Wednesday, July 1, 2020


જીવનનું સત્ય
                                                                                           આપણે એવું  જીવન જીવીએ છે કે જે  વિચિત્રતાથી ભરપૂર છે . માણસ જીવતો હોય, એના કરતા એના  મરણ બાદ  વધારે  ધ્યાન  આપીએ છીએ . કોઈ  વ્યક્તિ જ્યારે  જીવિત હોય કે  બીમાર હોય  ત્યારે એની ખબર લેવાનો  ઘણીવાર  વખત પણ  નથી હોતો.  એજ વ્યક્તિ મરણ પામે ત્યારે એના  પ્રત્યે સહાનુભુતી બતાવવા માટે  સમય કાઢી શકાય છે. આજ જીવનની એક કમનસીબી છે.
                                                                              ઘણીવાર આપણા પાડોસી સાથે પણ સબંધ હોતો નથી. એ ભાઈ કોણ છે અને એમની પ્રવૃતિઓ વિષે પણ આપણને જ્ઞાન હોતું નથી. પરંતુ એવો કોઈ ખરાબ પ્રસંગ બને ત્યારે  સમય કાઢીને એની મુલાકાત લઈએ છે અને ત્યારે જ પાડોશીનું ઘર જોવાનું થઇ જીવનનું સત્ય
                         આપણે એવું  જીવન જીવીએ છે કે જે  વિચિત્રતાથી ભરપૂર છે . માણસ જીવતો હોય, એના કરતા એના  મરણ બાદ  વધારે  ધ્યાન  આપીએ છીએ . કોઈ  વ્યક્તિ જ્યારે  જીવિત હોય કે  બીમાર હોય  ત્યારે એની ખબર લેવાનો  ઘણીવાર  વખત પણ  નથી હોતો.  એજ વ્યક્તિ મરણ પામે ત્યારે એના  પ્રત્યે સહાનુ ભુતી બતાવવા માટે  સમય કાઢી શકાય છે. આજ જીવનની એક કમનસીબી છે.

                             ઘણીવાર આપણા પાડોસી સાથે પણ સબંધ હોતો નથી. એ ભાઈ કોણ છે અને એમની પ્રવૃતિઓ વિષે પણ આપણને જ્ઞાન હોતું નથી. પરંતુ એવો કોઈ ખરાબ પ્રસંગ બને ત્યારે  સમય કાઢીને એની મુલાકાત લઈએ છે અને ત્યારે જ પાડોશીનું ઘર જોવાનું  થાય છે, એ પણ જીવનની કમનસીબી છે. કેટલાક લોકો શા  માટે પાડોસીની સાથે સબંધ વિકસાવતા નથી?જીવનમાં ખરાબ વખતમાં પાડોશી જ સૌથી પહેલા કામ આવે છે.
                                    હાસ્યાપદ વાતતો એ છે કે ઘણીવાર મનુષ્ય મરણ બાદ વધારે ગુલાબો લોકો દ્વારા  મેળવે છે .સમાજમાં માણસ જીવતો હોય છે ત્યારે બહુ ઓછા ઓળખ આપે છે, પરંતુ  એના  મરણ બાદ  મોટર કારોની કતારો એના મૃત શરીરની પાછળ ચાલતી હોય છે એ પણ કઠોર સત્ય છે.
                                  કેટલીક વાર માણસના ઘરમા ગ્રેનાઇટનું રસોડું બનાવી શકતો નથી પણ એના મૃત્યુ બાદ એની કબર પર ગ્રેનાઈટેની તખ્તી જરૂર જોવા મળે. આ પણ જીવનની બલિહારી છે . આતો એવું છે કે માણસ જિંદગીભર લિમો કારમાં બેસવાની શક્તિ ધરાવતો  નથી પણ એના મૃત શરીરને લિમો કારમાં લઇ જવામાં આવે  છે.
                                  આનો અર્થ એમજ થાય છે કે માણસે  જીવનના મૂલ્યો મૃત્યુ પહેલા જીવનમાં શીખવા જરૂરી છે.  માણસે  જન્મથી જ   માણસાઈ કેળવવાની જરૂરિયાત  છે .             
                           
