Friday, May 26, 2017


કીડનીની તકલીફ અને ઍના ચિન્હો
                                                                           
                                                                     માનવી માટે હાર્ટ, બ્રેન, આંખ અને કીડની ઍ  મહત્વના અંગો છે. આથી ઍની કાળજી લેવી આવશ્યક છે. ઍમા કીડની  પણ મહત્વનુ અંગ છે.  કીડનીંની તકલીફના ચિન્હો  દેખાય તો ઍની અવગણના કરવી ન જોઇઍ.
કીડનીની તકલીફ હોય તો
૧) મોઢામાથી ગંધ આવે છે.
૨) લોહીનુ દબાણ વધી જાય છે.
૩) વારે ઘડી ઍ પીસાબ કરવા જવુ પડે છે.
 ૪) પીસાબમા લોહી અને ફીણ આવવુ.
 ૫) સોજા આવવા
 ૬) ચામડીના દર્દ થવા
૭) શરીરના સાંધાઓમા દર્દ થવુ.
૮) ઉલટી જેવુ  થવાના ચિન્હો ઉદ્ભવવા.
 ૯) નબળાઈઓ આવવી.

                                                                             આની સામે બચાવના પગલા પણ લઈ શકાય છે.
૧)આખા દિવસમા ૪ થી ૬ ગ્લાસ  પાણી પીવુ.
૨) મીઠાનો ઉપયોગ ઑછો કરી નાખવુ
૩) ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરને કાબૂમા રાખવુ.
૪) તેલ, મસાલા વાળા અને ટૉક્સિક પદાર્થો ખાવાનુ બંધ કરવુ
૫) દારુ, સિગરેટ જેવા અન્ય નશા બંધ કરવા.
૬) કસરત કરવી
૭) પીસાબને રોકવો નહી.
૮)વજન પર કાબૂ રાખવો.
૯)  પૈન કિલર, અને  ઍંટી બાયોટીક ઑછીલેવી.
૧૦) ડૉક્ટર પાસે નિયમિત ચેક કરાવતા રહેવુ  જોઇઍ.
                                             આવા પગલાઓ નિયમિત લેતા રહેવા જોઇઍ
                                                           ******************************

Sunday, May 21, 2017


સુંદર, રમણીય, અલ્હાદક અને પવિત્ર ગિરિરાજ હિમાલય
                                                                                             તાજેતરમા જ હિમાલયને માણવાનો અવસર મળ્યો. ઍ  ઋષીઓ, સંતો અને દેવોની પવિત્ર ભૂમિ છે. હજારો વર્ષો જૂની હિન્દુ સંસ્કૃતીનુ ઍ મૂળ સ્થાન છે ઍનો અહેસાસ ત્યા પગ મૂકતા જ થઈ જાય છે.

                                                                                              ભવ્ય બરફ આચ્છાદીત શીખરો. પરમ શાંતિ અને ચારેબાજુ હરીયાળી ઍ માણસને ઉચ્ચ વિચારો, સાધના કરવામા સહાય કરે છે,  ઍમાથી જ સર્વોચ્ચ ભારતીય સંસ્કૃતીનુ નિર્માણ થયુ છે. ઍના વિષે કોઈ શંકા ન થઈ શકે. હિમાલયના પહાડોમાજ દેવી ગંગાનુ મૂળ છે જ્યા રામના પૂર્વજ ભગિરથે તપ કરી ગંગાને ભારતના મેદાનોમા ઉતારી હતી. ત્યા રાજા ભગીરથ અને ગંગાજી નુ મંદિર છે. આજુબાજુનો પ્રદેશ અત્યંત રમણીય છે જ્યાથી  નિર્મળ ગંગા નીકળે છે અને કલકત્તા પાસેની ગંગા સાગર જેવી દૂષિત બની નથી. આજ પ્રદેશમાથી જમુનાનુ મૂળ છે જે નદીને કિનારે ભગવાન શ્રી કૃષ્ણ ઍ ઍમની લીલાઓ કરી હતી. પરંતુ જમુનાના મુખ સુધી પહોચવુ મુશ્કેલ છે. ત્યા જમુનાજીનુ મંદિર બનાવાવામા આવેલુ છે. આ આખો પ્રદેશ રમણીય, હરીયાળો, પ્રદુષિત વિહીન અને બરફ આચ્છાદિત પર્વતીય શિખરોથી ભરપુર છે.

