                 કોરિયામાં લોકશાહી પણ મજબૂત બની રહી છે. થોડા વખત પહેલા કોરિયન પ્રમુખને ભ્રસ્ટાચારના આરોપો પર દૂર કરવામાં આવ્યા હતા . અને નવા પ્રમુખ લી  જેઇ -મયુન્ગ ચૂંટીકાઢ્યા હતા.



                                                                                      સાઉથ કોરિયા આમ પણ રહેવાલાયક દેશ છે. એના બુદ્ધ મંદિરો વિષે પ્રખ્યાત છે. તે ઉપરાંત કુદરતી દ્રષ્ટિએ પણ એસમૃદ્ધ છે. એની પર્વતીય ગ્રામ્ય વસ્તી લીલોતરીથી છવાયેલી છે. એમાં ચેરીના ઝાડો એના સૌંદર્યમાં વધારો કરે છે 



                                                           એની રાજધાની સિઓલ  ટેક સિટી છે. અને એની વાહન વ્યહવાર વ્યવસ્થા બહુજ સુંદર છે. અહીનું જીવન ઉચ્ચ કોટિનું છે.   સાઉથ કોરિયન   હેલ્થ કેર  પણ  ઉત્તમ કક્ષાનું છે. લોકો મૉટે મૉટે થી વાત કરવાની  ટેવને પસંદ કરતા નથી. સરકારે અઠવાડિયામાં  ૫૨ કલાક કામ  કરવાનો કાયદો બનાવ્યો છે. જેમાં વધારે વધારે ૧૨ કલાકનો ઓવરટાઈમ  રાખેલો છે. આથી મજૂર કાયદાઓ પણ  મજબૂત છે. 

                              એશિયામાં  નાનો એવો દેશ મજબૂત રીતે વિકસીને વિકસિત દેશ બન્યો છે.    

                                      ******************************************* 

                               

                                 

Monday, October 6, 2025

 


પ્રાણી જીવદયા અને ઉદ્દભવતા પ્રશ્નો 

              ,                                                     આજકાલ દુનિયામાં  જીવદયા માટે મોટું  આંદોલનો ચાલી રહ્યા છે. એમાં ધાર્મિક લાગણીઓ , અથવા કરુણા પણ સંકળાયેલી છે. પરંતુ જયારે લાગણી, કરુણા,  અને ધાર્મિકતા  જવાબદારી વગર ઉભી થાય ત્યારે એ લોકો માટે  એક મુસીબત  બની જાય છે.  વધતી જતી  શહેરોની વસ્તીએ આમપણ પ્રાણીઓને શહેરના રસ્તાઓ પર લાવી દીધા  છે કારણકે તેમના રહેવાની જગ્યાએ એટલે કે જંગલની જગ્યાએ ઝાડોને કાપી  મોટા મોટા કોન્ક્રીટના  જંગલો ઉભા કરી દીધા છે.

                                             શહેરી કુતરાઓ , બિલાડીઓ ,ગાયો , ભેંસો અને વાંદરાઓ  જેવા જાનવરો તો હવે શહેરોમાં અવરોધ ઉભા કરી રહ્યા છે. ઘણીવાર  તો જીવદયા મંડળીઓ , અને ધાર્મિક લોકો એના માટે મોટા  જવાબદાર બન્યા છે.  એમને એક કે બીજા કારણોએ એ જાનવરોને રક્ષણ આપી રહ્યા છે. એક બે ભારતીય શહેરોમાં તો ચિત્તાઓ પણ ઘૂસી જવાના બનાવો બની ચુક્યા છે.



                                              દિલ્હી જેવા શહેરમાં તો એક વર્ષમાં ૨૫૦૦૦ જેટલા કુતરા કરડવાના બનાવો બન્યા છે. યુનિટેડ નેશન્સના રિપોર્ટ પ્રમાણે આશરે વાર્ષિક ૧૮૦૦૦ જેટલા લોકો ભારતમાં  કુતરા કરડવાને લીધે મૃત્યુઓ થયા છે. જે આખી દુનિયાના ૧/૩ આંકડો છે. મ્ર્ત્યુઓમાં મુખ્યત્વે બાળકો હતા .

