Friday, October 4, 2013


આત્મ સન્ધોધન
-
                                                          જગતમા દુખ અને સંતાપનુ મૂળ બહારના કેટલાક  દૂષણોમા જે છુપાયેલુ છે. તેમા અહમ્ અન ઈર્ષા મુખ્ય    છે. પરંતુ આંતરિક રીતે જો  માણસ વિચારે અને પ્રભુની નજદિક જવા પ્રયત્ન થાય તો બધા જ દુખોનુ ઑસડ મ ળી આવવા સંભવ છે. આત્મ ખોજ અને તેનુ આલેખન કરવાથી જ જીવનમા આગળ વધી શકો છો. પોતાની ભૂલો શોધવા માટે પણ આત્મ ચિંતન આવશ્યક છે. ટૂકમા કહેવાય છે કે
આપણી ભુલને સમજવા  પણ મજા છે
બુધ્ધિ તણી ઍ  કસોટી બની જાય છે
ભુલને સમજ્યા પછી કબૂલવી ઍ નમ્રતા છે
ભુલને સુધારવી ઍમા આવડતનો સવાલ છે?
પણ ભુલને સુધારી શકોતો ઍ બુધ્ધિ અને આત્મ બળનુ પ્રમાણ છે.
ભારત દેસાઈ
                                           *************************************

Tuesday, September 24, 2013


જીવન જીવવાની કળા

                                  જીવન સુખ, શાંતિ અને તંદુરસ્ત રીતે જીવવાની પણ કળા છે. દરેકના જીવનમા ક્યાક્ તો દુખ અને સુખ સમાયેલા હોય છે. સુખ મેળવવા માટે મનુષ્યે પોતાની જાતને અમુક રીતે કેળવવી પડે છે. પરંતુ દુખ તો ઘણી વાર માંગી લીધેલા હોય છે, જે સુખની સાથે જ આવે છે. જેમકે ગરીબાઈમા ઘણીવાર પ્રેમ, સ્નેહ, કુટુંબ ભાવના વધુ હોય છે. જેનો સ્વાર્થ, અને દાવપેચમા સમરુધ્ધિમા રૂપાંતર ઘણુ ખરુ થઈ જાય છે. તે છતા જીવન જીવવાની કળા કેળવવાથી ઍકાન્તરે સુખ ભોગવી શકો છો.
૧) માનવી સકારાત્મક વિચાર શક્તિ કેળવે તો નકામા વિચારો આવતા બંધ થઈ જાય છે. કારણ કે જેટલા નકામા વિચાર કરી નકામા કામ કરો ઍના પરિણામો ખરાબ આવે છે. અને સાથે દુખ લાવે છે. માખી અને મચ્છરો હેરાન હેરાન કરી નાખે છે પણ ઍક્જ જાપટમા મરી જાય છે ઍ દુખદ છે. ઍમ નકામા કામો દુખદ પરિણામો લાવે છે. ટુંકમા' જેવુ વાવો તેવુ લ ણો'.
૨) મિત્રોમા વધારે પડતો વિસ્વાસ ન કરવો અને દુશ્મનનો ઉપયોગ કરતા શીખવુ રહ્યુ.
૩) તમારી આગલી વ્યૂહ રચનાને ખોલ્યા વગર  ઑછામા ઑછુ બોલવાથી મુશિબતોને દૂર કરીશકાય છે.
૪) જીભાજોડી કરવા કરતા કામ કરવાથી મનદુખ ઑછુ થાય છે.
૫) દુખી અને દુર્ભાગી લોકોથી દૂર રહેવાથી દુખ પણ દૂર ભાગે છે.
૬) લોકોમા વિશ્વાસ ઉભો કરો જેથી તમારા માર્ગમા અવરોધો ન આવે. તમે સુખેથી તમારા લક્ષે પહોચી શકો.
૭) દુશ્મનોને ક્ષમા કરવાથી દુખનુ મોટામા મોટુ કારણ દૂર કરી શકાય છે.
૮) ઍકલતા ઍ દુખનુ મોટામા મોટુ કારણ છે, ઍથી સ્નેહી, મિત્રો, અને સબંધીઓને સાથે રાખવાથી  દુખ ભૂલી અને સુખ મેળવી શકાય છે.
૯) કોઈ પણ વસ્તુનો ડર દુખ ઉભુ કરે છે. આથી અભય થવાનુ જરૂરી છે.
૧૦) તમારા આત્મસન્માનનો ભોગ ઍ મોટામા મોટુ દુખનુ કારણ બને છે. આથી કોઈ પણ કામ ગૌરવ પૂર્વક કરવાથી આનંદ અને સુખ લાવે છે.
                               ******************************************