                                                                                                ઍકબાજુ પર ભગવાન શંકરનુ પવિત્ર મંદિર કેદારનાથ આવેલુ છે જે આશરે ૧૦૯૦૦ ફીટ પર આવેલુ છે ઍમા ભગવાન  શંકરના  પાડા સ્વરૂપની પીઠનુ મૂર્તિ છે જ્યારે ઍવુ કહેવાય છેકે ઍનુ મસ્તક નેપાળમા  પશુપતિનાથ મંદિરમા સ્થાપિત થયેલ છે. મંદિર ની  પાછળ બર્ફ આચ્છાદિત પહાડો આવેલા છે. અહિઍથી પાંડવ મોક્ષ દ્વાર તરફ આગળ ગયા હતા.

                                                                                                   હીંમાલયના પહાડોમા જ ભગવાન વિષ્ણુ નુ બદ્રીનાથનુ મંદિર આવેલુ છે જે આશરે ૧૦૩૦૦ ફીટ પર આવેલુ છે જ્યા ભગવાન   વિષ્ણુઍ તપ કર્યુ હતુ. ભગવાનના રક્ષણ માટે લક્ષ્મીજીઍ બોરનુ વૃક્ષ બની વિષ્ણુને રક્ષણ આપ્યુ હતુ. બૉરના  વૃક્ષને સંસ્કૃતમા બદરી કહેવાય છે આથી ઍ મંદિર બદ્રીનાથ કહેવાય છે. મંદિરની બાજુમા મંદાકીની નદી વહે છે અને કુદરત બહુજ  આલહાદક લાગે છે.

                                                                                                પર્વતો પરથી પડતા પાણીના રેલાઓ, બરફો માથી નીકળતુ   નિર્મળ જળ. અને રસ્તાઓ પરથી વહેતુ પાણી આખા વાતાવરણ ને  અલ્હાદક બનાવી મૂકે છે. અને બે ઘડી તો લાગે છેકે આપણે  સ્વર્ગમા આવી પહોચ્યા છે. આવી સુંદર છે ચારધામની દેવભૂમિ.
                                    ***************************************** 

Monday, May 1, 2017


  કો કો કોલા                                                          
                                                            કો કો કોલા વિશ્વનુ અતિપ્રિય પીણા તરીકે પ્રખ્યાત છે, પરંતુ ઍના બીજા ગુણો જાણવા જરૂરી છે.
 ૧)  કપડા પર ગુંદર ચીટક્યો હોય ઍનાથી સાફ થઈ શકે છે.
૨) જીવડાના ડંખોથી થતી ખુજાલિઓ દૂર કરવામા મદદ રૂપ થાય છે.
૩) સિલ્વર જેવી ધાતુને સાફ કરી પોલિશ કરી શકાય છે.
૪) ઍનાથી કપડા પરના તેલના  ડાઘા અને  ફ્લોર પરના  ડાઘા સાફ થઈ શકે છે.
૫)  રસોડૂ અને બાથરૂમને પણ સાફ કેરી શકાય છે.
                                                                     જે  વસ્તુ જીવનમા થાક અને પ્રેશર દૂર કરવા  મદદ રૂપ થાય છે ઍ બીજી રીતે કેવૂ ઉપયોગી છે ઍનો પ્રયાગો કરી જોવા જેવુ છે.
                                                         *************************************

