Friday, December 18, 2015


શીવ
                                                                                                                                                             શીવ ઍટલે સુંદર, અને ઍને લગતુ બધુ જીવનનુ સત્ય છે. શીવ શરીરે ભભૂતિઍ મનુષ્યને ઍના અંતિમ સ્વરૂપનુ પ્રતીક છે. પૃથ્વીની ધૂળ સાથે માનવીના અંતિમ અવશેષો ઍટલે ભભૂતિ વિલય જાય છે. ઍથી શિવના સાથીઓ પણ આપણે જેને ભુત કહીઍ ઍવા શરીર વગરના જીવો છે. ઍજ જીવનનુ સત્ય છેકે મનુષ્યનુ શરીર નાશવંત છે પરંતુ જીવ અમર છે.
                                                        શીવનુ તાંડવ નૃત્ય  સુંદરતાનુ પ્રતીક છે, પરંતુ શીવનુ રુદ્ર સ્વરુપ જીવનના ખરાબ તત્વોના નાશનુ ઍક ભયંકર રૂપ છે. શીવ જો ગંગાને માનવજાત માટે ભારતના પટ પર ઉતારી શકે તો વખત આવે તો માનવોઍ ઉભા કરેલા દૂષણોનો નાશ પણ કરી શકે છે. ઍટલા માટે શીવને સત્ય અને સુંદરતાની વચમા મુકવામા આવ્યા છે, ઍટલે કે ' સત્યમ, શિવમ સુંદરમ'.

શીવ ઍટલે---
શીવ ઍટલે ત્યાગનુ પ્રતીક
અને શીવની ભભુતિ સદાઈંની નજદિક
સાપ, ચદ્ર અને વાઘ ચામડીના વસ્ત્રો
શીવને રજૂ કરે સૃષ્ટિ અને સારા બ્રહ્માંડનુ મિશ્રણ
શીવ ઍટલે---
શીવ ઍટલે સુંદર અને સત્ય
જે જીવનના સર્વ ગુણોનૂ સત્વ
શીવ ધરે કદી રુદ્ર સ્વરુપ
દૂષણો  દૂર કરવાનુ છે ઍ સાધન
શીવ ઍટલે ---
શીવ છે દિલના  હમેશ ભોળા
પોતે વિષ પીને વિશ્વને બચાવનારા
જેની કૃપા વિના જીવન મુશ્કેલ થાય
ઍવા શીવને કોટિ કોટિ  પ્રણામ
શીવ ઍટ લે---
ભારત દેસાઈ
                                         ***************************
                                       

Wednesday, December 9, 2015


મોગલ બાદશાહ બાબર અને બાબરી મસ્જિદ
                                                                                                         રાજકારણીઓઍ અને ધરમાંન્ધ હિન્દુ મુસ્લિમોઍ બાબરી મસ્જિદનો પ્રશ્ન ચગાવવામા કાઇ બાકી રાખ્યુ નથી. ઍમાતો કેટલાઍ  હૂલ્લડો થઈ ચૂક્યા છે. ઍમા મુદ્દો ઍકજ છેકે બાબરે રામજન્મભૂમિ પર મસ્જિદ બાંધી દીધી હતી. સમાન્ય દ્રષ્ટિેઍ રામ પહેલા થયા હતા અને બાબર પછી આવ્યો તો ધાર્મિક લાગણીઓને સંતોષવા માટે રામજન્મ ભૂમિ પર મંદિર બાંધવા દેવા માટે શા માટે વાંધો હોવો જોઇઍ? પરંતુ આ બધુ લોકોઍ ઉભુ કરેલુ તુત છે જેમા ધાર્મિક તત્વોનો અને રાજકારણીઓ મોટો ભાગ ભજવ્યો છે.