Thursday, September 19, 2013


જાપાન અને ચીન

                                      જાપાન અને ચીન દુનિયાના મજબૂત રાષ્ટ્રો છે, આર્થિક દ્રષ્ટીઍ ઍમનો બીજો અને ત્રીજો નંબર  આવે છે. જાપાનને તો હમેશા ધરતીકંપ અને સુનામી રંજાડતાં રહે છે. જ્યારે ચીન પણ ઍના થી બાકાત નથી. ચીનને પણ નદીઓ અને તોફાનો હેરાન કરતા રહે છે પરંતુ પ્રજાનુ ખમીર ઘણુ ઉંચુ રહે છે.
                                     ચીનની વિશેષતા ઍ  છે કે દુનિયાની મોટી શોધો ચીની પ્ર્જાઍ જ આપેલી છે. ગન પાવડર, પેપર, છાપ કામ, પેપર ચલણ, પવન ચક્કી, કેન્સરની કેમેરોપથી, ફટાકડા, ગંજીફાની રમત, રેશમી કાપડ, ઍકયૂ પ્રસેર પધ્ધતિ, દિશા શોધક યંત્ર, દારૂ, અન રૉકેટ ઍ ચીનની દેણ છે.  આધુનિક જમાનામા પણ ચીન આંતરિક મથક, સેટેલાઈટ લૉંચિંગ સેંટર, મિસાઈલ ટેકનોલોજી, સાઇબર સેક્યૂરિટી, મંગળ અને ચંદ્ર અભિયાન, અંતરિક્ષ ટેલીસકોપ, અને માનવ સેટેલાઈટ મોકલવાની ટેક્નોલોજીમા આગળ છે.
                                     જાપાન તો આખી દુનિયાની શોધો ભેગી કરી ઍવી અદભૂત ચીજો બનાવે છેકે ઍ દુનિયાના બજારોમા બહુ વેચાય જાય છે. પ્રથમ સર્યોદયના દેશની સાથે જાપાન આર્થિક રીતે સધ્ધર છે. જાપાની લોકોની દેશભક્તિ ઘણી ઉંચી કક્ષાની છે. તૅઓને પોતાના બૌધ ધર્મ પ્રત્યે ઘણો આદર છે અને પોતાના દેશમા બીજા ધર્મની દખલ સહન કરતા નથી. મુસ્લિમોને જાપાનમા નાગરિત્વ આપતા નથી અને ધર્મ  પરિવર્તનની તદ્દન વિરૂધ્ધ છે. બાળકોને નાનપણથી જ સ્વચ્છતાના પાઠ ભણાવવામા આવે છે. જાપાનમા કોઈ વ્યક્તિગત કાયદાઓ નથી. પોતાના દેશની સરહદોનુ રક્ષણ કેવી રીતે કરવુ ઍ જાપાન પાસે શીખવા જેવુ છે. ચીન જેવી મહા સત્તાને પણ જાપાને વસ્તી વગરના થોડા ટાપુઓ માટે પડકારી છે. જાપાનના હાથ અમેરિકાઍ વિનાશક શસ્ત્રો  માટે કરાર દ્વારા બાંધી દીધા છે. તે છતા પોતાની રીતે મજબૂત છે.
                                       ચીન અને જાપાનીસ પ્રજા બધી રીતે સ્વતંત્ર છે અને કોઈપણ જાતના ગુલામી માનસથી પીડાતી નથી.
                                          ******************************

Sunday, September 8, 2013


ડૉલર કેમ મજબૂત બનતો જાય છે?