Wednesday, April 12, 2017


જાસુસીનુ  મહા નાટક
                                                               કુલભુષણ જાદવ જે  નેવીના નિવૃત્ત  ઑફીસર છે.  જેમનુ  ઈરાનથી  અપહરણ કરી પાકિસ્તાન લાવવામા આવ્યા, અને .ઍનાપર જાસૂસીનો આરોપ લગાવી પાકિસ્તાની  સેનાની અદાલતે ફાંસીની સજા ત્વરિત ફરમાવી દીધી છે. પરંતુ જે ગતિથી સજા પૂરાવા પ્રસિધ્ધ કર્યા વગર કરવામા આવી છે ઍ શંકા જનક છે. ભારત સરકાર અને ભારતની જનતા ઍ ઍક અવાજે ઍનો વિરોધ કર્યો છે. પાકિસ્તાની મેડિયાઍ પણ ઍ બાબતમા શંકાઓ જગાવી છે. આમતો કુલભુષણ ધંધા અંગે ભારતના પાસસપોર્ટ પરઈરાન ગયેલા હતા પરંતુ પાકિસ્તાને ઍમને ભારતની જાસુસી સંસ્થા' રો' ના  જાસૂસ ઠેરવી દીધા છે.

                                              વાત પરથી લાગે છેકે આની પાછ ળ પાકિસ્તાનની ઉંડી ચાલ છે. થોડા વખત પહેલા જ પાકિસ્તાની નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ મોહમદ હબીબ નેપાળ સરહદ પરથી ગુમ થયા છે. અહેવાલ પ્રમાણે જે ટીમે કુલભુષણ નુ  અપહરણ ઈરાનથી કર્યુ હતુ ઍ ટીમના હબીબ પણ સભ્ય હતા. તે ઉપરાંત હબીબ પણ પાકિસ્તાની જાસુસી સંસ્થા 'આઇ ઍસ આઈ' ના સભ્ય છે ઍમ માનવામા આવે છે.આથી પાકિસ્તાનને હબીબની ચિંતા છે અને પાકિસ્તાન માનેછેકે હબીબ ભારતના હાથમા પડી ચૂક્યા છે.
                                            આથી કુલભુષણને કરવામા આવેલી ફાંસીની સાથે હબીબની ઘટનાની સાથે સબંધ છે. પાકિસ્તાન કદાચ મોહમદ હબીબને  છોડાવા માટે કદાચ કુલભુષણનો પણ ઉપયોગ કરે. આખરે તો  આઍક પાકિસ્તાની સરકાર દ્વારા રચાવામા આવેલા નાટકનો ભાગરુપ લાગે છે. પરંતુ મુદ્દાની વાતતો ગમે તેવા સંજોગોમા  કુલભુષણ જાદવના જીવનને બચાવવાની છે. ભારત સરકારને માટે ઍ મુશ્કેલ કામ કેવી રીતે પૂરુ પાડવુ ઍ ઍક કોયડો છે?
                                             ***********************************

Saturday, April 8, 2017


ઑસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકા, આફ્રિકા અને ઇંડિયા
                                                                             ન્યૂજિલેન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂગિનીના આદિવાસીઓ દેખાવમા ભારતીય જેવા જ દેખાય છે. ૪૦૦૦૦ હજાર વર્ષો પહેલા આવેલા જમીનના ફેરફારોમા ઍ બધા  ઍક હતા તે જુદા જુદા ખંડોમા  છવાઈ ગયા. આજે ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, સાઉથ અમેરિકા, ઇંડિયા હજારો માઈલ દૂર જુદા ખંડો બની ગયા છે.  પરંતુ ઍના ઍક હોવાના પૂરાવા આજે પણ મોજુદ છે.
૧) ઍમા રહેતા આદીવાસીઓના ચહેરા, કેટલાક રીતરીવાજો ભારતીયોને  મળતા આવે છે.
૨) ભારતીય સ્થાપત્યના નમૂનાઓ  પણ મળી આવ્યા છે.
૩)  ઑસ્ટ્રૅલિયાની' ઉરુ મેગાલિથિક સાઇટ' પાછળ સંસ્કૃત ભાષાનુ રહસ્ય રહેલુ છે. સંસ્કૃતમા 'ઉરુ' નો અર્થ પૃથ્વી થાય છે. અને  ઑસ્ટ્રેલિયાનો 'અસ્ત્રનો' અર્થ હથિયાર થાય છે.  અને અલિયાનો અર્થ  ઘર થાય છે.આથી ભારત સાથેના સબંધનો ઍમા મહિમા સમાયેલો છે.