                                                   જે બાબરી મસ્જિદ વિષે વિવાદ ચાલે છે ઍના સર્જક બાબર વિષે જાણવુ ઘણુ  રસપ્રદ બની રહેશે. બાબર  જેણે મોગલ વંશની ભારતમા સ્થાપના કરી .ઍણે પોતાની આત્મકથા બાબર નામામા કોઈ પણ ઉલ્લેખ ઍ બાબતનો નથી.  તેને સરયૂ નદી અને ઍની આજુબાજુનો પ્રદેશ ખૂબ ગમ્યો હતો. તેને અહીની નહેરો, મોટા મકાનો, વૃક્ષો, અને રંગેબેરંગી પક્ષીઓ બહુ ગમી ગયા હતા. બાબરે અયોધ્યાની બહાર વહેતી સરયૂમા નાહવાની પણ મસ્તી માણી હતી. લોકોને પાણી પર મશાલ બતાવી માછલીઓને આકર્ષિત કરતા અને  પછી ઍ ને પકડતા જોયા. ઍ પ્રમાણે ઍણે પણ માછ્લી પકડવાની મસ્તી માણી.
                                                 બાબર આમ અહીના લોકો, બોલી,  વરસાદ, હવા બધુ અનોખુ અને  અચરભ ભર્યુ લાગ્યુ હતુ. ઍને અયોધ્યાનો પ્રદેશ સારો લાગ્યો હતો અને ક્યાક્ પણ મંદિર તોડીને મસ્જિદ બનાવી હોય ઍવો કોઈ ઉલ્લેખ પણ નથી. ત્યારે બાબર નામ પર બાબરી મસ્જિદ પર આટલો વિવાદ કેમ? આથી  બાબરી વિવાદ માનવ રચિત છે ઍનો ઉકેલ પણ લોકોેઍ સંતોષકારક સમાધાન દ્વારા લાવવો રહ્યો.
                                      *************************************

Thursday, December 3, 2015



પૃથ્વીના સૌદર્યનો નાશ
                                                                                                        માનવીઍ પ્રગતિની હાઇમા પૃથ્વીના સૌદર્યનો નાશ કરવામાંડ્યો છે. ઉધ્યોગોના ઉંચા ભૂગળાઑ કાર્બન નામનુ  ખોફનાખ પદાર્થ  ઑકી રહ્યા છે, જે પૃથ્વીના સૌદર્યનો નાશ કરી રહયા છે. બરફની સપાટીઑ પીગળી રહી છે અને દરિયાની સપાટીઑ  ઉભરાઈ રહી છે. વરસાદની અછતને લીધે ડુંગરાઓ અને ખેતરો સુકાઈ રહયા છે.  બધી ઋતુઓ માનવિઓથી રિસાઈ ગઈ છે. ક્યાક્ અતિ વર્ષા તો ક્યાક્ અતી ગરમી અને અતિ ઠંડી, સામાન્ય બિના બની રહી છે. આ બધી આફતો માનવીની પોતાની જ ઉભી કરેલી છે. ઍને કુદરતી સૌદર્યો કરતા ભૌતિક સગવડોની વધારે પડી છે. આથી આ જગત સામાજીક અને માનવતાની દ્રષ્ટિે ઍ દોજખ બની રહયુ છે.
                                  આને માટે માનવિઓે કુદરતને ખોળે જવુ પડશે પછી ખબર પડશે કે ભૌતિક સુ.ખ કરતા કુદરતમા કેટલો આનંદ, શાંતિ અને પરમ સુ.ખ છે. ઍટલે માનવી ઍ નક્કી કરી લેવુ જોઇઍકે,
મારે રખડવૂ છે હરીયાળી ખીણોમા
નદીઓના કોતરોમા અને પંખીઓના કલરવોમા
મારે રમવુ છે કુદરતને ખોળે
જીવનનો પરમ આનંદ પામવો છે
મારે---
મારે પવનને સુંસવાટે થથરવુ છે
મેઘ અને વીજળીની જુગલબંધી માણવી છે
જીવનનો પરમ આનંદ માણવા માટે
ડુંગરોની ખીણોમા રખડવુ મારે
મારે---
નદીઓના  નીરમા ડૂબકીઓ મારવી મારે
અને સાગરની લહેર પર તરવુ છે મારે
સુ.ખ શાંતિ અને આનંદ માણવા માટે
કુદરતને ખોળે વિહરવુ મારે
મારે---
                                         પછી જુઓ જીવનમા પરમ શાંતિ, અને આનંદ મળે છે કે નહી? અને માનવીઍ કુદરતના આવરણનો  નાશ કરતા અટકી જવુ જોઇઍ.
                                         ***********************************