                                                અમેરકાનુ અર્થ તંત્રમા સુધારો ડોલરની મજબૂતાઈનુ કારણ છે. ઍના મુખ્ય કારણોહવે અમેરિકા કરવેરા વધારવાની બાબતમા આગળ વધી રહયુ છે અને વહીવટી ખરચોમા કાપ મૂકી રહ્યુ છે. તે ઉપરાંત અમેરિકન લોકોની ખરીદ શક્તિમા પણ વધારો થતો દેખાઈ રહ્યો છે. સેલમા થઈ રહેલો  વધારો ઍનો પુરાવો છે.
                                                 અમેરીકામા બેરોજગારીનો દર ઑછો થતો જઈ રહ્યો છે અને રોજગારીની તકો વધી રહી છે. મોટરકારના વેચાણમા પણ સુધારો આવ્યો છે. ઘરોના ભાવ વધવા માંડ્યા છે ઍ બધા કારણો  ડોલરની કીમતમા વધારાને ટેકો આપી રહયા છે. ઈરાક અને અફઘાનીસ્તાનના યુધ્ધમાથી અમેરિકા લગભગ બહાર નીકળી ગયુ છે અને સિરીયામા દાખલ થવા પહેલા પણ બેવાર વિચાર કરી રહ્યુ છે. આમ અમેરિકન સરકાર હવે અર્થતંત્રને મજબૂત કરવામા પ્રયત્નશીલ છે. અમેરિકન કૉર્પોરેટ ક્ષેત્રે પણ દેવાનો બોજો કાબૂમા આવી રહ્યો છે, અને 'સ્ટાન્ડર્ડ અને પૂવર્સ' નો  આંક ૮૦% વધ્યો છે.
                                                  આથી ૨૦૧૫મા અમેરિકન જીડીપી નો દર ૧.૫ થી ૩% સુધી પહોચવાની આગાહી છે. ફેડરલ રિજ઼ર્વની હળવી નાણા નીતિેઍ  પણ આર્થિક સ્થિતિમા ફરક લાવ્યો છે.
                                                   અમેરિકન ડૉલર  સામે ભારતીય રૂપિયો ૬૮.૮૩ અને ઈન્ડોનેશિયન રૂપિયો ૧૧૨૬૫ પર છે. દુનિયાના બીજા ચલણ પણ ડોલરનો માર સહી રહ્યા છે. જાપાની યેન ૯૭.૩૪ પર અને કોરિયન વૉન ૧૧૧૫.૩૫ પર છે.
                                                  ભારતીય રૂપિયો નીચે જઈ રહ્યો છે કારણકે ભારતીય બેન્કોના ખરાબ ધિરાણ વધી રહ્યા છે. ઇંટ્રેસ્ટ રેટ ઉંચા છે. નિકાસો વધી અને આયાતો ઘટી છે.  આપણી ચાલુ ખાતાની ખાંધ વધી રહી છે કારણકે પેટ્રોલ અને સોનાની આયાત વધતી જ જાય છે. ઍના પર પૂરતો અંકુશ નથી. રિજ઼ર્વ બેન્કે કોણ અને કેટલો વેપાર કરી શકે તેના પર પણ નિયંત્રણ મુકેલા છે. રૂપિયો તૂટવાના કારણમા વિદેશી હાથ પણ હોઈ શકે કે  રાજકીય પણ હોય શકે. રાજકીય નેતાઓ પોતાના વિદેશમા મુકેલા કાળા પૈસાની રોકડી વધુ કરવા માગતા હોય. ભૂતકાળમા પણ ચૂંટણી વખતે ડૉલરના ભાવ વધી ગયા હતા. મુળમા તો દેશની નબળી આર્થિક પરિસ્થિતિ જવાબદાર હોય છે.
                                *****************************************