                                   છે એ પણ જીવનની કમનસીબી છે. કેટલાક લોકો શા  માટે પાડોસીની સાથે સબંધ વિકસાવતા નથી?જીવનમાં ખરાબ વખતમાં પાડોશી જ સૌથી પહેલા કામ આવે છે. હાસ્યાપદ વાતતો એ છે કે ઘણીવાર મનુષ્ય મરણ બાદ વધારે ગુલાબો લોકોદ્વારા  મેળવે છે .સમાજમાં માણસ જીવતો હોય છે ત્યારે બહુ ઓછા ઓળખ આપે છે, પરંતુ  એના  મરણ બાદ મોટર કારોની કતારો એના મૃત શરીરની પાછળ ચાલતી હોય છે એ પણ કઠોર સત્ય છે.
                                  કેટલીક વાર  માણસના ઘરમા ગ્રેનાઇટનું રસોડું બનાવી શકતો નથી પણ એના મૃત્યુ બાદ એની કબર પર ગ્રેનાઈટેની તખ્તી જરૂર જોવા મળે. આ પણ જીવનની બલિહારી છે . આતો એવું છે કે માણસ જિંદગીભર  લિમો કારમાં બેસવાની શક્તિ ધરાવતો  નથી પણ એના મૃત શરીરને લિમો કારમાં લઇ જવામાં આવે  છે.
                                  આનો અર્થ એમજ થાય છે કે માણસે  જીવનના મૂલ્યો મૃત્યુ પહેલા જીવનમાં શીખવા જરૂરી છે.  માણસે  જન્મથી જ   માણસાઈ કેળવવાની જરૂરિયાત  છે .
                                          **************************           
                           
                                 
                                  

Sunday, June 14, 2020


મહાભારતનું યુદ્ધ એજ જીવન યુદ્ધ
                                                                       મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ અર્જુનને ગીતા કહી હતી તે ભીષણ અને હિંસક યુદ્ધહતું .  એમાં અર્જુનને ભગવાન કૃષ્ણ એના સ્નેહીઓ , કુટુંબીઓ, વડીલો અને ગુરુ સામે ધર્મનું પાલન કરી યુદ્ધ કરવા ઉપદેશ આપે છે . એજ ઉપદેશ માનવીય જીવનને પણ લાગુ પડે છે. માનવીનું જીવન પણ એક સંગર્ષમય યુદ્ધ છે . માનવીના જીવનમાં પણ બહારીને  અને આંતરિક યુદ્ધમાં ગીતાનો ઉપદેશ કામનો છે.
                                                                      જીવનમાં  બહારી  યુદ્ધ,  માનવ અને માનવ વચ્ચેનું યુદ્ધ,  અથવા સત્ય અને અસત્ય વચ્ચેનું યુદ્ધ,  અથવા  સારા અને ખરાબ વ્યક્તિઓ વચ્ચેનો સંગર્ષ અથવા ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ હોય છે . એ યુદ્ધમાં   મૃત્યુ અને મિલકતનું પણ નુકશાન થઇ શકે છે.
                                                                        જ્યારે આંતરિક યુદ્ધમાં માનસિક શાંતિ, અથવા આંતરિક ખુશી અથવા આત્મ સંતોષનો નાશ થઇ શકે છે.
                                                                      ગીતા મનુષ્યના આંતરિક અને બાહરી  સંગર્ષ  માટે ઉકેલ દર્શાવે છે.  જીવનના આંતરિક અને બહારી યુદ્ધમાં માનવીય  ઈચ્છાઓ,  જરૂરિયાતો. અપેક્ષાઓ , લોભી વૃત્તિઓ , અને વેરવૃત્તિ  જવાબદાર હોય છે.

                                                                      આ માનવીય જીવનના યુદ્ધમાં  ફક્ત બે  જ પરિણામો આવે છે.  જીત અને હાર .  પરંતુ ગીતા કહે છે '  જીવનમાં  જીતો તો પણ  એ તમારા માથા પાર ચડવું ન જોઈએ અને માનવતા ન ગુમાવવી જોઈએ. હારમાં મનુષ્યે રડવું ન જોઈએ અને કોઈના તરફ દ્વેષ વૃત્તિના રાખવી ન  જોઈએ. દરેક હારમાંથી શીખવું જોઈએ અને વર્તમાન  સ્થિતિ પ્રમાણે રહેતા શીખી લેવું જોઈએ. સ્થિપ્રજ્ઞ બનતા શીખવું જોઈએ.                     
                                                                      હાર અને જીતમાં  ગીતા શું કહે છે? મનુષ્યે જીવનયુદ્ધમાં  નિસ્પ્રુહ , ભયરહિત, અને ક્રોધને કાબુમાં રાખતા  શીખવું જોઈએ. તમારા વિચારો અને આચરણમાં સમન્વય હોવો જોઈએ.  સકારત્મક રહી તમારા ધેય્ય  તમારું પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ.  તમારામાંથી ઈર્ષા , શોક , વેર
અને નિરાશા જેવી વૃત્તિને તજી દેવાથી જ સુખનો અનુભવ થઇ શકે.
                                                                          આમ ગીતા ને જીવનમાં ઉતારવાથી જીવનનના ઘણા પ્રશ્નોનો ઉત્તર મળી જાય છે.
                                                       *******************************************
                                                                           