Sunday, November 29, 2015


ઍપલના સ્ટીવ જોબના છેલ્લા શબ્દો
                                                                                                                                         સ્ટીવ જોબનુ કૅન્સરની જીવલેણ બિમારીથી મૃત્યુ થયુ હતુ. તેઓ મૃત્યુ સામે લાચાર હતા. તે વખતે ઍમણે કહેલા શબ્દોમા ઍમને છેલ્લા દિવસોમા થયેલા નિર્વાણનો નિચોડ છે.
                                                  ચારેબાજુ અંધકારની વચમા જીવન બચાવનાર મશીનની લીલી લાઇટ દેખાય છે,  અને ઍ મશીનમાથી આવતા ગૉઘરો અવાજ જ સાંભળાય છે. મને મૃત્યુના ભણકારા હવે સંભળાઈ રહ્યા છે. હવે મને મારી સફળતા સિવાય બીજો કોઈ આનંદ દેખાતો નથી. મને હવે સમજાયુ છેકે જે સંમ્પતી અને ખ્યાતિ માટે મને ગર્વ હતો તે હવે આવી રહેલા મૃત્યુ સામે નિરર્થક છે. હવે મને ખબર પડે છે કે જીવનમા  જરૂરીયાત પ્રમાણે સંમ્પતી ભેગા કરવાની સાથે આપણે બીજી  વસ્તુઓ માટે પણ આગળ વધવુ જોઈ ઍ.
                                                   જીવનમા સબંધો, કલા, અને સેવેલા સપનાઓ પણ મહત્વના છે. ઍક વસ્તુ સમજવી જોઈઍ  આપણે  વખતને આધીન છિઍ અને ગમે ત્યારે આખરી પળ આવી શકે છે.
                                                         **************************************૮

Saturday, November 21, 2015

ઈંદિરા ગાંધી- જન્મ નવેંબર ૧૯, ૧૯૧૭
                                                                                  ઈંદિરાનો જીવ ૩૧ મી ઑક્ટોબર ૧૯૮૪ દિવસે ઍમના અંગરક્ષકના હાથે જ ગયૉ. ઍના કારણ માટે ઍમણે જ ઉભુ કરેલુ ખાલિસ્તાનનુ ભુત જ હ્તુ.  આ  બધુ સત્તાનો મોહ અને ઍને લગતી  સાઠમારીઓ જવાબદાર હતી.  ઈંદિરા રાજકારણમા રમત રમવામા નિપુણ હતા.ઍમાથી જ ઍમનુ કરુણ મૃત્યુ થયુ હતુ.
                                                 નહેરુના વખતમા જ ઈંદિરાને ૧૯૫૯ મા કૉંગ્રેસના પ્રમુખ બનાવવામા આવ્યા હતા. તે વખતે બીજા ઘણા યોગ્ય સીનિયર કોંગ્રેસી  નેતાઓ પ્રમુખ થવાને લાયક હતા પરંતુ  ઈંદિરાને કોંગ્રેસ પ્રમુખ બનાવી નહેરુઍ વંશીય રાજકારણના ઍંધાણ આપી દીધા હતા. ત્યારબાદ કામરાજ યોજના દ્વારા બધાજ સીનિયર કોંગ્રેસી નેતાઓને હટાવી ઈંદિરા માટે વડાપ્રધાન પદનો માર્ગ ખુલ્લો કરવામા આવ્યો હતો.

                                                   ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી અને ૧૯૮૦ થી ૧૯૮૪ સુધી ઈંદિરાઍ ભારતના વડા પ્રધાન તરીકે દંડ, દામ અને ભેદ વડે રાજ઼ કર્યુ.  'ગરીબી  હટાવો 'જેવા સુત્રો પણ આપવામા આવ્યા પરંતુ ઍ દિશામા કઈ વજુદ થયુ નહી. રાજકીય કારણોસર 'બૅંકોનૂ રાષ્ટ્રીયકરણ', ' રાજાઓના વેતનો' પણ નાબૂદ કરવામા આવ્યા.  ઍમા બૅંકોના હજારો કરોડોના  ખરાબધિરાણ  થઈ ગયા જે દેશને માટે બોજ બની રહયા છે. ઈંદિરાઍ સત્તાને ટકાવી રાખવા માટે દેશમા  'ઍમર્જેન્સી' દાખલ કરી અને બધા વિરોધ પક્ષના નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.  ઍમા ઍમને ચૂંટણિમા હાર પણ ભોગવવી પડી. પરંતુ ખાલિસ્તાનના પ્રશ્ન પર ઍમણે જાન ગુમાવવો પડ્યો.   નહેરૂ અને ગાંધી વંશ તો ચાલુ જ રહ્યો.
                                                        સત્તાના રાજકારણમા  હજુ પણ વંશીય રાજકારણ ચાલુ જ છે પરંતુ દેશનો ઉધ્ધાર ક્યારે થશે ઍ પ્રશ્ન હજુ ઉભો છે?
                                                ********************************************