Sunday, September 1, 2013


આજની ભારતની પરિસ્થિતિ

                             આજે ભારતની જનતા પરિસ્થિતિથી ત્રાસી ગઈ છે. મોંઘવારી અસહ્ય બની ચૂકી છે. રૂપિયો ઍનૂ મૂલ્ય ગુમાવી રહ્યો છે. પ્રગતી પણ અટકી ગઈ છે. દેશના દુશ્મનો આપણી સરહદો સાથે અડપલા કરી રહયા છે. ભ્રષ્ટાચારે મર્યાદાઓ વટાવી દીધી છે. સરકાર વહીવટ પર  કાબૂ રાખી શકતી નથી ત્યારે જનતા બિચારી પીસાઈ રહી છે. જનતાને કઈ સુજ પડતી નથી.
જનતા બિચારી શુ કરે?
---------------------
 નેતાઓ રખેવાળ મટી લુટેરા બન્યા,
લોકોના નાણાઓથી ઘર ભર્યા
શરમ આબરૂ ઍમણે નેવે મુક્યા
તો જનતા બિચારી શુ કરે?
 લુટેરાઓ નેતા બની બેઠા
 ધોળે દિવસે તારાઑ બતાવ્યા
 સારા માનવીઓ જીવતા મર્યા
તો જનતા બિચારી શુ કરે?
કાયદાઓ જ્યારે કામ  ન આવે
 નેતાઓઍ કાયદાને દાસ બનાવ્યા
ચારે બાજુ અંધકાર  ફેલાયો
ત્યારે જનતા બિચારી શુ ?
આ અંધકારમા જો કોઈ ચિનગારી લગાવે
તો જનતા બિચારી શુ કરે?
ભારત દેસાઈ
                                        ***************************************

Sunday, August 18, 2013


રૂપિયાની તો દશા બેઠી છે

                                ૧૯૪૭મા રૂપિયો અત્યાર જેટલો નીર્બળ ન હ્તો. ઍ ડૉલર્સ જેટલો જ હ્તો. ત્યારે ભારતને માથે  આટલુ બધુ દેવુ પણ ન  હ્તુ. ભારતના બીજા વિશ્વ યુધ્ધ પેઠે ઇંગ્લેંડ પાસે પૈસા  નીકળતા હતા. ત્યારે રૂપિયાના આનાનુ પણ ચલણ હ્તુ. સામાન્ય લોકો ૧૨ આનામા આગલી  હરોળમા બેસી પિક્ચર પણ જોઈ શકતા હતા. રૂપિયાની દશા પંચવરર્ષીય યોજના શરૂ થઈ અને વિશ્વમાથી ભારતે જ્યારથી લોનો લેવા માંડી ત્યારથી શરૂ થઈ છે.
                            ૧૯૪૮મા ૪.૭૯ રૂપિયા ૧ ડૉલર બરાબર હતી. ઍ મૂલ્ય ૧૯૬૬ સુધી ચાલુ હતુ.
૧૯૬૭મા રૂપિયાનુ અવમૂલ્યન થયુ અને ઍ ની કીમત ડૉલર સામે૭.૫૭ જેટલી થઈ. ત્યાર બાદ ૧૯૭૫ ઍનુ અવમુલ્યન ૮.૩૯ થયુ. ૧૯૮૫ ડૉલર સામે ઍનુ મૂલ્ય ૧૨ રૂપિયા હતુ. ૧૯૯૧મા  ૧૭.૯૦ રૂપિયા અને ૧૯૯૩ મા ડૉલર સામે રૂપિયો ૩૧.૩૭ પર જઈને બેઠો. આમ રૂપિયાની અવદશા  શરૂ થઈ અને રૂપિયો ૨૦૦૧ થી ૨૦૧૦ વચમા આશરે ૪૫ સુધી નીચે ગયો. ઑગસ્ટ ૨૦૧૩ ઍ ૬૧.૮૦ સુધી નીચે ગયો છે.
                              ભારતીય નાંણા સ્થિતિ બગડતા  રૂપિયાની  પડતી શરૂ થઈ છે. ભારત સરકાર રૂપિયાના અવમુલ્યન અટકાવવા હવાતિયા મારી રહી છે કારણકે ઍના થકી ભારતીય નિકાસને ભયંકર નુકશાન થઈ રહ્યુ છે.  ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થઈ રહ્યુ છે.
                               રૂપિયાને બચાવવા ભારત સરકારે સોના /ચાંદી જેવી ધાતુઑ પર જકાત વધારી દીધી છે. ઘરોમા પડેલા સોનાના જથ્થા ને બહાર લાવવા માટે ગોલ્ડ બોન્ડ લાવવાનુ વિચારી રહી છે. પરદેશી ચલણની ડીપોજીટો પરના ઇંટ્રેસ્ટ રેટ વધારવાની બૅંકો ને પરવાનગી પણ આપી છે. આ બધા રૂપિયાના વધુ અવમુલ્યન રોકવામાટે છે. ટુંકમા ભારતનુ અર્થતંત્ર નાજુક સ્થિતિમાથી પસાર થઈ રહ્યુ છે. જો સખત પગલા નહી લેવાય તો નાણાકીય સ્થિતિ વધુ નાજુક થવાની સંભાવના છે.
                                      *************************************