                                                                     
                                                               
  ,

Monday, June 8, 2020


કોરોના વિષે
                                                                                                       કોરોના  વિષે લોકોને વધારેને  વધારે જાણવાની ઉત્સુકતા છે. એ બાબતમાં દુનિયામાં ઘણું સંધોધન ચાલી રહ્યું છે. કારોના બાબતમાં ઘણી ગેર સમજ પણ પ્રવર્તતે છે . એ બાબતમાં ' યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ , અમેરિકાના ચેપી રોગોની  ક્લિનિક દ્વારા કેટલીક રજૂઆતો કરી છે. તે ઘણી માહિતીજનક છે.
                             જો કોરોના  તમારા શરીરની સેલ દીવાલની  અંદર પ્રવેશી હોય તો એનો નાશ કરવો અશક્ય છે . જો કોરોનાનો દર્દી ઘરમાં હોય તો ઘરની ફર્શને ડીસ ઈનફેક્ટ કરવાની જરૂરી  નથી. પરંતુ તમારા રક્ષણ માટે  દર્દીથી ૨ મીટરનું અંતર રાખવું જરૂરી છે.  અને વારેઘડીએ સાબુથી હાથ ધોવા જરૂરી છે.

                              પેક કરેલો માલ,  એટીમ, ગેસ પંપ , શોપિંગ કાર્ટ , ચેપી રોગ ફેલાવતા નથી પરંતુ સાવચેતી માટે સામાન્ય રીતે  હાથ ધોવા જરૂરી છે . કેરોના મંગાવેલા  ખોરાક દ્વારા ફેલાતો નથી પણ એનો ચેપ ફ્લુજેવો  ડ્રોપ દ્વારા ફેલાય છે .  કોરોના ૧૯ એ  શ્વાસોશ્વાસના ડ્રોપ દ્વારા જ ફેલાય છે.   કોરોના સ્વચ્છ  હવામાં હોતો નથી. તમે શારીરિક અંતર જાળવી સ્વચ્છ હવામાં , એટલેકે બાગમાં  ફરી શકો છો.
                               તમે ઘરમાં હોવ તો વસ્ત્રો બદલવાની જરૂરિયાત નથી  કે પછી શોવર લેવાની પણ જરૂર નથી. પરંતુ  સ્વચ્છતાની દ્રષ્ટિએ  નાહવાનું અને સ્વચ્છ કપડા પહેરવું આવશ્યક છે.

                               કોરોના વાયરસ  એ બેક્ટરિયા નથી એટલે એન્ટી બેકટેરિયા સાબુ વાપરવાની જરૂર નથી. સામાન્ય સાબુ વડે પણ  હાથ ધોઈ શકાય છે. બુટ દ્વારા વાઇરસ સામાન્ય રીતે ફેલાતો  નથી.
                                     જયારે  ગિરદી જેવી વસ્તીમાં જાવ તો માસ્ક પહેરવો  આવશ્યક છે.  પરંતુ લાંબો વખત માસ્ક પહેરી રાખવાથી શ્વાશોશ્વાશની પક્રિયામાં અવરોધ પણ થાય છે અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ પણ અવરોધે છે . આથી આવશ્યકતા પ્રમાણે  માસ્ક  પહેરતા રહેવાની જરૂરિયાત છે .
                             આતો લોકોની માહિતી સંધોધનના અહેવાલને  આધારે આપેલી છે.
                                         ***********************************   
                           