                                            ભારતમાં રસ્તા પર રખડતી ગાયો રસ્તાપરના ટ્રાફિકને  નડતર રૂપ હોય છે.  વાંદરાઓ ખોરાક ઉપાડી જાય છે.ઘણી વાર તો મોબાઈલ પણ ઉપાડી જાય છે. જંગલી  રસ્તા પર રખડતા કુતરાઓ ચાલતા લોકોને કરડી જાય છે. અમદાવાદમાં તો સવારના ફરવા નીકળેલા  એક ઉદ્યોગપતિને  જંગલી કૂતરો કરડી ગયો અને મૃત્યુ પામ્યા હતા . આજ બતાવે છે કે રસ્તા પર રખડતા કુતરાઓ લોકોને કેટલી હેરાનગતિઓ  ઉભી કરી રહ્યા છે. હવે તો શહેરોમાં પણ સર્પો દેખાવા  માંડયા છે. 



                                            એમાં ધાર્મિક માન્યતા જેમ કે વાંદરો   હનુમાનના પ્રતીક , સર્પોની નાગપંચમીને દિવસે પુંજા કરવામાં આવે છે . ગૌ માતા તરીકે પુંજાવામાં આવે છે એથી એ અવરોધોને દૂર કરવા  મુશ્કેલ છે. આથી એ રાજકીય પ્રશ્ન બની રહ્યો છે  અને એના નાશ ન થાય એના માટે કાયદાઓ પણ બનાવવા આવ્યા છે.

                                            રાજકીય અને ધાર્મિક લાગણીઓને  લીધે ભારતીય  સુપ્રીમ કોર્ટને પણ જંગલી કુતરાઓને નાબૂદ કરવાના એમના ચુકાદાને  નરમ બનાવી દેવો પડ્યો હતો.  આમ  ભારતના  શહેરોમાં રખડતા જાનવરોનો શહેરી  રંજાડ સહન કરવા લોકોને  બેજાર બનાવી દેવામાં આવ્યા  છે. આમ  જવાબદારી વગરની જીવદયા ભારતમાં આજે બોજારૂપ બની ચુકી છે.



                                               આથી જંગલી અને રસ્તા પર રખડતા જાનવરોના પ્રશ્નો વિજ્ઞાનિક દ્રષ્ટિએ જોવો રહ્યો નહીકે  લાગણીની દ્રષ્ટિએ. દુનિયામાં ઘણા દેશો પણ એવાજ પ્રશ્નોનો સામનો કરી રહયા છે. જેમ કે  ઇંગ્લેન્ડમાં જંગલી ટર્કીઓનો  પ્રશ્ન , જર્મનીમાં  જંગલી બોઅર્સનો  પ્રશ્ન , અને આર્જન્ટિનામાં  કેપિબર્સ  જેવા જાનવરોનો ત્રાસ શહેરોમાં વધી ગયો છે .

                                          એનો ઉકેલ લાવવાંમાં નહિ આવશે તો એ પ્રશ્ન વિકટ બનતો જશે અને માનવ હાનિ વધતી જ જશે .         

                      *************************************************************   


                                             

Tuesday, September 16, 2025

    


 વિશ્વ સત્તાના નવા સમીકરણો 

                                                                              અમેરિકાના ટેરિફ હુમલાથી ઘાયલ થયેલા દેશો અત્યારે નવા બઝારો અને સત્તાના નવા સમીકરણો રચવા માંડયા છે. અમેરિકા એ ચીન, ભારત , જાપાન , સાઉથ કોરિયા , ઇન્ડોનેશિયા, વિએટનામ , જેવા દેશો પર આકરી ટેરિફઓ  નાખી છે. એથી વિશ્વના વેપાર ઉથલપાથલો થઇ રહી છે. જેનાથી બ્રિક સંઘઠન વધારે સંઘઠિત  થવા માંડ્યું  છે. આથી અમેરિકા વધારે ક્રોધિત થઇ રહ્યુંછે કારણકે એનાથી ડોલર પર અવળી અસર થશે અને ડોલરનું મૂલ્ય ઓછું  કરવાનો પ્રયત્ન પણ થઇ શકે છે.