૪)  ઈંગલીશ ઇતિહાસકારો ' ગીમ્પ સાઇટ' ને પિરામિડ કહે છે જે  ઇજીપ્તના લૉકૉ ઍ બનાવ્યો હોવાનુ માનવામા આવે છે. પરંતુ ઍનો આકાર  ગણેશજીની મૂર્તિ જેવો છે.

૫)  પદમાસન મુદ્રામા વેદિક દેવની મૂર્તિ પણ  ઑસ્ટ્રેલિયામાથી મળી આવી છે.
૬) અજબની વાતતો ઍ છેકે  ઑસ્ટ્રેલિયાના આદીવાસીઓના કપાળ પર ભારતીય  વિષ્ણુ ભક્તો જેવૂ ટીલુ કપાળપર લગાડેલુ હોય છે.
                                                                                આજે હજારો ભારતીયો  વિદેશી તરીકે ઑસ્ટ્રેલિયામા રહે છે ઍમણે કદાચ કલ્પ્યુ પણ નહી હોય કે ઍમના  પૂર્વજો ૪૦૦૦૦ વર્ષ પહેલા અહિઍ રહેતા હશે.
                                                   *************************************

Tuesday, April 4, 2017


દારૂનો જાદૂ
                                                                                 વધારે પડતો દારૂ પીવાથી શરીર તો ખલાસ થાય છે પણ  સાથે સાથે પૈસેટકે કુટુમ્બો પણ બરબાદ થાય છે.  આથી દારૂ પીવામા સંયમની જરૂર છે. કેટલાક લોકો દુખો ભુલવા, જીવનના દબાણોથી બચવા દારૂનો સહારો  લે છે ઍ ઍમના માટે વિનાશક બની રહે છે.  પશ્ચિમના દેશોમા દારૂ ઍ જીવન જીવવાની હળવી શૈલી માનવામા આવે છે. ઍમા સંયમ અને મર્યાંદા હોય છે.  ઍક તથ્ય છે કે અમર્યાદિત દારૂ પીનારાઓ ઍમના  કુટુંબને અને ઍમની અર્ધાંગિનીઓને દુખી અને બરબાદ કરી દે છે. આથી સ્ત્રીઓનો દારૂ સામે મોટો વિરીધ પણ છે.
                         દુનિયાના મોટા મોટા દેશો જેવાકે અમેરિકા અને રશિયાઍ પણ દારુબંધીનો પ્રયોગ  કરી લીધો પરંતુ ઍમા ઍમને નિષ્ફળતા મળેલી છે. તે છતા  ભારતમા ગુજરાત, બિહાર. કેરાલા, મણિપુર  અને  નાગાલેન્ડ જેવા રાજ્યોમા દારુબંધી ચાલુ છે. ઉત્તર પ્રદેશમા દારુબંધી માટે મહિલા આંદોલન ચાલુ છે. આ દારૂના દૂષણો સામેના પગલા છે.  વસ્તુ ખરાબ હોતી નથી પરંતુ ઍને સેવન કરનારાઓની આદતો ખરાબ હોય છે.  કેટલાક અહેવાલો પ્રમાણે જો દારૂનુ  મર્યાદામા અને કદીક દવા તરીકે સેવન કરવામા આવે તો માનવીને  ઘણી બિમારીઓમાથી બચવા મદદ કરી શકે છે.  જેમ કે -
બીયર- હદયની અને ઉંચા લોહીના દબાણની બીમારીઓ દૂર કરવામા અમુક અંશે મદદ રૂપ થાય છે.
રેડ  વાઇન - ઍ  જીવન સમય લંબાવવામા મદદ રૂપ  થાય છે. સારો  કૉલોસ્ટરાલ વધારે છે અને ખરાબ કૉલોસ્ટરાલ ઘટાડે છે.
વોડકા- મોઢાની દુર્ગંધ દૂર કરે. સ્ટ્રેસ અન સ્ટ્રૈઈનને ઑછા કરે, ચામળીને તંદુરસ્ત બનાવે અને  ઍંટીસેપ્ટિક તરીકે કામ કરે છે.
વિશ્કી- ગરમ પાણી સાથે વિશ્કીના કોગળાકરવાથી ગળાની બિમારીમા રાહત મળે. વિશ્કીથી સારો કૉલોસ્ટરાલ વધે અને  હૃદયને તંદુરસ્ત રાખે.
રમ-  હાર્ટ તંદુરસ્ત રાખે અને લોહીને પાતળુ રાખે.
                          આ થોડા નૂસકા ડૉક્ટરની સલાહ પ્રમાણે અજમાવવામા આવે તો દારૂ ઉપયોગી પણ થઈ શકે ઍવુ મનાય છે.
                                       **************************************  