Wednesday, June 3, 2020


સબકા સાથ
                                                                                       દુનિયામાં લોકોને  સાથમાં  લઈને કામ કરવામાં જે  સફળતાનો  આનંદ અને સંતોષ મળે છે એ અજબ છે. રતન તાતાએ કહ્યું છેકે  ' નજદીક  અને જલ્દી  પહોંચવું હોય તો એકલા જવું સારું પરંતુ મુસાફરી લાંબી હોય તો સમૂહ માં જવું  ઉચિત છે.' આથી પંખીઓ પણ આકાશમાં એક દિશામાં સમૂહમાં જ ઉડે છે કારણકે સમૂહમાં ઉડવાથી શક્તિઓ વધે છે અને અંતર પણ જલદી કપાઈ જાય છે .
                                ટીમ વર્ક માં  કાર્યદક્ષતા  વધે  છે અને જરૂર પડે નેતા પણ બદલવાનો અવકાશ રહે છે. સમૂહમાં  એકબીજા પ્રત્યે સ્નેહ , માન અને લાગણી પણ જન્મે છે. એક બીજાને પ્રોત્સાહિત કરવાથી નિષફળતાનો ભય દૂર થાય છે. અને ઉત્તમ પરિણામ મળે છે.

                                ટીમ ના સભ્યો જો એકબીજા પ્રત્યે માન રાખી એક લક્ષ્યથી કામ કરે તો  સર્વ તેમનું  લક્ષ તરફ જલદી પહોંચી શકે  છે. ટીમના સભ્યો જો એકબીજા તરફ માન રાખી, અને  મતભેદોને ભૂલી ને  કામ કરે જાય તો કોઈ સફળતાને અટકાવી શકે નહિ.
                                    ટીમમાં  મૈત્રી ભર્યા સબંધો જ ઉત્તમ સફળતા અપાવે છે. જરૂર પ્રમાણે  નેતાની બદલી કોઈ પણ જાતના સંગર્ષ વગર પર ઉતરે એજ ટીમ વર્કનો ઉત્તમ નમૂનો છે.

                                    પક્ષો જયારે સમૂહમાં ઉડે છે ત્યારે એક પક્ષી થાકી જાય તો બીજું પક્ષી એની સાથે ઉડવા માંડે છે અને એને સહારો આપે છે. નેતા બદલાતા પક્ષીઓના સમૂહમાં પણ નેતા પોતાનું સ્થાન છોડી
પાછળ ઉડવા માંડે છે. અને નવો નેતા એનું સ્થાન સહજ રીતે લઇ લે છે. અને આમ પક્ષીઓનો સમૂહ હજારો માઈલ ઉડીને એમના નિશ્ચિત સ્થાન પર સહી સલામત પહોંચી જાય છે. એમાંથી ટીમ વર્ક વિષે માનવ જાતે ઘણું ઘણું શીખવાનું છેકે ' સફળ ટીમ વર્ક શું કહેવાય?
                             *************************************************
                                                   

Wednesday, May 20, 2020

ગુજરાતી શાયરીઓ

                                                                   
                                                                      અમે સમંદર ઉલેચ્યો છે પ્યારા !
                                                                      નથી માત્ર  છબછબીયા  કીધા કિનારે .
                                                                            ' શૂન્ય પાલનપુરી '
                                                                       લોકોના  ઘા તો કૈક સહયા
                                                                       પણ જાન ગયો છે  એક  ઉઝરડે.
                                                                             'અમર પાલનપુરી'
                                                                        જોબન ગયુંને પાનખર આવ્યો
                                                                        ક્યારે બુઢાપો આવ્યો  તેનો ખ્યાલ ન આવ્યો.
                                                                        બુઢાપો જોઈને જવાની  થથરી જાય છે
                                                                        જેમ સૂકા પાંદળાઓથી  ઝાડની સુંદરતા ચાલી જાય છે.
                                                                               'ભારત  દેસાઈ '

                                                                        ખુન્નસ ફરે છે લઇ ખંજર  શહેરમાં
                                                                         છલકી રહયા  છે રક્ત સરોવર શહેરમાં
                                                                        બેમાંથી એકે હોય તો  ના હોય આ દશા
                                                                         અલ્લાહ પણ નથી, નથી ઈશ્વર શહેરમાં
                                                                                    'અમૃત ઘાયલ ' 
                                                                          પજવે છે આમ શાને અલ્લાહ તું સીધો રહે
                                                                           શું જોઈએ છે  તારે હાજર  થઈને કહે
                                                                           શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી                                                                                                              જરૂર ?
                                                                           કુરાનમાં તો ક્યાંય પયગંબરની  સહી                                                                                                               નથી
                                                                                     'જાલન  માતરી '