                                                        અત્યારે થોડા વખત પહેલા જ ચીનમાં 'શંઘાઇ  કોઓપરેશન સંસ્થાના'  હેઠળ 20 દેશોના પ્રમુખો અને  વડા પ્રધાનો મળ્યા હતા એમાં રશિયા, ચીન , ભારત , ઉત્તર કોરિયા જેવા દેશો પણ જોડાયા હતા.  સહકારને નામે અમેરિકાની ટેરિફ થી આડ અસર થવાની છે એનો ઉકેલ શોધવા ગુંથાયેલા હતા. એમાં પરસ્પર આયાત અને નિકાસને કેવી રીતે વાળવી કે જેથી તેમના દેશોના હિતો ટેરિફ સામે ટકી શકે. એમાં એવો પણ પ્રશ્ન પણ ચર્ચાયો હોયકે એશિયાના દેશોની નાણાકીય , લશ્કરીઅને સલામતીની વ્યવસ્થા કેવીરીતે 'નાટો' જેવી સંસ્થા ઉભી કરીને જાળવી શકાય? શંઘાઇ સંમેલનમાં અમેરિકાની સેંકશન અને ટેરિફ યુદ્ધમાં સપડાયેલા રશિયા , ચીન અને ભારતે નક્કી કર્યું હતુંકે ' બને ત્યાં સુધી તેમનો પરસ્પર વેપાર તેમના ચલણમાં  જ કરવો . એ પણ નોંધનીય છેકે ચીને ૨૦૧૯ માં તેના વેપારનો ૩૦% ભાગ એના ચલણ યુઆનમાં જ કર્યો હતો . આખરે તો આ બધી પ્રક્રિયાઓ અમેરિકાના ડોલર સામે જ જાય છે. જેનાથી ડોલર એટલા અંશે નબળો પડે છે.

                                                          ટેરિફ અસરો હવે જણાવા લાગી છે . ભારતે રશિયા , ચીન , બ્રિટન  અને યુરોપ સાથે ફ્રી વેપારના કરારો કરવાની વાતો  ચાલી રહી છે. ચીન પણ બીજા રાષ્ટ્રો સાથે વાટાઘાટો ચલાવી રહ્યું છે. એ કેટલા અંશે સફળ રહેશે એતો ભવિષ્ય જ કહેશે.

                                                        ટેરિફને લીધે અમેરિકાની આવક  વધશે અને એના બજેટમાં  ખાંધ  ઓછી  થશે પણ લાંબેગાળે  મોંઘવારી, બેરોજગારી  અમેરિકામાં વધવાની સંભાવના છે . તે ઉપરાંત અમેરિકાની સામે એના હરીફોમાં એકતા વધશે. જેથી અમેરિકાને  નુકશાન થવા પણ સંભવ છે.



                                                        આવા સંજોગોમાં અમેરિકા સામે બીજા રાષ્ટ્રોનો મોરચો પણ ઉભો થઇ શકે છે. અમેરિકાએ જે રાષ્ટ્રો રશિયા અને ઈરાન પાસે સસ્તું તેલ ખરીદે છે એવા  રાષ્ટ્રો પર 50% સુધી ટેરિફઓ નાખી છે. એમાં ભારતનું મંતવ્ય છે કે' અમને જે અમારા રાષ્ટ્રના હિતમાં લાગશે એ પ્રમાણે જ અમારી નીતિ ચાલુ રહશે. એમાં રાષ્ટ્રગૌરવ અને અમારી  સ્વાતંત્રતાના હિતનું પણ રક્ષણ કરતા રહીશું .'



                                                         બ્રિક સંઘઠનમાં બ્રાઝીલ,રશિયા, ચીન , ભારત , સાઉથ આફ્રિકા , ઈરાન અને સંયુક્ત અમીરાત, જેવા રાષ્ટ્રો છે અને એ રાષ્ટ્રો પોતાના ચલણમાં વેપાર કરવાની યોજના બનાવી રહ્યા હતા. એથી ડોલરને અસર થશે એમ અમેરિકાનું પણ માનવું છે. એથી અમરિકાએ બ્રિકને ચેતવણી  આપી છેકે એ ચાલનો જવાબ ૧૦૦%  ટેરિફ થી કરવામાં આવશે.



                                                             આથી ટેરિફ યુધ્ધ દુનિયાના સત્તાના સમીકરણો બદલવામાં  કારણભૂત બને તો એમાં આશ્ચર્ય પામવા જેવું નહિ હોય.