Saturday, November 7, 2015


રોકાણના ચાણક્યની વિચિક્ષણતા
                                                                                          આજે વોરેન બફેટ દુનિયાના રોકાણકારોમા મહારથી ગણાય છે. ઍ જ્યા પૈસા નાખે છે ત્યાથી સોનૂ નીકળે છે. જે  કંપનીઓમા ઍ પૈસા નાખે છે ઍના શેરના ભાવ વધવા માંડે છે. ઍના પ્રવચનોમા આખી દુનિયાના નાણાકીય માંધાતાઓ  ભાગ લે છે.   વૉરેન બફેટ્ના નાણાકીય નિર્ણયો શેર માર્કેટને હચમચાવી નાખે છે. આ ઍના નાણાકીય પ્રભાવની વાત છે. પરન્તુ ઍમના ડહાપણનો પણ લાભ લેવા જીવો છે.
                                                               વૉરેન બફેટના કહેવા પ્રમાણે આવકના ઘણા  સાધનો હોવા જ઼ોઈઍ. ઍક જ આવક પર આધાર રાખવો ડહાપણ ભર્યુ નથી. તમારી પાસે ખરીદવાની શક્તિ હોય તો જરૂર પૂરતુ જ ખરીદો. કદાચ ઍવુ ન બનેકે અતી ખરીદીથી તમારે જરૂર હોય ઍવી વસ્તુને વેચવાનો દિવસ આવી જાય.  ઍમનુ માનવુ છેકે પહેલા બચત કરો અને પછી વાપરો. પહેલા વાપરવુ અને  વધેલી રકમની બચત કરવી ઍમા ડહાપણ નથી.  નદીના ઉંડાણને માપવામાટે બન્ને પગો નદીમા નાખવા જરૂરી નથી. જેમકે  બધા ઈંડાઑ ઍક જ બાસ્કેટમા મૂકવા નહી. દરેક જણા પાસે પ્રામાણિકતાની અપેક્ષા રાખવી નહી કારણકે ઍ બહુ મોંઘી ચીજ છે.
                                           આજ બતાવે છે કે વૉરેન બફેટની સફળતા પાછળ ઍમનુ ડહાપણ રહેલુ છે, જે જીવનનુ અગત્યનુ  અંગ છે.
                                              ***********************************

Sunday, November 1, 2015


વિશ્વનાઆર્થિક સિધ્ધાંતોના મુળમા
                                                                                                                                                          ૧)તમે કાયદાની સહાય વડે સમૃધ્ધિને ગરીબાઈમા ફેરવી ન શકો અને ઍજપ્રમાણેકાયદા વડે ગરીબાઈને સમૃધ્ધીંમા ફેરવી શકો નહી. ઍટલે કે ધનવાનોના ધન લઈ ગરીબોને ધનવાન ન બનાવી શકાય.
૨) જે કોઈ કામ કર્યા વગર મેળવે છે ઍની સામે બીજા ઍકને કામ કરીને ગુમાવવુ પડે છે. ઍટલેકે કામ કર્યા વગર મેળવેલુ બીજાં કામ કરનારાના હકો પર તરાફ મારવા સમાન છે.
૩)કોઈ પણ સરકાર પહેલા બીજા પાસે લીધા વગર કોઈને આપી શકતી નથી. ઍટલે સરકારતો ઍક પાસે લઈને જ બીજાને આપે છે.
૪)તમે ધનનુ વિભાજન કરીને સમૃધ્ધિ વધારી શકો નહી.
૫)કોઈ પણ દેશની પડતીંની શરૂઆત સમજવી જ્યારે ૫૦% લોકો માનવા માંડે છે કે બીજા ૫૦% દેશના લોકો ઍમની સંભાળ લેશે અને બીજા ૫૦%દેશના લોકો જે કામ કરે છે ઍટલૂ જ મળે છે. આથી જે દેશના બહુમતી લોકો બીજાની કમાણી પર આધાર રાખે છે ઍ દેશની પડતી નિશ્ચિત છે.
                                આ પરથી ખ્યાલ આવે છે સામ્યવાદીરશિયાની પડતી કેમ થઈ હતી.
                                               *********************************૮