                                                                           આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે
                                                                            જે  વચન દેતા નથી તેયે નભાવી જાય છે.
                                                                                       'મરીઝ '
                                                                             તારું કશું ન હોય તો છોડીને આવતું
                                                                             તારું જો  બધું હોય તો છોડી બતાવ તું
                                                                                      ' રાજેશ વ્યાસ '

                                                                             મંગળ પર પહોંચ્યા એનો મતલબ શો?
                                                                             માણસથી  માણસ લગ  તો પહુંચાયું  નહિ.
                                                                                        'ભરત ભટ્ટ '

                                                                           ********************************


                   

                     

           

                                     

Thursday, May 14, 2020


પદ્મનાભસ્વામી  મંદિરનો ખજાનો
                                                                                              ભારતમાં મંદિરોમાં અઢળક  હીરા, મોતી,  રત્નો અને  સોનાનો ખજાનો પડ્યો છે જો એનો ઉપયોગ સારી રીતે થાય તો ભારતની  ગરીબી  નાબૂ દ થઇ જાય એમ છે. એમાં પદ્મનાભસ્વામી મંદિરનો ખજાનો તો એટલો અઢળક છે કે જે કેટલાએ દેશોના આર્થિક બજેટો  પાર કરી જાય એટલો છે.
                                                      પદ્મનાભસ્વામી એટલે વિષ્ણુનુંએ મંદિરનો ઇતિહાસ ૨૩૦૦ વર્ષ પૂર્વેનો છે.  ત્રાવણકોર મહારાજના એ ઇસ્ટ દેવ છે.  એ મંદિર તિરૂવંથપુરમ, કેરાલામાં આવેલું છે. પરંતુ એના એ, બી. સી, ડી , ઈ, એફ જે  'વોલટો, ' છે એમાં સોના ચાંદી, ઝવેરાતના અમૂલ્ય ખજાનાઓ પડેલા છે.  સી , ડી, ઈ , એફ  વોલટો તો ખોલવામાં આવેલા પરંતુ એ  અને બી જે બંધ હતા તે સુપ્રીમ કોર્ટના આદેશથી ખોલવામાં આવેલા ત્યારે એમાંથી અધધ જેટલું  ઝરઝવેરાત અને સોનુ નીકળ્યું તેની કિંમત કરવી મુશ્કેલ છે કારણકે એની એન્ટિક વૅલ્યુ 3  ટ્રિલિયન ડોલરથી પણ વધી જાય છે.

                                                       જયારે એ વોલ્ટના દરવાજા ખોલી  જમીનમાં આવેલી સુરંગ ખોલવામાં આવી અને પ્રકાશના  કિરણો એમાં દાખલ થયા ત્યારે અંદર પડેલા ઝરઝવેરાતથી રુમ જળહળી ઉઠ્યો હતો. જેમ અંધારી રાત્રિમાં તારાઓના પ્રકાશથી નભો મંડળ જળહળી ઉઠે .

                                                      એ ગુફામાંથી  ઝરઝવેરાત કાઢતા ૧૫ માણસોને એક દિવસ લાગ્યો હતો. એમાંથી સોનાની  ૪ફૂટ ઊંચી અને  ૩ ફુટ પહોળી શેષનાગ પાર બેઠેલા વિષ્ણુની મૂર્તિ પણ હતી. તે ઉપરાંત ૧૮ ફુટ લાંબો સોનાનો હાર,  સોનાની ઢાલ,  સોનાનું નારિયળ જેમાં હીરા , મોતી  અને રત્નો જડેલા  હતા. સોનાનું હીરા જડિત સિંહાસન, રોમન, નેપોલિયન, અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વખતના લાખો  સોનાના 
 સિક્કાઓ પણ મળ્યા હતા . ૧૧૦ કેરેટથી પણ વધારેના કેટલાએ હીરા મળ્યા હતા. એની સરખામણીમાં મશહૂર  કોહિનૂર હીરો જે ઇંગ્લેન્ડની રાણીના મુગટમા છે એતો ફક્ત ૧૦૫કેરેટના વજન વાળો છે. ટૂંકમાં આ સમૃદ્ધ ખજાનાનું મૂલ્ય રૂપિયામાં  આશરે ૧.૩ લાખ કરોડ થાય  જ્યારે ડોલરમાં  ૨૦૦ બિલિયોન થાય.  પરંતુ જોએની  એન્ટિક  વૅલ્યુ માં લેવામાં આવે તો ૭ થી વધારે  ટ્રિલિયન ડોલર જેટલી થવા જાય છે . કહેવાનો અર્થ એ છે કે એનું એટલું મૂલ્ય છેકે કોઈ પણ દેશની અર્થ વ્યવસ્થાને બદલી શકે છે .
                                                 હજુ બીજા બે નવા વૉલ્ટ મંદિરમાં  મળ્યા છે એને તો હજુ ખોલ્યા નથી.
આ દ્રષ્ટિએ જોઈએતો પદ્મનાભસ્વામી દુનિયાનું સમૃદ્ધમાં સમૃદ્ધ મંદિર છે. એમ કહેવાય છેકે પુરાણકારમાં એના ખજાનાને સમુદ્રમંથનમાંથી મળેલા ખજાનાથી પણ ભરવામાં આવ્યો છે.
                                       **********************************************      