Wednesday, August 14, 2013



શારીરિક  સ્વાસ્થ્ય

                                         પેરાલિસિસનેથી બચવાના ઉપાયો- હાર્વર્ડ મેડિકલ સ્કૂલ
                                           -------------------------------------------------------
૧)ડોક્ટોરના સૂચન મુજબ તમારુ વજન કાબૂમા રાખો.
૨) દારૂ પીતા હો તો ઍનૂ પ્રમાણ ઓછુ કેરી નાખો. પુરુષો માટે દિવસના બે વાર અને સ્ત્રીઓ માટે ઍક વાર દારૂ પીવો યોગ્ય રહેશે. તે પણ ૧.૫ ઔંસ થી વધુ  દારૂ  ઍક વારના ગ્લાસમા ન હોવો જ઼ોઈઍ.
૩)૫૧ વર્ષના અંદરના ઍ ૨૩૦૦ મિલીગ્રામ દિવસનુ અને ૫૧ વર્ષના ઉપરના ઍ ૧૫૦૦ મિલીગ્રામ દિવસના મીંઠુ ખાવુ જ યોગ્ય રહેશે. ડાયાબિટીસ, અને કિડ્ની જેવા રોગો માટે ઍ નિયમ વધારે લાગુ પડે છે.
૪)ચરબી, અને સુગરવાળા પદાર્થો થી દૂર રહેવુ. પરંતુ ફળો, લીલા શાકભાજી, મચ્છી,  કઠોર, વગેરે ખોરાક શરીર માટે સારા હોય છે.
૫) બેઠાળૂ જીવન ઘણીવાર પેરાલિસિસને નોતરે છે. થોડુ ચાલવાનુ રાખો અને તમારા ડૉક્ટર ના સૂચન મુજબ કસરત કરતા રહો.
                                      દરરોજની પ્રવૃતિમા  આવી વસ્તુઓનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
                                      -------------------------------------------------------------
-ઉભા ઉભા કામ કરવાની ટેવો સ્વાસ્થ્ય માટે સારી છે.
-ટી વી જોવામા ઑ છો સમય ગાળો. તેને બદલે વધારેને વધારે તમારી શારીરિક પ્રવૃતિ  થાય ઍવી પ્રવૃતિઓ વધારો.
-ઍક કલાકના આરામ બાદ ૧૦ મિનિટનુ હલન ચલણ જરૂરી છે.
- લાંબુ ચાલવા કરતા ખાધા પછી ટૂંક પ્રમાણમા ચાલવા થી સુગર ઓછી થાય છે.
-તમે લોકોની સાથે ચાલો તો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારુ છે. ઍ ની સાથે તમારા સામાજીક સબંધો પણ વધે છે.
                                                      સિનિયરો માટેના સૂચનો
                                                       ----------------------
-બદલતા સમય સાથે પગ મિલાવવા જરૂરી છે
-તમને ગમતી પ્રવૃતીઓમા ભાગ લેવો જરૂરી છે.
-મિત્રો સાથેનો સંપર્ક જાળવી રાખો
-ઉંઘ પુરી લેવી જરૂરી છે.
-પૂરતો ખોરાક  અને જરૂરી પ્રવાહી લેવુ પણ જરૂરી છે.
-તમને ગમતી કસરત કરવી જરૂરી છે.
-તમારા મગજને સતેજ રાખવા  નવી નવી વસ્તુઓ શીખવી જરૂરી છે.
                                 ********************************************