Saturday, March 18, 2017


કાયાનુ રહસ્ય
                                                                                                   આપણી  કાયા અનેક તત્વોની બનેલી છે જેનુ વિશ્લેષણ આપણા શાસ્ત્રોમા પણ થયેલુ છે.  આપણે હાડ માંસની કાયા માટે આખી જિંદગી શુ ન શુ નથી કરતા.  મોહ, માયા અને કામ માણસને આંધળો બનાવી ન કરવા જેવી વસ્તુઓ પણ કરાવી નાખે છે. પરંતુ માનવીને ખબર નથી કે કાયાતો નાશવંત છે. ઍમા રહેલો જીવ જ અમર છે જેને ઍક શરીરમાથી બીજા શરીરમા કર્મ પ્રમાણે ભટકવુ પડે છે. ભગવાન કૃષ્ણઍ પણ ગીતામા ઍનુ પ્રતિપાદન કર્યુ છે.
                                         મુખ્ય પ્રશ્ન  ઍ છેકે કાયા શાનુ બનેલી છે? અને ઍની પાછળ વિજ્ઞાનિક દ્રષ્ટિેઍ શુ રહસ્ય રહેલુ છે. મુળમા તો કાયા દુન્યવી તત્વોની જ બનેલી છે .આખરે તો ઍ ઍમાજ  મળી જાય છે. પરંતુ  ઍ તત્વો તરફ માનવીની  ફરજો કુદરતે નક્કી કરેલી છે. પૃથ્વી (માટી), પાણી, અગ્નિ, વાયુ અને આકાશની આપણી કાયા બનેલી છે ઍમા જ ઍ આખરે વિલીન થઈ જાય છે. આને હિન્દુ શાસ્ત્રોમા મહાપંચ ભૂતો તરીકે ઓળખવામા આવે છે. ઍ છતા માનવી ભગવાને આપેલી કાયાનો ઉપયોગ કરતા  દૂરઉપયોગ વધારે કરે છે.
                                         કાયાની નાશવંતતાને સમજાવવા ઘણા કવિઓે કટાક્ષમા પણ લખ્યુ છે. મ્ર્ત્યુ બાદ શરીરને ઍક કપડાથી  ઢાકવામા આવે છે.  ઍ બાબતમા ઍક કવિઍ લખ્યુ છેકે ' સાથે કઈ લઈ જવા માટે કફનમા પણ ખિસૂ નથી હોતુ. 'આખરે તો કાયા જમીનમા  ધૂળધાનિ થઈ જાય છે. ઍક મુસ્લિમ ગુજરાતી કવિ  જાલન માતરી ઍ લખ્યુ છે કે-
"ગમે તેવા સ્વરૂપે નહી છોડુ આ ધરતીને
  મરણ બાદ પણ રહેવાનો છુ અહિઍ કબર થઈને"

                                            પરંતુ  કુદરત જેણે આપણી કાયા બનાવી છે ઍની પ્રત્યે  માનવીઍ ઍની કૃતજ્ઞતા દાખવવી જોઇઍ. જેમકે સાત્ત્વિક ખોરાક ખાઈને આપણે પૃથ્વી  તરફ, દરરોજ ત્રણથી ચાર લિટર પાણી પીને પાણી તરફ, કસરત કરીને અગ્નિ તરફ,  પ્રાણાયમ કરીને વાયુ  તરફ અને પ્રાર્થના દ્વારા આકાશને આહુતિ આપિયે, જેથી આ બધા તત્વોનુ બનેલી આપણી કાયાને તંદુરસ્તી બક્ષે.
                                                      **********************************