Saturday, May 2, 2020


કોરોના અને રમૂજ
                                                                                              આજે આખી દુનિયા પર કોરોનાનો કેર વ્યાપેલો છે. કેટલાએ દેશોમાં તદ્દન લોક ડાઉંન ચાલે છે અને લોકો એમના ઘરોમાં પુરાયેલા છે. તે વખતે  જીવનને કેવી રીતે હળવું બનાવવું એ લોકોના પોતાના પર આધાર છે.  તે ઉપરાંત કોરોના પર રમૂજ ઉત્ત્પન કરતા ઘણા  દાખલાઓ બહાર આવ્યા છે. જીવનમાં મુશ્કેલ વખત કેવી હળવી રીતે પસાર કરવો એ પણ એક કળા છે.
                                     બહારનું દરરોજ ખાનારાને  હવે સવારસાંજ  પત્નીના હાથે ખાવું પડે છે. આથી એવા એક પતિએ પત્નીને કહ્યું કે' તારા હાથનું ખાઈ ખાઈને હવે હું અંચાઈ ગયો છું .'  હાજર જવાબી પત્નીએ કહ્યું' તો બહાર જાવ અને પોલિસનો માર ખાવ '.
                                     આપણામાં કહેવત છે કે ' એકલા આવેલા એકલા જવાના .'  પરંતુ હવે એવા દિવસો આવ્યા છે કે ' એકલા આવ્યા પણ જેટલા સંપર્કમાં તે બધા જવાના .'
                                     પત્નીએ પતિને કહ્યું  કે ' તમે માસ્ક પહેરી લો '. પતિને આશ્ચર્યતાથી કહ્યું '  હું તો ઘરમાંજ છું . બહાર તો જતો નથી પછી માસ્ક પહેરવાની શું જરૂર ?' અરે તમારું ૨૪ કલાક મોઢું જોઈ જોઈને હવે હું થાકી ગઈ છું.' પત્નીએ તરતજ જવાબ આપ્યો.'' બિચારો પતિ '


                                     અત્યાર સુધી ટ્રકની પાછળ લખવામાં આવતું હતું કે' થોડું  અંતર રાખો ' પણ હવે કોરોના કાળમાં  માણસની પાછળ  એવું  લખવાનો સમય આવી ગયો છે.
                                      હવે કુદરતની બલિહારી તો જુઓ કે જયારે વાતાવરણ શુદ્ધ થયું છે. શુદ્ધ હવા મળે છે . ત્યારે  મોઢા પર માસ્ક પહેરી રાખવો પડે છે.
                                          કોરોનાએ હવે  શ્વાસની  કિંમત વધારી દીધી છે કારણકે એ ફેફસા પર જ હુમલો  કરે છે અને શ્વાસ લેવાની શક્તિ હણી લે  છે. અને માણસ મૃત્યુ પામે છે.
                                       જોવાનું તો એ છે કે પતિ પત્ની વચ્ચે વાત કરવાનો વખત ન હતો ત્યાં હવે વખત જ  વખત  છે.  માં બાપને પુત્ર પુત્રી સાથે કામ પૂરતી વાત કરવાનો સબંધ હતો ત્યાં હવે માબાપ પુત્રો કે પછી પુત્રીએ બનાવેલી નવી નવી વાનગીઓ માણવા માંડયા છે. આ બધો કોરોનાનો જ પ્રતાપ છે. સમયની આ બલિહારી છે.
                                            **********************************