                                        ******************************************


Wednesday, September 10, 2025



 દેશ નાના પણ કામ મોટા 


                                                  યુરોપના  ઉત્તર ભાગમાં અને એન્ટાર્ટીકાની  નજદીક ડેનમાર્ક , સ્વીડન , ફિનલેન્ડ અને નોર્વે  જેવા દેશો આવેલા છે. તેમનું હવામાન ઠંડુ છે પરંતુ એમની રાજ્યવ્યવસ્થા અતિ સુંદર અને સરળ છે. ત્યાં વેપાર કરવા માટેનું સરળ વાતાવરણ  આવેલુંછે.  એ દેશોમાંથી દુનિયાની ઘણી જાણીતી કંપનીઓ આવેલી છે જેણે દુનિયાભરમાં  નામના કાઢેલી છે. 



                                                          'કાર્લ્સબર્ગ ' જે દુનિયાના મોટી દારૂ બનાવનારી  કમ્પની છે. ડેનમાર્ક જેવા નાના દેશની કંપનીએ  આટલી નામના કાઢેલી છે એ દુનિયા માટે કોયડો છે? '03% 'જેની વસ્તી છે અને' 1% 'દુનિયાનો જેનો  'જીડીપી'  છે એવા એ દેશોમાં દુનિયાની પ્રસિદ્ધ કમ્પનીઓ  આવેલી છે. ફિનલેન્ડ , ડેનમાર્ક , નોર્વે , અને સ્વીડન 'નૉર્વેક' દેશો તરીકે ઓળખાય છે.



                                                         સ્વીડનની 'આઇકિયા'  એ દુનિયામાં સારામાં સારું ફર્નીચર બનાવે છે જયારે' લેગોના'  રમકડાંઓ જગતભરમાં  વેચાય છે.  નોર્ડીક દેશોમાં 'એટલાસ કોપકો ' મશિનરી બનાવે છે અને 'નોકિયા' અને 'એરિક્સન'  મોબાઈલ  અને ટેલિકોમ્યુનિકેશનમાં અગ્રગણ્ય  કંપનીઓ  છે. 'ઑટોલાઇવ ' જેવી કમ્પની  'ઓટો સીટ બેલ્ટ 'બનાવે છે. ' કોન'લિફ્ટ બનાવે છે. 

                                                        તે ઉપરાંત સંગીતમાં પણ 'સ્પોટીફાઈ 'જેવી લોકપ્રિય કંપનીઓ આવેલી છે.'કલરના' જેવી ક્રેડિટ કાર્ડ કંપનીઓ પણ અહીએ ફૂલીફાલી  છે. સ્થૂળતાને દૂર કરનારી દવા' નોવો નોર્ડીસક' અહીએ બને છે. મૂળમાં નોર્ડીક દેશો  ઘણી બાબતમાં  યુરોપમાં આગળ છે. 



                                                       આ બધી કંપનીઓ દુનિયાની એની હરીફ કંપનીઓ કરતા નફામાં પણ આગળ છે. નોર્વેમાં લાકડાનું ઉત્પાદન વધારે છે અને લોખંડ જેવી  ધાતુઓ પણ સારા પ્રમાણમાં  મળે છે. ડેનમાર્કમાં જેવેલરી ઉદ્યોગ દુનિયાનો ૧%  જેટલો છે.



                                                                               વેપાર ઉદ્યોગનો વીકાસ અહીંની સરકારોને આભારી છે. આ દેશોનો આરોગ્ય અને શિક્ષામાં  તથા બેરોજગારીમાં સરકાર તરફથી સારો એવો સહકાર મળી રહ્યો છે. એથી નવા નવા ઉદ્યોગીક સાહસિકો  ઉદ્યોગીક સાહસ કરવા પ્રેરાય છે. આથી દરેક ક્ષેત્રમાં નાના ઉદ્યોગીક સાહસો ઉભા થયા છે. તે ઉપરાંત અહીંની પ્રજામાં કંપનીના નફા માટે રાહ જોવાની અનોખી ધીરજ છે. એટલેકે કંપનીને સફળતા માટે પૂરતો વખત મળે છે. અહીંના નિષ્ણાતોનું માનવું છે કે 'સફળતા ફક્ત તાકાતવારને જ મળે છે એવું નથી પરંતુ સફળતા સંજોગોને અનુકૂળ થાય એવા લોકોને મળે છે.

                                    ************************************